ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર (01 મે 2024)

Author: Sanghani Jasmin | Updated Thu, 18 Apr 2024 03:01 PM IST
વૈદિક જ્યોતિષ માં ગુરુ નું મહત્વ

આ ગોચર 01 મે 2024 ની બપોરે 02 વાગીને 29 મિનિટ પર થવા જઈ રહ્યો છે.દેવતાઓ ના ગુરુ તરીકે જાણીતા ગુરુ દેવ એ 01 મે 2024 ના દિવસે થવાવાળા વૃષભ રાશિમાં ગોચર બધીજ રાશિઓ માટે ખાસ માયને રાખે છે.ગુરુ ગ્રહ ને વિસ્તાર,પ્રગતિ અને જ્ઞાન નો કારક ગ્રહ માનવામાં આવે છે અને વૃષભ રાશિમાં આ સ્થિરતા લઈને આવે છે.એવા માં,વૈદિક જ્યોતિષ માં આના પ્રભાવ ને બહુ શક્તિશાળી માનવામા આવ્યો છે.ગુરુ ગ્રહ કોઈ વ્યક્તિના જીવનમાં કારકિર્દી થી લઈને અધીયાત્મ સુધી અધિકાંશ વિભાગ ને પ્રભાવિત કરવાની શક્તિ રાખે છે.પરંતુ,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર પોતાને જાણવાનો સમય સાબિત થશે અને એના પરિણામસ્વરૂપ તમે કલા માં પોતાની રુચિ ને જાણવા માં સક્ષમ હસો.એની સાથે,પોતાના નજીક ના લોકો સાથે સબંધ ને મજબુત કરી શકશો.


ગુરુ નો વૃષભ રાશિમાં પ્રભાવ

ગુરુ નો વૃષભ રાશિમાં ગોચર લોકો માટે બહુ વૃદ્ધિ લઈને આવશે.એવા માં,આ ગોચર નો દરેક રાશિ ઉપર અલગ-અલગ પ્રભાવ જોવા મળશે.ભૌતિક સુખો થી દુર કરીને આ તમારી રુચિ ને અધીયાત્મ અને દાર્શનિક જગ્યા એ વધારે છે.એની સાથે,કામો ની સાથે-સાથે પોતાને જાણવાની અને સમજવા માટે પ્રરિત કરે છે.વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ લોકોના જીવનમાં સ્થિરતા લઈને આવશે અને લોકોને વિકાસ ના રસ્તે લઇ જાય છે.પરંતુ,વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ ની હાજરી નિજી અને વેવસાયિક જીવનમાં ખાસ રહેશે.એની સાથે,આ લોકોના સામાજિક જીવન નો વિસ્તાર થશે અને નેટવર્કિંગ સાથે જોડાયેલા કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે.આ લોકોને કારકિર્દી માં આવા ઘણા મોકા મળશે જેના કારણે તમે તરક્કી ના રસ્તા માં ચાલી શકશો.

To Read in English Click Here: Jupiter Transit In Taurus (01 May 2024)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ પ્રમાણે રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે દેવ ગુરુ ગુરુ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા બીજા ભાવમાં ગોચર કરી જશે.કુંડળી માં નવમા ભાવનો સબંધ વિદેશ યાત્રાઓ અને ઉચ્ચ શિક્ષણ સાથે હોય છે જયારે બારમો ભાવ ખર્ચા,મોક્ષ વગેરે નો હોય છે.પરંતુ,ગુરુ ગ્રહ નો આ ગોચર ધન-ધાન્ય,વાણી અને પરિવાર નો ભાવ એટલે કે બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.

કારકિર્દી માં,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમારા માટે સારી એવી તરક્કી લઈને આવશે.તમને નોકરીમાં તમારા મેહનત ના બળ પર તરક્કી અને સફળતા મેળવા નો મોકો મળશે.જો તમે આર્થિક રૂપે મજબુત થવા માંગો છો,તો તમારે પૈસા બહુ સોચ-વિચાર કરીને ખર્ચ કરવા પડશે અને એની સાથે,પૈસા સાથે જોડાયેલા નિર્ણયો માં વિચાર કર્યા પછી જ કરો.જીવનમાં આવનારી સમસ્યાઓ ને પાર પાડવા માટે તમારે ધૈર્ય રાખવું પડશે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ દરમિયાન તમારી આવક અને બચત બંને માં વધારો જોવા મળશે.એવા માં,તમે આર્થિક રીતે સુરક્ષિત મહેસુસ કરશો અને તમે પૈસા ની બચત કરવાની સાથે સાથે કોઈ લાંબા સમય સુધી ચાલવાવાળું રોકાણ પણ કરી શકો છો જેનાથી તમે સારો નફો કમાઈ શકશો.પરંતુ,તમે પૈસા સાથે જોડાયેલી યોજના બહુ સોચ-વિચાર કરીને બનાવશો.

પ્રેમ જીવનના લિહાજ થી,વૃષભ રાશિ માં ગુરુ ગ્રહ નો ગોચર તમારા પારિવારિક જીવનમાં આપસી શાંતિ ને મજબુત કરશે.આ સમયગાળા માં લગ્ન અને બાળક જેવા શુભ સમાચાર સાંભળવા મળી શકે છે.ગુરુ ગોચર ના સમયગાળા માં સસુરાલ પક્ષ ની સાથે તમારા સબંધ સારા રહેશે અને એવા માં,પાર્ટનર સાથે પણ તમારો પ્રેમ વધશે.જેથી ઘર નું વાતાવરણ સારું રહેશે અને પરિવારમાં એકતા બનેલી રહેશે.જો તમે વિવાદો કે સમસ્યાઓ થી બચવા માંગો છો,તો તમારે એક બીજા સાથે ખુલીને વાત કરવી પડશે.પરંતુ,આ સમયગાળા માં સબંધ માં પ્રેમ બનાવી રાખવા માટે તમારે માટે થોડું મુશ્કિલ થઇ શકે છે.

આરોગ્ય ની દ્રષ્ટિ થી,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર દરમિયાન મેષ રાશિના લોકો માટે પોતાની જીવનશૈલી ને સંતુલિત બનાવી રાખવું બહુ જરૂરી છે.એની સાથે,વધતું વજન અને પાચન સબંધિત સમસ્યાઓ થી છુટકારો મેળવા માટે ખરાબ ખાવાનું કે ચીકણું ખાવાનું ખાવાથી બચવું પડશે.આના સિવાય,તમારા માટે નિયમિત રૂપ થી કસરત કરવી અને સ્વસ્થ ખાવાનું ખાવું પણ જરૂરી રહેશે જેનાથી તમારું શારીરિક અને માનસિક આરોગ્ય સારું બની રહેશે.

ઉપાય : દરરોજ માથા ઉપર હળદર નો ચાંદલો કરો.

મેષ માસિક રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે દેવ ગુરુ ગુરુ આઠમા અને અગિયાર માં ભાવ નો સ્વામી છે અને હવે આ પેહલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં આઠમો ભાવ અચાનક થવા વાળા લાભ અને નુકશાન અને લાંબી ઉંમર નો હોય છે અને અગિયારમો ભાવ ભૌતિક સુખો અને ઈચ્છાઓ નો હોય છે.આજ રીતે,કુંડળી માં પેહલો ભાવ પોતાનો અને વ્યક્તિત્વ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.

કારકિર્દી ના લિહાજ થી,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમારા પેહલા ભાવમાં થશે.એવા માં,આ તમારા વેવસાયિક જીવનમાં બહુ તરક્કી અને સફળતા લઈને આવશે.ગુરુ ની આ શુભ સ્થિતિ કારકિર્દી ની પ્રગતિ ના રસ્તામાં આવનારી સમસ્યાઓ ને દુર કરવાનું કામ કરે છે અને એવા માં,આ સમયગાળો તમારા માટે અનુકુળ સાબિત થશે.આ સમયે તમારી કારકિર્દી તમને તરક્કી ના રસ્તે લઇ જશે અને આ દરમિયાન થવાવાળી અડચણો ને તમે પોતાના જ્ઞાન અને દ્રઢ સંકલ્પ ના બળ પર હલ કરશો.તમે સાહસ થી ભરેલા રેહશો અને એની સાથે,તમારી નિર્ણય લેવાની આવડત પણ મજબુત થશે.પરંતુ,તો પણ તમે સોચ-વિચાર કરીને નિર્ણય લેવામાં તમે સક્ષમ હસો.

ગુરુ ગ્રહ નો તમારા પેહલા ભાવમાં ગોચર તમને આર્થિક જીવનમાં સમૃદ્ધિ આપશે કારણકે હવે તમે પૈસા ની સગવડ સારી રીતે કરવામાં સક્ષમ હસો.એની સાથે,પૈસા સાથે જોડાયેલા થોડા મોટા નિર્ણય લેતા નજર આવી શકો છો.તમારી અંતર આત્મા તમને મળવાવાળા મોકા નો લાભ ઉઠાવા પ્રરિત કરશે જેનાથી તમને પૈસા નો લાભ થશે અને એવા માં,તમારે ખોટા ખર્ચા થી બચવું પડશે.રોકાણ કરવા માટે જો તમે ચાહો તો કોઈ સલાહકાર ની સલાહ લઇ શકો છો એટલે તમે પૈસા ની બચત કરવાની સાથે સાથે લાંબા સમય સુધી આર્થિક રૂપ થી સ્થિરતા મેળવી શકો.

પ્રેમ જીવન ને જોઈએ,તો ગુરુ ગ્રહ નો આ ગોચર તમારા સબંધ ને મજબુત કરવાનું કામ કરશે કારણકે આ સમયગાળો તમારા માટે અનુકુળ સાબિત થશે.જો તમે કોઈ ગંભીર સબન્ધ માં છો,તો તમે આ સમયે તમારા સબંધ ને આગળ લઇ જવાનું મન બનાવી શકો છો.પરિવાર સાથે સમય પસાર કરવાથી અને કોઈ તીર્થ સ્થળ ની યાત્રા પર જવાથી સદસ્યો ની સાથે તમારા સબંધ મજબુત થશે.

આરોગ્ય ના લિહાજ થી,વૃદ્ધભ રાશિમાં ગુરુ ના ગોચર દરમિયાન શારીરિક અને માનસિક આરોગ્ય તમારી પેહલી પ્રાથમિકતા રહેશે.જો તમે એક સંતુલિત જીવનશૈલી અપનાવશો અને ખાવાનું પીવાનું પણ સારું રાખશો,તો આનાથી તમને આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ને દુર કરવામાં મદદ મળશે.પરંતુ,પેહલા ભાવમાં બેઠેલો ગુરુ મહારાજ તમારી અંદર અધિયાત્મિક્તા માં વધારો કરાવશે જેના કારણે તમે ધર્મ-કર્મ ના કામો માં આગળ આવીને ભાગ લેતા નજર આવશો.

ઉપાય : ગળા માં સોનુ પહેરો.

વૃષભ માસિક રાશિફળ

મિથુન રાશિ

દેવ ગુરુ ગુરુ તમારા સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે અને આ સમયગાળા માં આ ગોચર કરીને તમારા બારમા ભાવમાં જઈ રહ્યો છે.જણાવી દઈએ કે કુંડળી માં સાતમો ભાવ લગ્ન અને દસમો ભાવ નામ,પ્રસિદ્ધિ વગેરે નો હોય છે જયારે બારમો ભાવ નુકશાન,વિદેશ યાત્રાઓ અને અધીયતમાં નો હોય છે.

આ ગોચર તમારી કારકિર્દી માં સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે,ખાસ રૂપ થી એમના માટે જેનો સબંધ રિસર્ચ કે શિક્ષણ વગેરે સાથે હોય છે.ગુરુ ગ્રહ તમારી વૃદ્ધિ ને તેજ બનાવશે ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમને તમે શિક્ષણ માં કરી રહેલા પ્રયાસ માં સફળતા મેળવા માં સક્ષમ હસો.જે લોકો રિસર્ચ નો અભ્યાસ કરી રહ્યા છે એમને આ દરમિયાન બહુ સફળતા મળશે.આના પરિણામસ્વરૂપ,તમારા કામનું પબ્લિશ થવું કે પછી બીજા પાસેથી પ્રશંસા મળવાનો મોકો મળશે.એનાથી ઉલટું,બારમા ભાવમાં બેસીને ગુરુ ની દ્રષ્ટિ તમારા છથા ભાવ ઉપર હશે અને એવા માં,તમે કારકિર્દી માં આવનારી બધીજ ચુનોતીઓ કે સમસ્યાઓ નો સામનો ધૈર્ય અને બુદ્ધિ ના દમ પર કરશો.આજ ગુણો ના કારણે કાર્યસ્થળ પર વરિષ્ઠ ની નજર માં તમારા પ્રત્ય માન-સમ્માન વધશે.પરંતુ,તમે મહેસુસ કરશો કે તમારી નોકરીમાં ઉભી થયેલી સમસ્યાઓ પોતાની રીતેજ દુર થઇ ગઈ છે.

આર્થિક જીવન ને જોઈએ,તો ગુરુ નો આ ગોચર તમારા ખર્ચા માં વધારો કરાવાનું કામ કરી શકે છે.પરંતુ,આ ખર્ચ ધાર્મિક કામો સાથે જોડાયેલા હોઈ શકે છે,પરંતુ તમે આ કામોમાં જેટલા પણ પૈસા ખર્ચ કરશો,એનાથી તમને સંતુષ્ટિ ની પ્રાપ્તિ થશે.આ લોકોને ધર્મ-કર્મ ના કામ કરવાથી ખુશી મળશે,પરંતુ બની શકે છે કે આ ખર્ચ તમારા આર્થિક બોજ ને વધારી દેશે.એવા માં,ગુરુ ગોચર દરમિયાન તમારે પૈસા બહુ સોચ-વિચાર કરીને ખર્ચ કરવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,ગુરુ મહારાજ ની ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ પડવાથી તમે ઘર-પરિવાર પર કે આવા કામો ઉપર પૈસા ખર્ચ કરી શકો છો જેનાથી તમને ખુશી મળશે.

પ્રેમ જીવન ની વાત કરીએ,તો ગુરુ દેવ નું વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી તમારો સબંધ પાર્ટનર અને પરિવાર ના સદસ્ય સાથે મજબુત થશે.આ દરમિયાન તમારો પાર્ટનર દરેક પગલે તમારો સાથ આપશે દરેક નિર્ણય માં જેનાથી તમે રાહત મહેસુસ કરશો.આના સિવાય,વેવસાયિક જીવનમાં મુલાકાત નવા લોકો સાથે થઇ શકે છે અને આ કારકિર્દી માટે ફળદાયી સાબિત થશે.જો તમારા લગ્ન થઇ ગયા છે,તો તમારું લગ્ન જીવન પાર્ટનર સાથે મધુર રહેશે અને એની સાથે તમારા સબંધ મજબુત થશે.એની સાથે,પાર્ટનર સાથે આપસી તાલમેલ માં પણ વધારો થશે.

આરોગ્યના લિહાજ થી,બારમા ભાવમાં ગુરુ ગ્રહ ની સ્થિતિ તમારા માટે અધિયાત્મિક પ્રગતિ અને પોતાને જાણવાનો મોકો લઈને આવશે.એવા માં,તમારે તમારી ભાગદોડ વાળી ઝીંદગી માંથી થોડો સમય પોતાના માટે કાઢવો પડશે.કુલ મળીને,કીતહું રાશિના લોકોનું આરોગ્ય સારું રહેશે.પરંતુ,હદ કરતા વધારે વિચારવાથી તમને ઊંઘ જેવી સમસ્યા પરેશાન કરી શકે છે જેની અસર તમારા માનસિક આરોગ્ય ઉપર પડી શકે છે.એવા માં,તમારા માટે તમારા આરોગ્ય નું ધય્ન રાખવું બહુ જરૂરી હશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગાય ને ગોળ ખવડાવો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન માસિક રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે ગુરુ દેવ નવમો અને છથા ભાવનો સ્વામી છે અને હવે આ ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમારા ભૌતિક સુખો ને ઈચ્છાઓ ના ભાવ એટલે અગિયારમા ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે.કુંડળી માં છથો ભાવ નો સબંધ કર્જ,રોગ વગેરે સાથે છે અને નવમો ભાવ અધિયાત્મિક ને ધર્મ વગેરે નો છે.

આના પપરિણામસ્વરૂપ,ગુરુ નો આ ગોચર કારકિર્દી માં તમારા વરિષ્ઠ ને સમર્થન અપાવશે અને એવા માં,તમે કામમાં સરહાના અને તરક્કી બંને મેળવા માં સક્ષમ રેહશો.આ દરમિયાન તમે કાર્યસ્થળ પર વરિષ્ઠ ના મનપસંદ બનશો અને એવા માં,તમને ઓફિસ માં તમારી સ્થિતિ મજબુત કરવાનો મોકો મળશે.ગુરુ ગોચર ના સમયગાળા માં તમે વેપાર સાથે જોડાયેલી કોઈપણ યાત્રા કરશો,એ તમારા માટે ફળદાયી સાબિત થશે.એના પરિણામસ્વરૂપ,બિઝનેસ માં નવા મોકા મળશે અને તમે વેપાર ને વધારી પણ શકશો.પરંતુ,ગુરુ ની ત્રીજા ભાવમાં દ્રષ્ટિ તમારા નાના ભાઈ-બહેન અને સહકર્મીઓ સાથે તમારા સબંધ ને સુધારવાનું કામ કરશે જેના કારણે તમારું પ્રદશન કામમાં સારું થશે.કાર્યક્ષેત્ર માં તમારી શક્તિઓ વધશે અને એવા માં,તમે કંપની માં લીડર ની ભુમિકા માં દેખાઈ શકો છો.

આર્થિક જીવન ની દ્રષ્ટિએ,અગિયારમા ભાવમાં ગુરુ ગ્રહ ની સ્થિતિ કર્ક રાશિના લોકો માટે અનુકુળ કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમને લાભ મળશે.તમે વેપાર માં જે પણ યોજના બનાવી છે,એનાથી તમારી આવક માં વધારો થશે.એની સાથે,તમને બિઝનેસ ને વધારવાનો મોકો મળશે અને તમે જે પણ પૈસા નું રોકાણ કરશો,એનાથી તમને સારું રિટર્ન મળશે.આ દરમિયાન તમને પૈસા સાથે જોડાયેલા વિષય માં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને સટ્ટાબાજી માં પણ રોકાણ કરવાથી બચવું પડશે.એની સાથે,પોતાના પૈસા નું રોકાણ બહુ સોચ-વિચાર કરીને કરવું પડશે અને તમારી પાસે આવનારા એ સમય નો લાભ ઉઠાવો જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થઇ શકે.

પ્રેમ જીવન ની વાત કરીએ,તો ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર કર્ક રાશિ વાળા ના સબંધ ને મિત્રો,સહકર્મીઓ અને પાર્ટનર સાથે પ્રેમપુર્ણ બનાવા નું કામ કરશે.તમે સામે વાળા સાથે કઈ રીતે વાત કરો છો,આ પુરી રીતે તમારા હાથ માં હશે અને એવા માં,શબ્દો નો સાચો ઉપયોગ કરવાથી તમે બીજા ને પ્રભાવિત કરવા અને નવા સંપર્ક બનાવા માં સક્ષમ હસો.આ સમયગાળા માં તમારો સબંધ પ્રેમ થી ભરેલો રહેશે જેના કારણે તમારી પ્રેમ લગ્ન કરવાની સંભાવના પ્રબળ થશે.એની સાથે,તમે બંને એકબીજા ને સારી રીતે જાણી શકશો.કર્ક રાશિના શાદીશુદા લોકો માટે ગુરુ ગોચર નો સમય સકારાત્મક અને આનંદપુર્ણ રહેશે.બાળક ની પ્રગતિ થવાની પણ સંભાવના છે.

રોપજીના લિહાજ થી,ગુરુ નો આ ગોચર તમારા જીવનમાં અલગ-અલગ જગ્યા એ આવક માં પ્રગતિ લઈને આવશે અને એવા માં,તમારા માટે તમારા આરોગ્ય નું ધય્ન રાખવું અને એને પ્રાથમિકતા આપવી બહુ જરૂરી છે.કર્ક રાશિ વાળા એ એક નિયમિત દિનચર્યા નું પાલન અને યોગ કે ધ્યાન કરવું પડશે જેનાથી તમે શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રેહશો.

ઉપાય : ગુરુવાર ના દિવસે વ્રત રાખો.

કર્ક માસિક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા માટે દેવ ગુરુ ગુરુ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.જેનો સબંધ નામ,પ્રસિદ્ધિ અને ઓળખ સાથે છે.આજ રીતે કુંડળી માં પાંચમો ભાવ પ્રેમ,રોમાન્સ અને બાળક નો હોય છે જયારે આઠમો ભાવ અચાનક થવાવાળા નફા/નુકશાન નો હોય છે.

કારકિર્દી ની વાત કરીએ,તો ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમારા માટે અનુકુળ રહેશે કારણકે આ દરમિયાન તમને વેપાર માં નવા મોકા,નોકરીમાં તરક્કી અને કામમાં કરવામાં આવેલી મેહનત ના કારણે વખાણ વગેરે મળવાના યોગ બની રહ્યા છે.આ લોકો કામને પુરા કરવામાં જેટલું પણ યોગદાન આપશે,એને વરિષ્ઠ દ્વારા કરવામાં આવશે.એની સાથે,એમના વખાણ પણ કરવામાં આવશે.એવા માં,તમારા પગાર માં વધારો અને પ્રમોશન થવાની સંભાવના છે.પરંતુ,જો તમે સહકર્મીઓ અને મેનેજમેન્ટ સાથે સબંધ ને મધુર બનાવી રાખવા માંગો છો,તો તમને કાર્યક્ષેત્ર માં અભિમાન થી બચવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,દસમા ભાવમાં બેઠેલા ગુરુ દેવ ની દ્રષ્ટિ તમારા બીજા ભાવમાં પડી રહી હશે અને એના પરિણામસ્વરૂપ,તમારો વાતચીત કરવાનો તરીકો શાનદાર રહેશે જેના કારણે તમે ઉત્તમ પરિણામ મેળવી શકશો.આ સમયગાળા માં તમને પિતૃ ની સંપત્તિ તરીકે લાભ મળી શકે છે.

આર્થિક જીવન ના લિહાજ થી,ગુરુ મહારાજ નો આ ગોચર તમારા માટે રોકાણ માટે સારો અવસર અને બહુ લાભ લઈને આવશે.આ દરમિયાન તમને પિતૃ ની સંપત્તિ કે પછી અચાનક લાભ થવાનો યોગ બનશે અને એના પરિણામસ્વરૂપ,તમે આર્થિક સ્થિરતા મેળવા માં સક્ષમ હસો.પરંતુ તો પણ પૈસા સાથે સબંધિત મામલો માં તમારે સાવધાની રાખવી પડશે અને જેટલું બની શકે એટલું કર્જ લેવાથી બચો.

પ્રેમ જીવન ની દ્રષ્ટિથી,ગુરુ નો વૃષભ રાશિમાં પ્રવેશ તમારા નિજી જીવનમાં પ્રેમ અને સૌંદર્ય ને વધારવાનું કામ કરશે.આ સમયગાળા માં તમે પાર્ટનર સાથે કોઈ લાંબી દુરી ની યાત્રા પર જવાની યોજના બનાવતા નજર આવશો અને એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.એની સાથે,તમારી વચ્ચે આપસી તાલમેલ વધશે.આ દરમિયાન તમને પાર્ટનર સાથે દિલ ખોલીને વાત કરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્યના દ્રષ્ટિકોણ થી,સિંહ રાશિના લોકોએ પોતાના આરોગ્ય ને પ્રાથમિકતા આપવી પડશે અને ખોટા તણાવ થી બચવું પડશે.આ સમયગાળા માં તમે ધ્યાન કે યોગ વગેરે કરી શકો છો કારણકે આ શરીર ને સ્વસ્થ રાખવાની સાથે સાથે માનસિક તણાવ ને દુર કરવા માં લાભદાયક રહેશે.

ઉપાય : ભગવાન વિષ્ણુ ની પુજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.

સિંહ માસિક રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિ માટે ગુરુ ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે કુંડળી માં ચોથો ભાવ સુખ-સુવિધાઓ અને સાતમો ભાવ વિલાસિતા એટલે જશ્ન વગેરે ને દાર્શવે છે.ત્યાં,નવમો ભાવ ધર્મ,અધિયતમાં અને ઉચ્ચ શિક્ષણ ની પ્રતીક માનવામાં આવે છે.

આ ગોચર આ રાશિના લોકોની કારકિર્દી માં સકારાત્મક પરિવર્તન લઈને આવશે.આ ગોચર તમારા નવમા ભાવમાં થવાથી તમારી અંદર અધીયાત્મ પ્રતિ રુજાન ને વધારશે.એની સાથે,વેવસાયિક જીવનમાં તમે તરક્કી મેળવશો.ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર લોકોનો પરિવાર ની સાથે ધાર્મિક યાત્રાઓ કે વિદેશ યાત્રાઓ પર જવાનો યોગ બનશે.આ દરમિયાન ઓટોમોબાઇલ જેવી જગ્યા એ કરવામાં આવેલું રોકાણ તમારા માટે તણાવ નું કારણ બની શકે છે.પરંતુ,તમને બાધાઓ અને અસફળતાઓ ના સબંધ માં કરવામાં આવતી કડી મેહનત ને સાવધાન રેહવું પડશે.સામાન્ય ભાષા માં કહીએ,તો ક્યાં કયાં કામમાં તમારે કેટલી મેહનત કરવાની છે,એ વાત નું તમારે ધય્ન રાખવું પડશે.

ગુરુ ગ્રહ ના આ ગોચર દરમિયાન તમને બહુ સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આ સમયગાળા માં તમને તરક્કી ના રસ્તા માં જે પણ મોકા મળશે,એમના ઉપયોગ થી નફો કમાવા માટે તમારે રણનીતિ સોચ-વિચાર કરીને બનાવી પડશે અને બહુ સાવધાની રાખવી પડશે.જો તમે તમારા દાયરા નો વિસ્તાર કરવા માંગો છો,તો તમારે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો પડશે,ત્યારેજ તમે પોતાને નકારાત્મક વિચારો થી દુર કરી શકશો.આવું કરવાથી તમે વેપારમાં આર્થિક સ્થિરતા અને સફળતા મેળવી શકશો.

પ્રેમ જીવન ના લિહાજ થી,ગુરુ નો વૃષભ રાશિમાં ગોચર કન્યા રાશિ વાળા લોકોના જીવનમાં એક એવો સકારાત્મક મોડ લઈને આવી શકે છે જે પાર્ટનર અને પરિવાર ની સાથે સબંધ માં પ્રેમ અને આપસી સૌંદર્ય ને સારું કરવામાં મદદ કરશે.ખાલી આટલુંજ નહિ,પોતાના નજીક ના લોકો સાથે યાદગાર સમય પસાર કરવા અને એમની સાથે હરવા-ફરવા જવાથી પણ તમારા સબંધ એમની સાથે મજબુત થશે.

આરોગ્ય ની દ્રષ્ટિએ,આ લોકોનો ઝુકાવ તન અને મન થી અધ્યાત્મ તરફ હોય છે.એવા માં,તમે આધ્યાત્મિકતા અને ધાર્મિક તીર્થ સ્થળ ની યાત્રાઓ ના માધ્યમ થી પોતાને શોધવામાં વ્યસ્ત નજર આવી શકો છો.પરંતુ,તમને કામ,જીમ્મેદારીઓ અને આરોગ્ય ની વચ્ચે સંતુલન બનાવીને ચાલવું પડશે.એની સાથે,પોતાને ધ્યાન રાખીને અને પોતાની લિમિટ નક્કી કરીને તણાવ થી બચી શકો છો.

ઉપાય : ગુરુના ખરાબ પ્રભાવ થી બચવા માટે શિવલિંગ ઉપર દેશી ઘી ચડાવો.

કન્યા માસિક રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ માટે દેવ ગુરુ ગુરુ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં ત્રીજો ભાવ નાની દુરી ની યાત્રાઓ કે ભાઈ-બહેનો અને છથો ભાવ કર્જ,કાનુની વિવાદ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.ત્યાં,આઠમા ભાવમાં થવાવાળી ઘટનાઓ અને દુઃખો સાથે જોડવામાં આવે છે.

એવા માં,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમારી કારકિર્દી માટે સમસ્યાઓ લઈને આવી શકે છે કારણકે તમારે સહકર્મીઓ ની સાથે પરેશાનીઓ જેમકે અસેહમતી વગેરે નો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે તણાવ નું કારણ બની શકે છે.

આર્થિક જીવન ના લિહાજ થી,તુલા રાશિ વાળા ને ગુરુ ગોચર દરમિયાન સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કારણકે આ દરમિયાન તમારા ખર્ચા માં વૃદ્ધિ થવાની આશંકા છે.એવા માં,તમારે લોન વગેરે માં કર્જ લેવાથી બચવું પડશે અને પોતાની બુદ્ધિ ની મદદ થી પોતાની ઉપર થી આર્થિક બોજ ને ઓછો કરવો પડશે.પરંતુ,આ સમસ્યાઓ સિવાય,તમને અચાનક રૂપથી લાભ થવાનો યોગ બનશે જે તમને પિતૃ ની સંપત્તિ અને કાનુન ના કારણે મળી શકે છે.

વાત કરીએ પ્રેમ જીવન ની,તો તુલા રાશિ વાળા ના સબંધ ગુરુ મહારાજ ના ગોચર દરમિયાન પાર્ટનર અને સસુરાલ પક્ષ દરમિયાન ઉતાર-ચડાવ ભરી શકો છો અને એવા માં,તમને સબંધ માં તણાવ મહેસુસ થઇ શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારે ધૈર્ય રાખીને પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ અને વિવાદો ને સમજીને એમને સુલજાવા પડશે.એની સાથે,આપસી સબંધ ને મજબુત કરવા માટે સમય પણ કાઢવો પડશે.

આરોગ્ય ના લિહાજ થી,તુલા રાશિના લોકોને ગળા અને પેટ સબંધિત સમસ્યાઓ થી ઝૂઝવું પડી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય ને પ્રાથમિકતા આપવી પડશે.એની સાથે,જરૂરત પડવાથી તમે ડોક્ટર ની સલાહ આપણ લઇ શકો છો.

ઉપાય : ગુરુ ગ્રહ ના બીજ મંત્ર ને 108 વાર જાપ કરો.

તુલા માસિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે ગુરુ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને આ તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં પાંચમો ભાવ પ્રેમ,રોમાન્સ ને બાળક વગેરે દાર્શવે છે જયારે બીજો ભાવ પરિવાર,પૈસા અને વાણી વગેરે ને દાર્શવે છે.આજ રીતે સાતમા ભાવમાં ગુરુ ગ્રહ નો ગોચર થવાથી આ વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં અલગ-અલગ આયામો માં તરક્કી અને બદલાવ લઈને આવે છે.

કારકિર્દી ના લિહાજ થી,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર તમારા સાતમા ભાવમાં થવાથી વેપાર કરતા લોકોને બિઝનેસ ના સબંધ માં સુનેરા અવસર મળશે અને એવા માં,તમે કામનો વિસ્તાર પણ કરી શકશો.જે લોકોનો વેપાર પાર્ટ્નરશિપ માં છે,એમના માટે આ સમય અનુકુળ કહેવામાં આવશે.આ લોકોના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હવે દુર થશે અને એવા માં,તમે કારકિર્દી માં સ્થિરતા અને તરક્કી ના રસ્તા માં આગળ વધી શકશો.આ દરમિયાન તમને અનુભવી અને પ્રભાવશાળી લોકો સાથે કામ કરવાનો મોકો મળશે.વૃશ્ચિક રાશિના જે લોકોનો પોતાનો વેપાર છે,એ લોકો નવો ધંધો ચાલુ કરી શકે છે.પરંતુ,આમાં સફળ થવા માટે દ્રઢ નિશ્ચય થવાની સાથે સાથે યોજના બનાવીને ચાલવું પડશે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો ગુરુ ગ્રહ નો આ ગોચર તમારા માટે મોકા અને આવકમાં વૃદ્ધિ લઈને આવશે.આ દરમિયાન કરવામાં આવેલું રોકાણ સારું રિટર્ન આપી શકે છે જેનાથી તમારી આવકમાં સુધારો જોવા મળશે.પૈસા સાથે જોડાયેલા વિષય માં તમને કોઈ અનુભવી વ્યક્તિ માર્ગદર્શન કરી શકે છે.

ગુરુ દેવ ના આ ગોચર ના સમયગાળા માં પાર્ટનર ની સાથે તમારા સબંધ પ્રેમ અને સૌંદર્ય થી પુર્ણ રહેશે.એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.ગુરુ નો આ ગોચર સબંધ માં સંપુર્ણ ની ભાવના ને બઢાવો આપશે જેનાથી પાર્ટનર ની સાથે આપસી સમજણ અને તાલમેલ બંને માં વૃદ્ધિ થશે.આ દરમિયાન પ્રેમ લગ્ન થવાની સંભાવના છે.પરંતુ,તમે જીવન સાથી ની સાથે જે સમય પસાર કરશો,એનાથી તમે ખુશ અને સંતુષ્ટ જોવા મળશો.

આરોગ્ય ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારી સામે ઘણી ચુનોતીઓ હાજર રહેશે.એના પરિણામસ્વરૂપ,તમારે શારીરિક અને માનસિક આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સંતુલિત જીવનશૈલી જીવવી થોડી મુશ્કિલ લાગી શકે છે.એવા માં,તમે નિયમિત રૂપથી કસરત,સ્વસ્થ ખાવા-પીવા ની આદત અને યોગ વગેરે કરીને પોતાના આરોગ્ય ને સારું રાખી શકો છો.પરંતુ,તમે ખુશીઓ ની રાહ માં નજર આવી શકો છો.

ઉપાય : ગુરુવાર ના દિવસે પીળી વસ્તુઓ નું દાન કરો

વૃશ્ચિક માસિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ માટે ગુરુ દેવ લગ્ન અને ચોથા ભાવ નો સ્વામી છે અને આ તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જે લોન,રોગ અને દુશ્મનો નો ભાવ છે.જણાવી દઈએ કે કુંડળી માં પેહલો ભાવ પોતાનો અને વ્યક્તિત્વ નો હોય છે જયારે ચોથો ભાવ સુખ-સુવિધાઓ,માતા અને ખુશીઓ વગેરે સાથે સબંધિત છે.

આ ગોચર આ લોકો ની કુંડળી માં ઉન્નતિ લઈને આવશે.એવા માં,તમારી રચનાત્મકતા માં વધારો થશે અને નવા નવા પ્લાન પણ હાજર હશે જેના બળ ઉપર નવા મોકા પણ મળશે.પરંતુ,આ દરમિયાન તમારે કડી ટક્કર નો સામનો કરવો પડી શકે છે એટલે તમારે સાવધાન રેહવું પડશે.ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર લોકોની કારકિર્દી માં તરક્કી મેળવા ના રસ્તા માં ઉભી થતી સમસ્યાઓ ઉપર જીત મેળવા માટે ઘણા બધા પ્રયાસ કરવા પડશે.તમારી કારકિર્દી માં બધીજ પરેશાનીઓ છતાં ગુરુ નો શુભ પ્રભાવ તમારા કાર્યક્ષેત્ર ના માહોલ ને સૌંદર્યપુર્ણ બનાવી રાખશે.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ ગોચર દરમિયાન તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,ગુરુ ગ્રહ ના ગોચર ના સમયગાળા માં રોકાણ કરવાની અને નફો થવાની પ્રબળ સંભાવના છે.પરંતુ,તો પણ આ લોકો એ પોતાના ખર્ચા બહુ સોચ-વિચાર કરીને કરવા પડશે.આ દરમિયાન તમારી સામે ઘણા ખર્ચ આવી શકે છે એટલે તમારે બહુ સાવધાની થી યોજના બનાવીને ચાલવું પડશે.એવા માં,ધનુ રાશિ વાળા ને સોચ-વિચાર કર્યા વગર પૈસા ખર્ચ કરવાથી બચવું પડશે.એની સાથે,ધૈર્ય સાથે યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ની સલાહ આપવામાં આવે છે.

જયારે વાત આવે છે પ્રેમ જીવન ની,તો ધનુ રાશિ વાળા નો સબંધ પાર્ટનર ની સાથે મજબુત થશે.આ રાશિના લોકો નજીકના લોકો ખાસ કરીને પાર્ટનર ની સાથે યાદગાર સમય પસાર કરતા નજર આવશે જેનાથી તમારી વચ્ચે આપસી સમજણ મજબુત થશે.એની સાથે,તમારા સબંધ પણ એની સાથે મજબુત થશે.પરંતુ,તમારે બંને એ એકબીજા માટે સતર્ક રેહવું પડશે.એવા માં,તમારે બંને ને એકબીજા સાથે આરામ થી વાત કરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય ના લિહાજ થી,ધનુ રાશિના લોકો માટે પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું બહુ જરૂરી હશે.એના ફળસ્વરૂપ,તમારું ખાવા પીવા નું સારું રહેશે કારણકે આ સમયગાળા માં કોલોસ્ટ્રોલ અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવું પડશે.

ઉપાય : દરેક ગુરુવારે મંદિર જાવો અને પોતાના ખાવામાં હળદર નો ઉપયોગ કરો.

ધનુ માસિક રાશિફળ

મકર રાશિ

મકર રાશિ માટે દેવ ગુરુ ગુરુ તમારા ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં ત્રીજો ભાવ ભાઈ-બહેન ને યાત્રાઓ નો હોય છે જયારે બારમો ભાવ ખર્ચા કે મોક્ષ નો હોય છે.એની સાથેજ પાંચમો ભાવ પ્રેમ,રોમાન્સ અને બાળક નો હોય છે.

કારકિર્દી ના લિહાજ થી,મકર રાશિ વાળા કોઈ કોર્ષ માં દાખલો લઈને કે શિક્ષણ માં મળવાવાળા મોકા નો ફાયદો ઉઠાવીને પોતાની આવડત કે જ્ઞાન માં વધારો કરવાનું પસંદ કરશે.આ લોકો પોતાની તેજ બુદ્ધિ ના દમ ઉપર નોકરીમાં તરક્કી મેળવા માં સક્ષમ થશે જે નોકરીમાં બદલાવ કે પછી પગાર વધારો ના માધ્યમ થી તમારી પાસે આવી શકે છે.

આર્થિક જીવન ને જોઈએ,તો આ લોકોને ગુરુ ગોચર દરમિયાન આવક માં વૃદ્ધિ ના ઘણા અવસર મળશે કારણકે આ સમયગાળા માં તમને નફો મળવાની સંભાવના છે.પરંતુ,પૈસા સાથે જોડાયેલા વિષય માં સાવધાની રાખવી પડશે અને સો-વિચાર કર્યા વગર ખર્ચા કરવાથી બચો.

પ્રેમ જીવન ને જોઈએ,તો ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર મકર રાશિ વાળા ના પ્રેમ જીવન માટે અનુકુળ રહેશે કારણકે આ દરમિયાન તમે બંને એકબીજા સાથે ઘણા યાદગાર સમય પસાર કરશો જેનાથી તમારો સબંધ મજબુત થશે.જે લોકો બાળક પ્રાપ્તિ ની ઈચ્છા રાખે છે,એમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે જે તમારા જીવનમાં બહુ સફળતા લઈને આવશે.આ લોકોના ઘર-પરિવાર નો માહોલ બાળકો ની હાજરી ના કારણે સૌંદર્યપુર્ણ બની રહેશે.એવા માં,માતા-પિતા પોતાના બાળક ઉપર ગર્વ મહેસુસ કરશે.મકર રાશિના જે લોકો સબંધ માં છે,એ લોકો પોતાના સબંધ ને લગ્ન માં ફેરવા માટે વિચાર કરી શકે છે કે પછી પોતાના સબંધ ને આગળ લઇ જઈ શકે છે.

આરોગ્ય ની વાત કરીએ,તો ગુરુ ગ્રહ નો વૃષભ રાશિમાં ગોચર દરમિયાન આ રાશિના લોકો માનસિક શાંતિ નો અનુભવ કરી શકે છે.એની સાથે,તમારી એકગ્રા આવડત પણ મજબુત થશે.આ સમય ને આરોગ્ય સાથે જોડાયેલી સારી આદતો ને અપનાવા માં અને પોતાને સારી રીતે ધ્યાન રાખવા માટે ઉત્તમ કહેવામાં આવશે.પરંતુ,તો પણ તમારે કોલોસ્ટ્રોલ ની સાથે સાથે ખાવા-પીવા માં ધ્યાન આપવું પડશે.

ઉપાય : પીપળ ના ઝાડ ની પુજા કરો.

મકર માસિક રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ માટે ગુરુ દેવ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.પરંતુ,કુંડળી માં બીજો ભાવ ધન-ધાન્ય અને પરિવાર ને વાણી સાથે સબંધિત છે જયારે અગિયારમો ભાવ ભૌતિક સુખો અને ઈચ્છાઓ નો હોય છે.ત્યાં,ચોથો ભાવ સુખ-સુવિધાઓ,લગજરી અને માતા નો હોય છે.

ગુરુ નો વૃષભ રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થવાથી આ લોકો નું પૂરું ધ્યાન કારકિર્દી પર કેન્દ્રિત રહેશે.ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર માં,આ લોકો જે પણ કામ કરશે,એને પુરી મેહનત અને લગન સાથે કરશે.એના પરિણામસ્વરૂપ,તમે વખાણ મેળવા ની સાથે સાથે તરક્કી ના મોકા પણ મેળવશો.

જયારે વાત આવે છે આર્થિક જીવન ની,તો આ લોકો નું ધ્યાન ઘર સાથે જોડાયેલા ખર્ચ જેમકે ઘર નું રીનોવેશન અને સંપત્તિ વગેરે માં રોકાણ કરવા ઉપર રહી શકે છે.પરંતુ,ઘણા ખર્ચ તમારી સામે આવી શકે છે,પરંતુ,તમારે તમારી આર્થિક સ્થિતિ ને ધ્યાન માં રાખીને ચાલવું પડશે અને સોચ-વિચાર કરીને પૈસા ખર્ચ કરવા પડશે.

રિલેશનશિપ ના લિહાજ થી,ગુરુ ગ્રહ નો ચોથા ભાવમાં ગોચર પારિવારિક સબંધ ને મજબુત કરવાનું કામ કરશે અને એના પરિણામસ્વરૂપ પરિવાર નો માહોલ સોંદર્યપૂર્ણ રહેશે.આ લોકોને પરિવાર ના લોકો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે,ખાસ કરીને માતા ની સાથે.એવા માં,તમે ખુશ અને ભાવનાત્મક રૂપથી સંતુષ્ટ જોવા મળશો.જો તમે તમારા સબંધ ને ગલતફેમી કે ટકરાવ થી બચાવા માંગો છો તો સાથી સાથે દિલ ખોલીને વાત કરો.સંભવ હોય,તો પરિવારનું વાતાવરણ ખુશ રાખો.

આરોગ્ય ના લિહાજ થી,આ સમયગાળા માં તમે પરિવારના સુખદ માહોલ હોવાના કારણે ખુશ દેખાશો.પરંતુ,તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે અને એવા માં તમે નિયમિત રુઓ થી કસરત કરીને અને સંતુલિત જીવનશૈલી અપનાવીને કરી શકો છો.

ઉપાય : અનાથ અને વૃદ્ધ લોકોને મીઠાઈ કે કેળા નું દાન કરો.

કુંભ માસિક રાશિફળ

મીન રાશિ

મીન રાશિ માટે ગુરુ તમારા લગ્ન અને દસમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે પેહલો ભાવ પોતાનો કે વ્યક્તિત્વ નો હોય છે જયારે દસમો ભાવ નામ,પ્રસિદ્ધિ અને ઓળખ નો હોય છે.ત્યાં,ત્રીજો ભાવ પડોસીઓ અને નાની યાત્રાઓ નું પ્રતિનિધિત્વ કરે છે.

આ ગોચર મીન રાશિ વાળા ના કારકિર્દી માં તરક્કી લઈને આવશે કારણકે ગુરુ મહારાજ તમને સાહસી અને દ્રઢ સંકલ્પી બનાવશે એટલે તમે તમારા વેવસાયિક જીવનમાં લક્ષ્યો ને મેળવી શકો.મિત્રો અને સહકર્મીઓ સાથે સારા સબંધ હોવું તમારા માટે ફળદાયી સાબિત થશે અને એવા માં,તમે પ્રોજેક્ટ્સ માં સફળતા મેળવા માટે સક્ષમ હસો.આ ગોચર તમને વેપાર કરવાવાળા લોકો થોડા પ્રભાવશાળી લોકોનું સમર્થન મળવાથી અને નવા પ્લાન આવવાથી બિઝનેસ માં પ્રગતિ ના રસ્તા ઉપર આગળ વધશો.પરંતુ,તમારે આળસ અને કામ માં કોઈપણ પ્રકારના મોડા થી બચવું પડશે,નહીતો તમને સફળતા મેળવા ના રસ્તા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,તમે કડી મેહનત અને બુદ્ધિ ના દમ પર કામયાબી અને સફળતા મેળવી શકશો.

ગુરુ ગ્રહ નો આ ગોચર તમારા જીવન માટે સારો કહેવામાં આવશે કારણકે ભાઈ-બહેનો અને પડોસીઓ ની સાથે તમારા સબંધ મધુર રહેશે.લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અંદર અંદર વાતચીત કરવા અને એકબીજા ને સમજવાથી દુર થશે.પરિવારમાં આપસી તાલમેલ સારો હોવાથી તમારા સબંધો મજબુત થશે.આના સિવાય,પરિવાર સાથે કોઈ નાની દુરુ ની યાત્રા પર જવાનો યોગ બનશે જેનાથી સબંધ માં પ્યાર વધશે.

આરોગ્ય ના દ્રષ્ટિ થી,ગુરુ નો વૃષભ રાશિ માં ગોચર આ લોકોને ઉર્જા અને દ્રઢતા થી ભરી દેશે.આ દરમિયાન તમને સમય સમયે તમારું રૂટિન ચેકઅપ કરવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આજના કામને કાલ ઉપર નાખવાથી બચશો તો તમે પોતે આળસ થી બચી શકશો.

ઉપાય : આઠ દિવસ સુધી નિયમિત રૂપે હળદર નું દાન કરો.

મીન માસિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer