અંક સાપ્તાહિક રાશિફળ : 16 જુન થી 22 જુન 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 02 Apr 2024 02:02 PM IST
કેવી રીતે જાણવો પોતાનો મુખ્યં અંક (મુલાંક)?

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મુલાંક નું બહુ મોટું મહત્વ છે.મુલાંક ને લોકોના જીવન નું મહત્વપુર્ણ અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થાય છે,એને એકી અંક માં ફેરવ્યા પછી જે અંક મળે છે,એ તમારો મુલાંક કહેવાય.મુલાંક 1 થી 9 ની વચ્ચે કોઈણ હોય શકે છે.ઉદાહરણ તરીકે,તમારો જન્મ કોઈપણ મહિનાની 10 તારીખે થયો છે,તો તમારો મુલાંક 1+0 એટલે કે 1 થશે.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 ની વચ્ચે મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધારે સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (16 જુન થી 22 જુન, 2024)

અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધી અસર પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જન્મ તારીખ સાથે સીધો સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છીએ કે વ્યક્તિ ની જન્મ તારીખ પ્રમાણે એનો એક મુલાંક નક્કી થાય છે અને આ બધાજ અલગ-અલગ ગ્રહીઓ દ્વારા શાસિત હોય છે.

જેમકે મુલાંક 1 પર સુર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મુલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને ગુરુદેવ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિદેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવે છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહોના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન આવે છે.

આ પણ વાંચો: રાશિફળ 2024

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 વાળા લોકોની વાત કરીએ,તો આ લોકો બહુ સોચ-વિચાર કરીને નિર્ણય લ્યે છે અને જે પણ નિર્ણય લ્યે છે એની ઉપરજ કાયમ રહે છે.આ લોકો બધાજ કામ વેવસ્થિત રીતે કરે છે અને કોઈપણ કામ ઝડપી થી કરે છે.આ લોકો મોટી ઉપલબ્ધીઓ મેળવે છે અને એને પોતાના પક્ષ માં કરવા માટે બહુ દ્રઢ હોય છે.આ લોકોનો સ્વભાવ બહુ સરળ હોય છે અને આ સ્વભાવ ના કારણેજ આ લોકો અઘરા માં અઘરું કામ પણ આસાનીથી પુરુ કરી લ્યે છે.આ લોકોને જીવનમાં ઘણા નવા મોકા મળે છે,જે આ લોકોના જીવન ને નવો આકાર આપી શકે છે.આ મોકા નો તમે લાભ ઉઠાવશો અને આત્મવિશ્વાસ ની સાથે પોતાના ઉદ્દેશ ને પુરા કરશો.

પ્રેમ સબંધ : મુલાંક 1 ના લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ,તો સંકેત મળી રહ્યા છે કે તમે તમારા જીવનસાથી ની સાથે પ્યાર ભરી ભાવનાઓ ને વ્યક્ત કરતા જોવા મળશો.એની સાથે,સબંધ માં ઉચ્ચ મુલ્ય બનાવીને રાખશો અને એક સારું ઉદાહરબ સ્થાપિત કરશો.આ દરમિયાન તમારા સાથી સાથે તમારો રવૈયો બહુ સારો અને મિલનસાર રહેશે.જેના કારણે તમારા સબંધ મજબુત થશે.તમે તમારા જીવનસાથી ની સાથે પારિવારિક વિષય પર વાત કરશો અને જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો એને સુલજાવામાં સક્ષમ હસો.

શિક્ષણ: મુલાંક 1 ના લોકોના શિક્ષણ જીવન ની વાત કરીએ,તો આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેશે.તમે તમારો અભ્યાસ સારો કરવા અને ઉચ્ચ ગુણવત્તા સ્થાપિત કરવાની સ્થિતિ માં હસો અને શિક્ષણ માં ઉચ્ચ ઉપલબ્ધીઓ મેળવા ની સ્થિતિ માં રેહશો.આ સમયગાળા માં તમારી અંદર કંઈક ખાસ ગુણ જોવા મળશે.ફિજીક્સ,મેડિસિન અને બાયોકેમેસ્ટ્રી જેવા વિષય માં શાનદાર પ્રદશન કરવા અને ઉચ્ચ અંક મેળવા માં સક્ષમ હસો.આ સમયગાળા દરમિયાન તમે તમારી રુચિ પ્રમાણે પ્રોજેક્ટ ઉપર કામ કરશો.

વ્યાવસાયિક જીવન: જીવનના દ્રષ્ટિકોણ થી મુલાંક 1 ના લોકોને આ અઠવાડિયે નોકરીના ઘણા સારા મોકા મળશે અને આ મોકા તમારી બધીજ ઈચ્છાઓ પુરી કરશે ને તમારા સપના સાચા થતા જોવા મળશે.કાર્યસ્થળ માં તમને તમારા પ્રયાસ અને મેહનત માટે પોતાના વરિષ્ઠ પાસેથી વખાણ મળશે.આના સિવાય તમારા માટે પ્રમોશન અને પગાર વધારા નો યોગ બનશે કે બોનસ માં વધારે લાભ પણ મળી શકે છે.જો તમારો પોતાની ધંધો છે તો તમે નવા પ્રશાસનિક સ્કિલ્સ શીખશો અને આ સ્કિલ્સ ના કારણે તમે તમારા બિઝનેસ ને તેજી થી આગળ વધારવામાં સક્ષમ હસો.

આરોગ્ય : આરોગ્યના દ્રષ્ટિકોણ થી જોયું જાય તો,આ અઠવાડિયે તમે ઉર્જાવાન મહેસુસ કરશો અને તમારી ઇમ્યુનીટી પણ મજબુત બની રહેશે.જેના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.પરંતુ નાની-મોટી આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે પરંતુ કોઈ મોટી આરોગ્ય સમસ્યા જુન મહિનામાં તમને પરેશાન નહિ કરે.

ઉપાય : પ્રાચીન પાઠ આદિત્ય હૃદયમ નો દરરોજ જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

આ અંક માં જન્મેલા લોકો ખાસ કરીને સ્વભાવ થી નરમ અને અત્યધિક ભાવુક હોય છે.આ ભાવનાત્મક સ્વભાવ ના કારણે આ લોકો ને ઉચિત નિર્ણય લેવામાં સમસ્યા ઉભી થઇ શકે છે.જેના કારણે એમના દ્વારા લેવામાં આવેલા વધારેપડતા નિર્ણય કુશળ સાબિત નથી થઇ શકતા.જે આ લોકો માટે બાધાઓ ઉભી કરી શકે અને આ લોકોને પાછળ ની તરફ ખેંચી શકે છે.સકારાત્મક પક્ષ ની વાત કરીએ,તો આ લોકોના સેન્સ ઓફ હ્યુમર બહુ સારું હોય છે ને પોતાના આ કૌશલ ના કારણે જીવનમાં વધારે દક્ષતા મેળવી શકે છે.

પ્રેમ સબંધ : પ્રેમ સબંધ ના લિહાજ થી મુલાંક 2 ના લોકો માટે આ જુન નો મહિનો સારો સાબિત થશે.તમારી ગહરી સમજણ અને સાચી ઈમાનદારી ના પરિણામસ્વરૂપ,તમારા જીવનસાથી સાથે તમારા સબંધ મજબુત થશે.આ દરમિયાન તમે ખુલીને તમારા પાર્ટનર સામે તમારી ભાવનાઓ ને રાખજો.આના સિવાય,તમે પારિવારિક વિષય પર તમારો સકારાત્મક વિચાર રાખશો જેનાથી અનુકુળ પરિણામ મળશે.આ સમય દરમિયાન તમારા પરિવારમાં શુભ કામ થઇ શકે છે.જે તમને અને તમારા જીવનસાથી ને યાદગાર પળ આપશે.

શિક્ષણ : શિક્ષણ ના દ્રષ્ટિકોણ થી જોયું જાય તો,જુન ના આ અઠવાડિયે તમે કેમેસ્ટ્રી,અને સમુદ્રી એન્જીન્યરીંગ જેવા વિષય માં સારું પ્રદશન કરશો અને તમે આ વિષય માં સારી તરક્કી મેળવશો.આના સિવાય બાયોમેડિસન જેવા વિષય માં પણ રુચિ લઇ શકે છે.આ તમારા ભવિષ્ય માટે સારું સાબિત થશે.આ દરમિયાન તમે અભ્યાસ ના કામકાજ માટે યાત્રા પર જઈ શકો છો અને તમે ડોક્ટર ના અભ્યાસ ની શુરુઆત પણ કરી શકો છો.આ અઠવાડિયે તમે ઘણા પ્રોજેક્ટ ઉપર કામ કરશો અને તમારી સ્કિલ્સ માં સુધારો જોવા મળશે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરી ના કામકાજ માટે તમારે લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે.બની શકે છે કે કોઈ નવા પ્રોજેક્ટ માટે તમારે બહાર જવું પડે.આ કામ માં મેહનત માટે તમને પુરષ્કાર કરવામાં આવી શકે છે.એ પણ સંભવ છે કે આ દરમિયાન કાર્યસ્થળ પર તમને કામકાજ માટે નવા લક્ષ્ય આપવામાં આવે અને તમારા વરિષ્ઠ તમને એક કે બે અઠવાડિયા માં પુરો કરવાનો આદેશ આપી શકે છે,જેના કારણે તમે તણાવ માં આવી શકો છો.પરંતુ તમે તમારા લક્ષ્ય ને આસાનીથી મેળવા માં સક્ષમ હસો.જો તમારો ડેરી કે દુધ નો ધંધો છે,તો તમે સારું પ્રદશન કરવામાં સક્ષમ હસો.એની સાથે,પોતાના વિરોધીઓ ને કડી ટક્કર આપવામાં સક્ષમ હસો અને ટોંચ ઉપર જવાનો પ્રયાસ કરી શકો છો.આના સિવાય,તમે આગળ નવા વેપારી ની શુરુઆત કરવાનો વિચાર પણ કરી શકો છો અને આ તમારા ભવિષ્ય માટે સારું સાબિત થશે અને તમારા માટે સમૃદ્ધિ નો રસ્તો ખુલી શકે છે.એની સાથે,સારો નફો પણ મળશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકો ઉર્જા થી ભરેલા મહેસુસ કરશે,જેના કારણે તમારું આરોગ્ય સારું બની રહેશે.પરંતુ,તો પણ તમારે તમારા ખાવા-પીવા ઉપર ધ્યાન દેવાની જરૂરત છે.સારું ભોજન તમારા આરોગ્યને સ્થિર બનાવીને રાખશે.તમારા રોજિંદા જીવનમાં યોગ અને કસરત ને એડ કરો કારણકે આ તમારી ફિટનેસ માટે માર્ગદર્શન આપશે અને કોઈપણ પ્રકારની સમસ્યા તમને પરેશાન નહિ કરે.ઉર્જા નું ઉચ્ચ સ્તર તમને ફિટ રાખવામાં પેહલા કરતા ઘણી વધારે મદદરૂપ થશે.

ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો જાપ કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 ની અંદર જન્મ લેવા વાળા લોકો સ્વભાવ માં અત્યધિક સીધા અને સિદ્ધાંતો ને માનવાવાળા હોય છે.આ લોકો બહુ ખુલ્લા વિચાર વાળા હોય છે અને મોટા નિર્ણય લેવામાં જરૂરી માનસિકતા ને અપનાવે છે.અભિમાન ની ભાવના તમારા કામને ખરાબ કરી શકે છે અને તમારા રસ્તા માં બાધાઓ લાવી શકે છે એટલા માટે આ રીતની ભાવનાઓ થી બચવાનો પ્રયાસ કરો.આ લોકો ઘણી ભાષાઓ શીખવાની અત્યધિક રુચિ રાખે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી સાથે તમારો રવૈયો બહુ સરળ રહેશે અને તમે એની સાથે પ્યાર ભરી વાતો કરતા નજર આવશો,જેનાથી તમારો સબંધ વધારે મજબુત થશે ને તમે તમારા પાર્ટનર ની નજીક જઈ શકો છો.તમે એકબીજા સાથે તમારી ભાવનાઓ ને સાઝા કરશો અને એક શાનદાર સમય નો આનંદ લેશો.આ રીતે તમારો પ્યાર પરવાન ચડશે જે દિશા માં તમે ચાહો છો.પરંતુ આ અઠવાડિયે તમને અભિમાન થી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે આનાથી તમારો સબંધ ખરાબ થઇ શકે છે.

શિક્ષણ: શિક્ષણ ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે મેનેજમેન્ટ,બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા વિષયોમાં સારું પ્રદર્શન કરશો.આ વિષય તમને ભવિષ્ય માં પણ લાભ આપશે.તમારી યાદ રાખવાની આવડત મજબુત થશે અને આ રીતે તમે શિક્ષણ માં ઉચ્ચ અંક મેળવશો.ટોંચ ઉપર પોંહચવા માટે તમારી પાસે જરૂરી કૌશલ હશે.જે વિદ્યાર્થી ને વિદેશ માં અભ્યાસ કરવાની ઈચ્છા છે એ વિદ્યાર્થી ની ઈચ્છા પુરી થશે તમને વિદેશ માં જઈને અભ્યાસ કરવાના સારા મોકા મળશે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો,તો જુન નું આ અઠવાડિયું તમારી ઉમ્મીદ કરતા વેવસાયિક જીવન માટે વધારે શાનદાર સાબિત થશે.આ દરમિયાન તમે કામકાજ માટે સારા પરિણામ મેળવશો.એની સાથે જ,કાર્યસ્થળ માં તમારા માટે પ્રમોશન ના યોગ બનશે અને તમને ઉચ્ચ હોદ્દો પણ મળશે જે તમારા માટે આશ્ચર્ય ની વાત હશે.જો તમે ધંધા માં છો,તો તમે મલ્ટી લેવલ બિઝનેસ માં પગલું રાખી શકો છો.અને આ વેપાર માં તમને બહુ વધારે નફો થશે.તમે આ બિઝનેસ માં વિષેશતા હાસિલ કરીને પોતાના વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ થશો.આ મોકો તમારા માટે બહુ સારો સાબિત થશે.

આરોગ્ય : આ દરમિયાન તમને નાની-મોટી આરોગ્ય સમસ્યા જેમેક માથાનો દુખાવો અને ખાંસી થઇ શકે છે.એવા માં,દરરોજ યોગ અને ધ્યાન કરવું તમારા માટે ફાયદામંદ સાબિત થશે.આ દરમિયાન તળેલું ભોજન કરવાથી તમને બચવાની સલાહ આપવામાં આવી છે કારણકે આ તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે.

ઉપાય : "ઓમ બૃહસ્પતેય નમઃ” નો દરરોજ 21 વાર જાપ કરો.

મુલાંક 4

( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

મુલાંક 4 ના અંક માં જન્મેલા લોકો થોડી વસ્તુઓ પ્રત્ય બહુ જુંનુની હોય છે.આ લોકો લાંબી દુરીની યાત્રા કરવાના શોખીન હોય છે અને બહુ રુચિ રાખે છે.આના સિવાય,અધિયાત્મિક્તા ગતિવિધિઓ તરફ આ લોકોની વધારે સીમિત રહે છે.નિર્ણય લેવાની આવડત તમારા વ્યક્તિત્વ નો ગુણ હોય શકે છે,પરંતુ આ અઠવાડિયે તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય તમને મુશ્કેલી માં નાખી શકે છે.આરોગ્યના દ્રષ્ટિકોણ થી જોયું જાય,તો આ અઠવાડિયું અનુકુળ પ્રતીત થતું નથી દેખાઈ રહ્યું કારણકે તમે તણાવ મહેસુસ કરી શકો છો,જેના કારણે તમારું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો પરિવારમાં ચાલી રહેલી સ્થિતિઓ ની સાથે તાલમેલ બેસાડવાની જરૂરત છે કારણકે તમારા પરિવારમાં લાંબા સમય થી ચાલી રહેલા મુદ્દા પર વિવાદ થઇ શકે છે,જેના કારણે તમારા જીવનસાથી સાથે તમારો દ્રષ્ટિકોણ ખરાબ થઇ શકે છે.આપસી સમજણ ની કમી ના કારણે સબંધ ને મીઠા બનાવા માટે સમસ્યા આવી શકે છે.એવા માં,તમારે ધૈર્ય બનાવી રાખી અને સબંધ માં શાંતિ બનાવી રાખવાની જરૂરત છે એટલે આ અઠવાડિયા ને વધારે સુખદ બનાવી શકાય.

શિક્ષણ : મુલાંક 4 ના લોકોના શિક્ષણ જીવન ની વાત કરીએ,તો 16 જુન થી 22 જુન સુધી તમને અભ્યાસ માં એકાગ્રતા ની કમી મહેસુસ થઇ શકે છે,જેના કારણે કામમાં ભુલો થવાની સંભાવના છે અને તમે તમારા કામમાં પાછળ રહી જાવ ને પોતાના સહકર્મીઓ થી અલગ થઇ શકો છો.એવા માં,તમને આ દરમિયાન અભ્યાસમાં વધારેમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવા અને એકાગ્રતા ને વધારવાની જરૂરત છે.એટલે સફળતા તમારા પગમાં આવી શકે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો,તો તમારી ઉપર કામનું બહુ દબાણ પડી શકે છે,જેના કારણે લક્ષ્યો ને મેળવો તમને મુશ્કિલ લાગી શકે છે.તમે કામમાં ભુલો કરી શકો છો જેના પછી તમારી કાબિલિયત પર શક થઇ શકે છે.એવા માં,તમારે કાર્યસ્થળ માં સફળતા મેળવા માટે તમારે કામમાં ધ્યાન કેન્દ્રિત કરવા અને વધારેમાં વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.જે લોકોનો પોતાનો ધંધો છે એમને આ દરમિયાન ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની આશંકા છે.એવા માં,તમારે સાવધાન રેહવાની અને વેપારમાં ધ્યાન દેવાની જરૂરત છે અને પોતાના વિરોધીઓ ને પછાડવા અને સફળતા મેળવા માટે કોઈ ભારી પગલું ભરવાની જરૂરત છે.

આરોગ્ય: મુલાંક 4 ના લોકોના આરોગ્ય ની વાત કરીએ,તો તમને આરોગ્ય સમસ્યા થઇ શકે છે.તમને એલર્જી ના કારણે ચામડી ને લગતી સમસ્યા થઇ શકે છે,જે આ દરમિયાન તમને પરેશાન કરી શકે છે.આવી વસ્તુ વધારે તળેલી વસ્તુઓ ખાવાથી થાય છે એટલા માટે તમારા ખાવા-પીવા ઉપર ધ્યાન આપો.એની સાથે,ખાવાનો નિયમ અને સમય સાચો રાખો નહીતો આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.

ઉપાય: દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 ના લોકો સામાન્ય રીતે વધારે બુદ્ધિમાન અને આત્મનિર્ભર હોય છે.આ લોકો બધાજ કામને યોજના બનાવીને કરવાનું પસંદ કરે છે.આ લોકો શેર ટ્રેડિંગ સબંધિત વેપાર માં વધારે રુચિ રાખે છે અને આમાં વધારે કમાણી કરવાનો પ્રયાસ કરે છે.કુલ મળીને મુલાંક 5 ના લોકોનો ઝુકાવ બિઝનેસ તરફ વધારે હોય છે.આ લોકો મલ્ટી લેવલ બિઝનેસ માં પણ બહુ તેજી થી આગળ વધે છે અને બહુ નફો કમાવા માં સક્ષમ હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમારો સેન્સ ઓફ હ્યુમર પાર્ટનર ને તમારી વધારે નજીક લાવશે.તમને એવું લાગશે કે તમે એકબીજા માટે બનેલા છો.તમે તમારા જીવનસાથી સાથે હસી-મજાક કરીને બહુ સારો સમય પસાર કરશો.તમે તમારી ભાવનાઓ જીવનસાથી ની સામે રાખશો અને તમારા સબંધ માં સારી સમજણ અને સારો લાભ જોવા મળશે.ખરાબ માં ખરાબ સમયમાં તમે તમારા જ્ઞાન થી પોતાના પાર્ટનર ને સમજાવામાં સફળ થશો.

શિક્ષણ : મુલાંક 5 ના લોકોના શિક્ષણ જીવન ની વાત કરીએ,તો આ લોકો આ અઠવાડિયે પોતાની કાબિલિયત દેખાડવામાં સક્ષમ હશે.ખાસ કરીને એ વિદ્યાર્થી માટે ફળદાયી સાબિત થશે,જે લોકો ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ કોર્ષ કરી રહ્યા છે.આ દરમિયાન તમે તમારી યૉગ્યતા અને કૌશલ સાબિત કરવામાં સફળતા મેળવશો.તમે આ જગ્યા એ વધારેમાં વધારે જ્ઞાન ભેગું કરશો અને અભ્યાસ માં સારા માનક સ્થાપિત કરશો.તમે ફાઇનાન્સિઅલ એકાઉન્ટ જેવા વિષય માં વધારે કૌશલ હસો.શિક્ષણ માં આ અઠવાડિયે તમે જે લક્ષ્ય નક્કી કર્યો છે એને મેળવા માં સફળ રેહશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયું તમારા વેવસાયિક જીવન માટે શાનદાર રહેશે.ભલે તમે નોકરિયાત હોવ કે બિઝનેસ કરી રહ્યા હોવ.તમને બહુ લાભ થશે અને બહુ સફળતા મેળવશો.તમે આ બંને જગ્યા એ તમારી એક ઓળખ બનાવશો.જો તમે એક કન્સલ્ટન્ટ તરીકે કામ કરો છો,તો આ અઠવાડિયે તમારી સ્કિલ્સ ના કારણે કંઈક સારું કરી શકો છો.જો તમે નોકરિયાત છો,તો તમને સારા અને નવા મોકા મળશે અને આ મોકા ભવિષ્ય માટે પણ અનુકુળ સાબિત થશે.બની શકે છે કે આ મોકા ને મેળવીને તમે બહુ વધારે ખુશ થઇ જાવ.જો તમે વેપાર માં છો,તો તમે સારી ડીલ કરશો જેનાથી તમને લાભ થશે.આના સિવાય,તમારા વેપાર માટે નવી રણનીતિઓ બનાવી શકો છો અને આ રણનીતિઓ તમને ઉચ્ચ લાભ આપશે.

આરોગ્ય : તમારા આરોગ્યની વાત કરીએ,તો આરોગ્યના લિહાજ થી,આ અઠવાડિયે તમને સારું આરોગ્ય મળશે અને તમે ઉર્જા અને ઉત્સાહ થી પોતાને ભરેલા મહેસુસ કરશૉ.આશંકા છે કે આ સમયગાળા માં તમને આરોગ્ય ને લગતી કોઈ સમસ્યા નહિ થાય.પરંતુ તો પણ તમારે તમારા ખાવા-પીવા ઉપર ધ્યાન આપવું પડશે.પોતાના આરોગ્યને ફિટ રાખવા માટે તમારે સકારત્મક સોચ રાખવી અને યોગ કે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

મુલાંક 6 ના લોકો સામાન્ય રીતે સ્વભાવ થી વધારે કલાત્મક અને રચનાત્મક હોય છે અને આ લોકો પોતાને વર્તમાન સ્થિતિ મુજબ બદલવાની કોશિશ કરે છે એટલે કે ટ્રેડ ચલાવી રહ્યા છે અને એને અપનાવાની કોશિશ કરે છે.મુલાંક 6 ના લોકો મીડિયા અને બીજી રચનાત્મક ગતિવિધિઓ માં શામિલ થઇ શકે છે અને આનાથી એમને લાભ પણ મળશે.આ અઠવાડિયે તમે કારકિર્દી માટે લાંબી દુરીની યાત્રા કરી શકો છો.આના સિવાય આ લોકો પોતાની કોમ્યુનિકેશન સ્કિલ્સ માં અને સુધાર લાવવા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરે છે.

પ્રેમ જીવન : મુલાંક 6 ના લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમારે તમારા જીવનસાથી સાથે મધુર સબંધ બનાવી રાખવામાં મુશ્કેલી આવી શકે છે કારણકે તમે તમારું ધૈર્ય ખોય શકો છો.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના પાર્ટનર ની સાથે નરમી થી પેસ આવો અને પોતાની ઉપર નિયંત્રણ રાખો.એની સાથે,અંદર ની સમજણ અને શાંત તિથિ સબંધ ને બનાવની કોશિશ કરો.આવું કરવાથી તમારા સબંધ માં મધુરતા જોવા મળશે અને તમારી અને પાર્ટનર વચ્ચે જે પણ વિવાદ છે એ દુર થઇ જશે.એની સાથે,સબંધ માં સદ્ભાવ બનાવી રાખવા માં સક્ષમ થશો.

શિક્ષણ : શિક્ષણ જીવન ની વાત કરીએ,તો તમારા માટે આ અઠવાડિયું વધારે અનુકુળ પ્રતીત નથી થતું દેખાઈ રહ્યું.આશંકા છે કે આ અઠવાડિયે અભ્યાસ માં સારા નંબર લાવવા માટે અસફળ થઇ શકો છો કારણકે તમારું મન અભ્યાસ માંથી હટી શકે છે અને યાદશક્તિ પણ કમજોર થઇ શકે છે.જે તમારા માટે બહુ જરૂરી છે.વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, ફેશન ડિઝાઇન જેવા વિષયો તમારા માટે ફળદાયી સાબિત થશે. તમે શિક્ષણમાં વધુ માર્ક્સથી પાછળ રહી શકો છો, જે નિરાશાનું કારણ પણ બની શકે છે.

વ્યાવસાયિક જીવન: તમારા વેવસાયિક જીવન ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમારે કાર્યસ્થળ માં સાવધાની રાખવાની જરૂરત પડી શકે છે કારણકે તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.જેના કારણે કામમાં વધુ ભૂલો થવાની સંભાવના છે. તમારા વ્યાવસાયિક જીવનમાં આ સમયગાળા દરમિયાન, તમારે વિવિધ નવી વ્યૂહરચના અને નવી પદ્ધતિઓ અપનાવવી પડશે, જે તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. બીજી બાજુ, જો તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય છે, તો આ સમયગાળા દરમિયાન તમને વધુ નુકસાન થવાની સંભાવના છે કારણ કે આ સમયગાળા દરમિયાન તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્પર્ધકો તેમના વ્યવસાય માટે અનન્ય વ્યૂહરચના અપનાવી શકે છે અને વધુ નફો મેળવવા માટે સક્ષમ બની શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા વ્યવસાયને આગળ લઈ જવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે વર્તમાન વ્યૂહરચનામાં ફેરફાર કરીને વ્યવસાયના વલણોને અપનાવવાની જરૂર પડશે.

આરોગ્ય : આરોગ્યના દ્રષ્ટિકોણ થી જુન મહિનો તમારા માટે પ્રતિકુળ સાબિત થઇ શકે છે કારણકે આ દરમિયાન તમે ચામડીની એલર્જી,વધારે માથાનો દુખાવો અને કોઈ મોટી બીમારી જેમકે ટ્યુમર ની ચપેટ માં આવી શકો છો,જે તમારા માટે પરેશાની નો સબક બની શકે છે.આ સમસ્યા તમને વધારે તેલ કે મસાલાવાળા ખાવાનું ખાવાથી થઇ શકે છે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે તમારા ખાવા પીવા ઉપર ધ્યાન આપો ને બહાર નું ખાવાનું નહિ ખાવ.આના સિવાય,આ સમયે તમારે ઇમ્યુનીટી ને મજબુત બનાવા ઉપર પણ ધ્યાન આપવું પડશે.

ઉપાય : દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

મુલાંક 7 ના લોકોના વ્યક્તિત્વ માં ઘણા ગુણ હાજર હોય છે અને આ પોતાની અંદર હાજર કૌશલ ના કારણે મહારથ મેળવે છે.આના સિવાય,આ લોકોનો ઝુકાવ ધાર્મિક ગતિવિધિઓ તરફ વધારે હોય છે અને આ લોકો ભગવાન થી ડરવા વાળા હોય છે.આ લોકો કૌશલ દેખાડવા અને લાભ ઉઠાવા માં સક્ષમ હોય છે.એની સાથે,આ લોકો પાસે થોડી એવી સ્કિલ્સ પણ હોય છે જે એમને સફળ થવા માં માર્ગદર્શન આપી શકે છે.આ લોકોની રુચિ રહસ્ય વિધા માં વધારે હોય છે અને આ વિષય માં રિસર્ચ કરે છે અને આગળ વધવાનો પ્રયાસ કરે છે.આ લોકો આ વિધા ને એક જુનુન તરીકે અપનાવી શકે છે.

પ્રેમ જીવન : મુલાંક 7 ના લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમને તમારા સબંધ માં પ્રેમ ની કમી મહેસુસ થઇ શકે છે કારણકે પરિવારમાં થોડા એવા મુદ્દા ઉભા થઇ શકે છે,જેનાથી તમને તમારા સબંધ ને મજબુત બનાવા માટે સમસ્યા થઇ શકે છે.એવા માં,ચિંતા કરવાની જગ્યા એ તમારે તમારા પરિવારમાં ચાલી રહેલા ઝગડા ને સુલજાવામા પરિવારમાં કોઈ વડીલ ની સલાહ લેવી જોઈએ.આ રીતે જીવનસાથી સાથે અંદર ની સમજણ અને પ્રેમ બનેલો રહેશે.

શિક્ષણ : મુલાંક 7 ના લોકોના શિક્ષણ જીવન ની વાત કરીએ,તો આ સમયગાળો ગૂઢવિજ્ઞાન,ફિલોસોફી અને સોશ્યલોજી જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી માટે આ અઠવાડિયું વધારે લાભકારી નહિ રેહવાની આશંકા છે.તમારે અભ્યાસ માં અને સારા નંબર લાવવા માટે થોડો સંઘર્ષ કરવો પડી શકે છે કારણકે તમારી યાદશક્તિ થોડી કમજોર થઇ શકે છે.આના કારણે આ અઠવાડિયે તમે સારા નંબર લાવવા માં પાછળ રહી શકો છો.આ અઠવાડિયે તમે તમારી અંદર છુપાયેલા સ્કિલ્સ ને જાળવી રાખવામાં સક્ષમ હસો.આના સિવાય સમય ની કમી ના કારણે પોતાના કૌશલ ને દેખાડવામાં અસમર્થ રહી શકો છો.અભ્યાસ માં તમારું પ્રદશન સારું કરવા માટે તમને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી અંદર વધારે કૌશલ પણ વિક્સિત થઇ શકે છે અને તમે તમારા કામમાં સરહાના મેળવા માં સક્ષમ થઇ શકો છો.પરંતુ એની સાથે,તમારી ઉપર નોકરી નું દબાણ પણ રહેશે જે અસહનય હોય શકે છે.જો તમે વેપાર કરો છો તો આ સમયે તમને નુકશાન થવાની સંભાવના પણ છે અને તમારા માટે અનુમાન રાખવું અને પોતાના વેપાર નું ધ્યાન રાખવું જરૂરી છે.એની સાથે આ અઠવાડિયા દરમિયાન તમારે કોઈપણ ભાગીદારી કે નવા સોદા માં શામિલ થવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને એલર્જીના કારણે ચામડીમાં બળવાની સમસ્યા થઇ શકે છે.આના સિવાય,તમને પાચન સબંધી સમસ્યા થવાના પણ સંકેત છે.સ્વસ્થ રહેવા માટે તમે સમય ઉપર ભોજન કરો અને તળેલી વસ્તુઓ થી બચો કારણકે આ તમારા આરોગ્યને ખરાબ કરી શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 8 ના લોકોનું ધૈર્ય તુટી શકે છે અને આ લોકો સફળતા મેળવા માં પાછળ રહી શકે છે.યાત્રા દરમિયાન તમારી કોઈ મુલ્યવાન વસ્તુ કે કોઈ કિંમતી સામાન ખોવાય શકે છે જેને લઈને તમે ચિંતા માં આવી શકો છો.આનાથી બચવા માટે તમારે વધારે સાવધાન રેહવું અને વેવસ્થિતિ યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.આના સિવાય તમે આ સમયે મોટા રોકાણ જેવો કોઈ નિર્ણય નહિ લ્યો નહીતો તમને નુકશાન થઇ શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પ્રોપર્ટી ને લઈને ચાલી રહેલી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.ત્યાં તમને તમારા મિત્રો દ્વારા ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ ના કારણે કે પ્રેમી અને જીવનસાથી સાથે સારા સબંધ જાળવી રાખવામાં દિક્કત આવી શકે છે.આના કારણે તમારો અને તમારા પાર્ટનર નો સબંધ કમજોર પડી શકે છે અને એમની સાથે નજદીકીયાં બનાવી રાખવામાં તમને મુશ્કેલી થઇ શકે છે.

શિક્ષણ : પ્રયાસ કરવા છતાં આ અઠવાડિયે તમે અભ્યાસ કરી શકો છો.સફળ થવા અને આગળ વધવા માટે તમારે વધારે મેહનત કરવાની જરૂરત હશે.તમે ધૈર્ય બનાવી રાખો અને ધ્યાન રાખીને અભ્યાસ કરો ત્યારેજ તમને સારા નંબર મેળવા માં સફળતા મળશે.જો તમે મેકેનિકલ કે ઑટોમોબાઇલ એન્જીન્યરીંગ નો અભ્યાસ કરી રહ્યા છો,તો સારું પ્રદશન કરવા માટે તમારે વધારે ધ્યાન આપવું પડશે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો,તો સંભાવના છે કે તમને કાર્યસ્થળ પર સરહાના નહિ મળે અને આ વાત થી તમે ચિંતા માં મુકાય શકો છો.ત્યાં જે લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે એ લોકોને ઉચ્ચ મુલ્યો ઉપર ટકી રહેવા માટે અને નફા ની ડીલ કરવામાં દિક્કત આવી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ અને જોડો માં દુખાવાની આશંકા છે.એવા માં,આ સમયે તણાવ તમારી ઉપર ભારી પડી શકે છે.અસંતુલિત ભોજન લેવાના કારણે તમારી સાથે આવું થઇ શકે છે.તમને આ સમયે કસરત અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.જેનાથી તમે સ્વસ્થ મહેસુસ કરી શકો છો.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકો સાહસી અને વેવસ્થિત હોય છે.આ લોકો મોટા કામોને પણ આસાનીથી કરવામાં સક્ષમ હોય છે.આ લોકો વેવસ્થિત હોવાની સાથે સાથે સમય ના પાબંદી હોય છે એટલે આ લોકોને બધાજ કામને સમય ઉપર પુરા કરવાનું પસંદ હોય છે.આ અંક ના લોકો મોટામાં મોટા કામને પણ આસાનીથી પુરા કરવામાં માહિર હોય છે.

પ્રેમ સબંધ : તમે તમારા પાર્ટનર સાથે વધારે સિદ્ધાંતિક રવૈયા અપનાવશો અને સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.આનાથી તમારી અને જીવનસાથી વચ્ચે સારી સમજણ વિક્સિત થશે અને તમારા સબંધ મજબુત થશે ને તમે બીજા માટે સારું ઉદાહરણ પેસ કરશો.તમે તમારા પાર્ટનર સાથે ફરવા પણ જઈ શકો છો અને આ દરમિયાન તમે ખુબ આનંદિત રેહશો અને પ્રસન્ન રેહશો.આની સાથેજ જીવનસાથી સાથે અંદર નો તાલમેલ પણ વધશે.

શિક્ષણ : આ અઠવાડિયા દરમિયાન, તમે મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ વગેરે જેવા વિષયોમાં અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા માટે સંકલ્પબદ્ધ થશો. તમે જે પણ વાંચશો, તમે તેને ઝડપથી યાદ રાખશો અને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શકશો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 9 ના લોકો આ અઠવાડિયે પોતાના કામમાં બહુ સારું પ્રદશન કરશો અને તમારા કામને ઓળખ મળવાની પણ સંભાવના છે.આ ઓળખ તમને પ્રમોશન ના રૂપે પણ મળી શકે છે.ત્યાં વેપારીઓ ને શાનદાર નફો કમાવા ના મોકા મળશે અને આ રીતે આ લોકો ની પોતાની વિરોધીઓ સામે પ્રતિસ્થા વધશે.તમે તમારા બિઝનેસ માટે નવી રણનીતિઓ બનાવી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે સારું આરોગ્ય બનાવી રાખવાની સ્થિતિ માં હોય શકો છો અને આ તમારા ઉત્સાહ ના કારણે થશે.સારી વાત એ છે કે આ સમયે તમારે આરોગ્ય ને લગતી મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે.ખુશ હોવાના કારણે તમે ઉર્જાવાન બનેલા રેહશો અને તમારો ઉચ્ચ ઉર્જા સ્તર બનાવી રાખવામાં સક્ષમ હસો.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer