અંક સાપ્તાહિક રાશિફળ : 23 જુન થી 29 જુન 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 02 Apr 2024 02:03 PM IST

.


કેવી રીતે જાણો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કઈ પણ હોય શકે છે ઉદાહરણ તરીકે વાત કરીએ,તો મહિનાની 12 તારીખે જન્મેલા ચો,તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક કાઢી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ જાણી શકો છો.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના રાશિફળ સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક સાપ્તાહિક રાશિફળ નું અમારા જીવનમાં ગહેરી અસર પડે છે કારણકે અંકો નો અમારી જન્મ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાથીજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિની નો મુલાંક એમની જન્મ તારીખ પાર થી નક્કી થાય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવમાં આવે છે.

જેમકે અંક 1 પર સુર્યદેવ નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુનું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર અને 7 પર કેતુ નો,8 પર શનિ નો અને 9 પર મંગળ ગ્રહ નું શાસન છે.આ ગ્રહોની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (23-29,જુન) તમારા વિશે શું ભવિષ્યવાણી કરે છે.

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 23-29 જુન, 2024

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, કે પછી 28 તારીખે થયો હોય તો)

મુલાંક 1 ના લોકો પોતાના દ્રષ્ટિકોણ માં વધારે કુશળ અને સ્પષ્ટ હોય છે અને આ લોકો બહુ વેવસ્થિત પણ હોય છે.આ લોકો પોતાના કામને ઓછા સમય માં જ પુરુ કરી લ્યે છે.એની સાથે,તમારી પાસે સારી પ્રશાસનિક આવડત હોય છે અનુકૂળ અને તરતજ નિર્ણય લેવામાં મદદ કરે છે.આ મુલાંક ના લોકો ને તેજી થી સફળતા મેળવા માં કામયાબી મળે છે અને તમે તમારા કામને કરતી વખતે આ વાત નું ખાસ ધ્યાન રાખશો.આ અઠવાડિયા દરમિયાન તમે અપેક્ષિત સફળતા નહિ મેળવી શકો અને આવું નહિ કરવું તમારા માટે કઠિન સાબિત થઇ શકે છે.

પ્રેમ જીવન: આ અઠવાડિયે તમારે તમારા જીવનસાથી સાથે પોતાના વેવહાર માં વધારે સંયમ રાખવાની જરૂરત છે કારણકે તીખી બહેસ કે ઝગડા થવાની પ્રબળ આશંકા નજર આવી રહી છે.આ તમારા સબંધ માં થવાવાળા અભિમાન સબંધી મુદ્દા ઓ ના કારણે થઇ શકે છે.એવા માં તમારે તમારા સાથી સાથે શાંતિપુર્ણ રવૈયા અપનાવો પડશે એટલે આ અઠવાડિયા દરમિયાન તમારા જીવનમાં બધુજ ઠીક રહે.તમે તમારા સાથી સાથે સૌંદર્યપુર્વક વાતચીત કરીને પોતાના સબંધ ને અનુકુળ બનાવી શકો છો.આ અઠવાડિયે પોતાના જીવનસાથી ની સાથે પોતાની બુદ્ધિમતા નો ઉપયોગ કરીને અને એમની જરૂરતો ને સમજી ને,એમના મોઢા ઉપર હસી જોવી એજ માત્ર લક્ષ્ય રહેશે.

શિક્ષણ : આ અઠવાડિયા દરમિયાન તમારી અંદર એકાગ્રતા ની કમી જોવા મળી શકે છે અને આના કારણે તમે અભ્યાસ ને સારી રીતે નહિ કરી શકો.તમારાથી થવાવાળી ભુલો ના કારણે તમને અભ્યાસ માં ઓછા નંબર મળશે અને મુમકીન છે કે આવી દક્ષતા અને રુચિ ની કમી ના કારણે તમે અભ્યાસ માં સારું પ્રદશન નહિ કરી શકો.જો તમારે તમારી એકાગ્રતા સુધારવી છે તો તમે ધ્યાન અને યોગ પોતાના જીવનમાં શામિલ કરી શકો છો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 1 ના લોકો મોટી કામયાબી મેળવા અને કામમાં દક્ષતા દેખાડવાની સ્થિતિ માં નજર નહિ આવે.સાદી ભાષા માં કહીએ તો તમારી અંદર વેવસાયિકતા ની કમી નજર આવશે જેના કારણે તમે સમય ની અંદર પોતાના લક્ષ્ય ને પુરુ કરવામાં અસફળ રહી શકો છો.તમને તમારા કમમાં ઉચ્ચ માનક મેળવા અને આગળ વધવા માટે વેવસાયિકતા ઉપર ટકી રેહવું જરૂરી છે.

આરોગ્ય: આ અઠવાડિયે મુલાંક 1 ના લોકોને પાચન સબંધિત સમસ્યાઓ કે પછી તીવ્ર માથા નો દુખાવો નો ડર છે જે તમને જીવનમાં ઉચિત સફળતા મેળવા ના રસ્તા માં બાધા ના રૂપમાં આવી શકે છે એટલે તમારા આરોગ્ય ને સ્થિર બનાવી રાખવા માટે તમારે સમય ઉપર ખાવાનું ખાવું જોઈએ અને પોતાને ફિટ રાખવા જોઈએ.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, કે 29 તારીખે થયો છે)

મુલાંક 2 ના લોકો સામાન્ય રીતે ભ્રમિત માનસિકતા વાળા હોય છે અને આ વાત ને પોતાના મગજ માં રાખે છે જેના કારણે તમે તમારા હિતો ને બઢાવો દેવાવાળા નિર્ણય લેવાની સ્થિતિ માં નજર નહિ આવો.આ અઠવાડિયે આ લોકોની લાપરવાહી ના કારણે પૈસા ના નુકશાન ની પ્રબળ સંભાવના છે.એની સાથે આ મુલાંક ના લોકો આ અઠવાડિયે ઘણા સારા મોકા ખોઈ શકે છે જે એમના વિકાસ ના રસ્તામાં રુકાવટ નું કામ કરશે.આવનારા 7 દિવસ માં મુલાંક 2 ના લોકો તમામ મુશ્કેલીઓ ના કારણે નુકશાન કરતા નજર આવશે અને સંકટ માં ફસાય શકે છે.આ લોકો માટે પોતાના મગજ ને સ્વસ્થ રાખવા માટે અને આશાવાદી દ્રષ્ટિકોણ જીવનમાં રાખવું જરૂરી રહેશે ત્યારેજ તમે સફળતા મેળવી શકશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન તમે તમારા જીવનસાથી ની સાથે સબંધ માં પોતાને ખોતા નજર આવશો અને આનું મુખ્ય રૂપથી કારણ આવી ભાવના થવાની છે જે તમે તમારા વેવહાર માં વ્યક્ત કરી રહ્યા છૉ.તમે ધૈર્ય ખોઈ રહ્યા છો અને તમારા શબ્દ માં આ વસ્તુ નજર આવવા લાગી છે.આવામાં આ અઠવાડિયે તમારે વધારેમાં વધારે ધૈર્ય બનાવી રાખવું અને શાંતિ બનાવી રાખવાની જરૂરત પડવાની છે નહીતો તમારા સબંધ માં પરિસ્થિતિઓ વધારે ખરાબ થઇ શકે છે.

શિક્ષણ : મુમકીન છે કે તમે શિક્ષણ માં પોતાને કોઈ જગ્યા એ ખોવાયેલા મહેસુસ કારસો કારણકે તમે એ અપેક્ષિત વિષય ને મેળવા માટે સફળ નથી થવાના જેને તમે મેળવા માંગો છો.તમારે તમારી રુચિ ના કોઈ નવા વિષય અધ્યન રૂપમાં મળી શકે છે અને આ તમારા માટે રુકાવટ નું કારણ બનશે.આ અઠવાડિયે તમારા માટે બહુ જરૂરી રહેવાનું છે કે તમે જે પણ અધ્યન કરી રહ્યા છો,એના માટે પોતાને સારી રીતે તૈયાર રાખો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરી રહ્યા છો,તો આ અઠવાડિયું તમારા માટે થોડું રુકાવટ વાળું રહેશે કારણ કે કામના વધુ પડતા દબાણ અને ઉપરી અધિકારીઓના દબાણને કારણે તમે પરેશાન થઈ શકો છો. આ અઠવાડિયે તમારા ઉપરી અધિકારીઓ તમારા પર વધુ દબાણ કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં આવી સમસ્યાઓ તમારા જીવનમાં ચિંતાનું કારણ બની શકે છે. જો તમે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, તો તમારે ભાગીદારીની સમસ્યાઓ અથવા વ્યવસાય તકનીકના અભાવને કારણે અચાનક નુકસાન સહન કરવું પડી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને ઠંડી ને લગતી સમસ્યા થવાનો ડર બનેલો છે કે પછી તમને કોઈ એલર્જી પરેશાન કરી શકે છે.આ દરમિયાન તમારા માટે પોતાના આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપવું અને પોતાને ફિટ અને તંદુરસ્ત રાખવું વધારે જરૂરી છે.

ઉપાય : સોમવાર ના દિવસે માં પાર્વતી માટે યજ્ઞ-હવન કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, કે પછી 30 તારીખે થયો છે)

મુલાંક 3 વાળા લોકો પોતાના સ્વભાવમાં વ્યાપક વિચાર વાળા અને વધારે સિદ્ધાંતવાદી હોય છે.આ લોકો બહુ સીધા-સાદા અને પોતાની વાત ઉપર રહેવાવાળા હોય છે અને આ લોકોમાં અભિમાન જેવી સમસ્યા પણ જોવા મળે છે.આ બધીજ વસ્તુ ને આ લોકો પોતાની સાથેજ લઈને ચાલવાનું પસંદ કરે છે.આ લોકોમાં અભિમાન નો આ સ્વભાવ સબંધ ના વિષયમાં આને આગળ વધવામાં રોકી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે તાલમેલ ની કમી મહેસુસ કરશો જેનું મુખ્ય કારણ તમારા સાથી સાથે થવાવાળી ખાસ સબંધિત પરેશાનીઓ હોઈ શકે છે.તમારા માટે આ બહુ જરૂરી રહેવાનું છે કે તમે લેણદેણ ની નીતિ અપનાવો અને તમારા સાથી સાથે તમારો પ્રેમ અનુકુળ રીતે ચાલતો રહે અને જીવનમાં બધુજ સારું થઇ જાય.આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે અભિમાન સબંધિત પરેશાનીઓ અને સુરક્ષા ની દિક્કતોં નજર આવવાની છે.

શિક્ષણ : શિક્ષણ માટે આ અઠવાડિયું તમારે તમારા ગુરુ કે શિક્ષક પાસેથી સલાહ લેવાની જરૂરત પડશે જે તમને અભ્યાસ માં સારો સ્કોર કરવા અને ટોંચ ઉપર પોંહચવા માટે માર્ગદર્શન આપશે.જો તમે આનું પાલન કરશો તો સફળતા મેળવા અને શિક્ષણ માં અનુકુળ પરિણામ મેળવા અને પોતાના સાથી વિદ્યાર્થી થી આગળ નીકળવા માટે તૈયાર થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 3 ના લોકો કામના સબંધ માં આ અઠવાડિયે પોતાનું ઉપર નું સ્થાન ગુમાવી શકે છે અને મુમકીન છે કે આવું તમારા સહકર્મીઓ તરફ થી ચાલી રહેલી બાધાઓ ના કારણે થશે.આ સમસ્યાઓ ના કારણે તમે તમારી એકાગ્રતા માં કમી મહેસુસ કરી શકો છો અને કર્યસ્થળ પર પોતાની ઓળખ બનાવા માં અસફળ થૈ શકો છો.જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આ અઠવાડિયે તમને નો પ્રોફિટ નો લોસ વાળી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે અને આનાથી તમારી નિરાશ થવાની આશંકા છે.

આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 3 ના લોકો વધારે મોટાપા ની સમસ્યા થી પરેશાન નજર આવશે.જે ટાઈમ ઉપર ખાવાનું નહિ ખાવાથી થઇ શકે છે.તમારે આની ઉપર ધ્યાન દેવું અને પોતાને ફિટ રાખવાની સલાહ આપવામાં આવે છે.આ અઠવાડિયે તમે અનીમીયા મહેસુસ કરી શકો છો અને આ તમારી અંદર ની કમજોરી નું એક મોટું કારણ છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ નમઃ શિવાય’મંત્ર નો જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે પછી 31 તારીખે થયો છે)

મુલાંક 4 ના લોકો સ્વભાવ થી વધારે જુનુન થી ભરેલા અને વ્યાપક સોચ વાળા હોય છે.આ લોકો સ્વભાવ થી રચનાત્મક પણ હોય છે અને આને એક કૌશલ ના રૂપે વધારવામાં જીવનમાં પ્રયાસ કરે છે.મુલાંક 4 વાળા લોકો યાત્રા કરવામાં વધારે રુચિ રાખે છે અને લાંબી દુરીની યાત્રા તમને ખુશી આપે છે.પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ સફળતા મેળવા માટે મુલાંક 4 ના લોકો ને વધારે જુનુન થી બચવાની સલાહ આપવામાં આવે છે.

પ્રેમ જીવન : તમે તમારા જીવનસાથી સાથે તમારા સબંધ માં આકર્ષણ બનાવી રાખવા માં સફળતા મેળવશો જેના કારણે તમારે તમારા જીવનસાથી સાથે ઉચ્ચ સ્તર ની સમજણ વિક્સિત કરવાનો સારો મોકો મળશે.તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને આનાથી પણ તમારા જીવનમાં ખુશીઓ આવશે અને તમે બંને અંદર-અંદર એકબીજા ના વિચારોને વેંચતા પણ જોવા મળશો.

શિક્ષણ : મુલાંક 4 ના લોકો વિઝયુલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર એન્જીન્યરીંગ જેવા વેવસાયિક અધિયન માં સારું પ્રદશન કરવા અને બીજા માટે એક ઉદાહરણ સાબિત કરવા માં આ અઠવાડિયું સફળ રહેવાનું છે.આ અધ્યાનો ને કરતી વખતે તમે સાઈટ પરિયોજનાઓ તરફ પણ કામ કરશો અને આવા મોકા તમારા કૌશલ ને વધારવા વાળા સાબિત થશે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો,તો તમારે વિદેશી પરિયોજનાઓ ઉપર કામ કરવું અને એમના માટે સારી મેહનત અર્જિત કરવા નો મોકો મળી શકે છે.તમને કોઈ નવી પરિયોજનાઓ ઉપર કામ કરવાનો મોકો પણ મળી શકે છે.જો તમે નવા વેપાર સાથે જોડાયેલા છો,તો ઉચ્ચ લાભ કમાવા નો સારો મોકો તમને મળશે અને ઓઉટસોર્સીંગ કસરત ના માધ્યમ થી અનુકુળ કમાણી તમને થવાની છે.

આરોગ્ય : છેલ્લે વાત કરીએ આરોગ્ય ની,તો મુલાંક 4 ના લોકોનું આરોગ્ય આ અઠવાડિયે સારું રહેશે માત્ર નાની-મોટો આરોગ્ય સમસ્યા જેમકે માથા નો દુખાવો વગેરે તમને વચ્ચે વચ્ચે થઇ શકે છે.તમને ચામડી ને લગતી સમસ્યાઓ પણ થવાનો ડર છે જે મુમકીન છે કે તમારી અંદર પ્રતિરક્ષા ની કમી ના કારણે ચાલે છે.આ સમયે તમારા માટે બહુ જરૂરી છે કે તમારી રોગ પ્રતિરોધક આવડત મજબુત બની રહે.

ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા માટે યજ્ઞ-હવન કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે પછી 23 તારીખે થયો છે)

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે મુલાંક 5 વાળા લોકો બુદ્ધિમાન હોય છે,વધારે વેવસાયિક વિચાર વાળા હોય છે અને આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ લોકો વધારે યાત્રા કરવા પ્રત્ય વધારે ઝુકાવ રાખે છે અને આ યાત્રાઓ તમારા ઉદ્દેશ ને પુરો પણ કરે છે.મુલાંક 5 વાળા લોકો વધારે બુદ્ધિમાન સ્વભાવ ના હોય છે અને પોતાની બુદ્ધિ ને સફળતા માં ફેરવા માંગે છે.આ લોકોને શેર બાઝાર માં વધારે રુચિ હોય છે.

પ્રેમ જીવન : તમે પ્રેમ ભાવનાઓ ને સુખદ તરીકે થી પોતાના પાર્ટનર ની સાથે આ અઠવાડિયે જીવવા માં સફળ રેહશો અને તમને તમારા જીવનસાથી સાથે વધારે સમય મળી શકે છે પ્યાર માં.પોતાના જીવનસાથી સાથે પોતાના નરમ સ્વભાવ ના કારણે તમે એની સાથે એક અનુકુળ સમય પસાર કરીને અને પ્રેમ જીવન નો ખુલીને લાભ ઉઠાવતા આ અઠવાડિયે નજર આવશો.તમે તમારી ખાસ પ્રકારની આવડત ને ઓળખવાની સ્થિતિ માં પણ રેહશો જે તમને તમારા જીવનસાથી ની સાથે મજબુત સબંધ અને તાલમેલ બનાવી રાખવામાં માર્ગદર્શન આપશે.

શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ ની વાત કરીએ,તો તમે અભ્યાસ માં તમારા સાથી વિદ્યાર્થી કરતા આગળ નીકળવામાં સફળ રહેવાના છો.નાણાકીય હિસાબ, ખર્ચ અને લોજિસ્ટિક્સ સંબંધિત અભ્યાસ તમારા માટે અનુકૂળ સાબિત થશે.આના સિવાય આ અઠવાડિયે મુલાંક 5 ના લોકો ચાર્ટર્ડ એકાઉન્ટિંગ,કોર્પોરેટ સેક્રેટરિશિપ જેવો અભ્યાસ કરી રહ્યા છે તો આવા અભ્યાસ માટે તમને જબરજસ્ત સફળતા મળશે.પરંતુ આ અઠવાડિયે યોજના બનાવી તમારા માટે મહત્વપુર્ણ સાબિત થશે અને તમને તમારા અભ્યાસ ના સબંધ માં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે અને ત્યારેજ તમે સફળતા મેળવી શકશો.

વ્યાવસાયિક જીવન: તમે તમારી નોકરીમાં સારું પ્રદશન કરવા આ અઠવાડિયે સફળ રહેવાના છો અને વધારે નવા મોકા પણ મેળવી શકો છો જે તમારા માટે વધારે અનુકુળ સાબિત થશે.આ દરમિયાન તમને પ્રમોશન ના મોકા પણ મળી શકે છે કારણકે તમે પેહલા જે પણ કડી મેહનત સાથે કામ કર્યું છે હવે સમય આવી ગયો છે કે તમને એનું ફળ મળે.આના સિવાય તમને નવી નોકરીના અવસર પણ મળી શકે છે જે તમને વધારે સંતુષ્ટિ આપશે.તમે જે પણ કામ કરી રહ્યા છો એમાં તમને વધારે આત્મવિશ્વાસ મળશે અને આ રીતે તમે કામમાં વધારે પ્રયાસ કરતા નજર આવશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય અનુકુળ રહેવાનું છે.પરંતુ ચામડીને લગતી કોઈ નાની-મોટી સમસ્યા થઇ શકે છે.આના સિવાય તમારું આરોગ્ય ઉત્તમ જ રહેશે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’મંત્ર નો જાપ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે પછી 24 તારીખે થયો છે)

મુલાંક 6 ના લોકો આ અઠવાડિયે પોતાના જીવનમાં સંતુષ્ટિ ના સબંધ માં વધારે લાભકારી પરિણામ મેળવશે અને તમારા કૌશલ માં પણ વધારો જોવા મળશે જેને તમે એક અલગ રીતે મેળવા માં સફળ થશો.આ અઠવાડિયા દરમિયાન મુલાંક 6 ના લોકોએ વધારે યાત્રાઓ કરવી પડી શકે છે જે તમારા ઉદેશો ને પુરા કરવામાં મદદરૂપ સાબિત થશે.તમે વધારે રચનાત્મક સ્વભાવ ના નજર આવશો અને એને વધારવા માટે ઉત્સુક પણ રહેવાના છો.

પ્રેમ જીવન : તમને તમારા જીવનસાથી સાથે વધારે પ્રેમ દેખાડવાનો મોકો મળશે.તમારા સબંધ માં પ્યાર વધશે અને તમે તમારા જીવનસાથી સાથે મીઠી મીઠી વાત કરવામાં અને પોતાના સબંધ માં જુડાવ અને મજબુત લાવવા માં સફળ રેહશો.તમારા જીવનમાં હસી-ખુશી ની ભાવના આ અઠવાડિયે વધારે જોવા મળશે જે તમારા જીવનસાથી ને બહુ પસંદ આવવાની છે.

શિક્ષણ : તમે તમારી ઉમ્મીદ ઉપર ખરા ઉતરવા અને પોતાના અભ્યાસ માટે લક્ષ્ય નક્કી કરવા માટે મજબુત સ્થિતિ માં રહેવાના છો.ગ્રાફિક ડિઝાઇનિંગ,સોફ્ટવેર એન્જીન્યરીંગ જેવો અભ્યાસ તમારા માટે ઉપયોગી સાબિત થશે અને તમને આના સબંધ માં પોતાની યોગ્યતા સાબિત કરવામાં આ અઠવાડિયું સક્ષમ બનાવશે.તમે આ અઠવાડિયે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ જેવી મેનેજમેન્ટ શાખાઓનો પણ અભ્યાસ કરી શકો છો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો તો આ અઠવાડિયું તમને જરૂરી સફળતા દેવડાવવાળું સાબિત થશે અને તમે જે મેળવો છો એના કરતા ઘણું વધારે મેળવા માં સફળ થશો.આ અઠવાડિયે તમારે કામકાજ માટે ઘણી યાત્રાઓ ઉપર જવું પડી શકે છે અને આ વિદેશ યાત્રા તમારા માટે ફાયદામંદ પણ સાબિત થશે.આના સિવાય આ અઠવાડિયે તમે નોકરીના સબંધ માં તમારી અદૃતિય આવડત ની શોધ કરવા ની સ્થિતિ પણ તમારા જીવનમાં આવવાની છે.આ મુલાંક ના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે,એ લોકો પોતાના વિરોધીઓ ઉપર વિજય મેળવશે અને એક પ્રતિયોગી સાબિત થશે.કામકાજ માટે તમે જે પણ રણનીતિ અપનાવાના છો એ તમારા હરીફો ને આશ્ચર્યજનક કરવામાં સફળ રહેશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉચ્ચ સ્તર ની ઉર્જા અને ઉત્સાહ મેળવશો અને આનાથી તમારું આરોગ્ય સારું બની રહેશે.પરંતુ તમને તંત્રિકા સબંધિત કોઈ સમસ્યા થવાનો ડર જરૂર છે.પરંતુ આનાથી મોટું કઈ નહિ થાય.આના સિવાય યોગ અને ધ્યાન કરવાથી તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે પછી 25 તારીખે થયો છે)

મુલાંક 7 માં જન્મ લેવાવાળા લોકો બહુ અધિયાત્મિક સ્વભાવ વાળા હોય છે અને ભૌતિકવાદી વસ્તુઓ થી દુરજ રહેવાનું પસંદ કરે છે.આ લોકો પાસે જીવનમાં બધાજ પ્રકારના કૌશલ હાજર હોય છે અને આ લોકો સફળતા મેળવા માં આનો ઉપયોગ કરે છે.આ લોકો વધારે પડતા ધાર્મિક યાત્રા ઓ માં વ્યસ્ત નજર આવે છે.અને બીજી બાજુ આ લોકો સ્વભાવ થી ગુસ્સા વાળા પણ હોય છે.પોતાના ગુસ્સા વાળા સ્વભાવ ના કારણે આ લોકો પોતાના જીવનમાં ઘણા પ્રકારના મોકા અને સારો લાભ પણ ગુમાવી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી સાથે તમારા સબંધ માં આકર્ષણ ની કમી નજર આવી શકે છે.આકર્ષણ અને ખુશી ગુમાવી તમારા જીવનસાથી સાથે સારી સમજણ માટે અનુકુળ સાબિત રહેવાનું છે.આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે વિતાવામાં આવેલા યાદગાર સમય ને યાદ કરતા નજર આવશો.તમારા જીવનસાથી પ્રત્ય તમારા શબ્દ થોડા કઠોર સાબિત થઇ શકે છે જેની અસર તમારા સબંધ ઉપર પડશે અને તમારા સબંધ માંથી ખુશીઓ થોડી ગાયબ થઇ શકે છે.

શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમારા અભ્યાસ માં એકાગ્રતા ની કમી પડવાની છે અને આ તમારા વિકાસ માં બાધા તરીકે કામ કરશે.ભલે તમે વધારે અભ્યાસ કરી લ્યો તો પણ તમે સારા નંબર મેળવા અને પોતાના સાથી વિદ્યાર્થી ની વચ્ચે પોતાને સાબિત કરવા ની સ્થિતિ માં નજર નહિ આવો.

વ્યાવસાયિક જીવન: જો તમે કામ કરો છો કે નોકરિયાત છો,તો આ અઠવાડિયે આ તમારા માટે ઓછું આશાજનક રહેવાનું છે.તમારી ઉપર કામનું દબાણ વધશે અને તમે તમારા કામ ઉપર ધ્યાન નહિ દેવાના કારણે ભુલો કરતા નજર આવશો.તમારામાંથી ઘણા લોકો સારી પ્રગતિ અને સંભાવનાઓ માટે નોકરી બદલી શકે છે.જો તમે વેપાર સાથે જોડાયેલા છો,તો જુની રણનીતિઓ ના કારણે તમે તમારા વિરોધીઓ થી હારી શકો છો.

આરોગ્ય : એલર્જી ના કારણે સંક્રમણ થવાનો ડર બનેલો છે જેનાથી તમારે આ અઠવાડિયે આવી પરિસ્થિતિઓ ઉઠાવી પડી શકે છે અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.પોતાના આરોગ્ય ને તંદુરસ્ત રાખવા માટે તળેલી વસ્તુઓ ખાવાથી બચો એ તમને આ અઠવાડિયે સલાહ આપવામાં આવે છે.

ઉપાય : ‘ઓમ ગં ગણપતિ નમઃ’ નો દરરોજ 43 વાર જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે પછી 26 તારીખે થયો છે)

મુલાંક 8 માં જન્મેલા લોકો સામાન્ય રીતે કારકિર્દી માટે જાગરૂક સ્વભાવ ના હોય છે.તમે પ્રયાસ કરવા માં ઇછુક હોય છે,કામકાજ માટે પ્રયાસ કરતા રહે છે અને એમાં એમને ઉત્કૃષ્ટતા મળે છે.એની સાથે તમને તમારા જીવનકાળ માં વધારે યાત્રાઓ કરવા માટે કોશિશ કરવી બહુ પસંદ હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ને મનાવાની કોશિશ કરતા નજર આવશો અને એના માટે ઘણી મેહનત પણ કરશો પરંતુ તમે આંશિક રૂપથીજ સફળતા મેળવી શકશો.તમે મહેસુસ કરશો કે તમારા જીવનસાથી ની સાથે પ્યાર ની લય બનાવી રાખવા માટે થોડી કમી રહી ગઈ છે.

શિક્ષણ : તમે સારી રીતે અભ્યાસ કરવા અને માનકો ઉપર કાયમ રહેવા માટે સફળ રેહશો પરંતુ એની સાથે તમે આત્મસાત કરવા અને અધ્યન કરવા માં સક્ષમ છો એને આગળ વધારવા અને લક્ષ્ય સુધી પોંહચવા ની સ્થિતિ માં નજર આવશો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરિયાત છો,તો આ અઠવાડિયે નોકરી માં સંતુષ્ટિ નહિ મળવાના કારણે તમારે નોકરી બદલવા માટે મજબુર થવું પડી શકે છે કે કામમાં વરિષ્ઠ તરફ થી થોડી રુકાવટો તમારે ઉઠાવી પડી શકે છે.તમારે કામનું દબાણ વધારે ઉઠાવું પડશે.આના સિવાય મુલાંક 8 ના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.મુમકીન છે કે આવું તમારી જુની તકનીકી ના કારણે થશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારા પગમાં દુખાવો અને ચામડી સબંધિત સમસ્યા થવાનો ડર બનેલો છે જેનાથી તમારી ચિંતા વધવાની છે.સમય ઉપર દવા લેવાથી તમે સારા આરોગ્ય નો આનંદ ઉઠાવશો.એની સાથેજ ધ્યાન અને યોગ કરવું પણ તમારા માટે ફાયદામંદ સાબિત થશે.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે પછી 27 તારીખે થયો છે)

મુલાંક 9 માં જન્મેલા લોકો સામાન્ય રીતે પ્રતિબદ્ધતા થી બંધાયેલા નજર આવે છે અને સ્વભાવ માં બહુ સાહસી હોય છે.તમે સાહસી હોવ છો અને આના કારણે મોટામાં મોટા કામને પણ બહુ આસાનીથી કરવાનો હુનુર આ લોકો ની અંદર જોવા મળે છે.સરકારી અને રક્ષા વિભાગમાં આ મુલાંક ના લોકો બહુ સફળતા મેળવે છે.આ લોકોને સફળતા મેળવી અને એની ઉપર રાજ કરવું જીવન નું લક્ષ્ય હોય છે.

પ્રેમ જીવન : આ આખું અઠવાડિયું પોતાના જીવનસાથી અને પ્રિયજનો ની સાથે સબંધ માં કમી મહેસુસ કરી શકો છો.પરંતુ અંદર ના પ્રયાસ થી તમારા સાથી સાથે તમે એક મજબુત સમજણ અને સબંધ વિક્સિત કરવામાં સફળ થઇ શકો છો.

શિક્ષણ : તમે તમારા અભ્યાસ ના સંદર્ભ માં માનક ઉપર ખરા ઉતરવામાં સફળ થશો અને આ તમારી અંદર હાજર ફોકસ અને સમર્પણ ના કારણે મુમકીન થઇ શક્યું છે.મરીન અને સિવિલ એન્જીન્યરીંગ જેવા વિષય તમારા માટે અનુકુળ સાબિત થશે અને તમને આગળ સફળ થવા માટે માનક આપશે.તમે અભ્યાસ માં વધારે વેવસાયિકતા દેખાડવા અને એમાંથી લાભ મેળવા ની સ્થિતિ માં નજર આવશો.આ અઠવાડિયા દરમિયાન જરૂરી સફળતા મેળવી તમારા માટે સહેલું રહેવાનું છે.

વ્યાવસાયિક જીવન: જો તમે નવી સરકારી નોકરીની રાહમાં છો તો તમારી પાસે તમારા કામમાં ઉત્કૃષ્ટતા મેળવા અને ઉલ્લેખનીય સફળતા મેળવા જરૂરી મોકા મળવાના છે.તમને મળતી સરકારી નોકરીમાં તમે કાર્યક્ષમતા બતાવવાની સ્થિતિમાં જોવા મળશે. તમે આ સમયગાળા દરમિયાન કોઈપણ નવી સરકારી નોકરીની ઓફર સુરક્ષિત કરી શકો છો, જેના કારણે તમને તમારી નોકરીના સંબંધમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આ મૂલાંકના લોકો જે વ્યવસાયના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ વધુ નફો કમાવવામાં સફળ થશે અને તમને તે બાબતમાં સફળતા પણ મળશે. તમે તમારા વ્યવસાય માટે મોનોપોલિસ્ટ તરીકે ઉભરી રહ્યા છો અને સારો નફો કમાઈને વધુ સફળતા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

આરોગ્ય: આ અઠવાડિયે તમારી અંદર ઉર્જા અને દ્રષ્ટિકોણ શાનદાર રહેશે જેના કારણે તમે સારા આરોગ્ય નો લાભ ઉઠાવશો.તમારી અંદર હાજર પ્રતિરક્ષા સ્તર આ અઠવાડીયે તમને પુરી રીતે ફિટ મહેસુસ કરાવશે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer