તુલા રાશિફળ 2026

Author: Sanghani Jasmin | Updated Wed, 29 Oct 2025 02:31 PM IST

એસ્ટ્રોસેજ એઆઈ ના તુલા રાશિફળ 2026 ખાસ રૂપથી તુલા રાશિના લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેના માધ્યમ થી તમે જાણી શકશો કે વર્ષ 2026 તુલા રાશિના લોકો માટે કેવું રહેશે.તમારા જીવનના અલગ અલગ જગ્યા માં મળશે?નવા વર્ષ માં તમારું આરોગ્ય કેવું રહેશે?શિક્ષણ માં સફળતા મળશે કે સમસ્યાઓ આવશે વારંવાર?વેપારમાં લાભ થશે કે રાહ જોવી પડશે?પ્રેમ અને લગ્ન જીવનમાં મળશે સાથી નો સાથ?આ બધાજ સવાલો ના જવાબ તમને તુલા રાશિફળ માં મળશે.એના સિવાય,વર્ષ 2026 માં થવાવાળા ગ્રહોના ગોચર ના આધારે તમને ઉપાય પણ જણાવીશું.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને જાણીએ કે તુલા રાશિ વાળા નું સંપૂર્ણ ભવિષ્ય.


Read in English - Libra Horoscope 2026

2026 માં શું બદલશે તમારી કિસ્મત? અમારા વિશેષયજ્ઞ જ્યોતીષયો સાથે કરો ફોન ઉપર વાર અને જાણો બધુજ

તુલા રાશિવાળા નું આરોગ્ય

તુલા રાશિફળ મુજબ,તુલા રાશિ વાળા માટે વર્ષ 2026 આરોગ્ય ની દ્રષ્ટિથી સામાન્ય રીતે સામાન્ય કરતા સારું રહેશે.વાત કરીએ તમારા લગ્ન અને રાશિ નો સ્વામી શુક્ર ગ્રહ ની,તો શુક્ર ની સ્થિતિ આરોગ્યના મામલો માં વર્ષ નો વધારે પડતો સમય તમારા પક્ષ માં પરિણામ દેવાનું કામ કરશે.પરંતુ,પાંચમા ભાવમાં રાહુ ના ગોચર ને જોઈને એ લોકોએ ખાસ રૂપથી આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવી પડશે જે લોકોને પેટ સાથે જોડાયેલી સમસ્યા રહે છે.જણાવી દઈએ કે પાંચમા ભાવમાં બિરાજમાન રાહુ દેવ પણ તમને પેટ સાથે સબંધિત રોગ દેવાનું કામ કરી શકે છે.ક્યારેક-ક્યારેક માનસિક રૂપથી પરેશાન જોવા મળી શકે છે.એવા માં,જે લોકોનું પેટ કે માથું સાથે જોડાયેલા રોગ પહેલાથીજ છે એમને આ દરમિયાન પોતાના આરોગ્ય ને લઈને સાવધાન રેહવાની જરૂરત છે.આજ ક્રમ માં,શનિ મહારાજ તમારા છથા ભાવમાં હાજર રહેશે અને એવા માં,આ આરોગ્યના મામલો માં કોઈ વિરોધ નહિ કરે,પરંતુ તમારા આરોગ્ય ની પેહલાની તુલનામાં સારા બનાવાનો પ્રયાસ કરશે.

हिन्दी में पढ़ें - तुला राशिफल 2026

જયારે વાત આવે છે ગુરુ ગ્રહ ની,તો ગુરુ દેવ વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન સુધી અનુકુળ સ્થિતિ માં રહેશે અને એના પ્રભાવ થી તમારું આરોગ્ય સારું રેહવાની સંભાવના છે.બીજી બાજુ,વર્ષ 2026 માં 02 જૂન ટી લઈને 31 ઓક્ટોબર સુધી ગુરુ દેવ ની સ્થિતિ ને સારી નથી કહેવામાં આવતી.પરંતુ,આ ઉચ્ચ અવસ્થા માં રહેશે એટલે કોઈ મોટી સમસ્યા નહિ આવવા દેશે.પરંતુ,એવા લોકો જે પેહલાથી ઘૂંટણ ની સમસ્યા થી પરેશાન છે,એને 02 જૂન થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન ખાસ રૂપથી પોતાનું ધ્યાન રાખવું પડશે.જણાવી દઈએ કે ચિંતા ની કોઈ વાત નહિ હોય,તો પણ સાવધાની રાખવી સમજદારી નું કામ હશે.31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ ની સ્થિતિ ફરીથી અનુકુળ થઇ જશે.આ રીતે,આ વર્ષે ગુરુ ગ્રહ ની સ્થિતિ અને આનો ગોચર તમારા માટે કોઈ સમસ્યા ઉભી નહિ કરે,ખાસ રૂપથી આરોગ્યના મામલો માં.

આરોગ્ય ને જોઈએ તો શનિ મહારાજ ની સ્થિતિ પણ તમને મદદ કરશે,પરંતુ 05 ડિસેમ્બર 2026 સુધી રાહુના ગોચર ને તમારા આરોગ્ય માટે ઠીક નથી કહેવામાં આવતો.એવા માં,આ લોકોનું પેટ અને માથા ઉપર રાહુ ગ્રહ નો પ્રભાવ રહી શકે છે,એટલે એ લોકોને સાવધાન રેહવાની સલાહ દેવામાં આવે છે જેને પેટ કે માથા સાથે સબંધિત થોડી પરેશાનીઓ પહેલાથીજ હોય.જયારે વાત આવે છે શુક્ર ગ્રહ ની તો,આ વર્ષે વધારે પડતો સમય પ્રેમ નો કારક શુક્ર ગ્રહ નો ગોચર તમારા માટે અનુકુળ રહેવાનું અનુમાન છે.પરંતુ,વર્ષ ની શુરુઆત થી 01 ફેબ્રુઆરી 2026 સુધી શુક્ર દેવ અસ્ત અવસ્થા માં રહેશે,એટલે આ દરમિયાન આરોગ્યને લઈને તમારે થોડું સાવધાન રેહવું પડશે અને આ સામાન્ય રીતે અનુકુળ સ્થિતિ માનવામાં આવે છે.પરંતુ,આ છથા ભાવમાં હાજર રહેશે જેના કારણે તુલા રાશિના લોકો ને ક્યારેક-ક્યારેક કમર અને જાંઘ સાથે સબંધિત સમસ્યાઓ ઘેરી શકે છે.એવા માં,તમારે સાવધાની રાખવી પડશે અને પોતાનું ધ્યાન રાખવું પડશે.

તુલા રાશિફળ 2026 મુજબ,26 માર્ચ થી 19 એપ્રિલ નો સમય તમારા માટે થોડો કમજોર રેહવાની આશંકા છે.એના પછી,તમારે 08 જૂન થી લઈને 04 જુલાઈ ની વચ્ચે પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.જણાવી દઈએ કે 03 ઓક્ટોબર થી લઈને 14 નવેમ્બર 2026 દરમિયાન શુક્ર ગ્રહ વક્રી અવસ્થા માં રહેશે જેની અસર નકારાત્મક રૂપથી તમારા આરોગ્ય ઉપર પડી શકે છે એટલે સાવધાન રહો.કુલ મળીને,વર્ષ 2026 માં તુલા રાશિ વાળા ના આરોગ્ય ના મામલો માં કોઈ મોટી સમસ્યા નહિ આવે.પરંતુ નાની મોટી સમસ્યો રહી શકે છે.એટલે ઉપર જણાવામાં આવેલા સમય દરમિયાન પોતાનું ધ્યાન રાખો.

તુલા રાશિ વાળા નું શૈક્ષણિક જીવન

તુલા રાશિફળ મુજબ,શિક્ષણ ની દ્રષ્ટિથી વર્ષ 2026 તુલા રાશિ વાળા માટે મિશ્રણ રહેશે.એક બાજુ,પાંચમા ભાવમાં રાહુ ગ્રહ ની હાજરી આ વાત નો સંકેત કરે છે કે વિદ્યાર્થી નું ધ્યાન પોતાના અભ્યાસ માંથી ભટકી શકે છે.સાદી ભાષા માં કહીએ તો આ રાશિના વિદ્યાર્થી પોતાના વિષયો નો અભ્યાસ મન લગાડીને કરવામાં કઠિનાઈઓ નો અનુભવ કરી શકે છે.બીજી બાજુ,વર્ષ ની શુરુઆત થી 02 જૂન સુધી ગુરુ મહારાજ નું નવમા ભાવમાં ગોચર શિક્ષણ માટે બહુ શુભ કહેવામાં આવે છે.ત્યાં,એના પછી એટલે કે 02 જૂન થી 31 ઓક્ટોબર ના સમયગાળા માં છથા ભાવ નો સ્વામી અને ઉચ્ચ શિક્ષણ નો કારક ગુરુ દસમા ભાવમાં ઉચ્ચ અવસ્થા માં બિરાજમાન રહેશે.આ સ્થિતિ પ્રતિયોગી પરીક્ષા ની ટૈયાતી કરી રહેલા વિદ્યાર્થી ની સાથે સાથે વેવસાયિક કોર્ષ નો અભ્યાસ કરવાવાળા માટે પણ બહુ શુભ રહેશે.જણાવી દઈએ કે દસમા ભાવમાં ગુરુ મહારાજ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.એવા માં,આ તમારા કરતા વધારે મેહનત કરવાનું કામ કરે છે.

પરંતુ, જે વિદ્યાર્થીઓ રાહુના ખરાબ પ્રભાવોને પાછળ છોડીને પોતાની મહેનત અને સમર્પણથી એકાગ્રતાથી અભ્યાસ કરે છે, તેઓ સકારાત્મક પરિણામો મેળવી શકે છે. જોકે, 31 ઓક્ટોબર પછી, ગુરુની સ્થિતિ સૂચવે છે કે તમારું મન ભટકતું હોવા છતાં, તમારે વારંવાર એકાગ્રતાથી અભ્યાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે સફળ થશે અને તમે સારા ગુણ મેળવી શકશો. બીજી તરફ, જે લોકો ગંભીરતાથી અભ્યાસ નથી કરતા, આવી સ્થિતિમાં રાહુનું ગોચર તમને વિચલિત કરી શકે છે. પરિણામે, ખંતથી અભ્યાસ ન કરવાને કારણે, આ લોકોની તેમના વિષયો પર પકડ નબળી પડી શકે છે, જેના કારણે તમને મળતા પરિણામો પણ નબળા પડી શકે છે.

તુલા રાશિફળ 2026 કહે છે કે વર્ષ 2026 માં તુલા રાશિ વાળા વિદ્યાર્થી ને શિક્ષણ ના મામલો માં એક બાજુ ના પરિણામ નહિ મળવાની સંભાવના છે.જે વિદ્યાર્થી લગાતાર કોશિશ કરી રહ્યા છે એમને પોતાના પ્રયાસો ના બળ ઉપર શાનદાર પરિણામ મળશે.ત્યાં,જે વિદ્યાર્થી કોશિશ નથી કરી રહ્યા કે પછી થોડી કોશિશ કરીને હાર માની લેય છે એને મળવાવાળા પરિણામ કમજોર હોય શકે છે.આ લોકો માટે શ્રેષ્ઠ રહેશે કે તમે અભ્યાસ માં બહુ મેહનત કરો અને વડીલો નું માર્ગદર્શન લો ગુરુજનો નો આદર અને સમ્માન કરીને એમના તરફ થી જણાવામાં આવેલા રસ્તા ઉપર ચાલો.આવું કરવાથી તમે અભ્યાસ માં ધ્યાન કેન્દ્રિત કરીને સારા પરિણામ મૅળવી શકો છો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે , તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

તુલા રાશિ વાળા નો વેપાર

તુલા રાશિફળ મુજબ,તુલા રાશિ વાળા ના વેપાર માટે વર્ષ 2026 ને વધારે સારું કહેવામાં આવે છે.પરંતુ આ લોકોને કમજોર પરિણામ ને સકારાત્મક પરિણામો માં બદલવાના ઘણા મોકા મળવાની સંભાવના છે કારણકે ભલે રાહુ ની સ્થિતિ તમારા વિરોધ માં હશે.પરંતુ,ગુરુ અને શનિ દેવાના ગોચર આ વાત નો સંકેત આપે છે કે સોચ વિચાર કરીને કામ કરવા તમારા કામો ના પરિણામ પોતાના પક્ષમાં રહેશે.એક બાજુ,જ્યાં 5 ડિસેમ્બર સુધી રાહુ મહારાજ પાંચમા ભાવમાં બેસીને તમારા નિર્ણયો નો ખોટી દિશા માં લઇ જઈ શકે છે,ત્યાં શનિ ગ્રહ ની સ્થિતિ તમને કડી મેહનત પછી સફળતા આપશે.એની સાથે,ગુરુ ગ્રહ ની સ્થિતિ દર્શાવી રહી છે કે જો તમે સોચ-વિચાર કરીને કામ કરશો તો તમને સારા પરિણામ મળશે.તમારા માટે કેતુ ની સ્થિતિ પણ અનુકુળ કહેવામાં આવે છે.

આ રીતે,આ ચાર મોટા ગ્રહો માં ત્રણ ગ્રહ અનુકુળ રહેશે જયારે એક ગ્રહ તમારા વિરોધ માં રહેશે.વિરોધ વાળો ગ્રહ બીજા શબ્દ માં રાહુ તમારા નિર્ણયો ને પ્રભાવિત કરી શકે છે જેમકે તમને નુકશાન થઇ શકે છે.પરંતુ,બીજા ગ્રહ મેહનત અને બુદ્ધિમાની થી કરવામાં આવેલા કામોમાં તમને સારા પરિણામ આપશે.એવા માં,આ લોકો જલ્દીબાજી થી બચો અને ભરોસા વાળા વ્યક્તિ સાથે કામ કરતા રહો.નવા નવા પ્રયોગો કરવાથી બચો અને મિત્રો અને શુભચિંતકો ને ભરોસા બેસવા કરતા પોતે કામ કરવાનો પ્રયાસ કરો.સાદી ભાષા માં વાત કરીએ તો થોડી ખાસ સાવધાનીઓ નું પાલન કરીને તમે આ સમય ને અનુકુળ બનાવી શકો છો.એની સાથે,તમારા સાતમા ભાવમાં સ્વામી મંગળ 2 મે સુધી અસ્ત રહેશે અને એવા માં તમારે આ દરમિયાન વેપાર સાથે જોડાયેલા નિર્ણયો સાવધાની થી લેવા જોઈએ.

તુલા રાશિફળ 2026 કહે છે કે 02 એપ્રિલ થી લઈને 11 મે નો સમય તમારા માટે ઉત્તમ રહેશે.પરંતુ,એવું ત્યારે થશે જયારે તમે સમજદારી થી કામ કરશો.વર્ષ ના છેલ્લા સમય માં ખાસ કરીને 12 નવેમ્બર 2026 પછી મંગળ નો ગોચર તમારા માટે શુભ રહેશે અને આ દરમિયાન તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ફળદાયી સાબિત થશે.કુલ મળીને વર્ષ 2026 માં વેપારમાં સતર્કતા ની સાથે આગળ વધો અને ખાસ લોકોની મદદ થી તમે પરિણામો ને તમારા પક્ષમાં કરી શકશો.એની સાથે,તમે લાભ પણ મેળવી શકશો.

તુલા રાશિ વાળા ની નોકરી

તુલા રાશિફળ કહે છે કે તુલા રાશિ વાળા ની નોકરી માટે વર્ષ 2026 બહુ સારું રહેશે.પરંતુ,છથા ભાવમાં શનિ દેવ ની હાજરી આ વાત નો સંકેત આપે છે કે તમારે કાર્યસ્થળ ઉપર વધારે મેહનત કરવી પડી શકે છે.જો તમે મેહનત કરવાથી પાછળ નહિ જાવ તો તમે કામોમાં તમારી પકડ મજબુત કરી શકશો.સાદી ભાષા માં કહીએ તો આ લોકોને લગન ની સાથે-સાથે કામ કરવા ઉપર પોતાના નામે સારી ઉપલબ્ધીઓ મેળવી શકશો.એની સાથે,તમારા સહકર્મીઓ ની નજર માં તમારું સમ્માન વધશે.આ દરમિયાન વરિષ્ઠ તમારા વખાણ કરશે અને આવનારા સમય માં તમારી કામ કરવાની રીત ને ઉદાહરણ તરીકે બીજા ની સામે પ્રસ્તુત કરવામાં આવશે.

