બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર (28 ડિસેમ્બર 2023)

Author: Sanghani Jasmin | Updated Fri, 08 Dec 2023 09:42 AM IST

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર: વૈદિક જ્યોતિષ માં,બુદ્ધિ અને વિકાશ નો કારક ગ્રહ બુધ અવસ્થા માં 28 ડિસેમ્બર ના સવારે 11 વાગીને 07 મિનિટ પર રાશિ ચક્ર ની આઠમી રાશિ વૃશ્ચિક માં ગોચર કરવા જઈ રહ્યો છે.પરંતુ આ ગોચર લાંબા સમય માટે નથી થઇ રહ્યો કારણકે એના પછી બુધ 02 જાન્યુઆરી 2024 ના રોજ પોતાની ચાલમાં પરિવર્તન કરીને માર્ગી થશે અને 07 જાન્યુઆરી 2024 ના રોજ ફરીથી પોતાની રાશિ માં પરિવર્તન કરીને ધનુ રાશિ માં ગોચર કરશે.બુધ નો ગોચર ભલે ઓછા સમય માટે થઇ રહ્યો હોય પરંતુ આની અસર બધીજ 12 રાશિઓ ઉપર અલગ અલગ રીતે થતો જોવા મળશે.એસ્ટ્રોસેજ ના આ લેખમાં તમને જાણકારી મળશે કે બુધ નો ગોચર બધીજ 12 રાશિઓ ના જીવનમાં શું શું બદલાવ લઈને આવવાનો છે,જો કે પુરી રીતે વૈદિક જ્યોતિષ ઉપર આધારિત છે અને અમારા વિદ્વાન જ્યોતિષ દ્વારા બુધ ગ્રહ ની ચાલ,સ્થિતિ અને લોકોની દસા ની વિશ્લેસણ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.અહીંયા તમને ભવિષ્યવાણી ની સાથે સાથે બુદ્ધના નકારાત્મક પ્રભાવો નું કામ કરવાના સેહલા ઉપાય પણ જણાવીશું.જેની મદદ થી તમે તમારો આવનારો કાલ ને સારો બનાવી શકો છો.પરંતુ આની પેહલા જાણી લઈએ કે બુધ ગ્રહ ની વક્રી અને માર્ગી ગતિ વિશે.


વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

વૈદિક જ્યોતિષ માં,બધાજ ગ્રહોમાં બુધને સૌથી યંગ અને સુંદર ગ્રહ માનવામાં આવે છે,બુદ્ધિ, શ્રેષ્ઠ તર્ક ક્ષમતા અને સારા સંચાર કૌશલ્યનું પ્રતિનિધિત્વ કરે છે.બધાજ ગ્રહો માંથી ચંદ્રમા પછી બુધ ને સૌથી નાનો અને સૌથી તેજ ગતિમાં ચાલતો ગ્રહ માનવામાં આવે છે.આ ચંદ્રમા ની જેમ જ સંવેદનશિલ હોય છે.રાશિઓ ની વાત કરીએ તો બુધને મિથુન અને કન્યા રાશિનું સ્વામિત્વ મળેલું છે.બુધ જ એ ગ્રહ છે જેની સ્થિતિ લોકોની બુદ્ધિ,યાદશક્તિ,શીખવાની આવડત,ભાસણ,સંવાદ,પ્રતિબિંબ અને સંચાર ઉપકરણ ને નિયંત્રણ કરે છે.આના સિવાય વાણિજ્ય અથવા વેપાર, બેંકિંગ, મીડિયા વગેરે ને બધા સાધનો નું કારક તત્વ બુધ નેજ મળેલું છે.

હવે વાત કરીએ,વૃશ્ચિક રાશિ ની તો,રાશિચક્ર ની બધીજ રાશિઓ માંથી વૃશ્ચિક રાશિ સૌથી સંવેદનશિલ રાશિ છે.આ રાશિ એ ચરણસીમાઓ ને દાર્શવે છે જે અમારા જીવનમાં ઉતાર ચડાવ અને નિરંતર પરિવર્તન ને નિયંત્રણ કરવાનું કામ કરે છે.એની સાથે આ અમારા જીવનમાં છુપાયેલા ગુપ્ત રહસ્યં નું પ્રતિનિધિત્વ પણ કરે છે.વૃશ્ચિક રાશિ ખનીજ અને ભુમિગત મિલકત જેમકે પેટ્રોલ,તેલ અને ગેસ ,રત્ન વગેરે નો પણ કારક છે.એની સાથે,આ અમારા રોજિંદા જીવનમાં દુર્ઘટનાઓ,ઘાવો,સારવાર પ્રક્રિયા નું પણ પ્રતિનિધિત્વ કરે છે.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર: વક્રી ગતિ નો અર્થ

કોઈપણ ગ્રહ નું વક્રી થવું એ એક પ્રક્રિયા છે,જયારે કોઈપણ ગ્રહ પોતાની સામાન્ય દિશા કરતા ઉંધી દિશા એટલે કે ઉલ્ટી દિશા ચાલતો પ્રતીત થાય છે તો એને વક્રી ગ્રહ કહેવામાં આવે છે.ખરેખર કોઈપણ ગ્રહ ઊંધો નથી ચાલતો પરંતુ પરિભ્રમણ પથ સ્થિતિ મુજબ એવું પ્રતીત થાય છે કે એ ઉલ્ટી દિશા માં જઈ રહ્યો છે.વૈદિક જ્યોતિષ મુજબ,વક્રી ગ્રહ કોઈપણ લોકોના જીવનમાં ખાસ પ્રભાવ નાખે છે.

વક્રી શબ્દ ને લઈને કંઈક મિથક છે,ખાસ કરીને ગ્રહ ની વક્રી અવસ્થા ને સારી નથી કહેવામાં આવતી.એવું માનવામાં આવે છે કે એ જીવનમાં કઠિનાઈ અને બહુ પરેશાની લાવે છે,પરંતુ વાસ્તવ માં આ સાચું નથી કારણકે વક્રી બુધ હંમેશા કઠિનાઈ અને દુર્ભાગ્ય નથી લાવતો,પરંતુ આ દરમિયાન ગ્રહ બહુ શક્તિશાળી બની જાય છે અને કુંડળી માં ગ્રહો ની દશા મુજબ પરિણામ આપે છે.

માર્ગી ગતિ શું છે?

જ્યોતિષ માં “માર્ગી”શબ્દ એક ગ્રહ ની ગતિ ને દાર્શવે છે જયારે એ પોતાની વક્રી ગતિ થી માર્ગી અવસ્થા માં આવીને સામાન્ય રૂપે આગળ ની બાજુ અને વધવાનું ચાલુ કરી દયે છે.માર્ગી અવસ્થા વક્રી અવસ્થા થી ઉંધી હોય છે અને આનાથી આ જ્ઞાત થાય છે કે ગ્રહ હવે એની સામાન્ય ગતિવિધિઓ ને અંજામ આપી રહ્યો છે અને આ સમયે ગ્રહ ની શક્તિ ને બહાર ની શક્તિ થી પણ મહેસુસ કરી શકાય છે.વૈદિક શાસ્ત્ર માં એ પણ માનવામાં આવ્યું છે કે જયારે કોઈ ગ્રહ વક્રી થી માર્ગી દિશા માં પોતાની ગતિ ને બદલે છે તો પૃથ્વી ઉપર થી જોવામાં એવું પ્રતીત થાય છે કે એ થોડા સમય માટે એજ જગ્યાએ યાત્રા કરવાનું બંધ કરી દયે છે.આવી સ્થિતિ માં એ ગ્રહ પ્રત્યેક્ષ રૂપથી સીધી ચાલ ચાલવાની તૈયારી કરતો નજર આવે છે.