જણાવી દઈએ કે છથા ભાવ નો સ્વામી ગુરુ દેવ વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન 2026 સુધી તમારા ભાગ્ય માં રહેશે જે બહુ સારી સ્થિતિ માનવામાં આવે છે.ત્યાં,આવા લોકો જે નોકરી બદલવા માંગે છે કે પછી ટ્રાન્સફર લેવા માંગે છે એમના માટે આ સમય શાનદાર સાબિત થશે.૦૨ જૂન થી ૩૧ ઓક્ટોબર ના સમયગાળા દરમિયાન તમારે સખત મહેનત કરવી પડી શકે છે. ઉપરાંત, ક્યારેક તમને તમારા વરિષ્ઠોના માર્ગદર્શનની જરૂર પડી શકે છે કારણ કે જો તમે તમારી પોતાની ઇચ્છા મુજબ કામ કરો છો તો તેઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે. તેથી, ભલે શનિદેવ તમારા માટે અનુકૂળ રહેશે, પરંતુ ગુરુની સ્થિતિને કારણે, તમારા માટે તમારા વરિષ્ઠોનો આદર કરવો અને તેમનું માર્ગદર્શન લેવું મહત્વપૂર્ણ રહેશે.

તુલા રાશિફળ 2026 મુજબ,31 ઓક્ટોબર પછી ગુરુ દેવ ની સ્થિતિ ફરીથી અનુકુળ થઇ જશે.એવા માં,આ તમને ફરીથી અનુકુળ પરિણામ આપશે.કુલ મળીને,આ વર્ષ તમારા માટે અનુકુળ રહેશે અને તમે નોકરીમાં સારું પ્રદશન કરી શકશો.એની સાથે,આ દરમિયાન ઉપલબ્ધીઓ,માન-સમ્માન અને મનપસંદ જગ્યા એ સ્થાનાંતર મળવું પણ સંભવ થઇ શકશે.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

તુલા રાશિ વાળા નું આર્થિક જીવન

તુલા રાશિફળ મુજબ,તુલા રાશિ વાળા ના આર્થિક જીવન માટે વર્ષ 2026 ઘણી હદ સુધી સારું રહેશે.લાભ ભાવમાં કેતુ નો ગોચર તમને તમારી મેહનત અનુરૂપ લાભ આપશે.ત્યાં,શનિ મહારાજ નો સીધો પ્રભાવ તમારા લાભ કે બીજા ભાવ ઉપર નહિ રહે.એવા માં,તમારી ઉપર શનિ દેવ નો કોઈ નકારાત્મક પ્રભાવ નહિ રહે અને આ સમય પૈસા સાથે જોડાયેલા મામલો માટે સકારાત્મક રહેશે.ત્યાં,પૈસા નો કારક ગ્રહ ગુરુ દેવ વર્ષ ની શુરુઆત થી લઈને 2 જૂન સુધી તમારા ભાગ્ય ભાવમાં રહેશે.જણાવી દઈએ કે ગુરુ ગ્રહ ની આ સ્થિતિ ને શુભ નથી માનવામાં આવતી કારણકે આ તમારા ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે.

એવા માં,તમને જીવનમાં બીજા જગ્યા માં ભલે અનુકુળ પરિણામ નહિ આપે,પરંતુ આર્થિક જીવનમાં તમને સહયોગ કરશે.તુલા રાશિફળ 2026 મુજબ,02 જૂન થી 31 ઓક્ટોબર ની વચ્ચે ગુરુ ઉચ્ચ અવસ્થા માં રહેશે અને પૈસા ના ભાવ ને જોશે.આ રીતે,આ સ્થિતિ તમને જરૂરી માત્રા માં બચત કરવામાં મદદ કરશે.ગુરુ ગ્રહ ની આ સ્થિતિ આર્થિક જીવનના સબંધ માં તમારા પક્ષમાં રહેશે.પરંતુ,31 ઓક્ટોબર પછી ગુરુ ગ્રહ લાભ ભાવ માં ચાલ્યો જશે જેને શુભ કહેવામાં આવશે.કુલ મળીને,આર્થિક જીવન માટે વર્ષ 2026 તમારા માટે બહુ સારું રહેશે.

તુલા રાશિ વાળા નું પ્રેમ જીવન

તુલા રાશિફળ મુજબ,તુલા રાશિના લોકોને વર્ષ 2026 માં મિશ્રણ પરિણામ મળશે.પરંતુ,ક્યારેક-ક્યારેક આ તમને સામાન્ય કરતા કમજોર પરિણામ આપશે.આ વર્ષે તમારા પાંચમા ભાવ નો સ્વામી શનિ ગ્રહ છથા ભાવમાં રહેશે.એમ તો,છથા ભાવમાં શનિ ની હાજરી ને બહુ સારી માનવામાં આવે છે.પરંતુ,પંચમેશ ના છથા ભાવમાં જવાથી તમને વધારે સારા પરિણામ નહિ મળવાની સંભાવના છે.ત્યાં,પાંચમા ભાવમાં રાહુ દેવ નો ગોચર પ્રેમ જીવનમાં ગલતફેમી દેવાનું કામ કરી શકે છે.એવા માં,તમારા સબંધ માં થોડી સમસ્યાઓ જન્મ લઇ શકે છે.

જણાવી દઈએ કે વર્ષ ની શુરુઆત થી લઈને 02 જૂન 2026 સુધી ગુરુ ગ્રહ ની નવમી નજર તમારા પાંચમા ભાવ ઉપર રહેશે.એવા માં,જો તમે સમજદારી થી પરિસ્થિતિઓ ને સંભાળશો,તો ગલતફેમીઓ ને દૂર કરીને સબંધ ને મધુર બનાવી શકશો.એની સાથે,આ સમયગાળા માં તમારી સામે એક પછી એક સમસ્યા આવી શકે છે.પરંતુ ગુરુ દેવના પ્રભાવ ના કારણે તમે 2 જૂન થી પેહલા ના સમય માં આ સમસ્યાઓ થી બચી શકશો.ત્યાં,02 જૂન થી 31 ઓક્ટોબર દરમિયાન ગુરુ ગ્રહ નો પ્રભાવ પાંચમા ભાવ ઉપર નહિ રહે.પરંતુ,રાહુ જેવા પાપી ગ્રહ પાંચમા ભાવને પ્રભાવિત કરે છે.એવા માં,સબંધ માં પરેશાનીઓ જન્મ લઇ શકે છે.પરંતુ,31 ઓક્ટોબર પછી ગુરુ નો પ્રભાવ ફરીથી પાંચમા ભાવ ઉપર રહેશે જે લોકોને બુદ્ધિમાની થી પોતાના સબંધ સુધારવા નો મોકો આપશે.

તુલા રાશિફળ 2026 કહે છે કે વર્ષ 2026 તુલા રાશિ વાળા ના પ્રેમ જીવન માટે વધારે સારું નહિ રેહવાની આશંકા છે.આ દરમિયાન તમારા સબંધ માં ઉતાર ચડાવ અને ગલતફેમીઓ જોવા મળી શકે છે.જો તમે આ સમસ્યાઓ ને દૂર કરવામાં અસફળ રેહશો તો તમારા સબંધ બગડી શકે છે એટલે જેટલું બને એટલું ગલતફેમીઓ થી બચવાના પ્રયાસ કરો.

હવે ઘરે બેસીને વિષેયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ!

તુલા રાશિ વાળા ના લગ્ન કે લગ્ન જીવન

તુલા રાશિફળ 2026 મુજબ,તુલા રાશિના લગ્ન યોગ્ય લોકોને વર્ષ 2026 ના શુરુઆતી સમય ખાસ રૂપથી સારા પરિણામ આપી શકે છે.વર્ષ ની શૃરૂઆત થી લઈને 02 જૂન 2026 સુધી ગુરુ ગ્રહ ની પાંચમી નજર તમારા પેહલા ભાવ ઉપર અને નવમી નજર તમારા પાંચમા ભાવ ઉપર હશે જે લગ્ન સાથે જોડાયેલા મામલો માટે સારી રહેશે.એવા માં,તમારા સગાઇ થવાના યોગ બની શકે છે.પરંતુ સગાઇ ની જગ્યા માં રાહુ ગ્રહ ની હાજરી આ વાત નો સંકેત આપે છે કે તમે તરત જ લગ્ન કરવાની કોશિશ કરો કે પછી તમારા માટે 05 ડિસેમ્બર પછી નો સમયગાળો શાદી-વિવાહ ની વાતો ને આગળ વધારવા માટે સારો રહેશે કારણકે માંગલિક કામોને લાંબા સમય સુધી ટાળવા માટે રાહુ ગ્રહ કોઈના કોઈ ગલતફેમી ઉભી કરીને સબંધો ને તોડવાનું કામ કરશે.

જ્યાં ગુરુ ગ્રહ સગાઇ ની સંભાવનાઓ ને મજબુત કરશે.પરંતુ,રાહુ દેવ પરેશાનીઓ ઉભી કરી શકે છે.એવા માં,ઓળખાણ માં લગ્ન ની કોશિશ કરી રહેલા લોકોને સફળતા મળશે.એની સાથે,મોટા વડીલો અને અનુભવી લોકોની મદદ થી તમારી સગાઇ થઇ શકે છે.પરંતુ,તમારા માટે સગાઇ પછી જલ્દી થી જલ્દી કરવી ઉચિત છે.જણાવી દઈએ કે 02 જૂન થી 31 ઓક્ટોબર 2026 સુધી નો સમયગાળો શાદી-વિવાહ માટે કમજોર રહેશે.આ દરમિયાન શાદી-વિવાહ સાથે સબંધિત વાતો ને આગળ વધારવા ની આશંકા છે.તુલા રાશિફળ 2026 મુજબ,31 ઓક્ટોબર પછી ફરીથી શાદી-વિવાહ નો યોગ બનશે.એની સાથે,05 ડિસેમ્બર 2026 પછી રાહુ નો પ્રભાવ હટી જવાના કારણે સમય અનુકુળ રહેશે.કંઈક ખાસ સમયગાળા માં આ વર્ષે સગાઇ કે વિવાહ નો યોગ બની રહ્યો છે.

લગ્ન જીવન ની વાત કરીએ તો વર્ષ 2026 તમારા લગ્ન જીવન માટે સારું રહેશે.આ દરમિયાન કોઈ મોટી પ્રતિકૂળતા તમારા પેહલા ભાવ ઉપર દેખાશે અને એવા માં,તમે તમારા દામ્પત્ય જીવન નો આનંદ લેશો.જો તમારી જન્મ કુંડળી માં ગ્રહ ની દશાઓ અનુકુળ હશે,તો તમારે ગ્રહોના ગોચર ના આધારે સકારાત્મક પરિણામ મળી શકશે.

તુલા રાશિ વાળા નું પારિવારિક કે ગૃહસ્થ જીવન

તુલા રાશિફળ 2026 કહે છે કે તુલા રાશિના લોકોનું પારિવારિક જીવન માટે વર્ષ 2026 સારું રેહવાની સંભાવના છે.પરંતુ,મંગળ ગ્રહ નો ગોચર ક્યારેક-ક્યારેક નાની મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે.પરંતુ,ગુરુ ગ્રહ આ વર્ષે 02 જૂન થી 31 ઓક્ટોબર ની વચ્ચે પોતાના શુભ પ્રભાવ તમારી ઉપર બનાવી રાખશે અને એવા માં,તમે પારિવારિક જીવનમાં સબંધો ને મજબુત બનાવી રાખવામાં સક્ષમ હસો.પરંતુ,એના પછી નો સમય એટલે કે 02 જૂન થી 31 ઓક્ટોબર ની વચ્ચે નો સમય તમારા માટે બહુ સારો રહેશે.એની સાથે,ઘર-પરિવાર માં કોઈ માંગલિક કામ પણ થઇ શકે છે અને દૂર રહેતા લોકો પણ તમારા ઘરે આવી શકે છે.તમે બધાજ એકબીજા ની ઉન્નતિ માટે ચર્ચા કરતા જોવા મળશો.

ગૃહસ્થ જીવન ની વાત કરીએ તો તમારા ચોથા ભાવ નો સ્વામી છથા ભાવમાં રહેશે.એમ તો,ચતુર્શ્ય નું છથા ભાવમાં જવું સારું નથી માનવામાં આવતું.પરંતુ શનિ ના ગોચર ને છથા ભાવમાં શુભ માનવામાં આવે છે.એવા માં,ઘર-ગૃહસ્થી માં શનિ મહારાજ અનુકૂળતા દેવાનું કામ કરી શકે છે.આ દરમિયાન કોઈ મોટી સમસ્યા નહિ આવે,પરંતુ નાની-મોટી પરેશાનીઓ બની રહી શકે છે.તુલા રાશિફળ 2026 મુજબ,ગુરુ ગ્રહ 02 જૂન થી 31 ઓક્ટોબર 2026 ની વચ્ચે તમારા ચોથા ભાવને જોશે.એવા માં,આ તમારા ગૃહસ્થ જીવનને મજબુત કરવાનું કામ કરશે.કુલ મળીને,આ વર્ષ પારિવારિક અને ગૃહસ્થ જીવન બંને માટે નકારાત્મક નથી કહેવામાં આવતું.કારણકે વચ્ચે વચ્ચે ગુરુ ગ્રહ ની અનુકૂળતા બની રહેશે.આ રીતે,પારિવારિક જીવન અને ગૃહસ્થ જીવન સારું રહેવાનું અનુમાન છે.

તુલા રાશિ વાળા ની જમીન,ભવન અને વાહન

તુલા રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે તુલા રાશિ વાળા ને જમીન અને ભવન સાથે સબંધિત મામલો માં વર્ષ 2026 અનુકુળ પરિણામ આપી શકે છે.ચોથા ભાવ નો સ્વામી શનિ છથા ભાવમાં રહેશે અને એવા માં,જમીન-મિલકત સાથે સબંધિત કેસ જે કોર્ટ માં ચાલી રહ્યા છે એ પુરા થઇ જશે કે જમીન-ભવન ખરીદવામાં આવી રહેલી બાધાઓ દૂર થઇ જશે.ખાસ કરીને કાનૂની રૂપથી તમને સારો સહયોગ મળી શકે છે.એવા માં,જમીન-મિલકત સાથે સબંધિત કોર્ટ માં ચાલવાવાળા મામલા ને પુરા કરવાની કોશિશ કરો.સંભવ છે કે તમને અનુકુળ પરિણામ મળશે.

ત્યાં,વાહન સાથે સબંધિત મામલો માં પણ તમારે સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે.તુલા રાશિફળ 2026 કહે છે કે આ બંને મામલો માં 02 જૂન 2026 થી લઇને 31 ઓક્ટોબર 2026 સુધી નો સમય વધારે સારો રહેશે.એમ તો લગભગ આખું વર્ષ તમારા માટે અનુકુળ રહેશે,પરંતુ આ સમય તમારા માટે મોટી સફળતા લઈને આવી શકે છે.

તુલા રાશિ વાળા માટે ઉપાય

તામસિક ભોજન જેમકે માંસ-દારૂ થી દૂર રહો અને પોતાના ચરિત્ર ને સાત્વિક રાખો.

કાળા કુતરા ને રોટલી ખવડાવો.

ગુરુવાર ના દિવસે મંદિર માં બાદમ ચડાવો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો હા, તો તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. તુલા રાશિ વાળા નું પ્રેમ જીવન વર્ષ 2026 માં કેવું રહેશે?

તુલા રાશિફળ 2026 મુજબ,આ વર્ષ તુલા રાશિના લોકોના પ્રેમ જીવન માટે મિશ્રણ રહી શકે છે.

2. તુલા રાશિ નો સ્વામી કોણ છે?

રાશિ ચક્ર ની સાતમી રાશિ તુલા નો અધિપતિ દેવ શુક્ર ગ્રહ છે.

3. વર્ષ 2026 માં તુલા રાશિ વાળા નું આર્થિક જીવન કેવું રહેશે?

આ વર્ષે તુલા રાશિ વાળા નું આર્થિક જીવન માં સારા પરિણામ મળવાની સંભાવના છે.

Talk to Astrologer Chat with Astrologer