To Read in English Click Here: Mercury Transit In Scorpio (28 December 2023)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર: રાશિ મુજબ રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે.કુંડળી નો આ ભાવ લાંબી ઉંમર,અચાનક થવાવાળી ઘટનાઓ,ગોપનીયતા,રહસ્ય વિજ્ઞાન અને પરિવર્તન ના ભાવને દાર્શવે છે.બુધ નો આઠમા ભાવમાં ગોચર મેષ રાશિના લોકોને અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો અને લોકો માટે આ સમય થોડો ચુનૌતીપુર્ણ સમય સાબિત થઇ શકે છે કારણકે આશંકા છે કે આ દરમિયાન તમે વાતચીત ના કારણે કોઈ વિવાદ અથવા ઝગડા માં પડો.બુધ ની વક્રી અવસ્થા માં આઠમા ભાવમાં ગોચર કરવો તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે.કોઈ જુની બીમારી તમને ફરીથી પરેશાન કરી શકે છે.જેમકે તમે ચામડીને લગતી કોઈ સમસ્યા અથવા ગળા ની સમસ્યા થી પીડિત થઇ શકો છો.અચાનક થવાવાળી ઘટનાઓ થી તમે તણાવ માં આવી શકો છો.બુધ ગોચર બહુ ઓછા સમય માટે થઇ રહ્યો છે પરંતુ તો પણ તમને સલાહ આપવામાં આવે છે કે આ દરમિયાન સાવધાન રહો.પરંતુ 02 જાન્યુઆરી 2024 પછી બુધ માર્ગી થશે ત્યારે તમને આ બધી સમસ્યાઓ ઓછી થતી દેખાશે.

ઉપાય : છક્કાઓ નું સમ્માન કરો અને બની શકે તો એમને લીલા રંગ ના કપડાં ઉપહાર માં ભેટ આપો અને એમના આર્શિવાદ લો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે અને આ ભાવ જીવનસાથી અને બિઝનેશ પાર્ટ્નરશિપ નો ભાવ દાર્શવે છે.સાતમા ભાવમાં બુધ નું વક્રી અવસ્થા માં ગોચર કરવું તમારા વૈવાહિક જીવન માટે પ્રતિકુળ સાબિત થઇ શકે છે,ખાસ કરીને એ લોકો માટે જે લોકો પોતાની રિલેશનશિપ ને લગ્ન માં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.જો તમે તમારા જીવનસાથી ને તમારા પરિવાર સાથે મળવાની કોશિશ કરી રહ્યા છો તો,આ દરમિયાન યોજનાને સ્થગિત કરી દયો અથવા આગળ ના માટે કેન્સલ કરી દયો કારણકે આ સમય તમારા માટે અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યો.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર સિવાય,જે લોકો પારિવારિક વેપાર માં જોડાયેલા છે કે પરિવાર ના કોઈ સદસ્ય સાથે મળીને બિઝનેશ ચાલુ કરવાની યોજના બનાવી રહ્યા છે,એમના માટે પણ સારું હશે કે આ પ્લાન ને થોડા દિવસ માટે કેન્સલ કરી દયો.તમને સલાહ આપવામાં આવે છે કે 02 જાન્યુઆરી 2024 પછી જયારે બુધ માર્ગી અવસ્થા માં આવશે ત્યારે આ યોજના ઉપર કામ કરવાનું વિચારો.બુધ સાતમા ભાવ માંથી લગ્ન ભાવ ઉપર નજર નાખી રહ્યો છે,આના પરિણામસ્વરૂપ,તમને થોડી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે.

ઉપાય : તમારા બેડરૂમ માં ઇન્ડોર છોડ રાખો અને એમની દેખભાળ કરો.

વૃષભ રાશિફળ 2024

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે બુધ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા દુશ્મન,આરોગ્ય,પ્રતિસ્પર્ધા અને મામા ના છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.બુધ ની અવસ્થામાં છથા ભાવમાં ગોચર કરવું તમારી સાથે સાથે તમારી માતા ના આરોગ્ય માટે પણ સારું નહિ હોવાની આશંકા છે અને બની શકે છે આના કારણે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે તમારી અને તમારી માતા ના આરોગ્ય ઉપર ધ્યાન આપો અને એમની સારી રીતે દેખભાળ કરો.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા ઘરેલુ ઉપકરણ માં પણ કંઈક ખરાબી આપી શકે છે.એ વાત ની પણ આશંકા છે કે આ દરમિયાન તમારા વાહનો માં કોઈ સમસ્યા ના કારણે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડે.આના સિવાય,આ દરમિયાન તમને કોઈ બીમારી થઇ શકે છે અથવા કોઈ જુની બીમારી ફરીથી તમને થઇ શકે છે.આના સિવાય,બારમા ભાવ ઉપર વક્રી બુધ ની દ્રષ્ટિ તમારા આરોગ્યને પ્રભાવિત કરી શકે છે.એવા માં તમારા આરોગ્ય ની ખાસ ધ્યાન રાખો.પરંતુ 02 જાન્યુઆરી 2024 પછી બુધ માર્ગી થઇ જશે એના પછી તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ જોવા મળશે.

ઉપાય : બુધવાર ના દિવસે 5-6 કેરેટ માં પન્ના ને સોના અથવા ચાંદી ની વીંટી માં પહેરાવી મિથુન રાશિના લોકો માટે લાભદાયક રહેશે.

મિથુન રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન!અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે બુધ ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જો કે અમારી શિક્ષા,પ્રેમ સબંધો,બાળકો નું પ્રતિનિધિત્વ કરે છે અને આને પૂર્ણય પૂર્વ ભાવ પણ કહેવામાં આવે છે.એવા માં,કર્ક રાશિના જે લોકો પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે,એમને આ દરમિયાન કોઈ કારણસર મોડા નો સામનો કરવો પડી શકે છે અથવા એમની પરીક્ષા સ્થગિત થઇ શકે છે.આના સિવાય,બીજા વિદ્યાર્થીઓ ને પણ આ દરમિયાન અભ્યાસમાં ધ્યાન લગાવામાં સમસ્યા થઇ શકે છે.સંભાવના છે કે અભ્યાસમાંથી તમારું મન ભટકી શકે છે.

કર્ક રાશિની જે મહિલા ગર્ભવતી છે,એમને આ સમયે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ત્યાં જે લોકો રિલેશનશિપ માં છે,એમના સબંધ માં ગલતફેમી થવાનો આસાર છે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે એક બીજા ને સમજવાનો પ્રયાસ કરો,વિવાદો ને જલ્દી પુરા કરીને તમારો સારો સંવાદ કે સારી બોન્ડિંગ દ્વારા એક મજબુત સબંધ વિકસિત કરવાની કોશિશ કરો.ત્રીજા ભાવમાં સ્વામીના વક્રી થવાના કારણે તમારા જીવનમાં અનિશ્ચિતાઓ નો સામનો કરવો પડી શકે છે અને એની સાથે તમે ભ્રમિત પણ થઇ શકો છો.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર બારમા ભાવના સ્વામિન રૂપમાં વક્રી બુધ અગિયારમા ભાવ ઉપર નજર નાખે છે અને એના કારણે સટ્ટાબાજી માં પૈસા લગાડવાથી તમને નુકસાન પણ થઇ શકે છે અને સંભાવના છે કે આ સમયે તમે તમારા હપ્તા સમય ઉપર ભરવામાં અસમર્થ રહો એટલા માટે સલાહ આપવામાં આવે છે કે આ સમયે કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નહિ કરો નહિ તો તમને ભારી નુકસાન થઇ શકે છે.2 જાન્યુઆરી 2024 પછી જયારે બુધ માર્ગી થશે ત્યારે સ્થિતિ તમારા માટે સારી થતી દેખાશે.

ઉપાય : જરૂરતમંદ બાળકો અથવા વિદ્યાર્થી ને ચોપડીઓ વગેરે શિક્ષા ની વસ્તુઓ નું દાન કરવું તમારા માટે ફાયદામંદ સાબિત થઇ શકે છે.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે બુધ બીજો ભાવ અને અગિયારમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારો ચોથો ભાવ એટલે કે માતા,ઘરેલુ જીવન,વાહન અને સંપત્તિ ના ભાવમાં થઇ રહ્યો છે.બુધ એ ગ્રહ છે જે તમારા પૈસા ને નિયંત્રણ કરે છે એટલા માટે બુધ ની વક્રી અવસ્થા માં ગોચર કરવાના પરિણામસ્વરૂપ તમને પૈસા ને લગતી સમસ્યા થી બે-ચાર થવું પડે છે.આશંકા છે કે પૈસા ના અભાવ ના કારણે તમે તમારા હપ્તા સમય ઉપર ભરવામાં અસમર્થ રહો.એ પણ સંકેત મળી રહ્યા છે કે સટ્ટાબાજી માં નિવેશ કરવાથી તમને પૈસા નું નુકસાન થઇ શકે છે અથવા તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાય શકે છે.એવા માં,કોશિશ કરો કે આ સમયે કોઈ જોખમ નહિ ઉઠાવો.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર કાળ દરમિયાન તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો કારણકે તમારી વાતો અમારા ને ભ્રમિત કરી શકે છે અને આના કારણે વાદ વિવાદ અથવા ઝગડા થઇ શકે છે.સિંહ રાશિના જે લોકો સરકારી અધિકારી,પ્રેરક વક્તા,સટ્ટા નિવેશક કે મીડિયા સાથે જોડાયેલા છે,એમને આ સમયે વધારે જાગરૂક રહેવા અને કામો ને સમય પર પુરા કરવા માટે સલાહ આપવામાં આવે છે.આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી જોઈએ તો,તમને આ સમયે તમારા આરોગ્ય નું વધારે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે સંભાવના છે કે તમારે ચામડી અથવા ગળા સાથે જોડાયેલી કોઈ બીમારી ની સમસ્યા થઇ શકે છે.એવા માં,કોઈપણ પ્રકાર ની લાપરવાહી નહિ રાખો અને સમસ્યા થવાથી તરતજ ડૉક્ટર ની સારવાર લો.આના સિવાય,તમારી રોજની એકટીવીટી માં યોગ અને મેડિટેશન ને શામિલ કરો અને સ્વછતા જાળવી રાખવાની સાથે સાથે પોતાના ખાવા પીવા ઉપર પણ ધ્યાન આપો.જણાવી દઈએ કે 2 જાન્યુઆરી 2024 પછી જયારે બુધ માર્ગી થશે ત્યારે તમારા જીવનમાં ઘણા સારા બદલાવ જોવા મળશે.

ઉપાય : દરરોજ તુલસી ના છોડ ની સામે એક દીવો સળગાવીને એની પુજા કરો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે બુધ દસમા અને લગ્ન ભાવનો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે,જો કે ભાઈ-બહેનો,ઉદાસી,નાની દુરી ની યાત્રા,સંચાર અને કૌશલ નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,આ સમય પત્રકાર માટે સારો નહિ રેહવાની સંભાવના છે કારણકે તમને સારા પરિણામ મળતા નજર નથી આવી રહ્યા અને તમે તમારા કૌશલ નું પ્રદશન કરવામાં અસમર્થ થઇ શકો છો.આના સિવાય,કન્યા રાશિના જે લોકો કટારલેખક, મીડિયા, નિબંધકાર, સલાહકાર, ફિલ્મ, એન્કર અથવા હાસ્ય કલાકાર ના રૂપમાં કામ કરી રહ્યા છે,એમને પોતાના ક્ષેત્ર માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.

લગ્ન ભાવના સ્વામીની વક્રી અવસ્થા માં ગોચર કરવું તમારા આરોગ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે.આશંકા છે કે તમને કોઈ આરોગ્ય સમસ્યા થઇ શકે છે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા આરોગ્ય પ્રત્ય સાવધાન રહો.નવમા ભાવ પર બુધ ની દ્રષ્ટિ તમારા પિતા ની સાથે થોડી સમસ્યા આપી શકે છે.આના સિવાય,આ દરમિયાન પોતાના પિતા,ગુરુ અને માર્ગદર્શકો સાથે વાત ચિટ કરતી વખતે તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખો કારણકે તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દો એમને દુઃખ પોહચાડી શકે છે.એટલા માટે ખોટા શબ્દો નો પ્રયોગ કરવાથી બચો.2 જાન્યુઆરી 2024 પછી બુધ માર્ગી અવસ્થા માં આવશે ત્યારે તમને આ બધીજ સમસ્યા માંથી છુટકારો મળી શકે છે.

ઉપાય : બુધવાર ના દિવસે 5-6 કેરેટ નો પન્ના ચાંદી અથવા સોનાની વીંટી માં પેહરવો કન્યા રાશિના લોકો માટે ફળદાયક રહેશે.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુધ બારમા ભાવ અને નવમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા પરિવાર,બચત અને ભાસણ ના બીજા ભાવ માં થવા જઈ રહ્યો છે.તુલા રાશિના લોકો માટે આ સમય આર્થિક જીવન માટે પ્રતિકૂળ હોઈ શકે છે.તમારા ખર્ચા માં અચાનક વધારો થઇ શકે છે અથવા કોઈ પ્રકાર ની મોટી હાનિ નો સામનો કરવો પડી શકે છે,જો કે બચત યોજનાઓ ઉપર પ્રતિકુળ પ્રભાવ નાખી શકે છે,આ રીતે આ દરમિયાન તમારે તમારી વાતચીત ઉપર નજર રાખવી પડશે અને સોચી વિચારીને શબ્દો નો પ્રયોગ કરવો પડશે નહિ તો આ તમારા સબંધો નો ખરાબ કરી શકે છે,ખાસ કરીને નજીકના સબંધી સાથે વાદ-વિવાદ કે ઝગડા થવાની સંભાવના છે.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર કાળ દરમિયાન તમને એક પ્રોજેક્ટ માટે ઘણી બધી સમસ્યા અને ચુનોતીઓ સાથે યાત્રા કરવી પડી શકે છે.બુધ ના નવમા ભાવ માં સ્વામી હોવાના કારણે તમને તમારા પિતા,ગુરુઓ અને માર્ગદર્શકો સાથે વાતચીત કરતી વખતે પણ સાવધાની રાખવાની જરૂરત છે કારણકે તમે તમારી વાણી ઉપર થી નિયંત્રણ ખોઈ શકો છો અને આનાથી તમને નુકસાન થઇ શકે છે.તમારે તમારા આરોગ્ય ની દેખભાળ કરવાની જરૂરત છે.પરંતુ 2 જાન્યુઆરી 2024 પછી જયારે બુધ માર્ગી થઇ જશે ત્અને તમારી હાલતો માં બદલાવ જોવા મળશે.

ઉપાય : તુલસી ના છોડ ને રોજ પાણી આપો અને દરરોજ એક પાન ખાઓ.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ ગ્રહ અગિયારમા ભાવ અને આઠમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા લગ્ન ભાવમાં થવા જઈ રહ્યો છે.બુધ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકુળ પ્રતીત નથી થઇ રહ્યો,ખાસ કરીને જે લોકો રાજકારણ માં નેતા,પ્રેરક વક્તા અને કોઈ મીડિયા સાથે જોડાયેલા છે,એમને આ સમયે વધારે સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.તમને તમારા આર્થિક જીવન ઉપર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમને થોડી આરોગ્ય ને લગતી સમસ્યા પણ આપી શકે છે.સંભાવના છે કે આ સમયે તમને ચામડી ને લગતી સમસ્યા થઇ શકે છે.આના સિવાય,તમારા જીવનમાં અચાનક થવાવાળી ઘટનાઓ માં વધારો થઇ શકે છે અને પૈસા ના નુકસાન નો પણ સામનો તમારે કરવો પડી શકે છે,જેના કારણે તમે લોન અથવા હપ્તો ભરવામાં અસમર્થ થઇ શકો છો.આ પણ આશંકા છે કે શેર બાઝાર થી તમને નુકસાન થશે અને તમારા પૈસા ફસાય જાય.એવા માં,પ્રયાસ કરો કે આ સમયે કોઈપણ પ્રકારનું નિવેશ નહિ કરો નહિ તો તમારે નુકસાન ઉઠાવું પડી શકે છે.એની સાથે,સંભાવના છે કે આ સમયે મોટા ભાઈ-બહેનો અને મામા સાથે તમારા સબંધ પ્રભાવિત થઇ શકે છે અને સમાજ માં તમારું નામ ખરાબ થઇ શકે છે.પરંતુ 2 જાન્યુઆરી 2024 પછી જયારે બુધ માર્ગી થશે ત્યારે તમારા હાલાત સારા થઇ જશે અને તમે આ બધીજ સમસ્યા માંથી નીકળી શકશો.

ઉપાય : દરરોજ બુધ ગ્રહ ના બીજ મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે બુધ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર 28 ડિસેમ્બરે તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે અને આ સમયે બુધ વક્રી અવસ્થા માં રહેશે.બુધ નો બારમા ભાવમાં ગોચર વેપાર કરતા લોકો માટે પ્રતિકુળ સાબિત થઇ શકે છે અને જે લોકો પાર્ટ્નરશિપ માં વેપાર કરી રહ્યા છે,એમને આ સમયે વાતચીત ની કમી ના કારણે ગલતફેમી ની શિકાર થવું પડી શકે છે અને આના કારણે તમારો ધંધો પ્રભાવિત થવાની સંભાવના છે.જો તમે બિઝનેશ માં કોઈ નવી વસ્તુ ની શુરુઆત કરવા માંગો છો કે નવો ધંધો કરવા માંગો છો,તો થોડા સમય માટે આને કેન્સલ કરી દયો કારણકે આ સમય આ કામો માટે શુભ સાબિત થતો નથી દેખાઈ રહ્યો.જે લોકો નોકરિયાત છે,એમને પણ આ સમયે કાર્યક્ષેત્ર માં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.તમારા સહકર્મીઓ સાથે ગલતફેમી થઇ શકે છે.પ્રસાસન સાથે જોડાયેલા કામો માં ચુનોતીઓ આવી શકે છે અને કામો નો ભાર દેવામાં વાર લાગી શકે છે,જેનો પ્રભાવ તમારા વેવસાયિક જીવનમાં પ્રતિકુળ રૂપથી પડી શકે છે.જો તમે આ સમયે કોઈ વસ્તુનું સેટઅપ કરવું અથવા કોઈની મદદ ની આશા રાખી રહ્યા છો તો તમને નિરાશા હાથ લાગી શકે છે એટલા માટે આ પ્લાન ને આગળ ના માટે કેન્સલ કરો કારણકે આ મસાયે પરિણામ તમારા પક્ષમાં આવતા નથી દેખાઈ રહ્યા.સાતમા ભાવમાં સ્વામી હોવાના કારણે તમારા લગ્ન જીવનમાં ઉતાર ચડાવ આવી શકે છે.એવા માં,તમારા જીવનસાથી ના આરોગ્ય નું ધય્ન રાખો અને વાતચીત કરતી વખતે તમારા શબ્દો ઉપર નિયંત્રણ રાખો કારણકે બની શકે છે કે તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દો ની ઊંધો અર્થ નીકળે,જેનાથી તમારે વિરોધ નો સામનો કરવો પડે.

ઉપાય : ભગવાન ગણેશ ની પુજા કરો અને એમને લીલું ઘાસ ચડાવો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિના લોકો માટે બુધ છથા અને નવમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે,જે નાણાકીય લાભ,ઈચ્છા,મોટા ભાઈ-બહેન અને મામા ના ભાવને દાર્શવે છે.બુધ અહીંયા 28 ડિસેમ્બર 2023 ના દિવસે વક્રી અવસ્થા માં ગોચર કરી રહ્યો છે.આના પરિણામસ્વરૂપે,આ મસાયે તમારા આર્થિક જીવનમાં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.કોઈ ખોટા નિર્ણય ના કારણે તમે પૈસા નું નુકસાન થઇ શકે છે.એવા માં,આ દરમિયાન ઉધમ સાથે જોડાયેલી કોઈપણ પ્રકારના નિર્ણય લેવાથી બચો.ગોચરકાળ દરમિયાન તમે ભૌતિક વસ્તુઓ માટે કે સારવાર માટે પૈસા ખર્ચ કરી શકો છો.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર સિવાય,તમને તમારા સબંધી કે પિતા સમાન કે કાકા કે મિત્રો સાથે કોઈ પ્રકાર નો વિવાદ થઇ શકે છે.બની શકે છે કે વેવસાયિક જીવનમાં પણ તમને સકારાત્મક પરિણામ જોવા નહિ મળશે.તમને સલાહ આપવામાં આવે છે કે આ દરમિયાન પોતાના પિતા,માસ્ટર અને માર્ગદર્શક સાથે વાતચીત કરતી વખતે સાવધાની રાખે કારણકે તમારા શબ્દો કઠોર હોઈ શકે છે જેના કારણે તમારો એમની સાથે વિવાદ થઇ શકે છે અને એની સાથે,તમારા શબ્દો ના ખોટો અર્થ કાઢવામાં આવે છે એટલા માટે એમના આરોગ્ય નું ધ્યાન રાખીને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો.મકર રાશિના જે વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે,એમને પણ આ સમયે ઘણી પરેશાનીઓ માંથી નીકળવું પડશે.પરંતુ,02 જાન્યુઆરી 2024 પછી જયારે બુધ માર્ગી થશે ત્યારે તમારી પરિસ્થિતિ માં સુધારો આવશે.

ઉપાય : દરરોજ ગાય ને લીલું ઘાસ ખવડાવો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે બુધ ગ્રહ પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા કાર્યસ્થળ ના દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ તમારે તમારા વેવસાયિક જીવનમાં સાવધાન રેહવાની જરૂરત છે.જો તમારો પોતાનો ધંધો છે તો તમારે તમારા કામ માં વારંવાર રુકાવટ નો સામનો કરવો પડી શકે છે અને તમે પાર્ટ્નરશિપ માં બિઝનેશ કરી રહ્યા છો તો તમારા ભાગીદાર સાથે ગલતફેમી થવાની સંભાવના છે.ત્યાં આ સમય નોકરિયાત લોકો માટે પણ ઘણી સમસ્યા લઈને આવી શકે છે અને ઘણા કારણો ના કારણે તમારા કામમાં મોડા નો સામનો કરવો પડી શકે છે.આ સમસ્યાઓ થી બચવા માટે તમારે પ્લાન બનાવતી વખતે સાવધાની રાખવાની જરૂરત છે.

બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર કુંભ રાશિના જે વિદ્યાર્થીઓ પીએચડી ની તૈયારી કરી રહ્યા છે એમને પણ ઘણી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને એની સાથે,કામમાં મોડું થઇ શકે છે.ત્યાં જે લોકો રિસેર્ચ સાથે જોડાયેલા છે એમને પણ આ સમયે બહુ સાવધાની રાખીને ચાલવાની જરૂરત છે.02 જાન્યુઆરી 2024 પછી બુધ માર્ગી અવસ્થા માં જશે તો તમને કોઈ સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.

ઉપાય : ઘર અને કાર્યસ્થળ ઉપર બુધ યંત્ર ને સ્થાપિત કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિના લોકો માટે બુધ સાતમા અને ચોથા ભાવનો સ્વામી છે.બુધ નો વૃશ્ચિક રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ ભાવ ધર્મ,પિતા,લાંબી દુરી ની યાત્રા,તીર્થયાત્રા અને નસીબ ના ભાવને દાર્શવે છે.બુધ નું વક્રી થવું તમારા ઘરેલુ અને લગ્ન જીવનમાં ઘણી બધી સમસ્યા લઈને આવી શકે છે.મીન રાશિના પુરુષ લોકો આ દરમિયાન પોતાની માતા અને જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે અને આના કારણે સબંધ માં ખટાસ આવી શકે છે.આર્થિક જીવન માટે પણ આ સમય અનુકુળ નહિ રેહવાની સંભાવના છે કારણકે તમને પૈસા ની કમી નો અહેસાસ થઇ શકે છે.આરોગ્ય ની દ્રષ્ટિએ પણ બુધ નો ગોચર અનુકુળ નહિ રેહવાની આશંકા છે કારણકે સંભાવના છે કે કોઈ જુની બીમારી ફરીથી તમને પરેશાન કરે.આ દરમિયાન તમારે તમારી માતા અને જીવનસાથી ના આરોગ્યનું પણ ધ્યાન રાખવાની જરૂરત છે.આના સિવાય,તમારા ઘરેલુ ઉપકરણો કે વાહન માં ખરાબી આવી શકે છે,જેના કારણે તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.આ સમયે તમને તમારી વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે,ખાસ કરીને તમારા પિતા,ગુરુ અને માર્ગદર્શનો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો ઉપર ખાસ ધ્યાન આપો કારણકે તમારા શબ્દો નો ખોટો અર્થ પણ કાઢી શકાય છે એટલા માટે એમનું આરોગ્ય નું ધ્યાન રાખીને તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો.

ઉપાય : ભગવાન ગણેશ ની પુજા કરો અને એમને લીલું ઘાસ ચડાવો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સેંટર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer