જાન્યુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 : January 2024 Overview in Gujarati

નવું વર્ષ એટલે કે વર્ષ 2024 ની શુરુઆત ની સાથેજ જાન્યુઆરી 2024 નું પણ આગમાન થઇ જશે જો કે વર્ષ નો પેહલો મહિનો હોય છે.નવા વર્ષ ની સાથે-સાથે આ મહિના સાથે પણ લોકો ની ઘણી બધી આશાઓ જોડાયેલી છે.બધીજ વ્યક્તિ ની એજ ઈચ્છા હોય છે કે એમના જીવનમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિઓ આવે.ઘર પરિવાર માં સુખ શાંતિ બની રહે અને પૈસા ની કમી કોઈ દિવસ..બધાજ ધર્મ ના લોકો નવા વર્ષ ની શુરુઆત પોતાની રીતે અલગ અલગ રીતે કરે છે જેમકે હિન્દૂ ધર્મ માં વિશ્વાસ રાખવાવાળા લોકો પોતાના માટે નવું વર્ષ કે જાન્યુઆરી નો પેહલો દિવસ મંદિર માં જવું,પૂજા કરવી એકે વ્રત કરવાનું પસંદ કરે છે.તેથી જાન્યુઆરી 2024 ની સાથે સાથે નવું વર્ષ પણ અમારા માટે સુખ સમૃદ્ધિ વાળું રહે.

Aquarius Horoscope 2024

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

એવા માં,તમારા મનમાં ઘણા સવાલ ઉભા થઇ રહ્યા હશે કે જાન્યુઆરી મહિના માં મનપસંદ નોકરી નો મળશે આર્શિવાદ?પ્રેમી સાથે લગ્ન નું સ્વપ્નું થશે પૂરું?બિઝનેશ માં મળશે તરક્કી કે થશે નફો?ઘર-પરિવાર માં બની રહેશે સુખ શાંતિ?આ બધાજ સવાલો ના જવાબ મળશે જાન્યુઆરી 2024 ના આ ખાસ લેખમાં.

ખાલી આટલુંજ નહિ,એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમારા મન અને મગજ માં ઉઠવા વાળો બધાજ સવાલો ના જવાબ દેવાની સાથે સાથે જાન્યુઆરી મહિનાની પેહલી ઝલક પણ દેખાડશે.આ લેખના માધ્યમ થી અમે જાન્યુઆરી 2024 ના વ્રત-તૈહવાર,ગ્રહણ,ગોચર અને આ મહિને જન્મેલા લોકોના બ્યાક્તિત્વ વિશે જાણીશું.ચાલો આગળ વધીએ અને વિસ્તરપૂર્વક જાણીએ કે જાન્યુઆરી 2024 વિશે.

શું છે ખાસ જાન્યુઆરી 2024 નો આ લેખ?

એસ્ટ્રોસેજ નો આ લેખ જાન્યુઆરી 2024 ઘણી રીતે બહુ ખાસ છે કારણકે આમાં અમે તમને નહિ ખાલી જાન્યુઆરી માં આવનારા વ્રત-તૈહવાર,ગ્રહણ અને ગોચર વગેરે ની તારીખો વિશે જાણકારી આપીશું.પરંતુ,એ પણ જણાવીશું કે કઈ વાત જાન્યુઆરી 2024 ની સૌથી ખાસ વાત છે. 

  • જાન્યુઆરી માં જન્મેલા લોકો નું વ્યક્તિત્વ સાથે જોડાયેલા ઘણી રોચક વાતો સાથે પણ અમે તમને અવગત કરાવશું. 
  • ક્યારે-ક્યારે છે આ મહિના માં બેન્ક રજા?
  • ક્યારે અને કયો ગ્રહ કરવા જય રહ્યો છે જાન્યુઆરી 2024 માં ગોચર?અને શું નવા વર્ષ ના પેહલા મહિનામાં પણ લાગશે કોઈ ગ્રહણ? આની જાણકારી પણ તમને અહીંયા મળશે. 
  • આના સિવાય,જાન્યુઆરી 2024 રાશિચક્ર ની બધીજ 12 રાશિઓ ના લોકો માટે કેવો રહેવાનો છે? લોકોના જીવનમાં આવશે શું કઈ પરિવર્તન?આનો જવાબ પણ તમને આ લેખમાં મળશે. 

તો આવો કોઈ રાહ જોયા વગર આપણે નજર નાખીએ કે જાન્યુઆરી 2024 ના પંચાંગ વિશે. 

જાન્યુઆરી 2024 ની જ્યોતિષય હકીકત અને હિન્દુ પંચાંગ ની ગણના

વર્ષ 2024 ની સાથે જાન્યુઆરી 2024 નો આગાજ મધ્ય નક્ષત્ર ના રૂપે કૃષ્ણ પક્ષ ની પંચમી તારીખ ની અંદર 01 જાન્યુઆરી 2024 થશે અને આનો અંત 31 જાન્યુઆરી 2024 ના દિવસે હસ્ત નક્ષત્ર ના રૂપે કૃષ્ણ પક્ષ ની છ તારીખે થશે.પંચાંગ પછી હવે અમે સૌથી પેહલા રૂબરૂ કરાવશું જાન્યુઆરી 2024 માં મનાવામાં આવેલા વ્રત અને તૈહવાર થી.

અહીંયા પણ વાંચો: રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ

જાન્યુઆરી 2024 ના વ્રત અને તૈહવારો ની તારીખો

હિન્દુ ધર્મ માં તૈહવારો અને વ્રતો ને ખાસ સ્થાન મેળેલું છે.વર્ષ 2023 ની જેમ જ વર્ષ 2024 નો પેહલો મહિનો જાન્યુઆરી પણ વ્રત અને તૈહવાર થી ભરેલા રેહશો.જાન્યુઆરી 2024 માં લોહડી,ઉતરાયણ અને પોનગલ જેવા ઘણા તૈહવાર આવશે.ચાલો જાણીએ કે વ્રત અને તૈહવાર ક્યારે ક્યારે મનાવામાં આવશે.

તારીખ

ઉત્સવ

7 જાન્યુઆરી 2024, રવિવાર

સફલા એકાદશી

9 જાન્યુઆરી 2024, મંગળવાર

માસિક શિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ)

11 જાન્યુઆરી 2024, ગુરુવાર

પોષ અમાવસ્યા

15 જાન્યુઆરી 2024, સોમવાર

પોંગલ, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ

21 જાન્યુઆરી 2024, રવિવાર

પોષ પુત્રદા એકાદશી

23 જાન્યુઆરી 2024, મંગળવાર

પ્રદોષ વ્રત (શુક્લ)

25 જાન્યુઆરી 2024, ગુરુવાર

પોષ પૂર્ણિમા વ્રત

29 જાન્યુઆરી 2024, સોમવાર

સંકષ્ટી ચતુર્થી

જાન્યુઆરી 2024 માં આવનારા વ્રત અને તૈહવાર નું ધાર્મિક મહત્વ ધાર્મિક મહત્વ

સફલા એકાદશી (7 જાન્યુઆરી 2024, રવિવાર): હિન્દુ પંચાંગ મુજબ,પોષ મહિનામાં આવનારી કૃષ્ણ પક્ષ ની એકાદશી ને સફલા એકાદશી કહેવામાં આવે છે.આ એકાદશી જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુ ને સમર્પિત હોય છે.સફલા એકાદશી માં સફલા નો અર્થ સફળતા સાથે છે એટલા માટે આ એકાદશી ના સબંધ માં માન્યતા છે કે સફલા એકાદશી નું વ્રત કરવાથી બધાજ કામોમાં સફળતા મળે છે.

માસિક શિવરાત્રી (09 જાન્યુઆરી 2024, મંગળવાર): સનાતન ધર્મ માં માસિક શિવરાત્રી નું વ્રત ભગવાન શંકર ની કૃપા મેળવા કરવામાં આવે છે.પંચાંગ મુજબ,માસિક શિવરાત્રી નું વ્રત દરેક મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્થી ના દિવસે કરવાનું વિધાન છે.આ વ્રત ના સબંધ માં માન્યતા છે કે માસિક શિવરાત્રી નું વ્રત કરવાથી મનુષ્ય ને ખરાબથી ખરાબ મુશ્કેલીઓ માંથી છુટકારો મળી જાય છે અને ભક્તો નો પણ બધીજ મનોકામના પુરી થાય છે. 

પ્રદોષ વ્રત (કૃષ્ણ)(09 જાન્યુઆરી 2024, મંગળવાર):હિન્દુ ધર્મ માં પ્રદોષ વ્રત ને મહત્વપૂર્ણ સ્થાન મેળેલું છે અને એ દિવસે ભગવાન શંકર ની પૂજા કરવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ ની ત્રયોદશી તારીખે પ્રદોષ વ્રત કરવામાં આવે છે.આ વ્રત માતા પાર્વતી અને ભગવાન શંકર ને સમર્પિત હોય છે.પૌરાણિક ગ્રંથો મુજબ,પ્રદોષ વ્રત કરવાથી ભક્તો ને લાંબી ઉંમર અને સારા આરોગ્યના આશીર્વાદ મળે છે.

પોષ અમાવસ્યા (11 જાન્યુઆરી 2024, ગુરુવાર): પોષ મહિનાને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ થી શ્રેષ્ઠ માનવામાં આવે છે.પંચાંગ મુજબ,દરેક વર્ષે પોષ મહિના ના કૃષ્ણ પક્ષમાં કૃષ્ણ પક્ષ ની અમાવસ્યા ને પોષ અમાવસ્યા ના નામે ઓળખવામાં આવે છે.હિન્દુ ધર્મ માં અમાવસ્યા તારીખ ને વિશેષ મહત્વ મેળેલું છે કારણકે આ દિવસે પિતૃ ની શાંતિ,તર્પણ અને શ્રદ્ધા કર્મ માટે ફળદાયી હોય છે.પોષ અમાવસ્યા ના દિવસે વ્રત કરવાથી પિતૃ દોષ અને કાલસર્પ દોષ થી મુક્તિ ની પ્રાપ્તિ થાય છે.

પોંગલ (15 જાન્યુઆરી 2024, સોમવાર): પોંગલ તમિલનાડુ નો મુખ્ય તૈહવાર છે જેને બહુ ઉત્સાહ અને ધૂમધામ થી મનાવામાં આવે છે.આ તૈહવાર લગાતાર ચાર દિવસ સુધી ચાલે છે અને તમિલનાડુ માં પોંગલ થીજ નવા વર્ષ ની શુરુઆત થાય છે.તમને જણાવી દઈએ કે આ દિવસ દેવરાજ ઇન્દ્ર ને સમર્પિત હોય છે અને આ દિવસે એમની પૂજા કરવામાં આવે છે.એની સાથે,દેવ ઇન્દ્ર થી સારો વરસાદ અને સારી ફસલ ની પ્રાર્થના કરવામાં આવે છે.

ઉત્તરાયણ(15 જાન્યુઆરી 2024, સોમવાર): સનાતન ધર્મ માં સૂર્ય દેવ એક વર્ષ માં બે વાર પોતાની દિશા બદલે છે અને આ પ્રકારે,આ 6 મહિના ઉતરાયણ છતાં 6 મહિના દક્ષિણયાન માં રહે છે.એવા માં,જયારે સૂર્ય મહારાજ મકર રાશિ માંથી લઈને મિથુન રાશિમાં ભ્રમણ કરે છે ,તો આને ઉતરાયણ કહેવામાં આવે છે અને આ દિવસ થી આગળ ના 6 મહિના સુધી બધાજ પ્રકારના માંગલિક અને નવા કામો જેવા ગુહ પ્રવેશ,યજ્ઞ,લગ્ન અને મુંડન વગેરે કરવામાં આવે છે.

મકર સંક્રાંતિ (15 જાન્યુઆરી 2024, સોમવાર): હિન્દુ ધર્મ માં મકર સંક્રાંતિ ને બહુ વધારે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે મનાવામાં આવે છે.આ દિવસે ગ્રહ નો રાજા સૂર્ય ધનુ રાશિ ને છોડીને પોતાના પુત્ર શનિ ગ્રહ ની રાશિ મકર માં પ્રવેશ કરે છે એટલા માટે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.આ દિવસે સ્નાન,દાન અને પૂર્ણય નું ખાસ મહત્વ હોય છે અને મકર સંક્રાંતિ પર સૂર્યદેવ ની વિધિ-વિધાન થી પૂજા કરવામાં આવે છે.

પોષ પુત્રદા એકાદશી (21 જાન્યુઆરી 2024, રવિવાર): હિન્દુ પંચાંગ મુજબ,પોષ મહિનાની શુક્લ પક્ષ ની એકાદશી ના દિવસે પોષ પુત્રદા એકાદશી વ્રત કરવામાં આવે છે.આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ની પૂજા કરવામાં આવે છે.માન્યતા છે કે પોષ પુત્રદા એકાદશી નું વ્રત કરવાથી શાદીશુદા લોકોને બાળક ની પ્રાપ્તિ થઇ શકે છે.ત્યાં,પુત્ર ની કામના કરવાવાળી સ્ત્રીઓ ને પોષ એકાદશી વ્રત જરૂર કરવું જોઈએ.એની સાથે,આ વ્રત કરવાથી પુત્ર ઉપર આવનારી બધીજ મુસીબત દૂર થઇ જાય છે એટલા માટે આ એકાદશી ને પુત્રદા એકાદશી ના નામે ઓળખવામાં આવે છે.

પોષ પૂર્ણિમા વ્રત (25 જાન્યુઆરી 2024, ગુરુવાર): સનાતન ધર્મ માં પોષ પૂર્ણિમા નું ખાસ મહત્વ છે અને આ દર વર્ષે પોષ મહિના ના શુક્લ પક્ષ ની પૂર્ણિમા તારીખે આવે છે.માન્યતા મુજબ,પોષ પૂર્ણિમા ના દિવસે વ્રત રાખીને ચંદ્ર દેવ અને દેવી લક્ષ્મી ની પૂજા કરવાથી પૈસા માં વૃદ્ધિ આવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.આના સિવાય,આ દિવસે કરવામાં આવતા સ્નાન,દાન પૂર્ણય નું ખાસ મહત્વ છે.માનવામાં આવે છે કે પૂર્ણિમા ના દિવસે દાન કરવાથી વ્યક્તિ ના પાપ નષ્ટ થઇ જાય છે અને શુભ ફળ મળે છે.

સંકષ્ટી ચતુર્થી (29 જાન્યુઆરી 2024, સોમવાર): સંકષ્ટી ચતુર્થીનો તહેવાર પ્રથમ પૂજનીય ભગવાન ગણેશના આશીર્વાદ અને કૃપા મેળવવા માટે ઉજવવામાં આવે છે જો કે હિન્દુ ધર્મ નો એક પ્રસિદ્ધ તૈહવાર છે.સંકષ્ટિ ચતુર્થી નો મતલબ છે કે સંકટ નો નાશ કરવા વાળી ચતુર્થી.જેમકે સનાતન ધર્મ માં ભગવાન ગણેશ ને ભક્તો ના દુઃખ અને કષ્ટ નો નાશ કરવાવાળો માનવામાં આવ્યું છે એટલા માટે એને પ્રસન્ન કરવા માટે ભક્ત સંકષ્ટિ ચતુર્થી નું વ્રત કરે છે.આ દિવસે ભક્તો સૂર્યોદય થી લઈને ચંદ્રમા ના ઉદય સુધી વ્રત નું પણ કરે છે.

જાન્યુઆરી 2024 માં આવનારી બેંક રજાઓ ની સુચી

દિવસ

બેંક રજા

ક્યાં રાજય માં માન્ય રહેશે

1 જાન્યુઆરી 2024, સોમવાર

નવું વર્ષ

અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિજોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ

2 જાન્યુઆરી 2024, મંગળવાર

નવા વર્ષ ની રજાઓ

મિજોરમ

2 જાન્યુઆરી 2024, મંગળવાર

મન્નમ જયંતી

કેરળ

11 જાન્યુઆરી 2024, ગુરુવાર

મિશનરી દિવસ

મિજોરમ

12 જાન્યુઆરી 2024, શુક્રવાર

સ્વામી વિવેકાનંદ જયંતી

પશ્ચિમ બંગાળ

15 જાન્યુઆરી 2024, સોમવાર

માધ બિહુ

આસામ

15 જાન્યુઆરી 2024, સોમવાર

મકર સંક્રાંતિ

ગુજરાત, કર્ણાટક, સિક્કિમ અને તેલંગાના

15 જાન્યુઆરી 2024, સોમવાર

પોંગલ

આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, પાંડીચેરી અને તમિલનાડુ

16 જાન્યુઆરી 2024, મંગળવાર

કનુમા ઉત્સવ

આંધ્ર પ્રદેશ

16 જાન્યુઆરી 2024, મંગળવાર

તિરુવલ્લુવર દિવસ

તમિલનાડુ

17 જાન્યુઆરી 2024, બુધવાર

ગુરુ ગોવિંદ સિંહ જયંતી

ચંદીગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઓડિશા, પંજાબ અને રાજસ્થાન 

17 જાન્યુઆરી 2024, બુધવાર

ઉઝાવર થીરુનલ

પાંડીચેરી અને તમિલનાડુ

23 જાન્યુઆરી 2024,મંગળવાર

નેતાજી સુભાષ ચંદ્ર બોસ જયંતી

ઝારખંડ, ઓડિશા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ

23 જાન્યુઆરી 2024, મંગળવાર

ગાં-નગૈ

મણિપુર

25 જાન્યુઆરી 2024, ગુરુવાર

હજરત અલી જયંતી

ઉત્તર પ્રદેશ

25 જાન્યુઆરી 2024,ગુરુવાર

રાજ્યત્વ દિવસ

હિમાચલ પ્રદેશ

26 જાન્યુઆરી 2024,શુક્રવાર

ગણતંત્ર દિવસ

રાષ્ટ્રીય રજાઓ

જાન્યુઆરી માં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ખાસિયત

નવું વર્ષ એટલે કે વર્ષ 2024 નો પેહલો દિવસ જાન્યુઆરી પોતાનામાં બહુ ખાસ છે કારણકે આ મહિનામાં શુરુ થવાની સાથે આપણે બધા નવા વર્ષ માં ચાલ્યા જાશું એટલા માટે આ મહિનામાં અમારી ઘણી બધી આશાઓ અને ઉમ્મીદ જોડાયેલી છે.પરંતુ,જાન્યુઆરી 2024 નો આ મહિનો લોકો માટે ખાસ મહત્વ રાખે છે જેનું નામ જાન્યુઆરી માં થાય છે.આ લોકોના વ્યક્તિત્વ માં થોડા એવા ગુણ જોવા મળે છે જે એમને બધાથી અલગ બનાવે છે.તો ચાલો રાહ જોયા વગર જાણીએ કે ક્યાં છે એ ગુણ. 

જે લોકોનો જન્મ જાન્યુઆરી મહિનામાં થાય છે એ સ્વભાવ થી દયાળુ અને ઉદાર હોય છે.આ લોકો બહુ ખુશમિજાજ સ્વભાવ ના હોય છે એટલા માટે આ લોકોને આસપાસ ના લોકો ને ખુશીઓ વેચવાનું અને ખુશીઓ લેવાનું બંને બહુ પસંદ હોય છે.આ લોકો દ્રઢ નિશ્ચયી હોય છે અને પોતાના આ ગુણના કારણેજ મુશ્કિલ થી મુશ્કિલ કામ જેને કરવા માટે લોકો પાછળ હટી જાય છે,આ લોકો એ કામને પણ આસાનીથી કરી લ્યે છે એટલે કે અઘરા કામને પણ આ લોકો ચુટકી માં કરી લ્યે છે.જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો આકર્ષિત હોય છે અને પોતાને એટલા ફિટ રાખે છે કે એમને જોયીને એમની ઉંમર ને જાણવી મુશ્કિલ બની જાય છે.

જેમકે અમે તમને જણાવ્યુ કે જાન્યુઆરી માં જન્મેલા લોકો આકર્ષિત સ્વભાવ ના પૈસા વાળા હોય છે અને આના કારણે આ લોકો બીજાની ઉપર એની છાપ છોડવા માટે સફળ રહે છે એજ કારણ છે કે પોતાના આકર્ષક અને દમદાર સ્વભાવ ના કારણે આ લોકો થી ઈમ્પ્રેસ થવાથી વધારે સમય નથી લાગતો.જાન્યુઆરી માં જન્મેલા લોકો નાનપણ થીજ લીડર હોય છે અને આ લોકોમાં નેતૃત્વ ના ગુણ પણ હોય છે એટલા માટે જયારે પણ વાત આવે છે નેતૃત્વ કરવાની તો,આ લોકો હંમેશા આગળ દેખાય છે. 

કારકિર્દી ની વાત કરીએ તો,જાન્યુઆરી માં જન્મેલા લોકોનું ભવિષ્ય બહુ ઉજ્વળ હોય છે કારણકે આ લોકો મેહનત કરવાથી ડરતા નથી.આજ કારણ છે કે આ લોકો પોતાની મેહનત ના દમ પર કોઈપણ ક્ષેત્ર માં સફળતા મેળવી શકે છે.આ મહિનામાં જન્મ લેવાવાળા લોકો ઇલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લેક્ચરર અથવા સોફ્ટવેર એન્જિનિયરિંગ વગેરે ક્ષેત્ર માં પોતાનું કારકિર્દી બનાવે છે ,તો સફળતા એમના પગ ચૂમે છે.

જાન્યુઆરી માં જન્મેલા લોકો આશાવાદી હોય છે અને ક્યારેય નિરાશ નથી થતા.નસીબ થી પણ ધની હોય છે એટલા માટે આ લોકોને હંમેશા નસીબ નો સાથ મળે છે.પરંતુ,આ લોકો પોતાની વાતો છુપાવા માં માહિર હોય છે અને બહુ આસાનીથી પોતાના દિલ ની વાત બીજાને નથી કેહતા.આ લોકોને પશુઓ થી બહુ પ્યાર હોય છે.આ લોકો બીજા ની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને મોકો મળે તો બહુ મદદ કરે છે.જાન્યુઆરી માં જન્મેલા લોકો ઉર્જાવાન હોવાની સાથે સાથે સારા પાર્ટનર સાબિત થાય છે અને સબંધો નિભાવમાં વફાદાર રહે છે.રોમાન્ચ ના પણ શોખીન હોય છે અને બધાજ પ્રકારના એડવેન્ચર આ લોકોને બહુ પસંદ હોય છે.

જાન્યુઆરી માં લોકોનો ભાગ્યશાળી નંબર : 2 અને 8

જાન્યુઆરી માં જન્મેલા લોકોનો ભાગયશાળી કલર :ખાખી,કાળો અને જાંબલી

જાન્યુઆરી માં જન્મેલા લોકોનો શુભ દિવસ : મંગળવાર,શુક્રવાર અને શનિવાર

જાન્યુઆરી માંજન્મેલા લોકોનો ભાગ્યશાળી પથ્થર : ગ્રેનાઈટ

ઉપાય : પોતાના ઘર માં નીમ નો છોડ લગાવો.સંભવ હોય,તો ક્યારેક ક્યારેક કે પછી નિયમિત રૂપે ગરીબો ને મીઠાઈ વેંચો.

જાન્યુઆરી 2024 નું ધાર્મિક મહત્વ

સનાતન ધર્મ માં બધાજ દિવસ,વાર અને મહિના નું પોતાનું મહત્વ હોય છે જે એને સૌથી અલગ અને ખાસ બનાવે છે.આ વર્ષ નો પેહલો મહિનો હોય છે,પરંતુ આના સિવાય પણ જાન્યુઆરી 2024 નું પોતાનું ધાર્મિક મહત્વ હોય છે જેના કારણે આ મહિનો સૌથી ખાસ અને મહત્વપૂર્ણ હોય છે.આ મહિનામાં ઘણા બધા તૈહવાર અને વ્રતો ને ઉજવામાં આવે છે.જો અમે વાત કરીએ મહિના ના ધાર્મિક મહત્વ ની તો,જાન્યુઆરી મહિનાને હિન્દુ ધર્મ માં આસ્થા રાખવાવાળા લોકો દ્વારા પોષ પણ કહેવામાં આવે છે.

હિન્દુ વર્ષ માં એક મહિનાનું નામ છે પોષ અને વિક્રમ સવંત મુજબ,આ હિન્દૂ ધર્મ નો દસમો મહિનો હોય છે.ગ્રેગરીયન કેલેન્ડર મુજબ,વર્ષ 2024 ના મહિનાનો આરંભ પોષ મહિનાની અંદર થાય છે અને આનો અંત માધ મહિનાની તહત 31 જાન્યુઆરી 2024 થશે. 

માર્ગશીર્ષ મહિના પછી ચાલુ થવાવાળો મહિનો નું ખાસ મહત્વ છે કારણકે આ મહિનો ઉર્જા અને તેજ નું પ્રતીક ભગવાન સૂર્ય ને સમર્પિત હોય છે.પંચાંગ મુજબ,બધાજ મહિનાનું પોતાનું મહત્વ હોય છે અને આજ પ્રકારે,પોષ મહિનાનું પણ પોતાનું એક અલગ સ્થાન છે.હિન્દુ ધર્મ ના બધાજ મહિનાનું નામ નક્ષત્ર ઉપર આધારિત છે અને આજ રીતે પોષ પૂર્ણિમા ના દિવસે ચંદ્રમા પોષ નક્ષત્ર માં હોય છે એટલા માટે આને પોષ મહિનો કહેવામાં આવે છે.

પૌરાણિક ગ્રંથો માં કહેવામાં આવ્યું છે કે પોષ મહિનામાં સૂર્ય દેવ ની પુજા બહુ કલ્યાણકારી હોય છે અને આ મહિને સૂર્ય દેવ ની પુજા ભગ નામ થી કરવી જોઈએ.પોષ મહિનાના દેવતા ભગને સૂર્ય દેવ નુજ સ્વરૂપ માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે પોષ મહિનામાં સૂર્ય ને અર્ધ્ય દેવું અને વ્રત રાખવું બહુ ફળદાયક હોય છે.ભક્તો ને શુભ ફળ મળે છે.માન્યતા છે કે આ મહિનામાં દરેક રવિવારે વ્રત રાખીને સૂર્ય દેવને તિલ ભાત કે ખીચડી નો પ્રસાદ ચડાવાથી વ્યક્તિ ને તેજ મળે છે.

બહુ ઓછા લોકો જાણે છે કે પોષ મહિના ને નાનો પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.આનું કારણ એ છે કે પૌરાણિક માન્યતાઓ મુજબ,આ મહિના માં પૂર્વજો ને નિયમિત પિંડદાન અને શ્રદ્ધા કામ કરવાથી વ્યક્તિ ને ખાસ લાભ મળે છે.ત્યાં,જાન્યુઆરી 2024 મહિના નો અંત માધ મહિના માં થશે જે હિન્દુ વર્ષ નો અગિયારમો મહિનો છે.આ મહિનાની શુરુઆત વર્ષ 2024 માં 236 જાન્યુઆરી 2024 થી થશે જેમકે આનો અંત 24 ફેબ્રુઆરી 2024 થશે. 

દરેક મહિનાની જેમ આ મહિનો ધાર્મિક દ્રષ્ટિ થી ખાસ મહત્વ રાખે છે.આ મહિનામાં ગંગા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે.એવો વિશ્વાસ છે કે માધ માં દાન,સ્નાન અને ઉપવાસ વગેરે કરવાથી વ્યક્તિને બધાજ પાપો માંથી મુક્તિ મળી જાય છે જો કે માધ મહિનામાં વ્યક્તિ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કાર્ય પછી સૂર્ય દેવ ને અર્ધ્ય આપે છે એના બધાજ પાપ નષ્ટ થઇ જાય છે.એની સાથે,ભગવાન વિષ્ણુ ની પુજા કરવાથી ભક્તો ને સુખી જીવનના આર્શીવાદ મળે છે.

પોષ મહિનામાં જરૂર કરો આ ઉપાય

  • પોષ મહિનામાં દરેક રવિવારે વ્રત કરો અને મીઠા નું સેવન નહિ કરો,આ દિવસે ખાલી મીઠી વસ્તુ ખાવી જોઈએ.આવું કરવાથી કુંડળી માં સૂર્ય મજબૂત થાય છે અને તરક્કીના નવા દરવાજા ખુલે છે. 
  • પોષ મહિનાના પાવન મહિનામાં ગરીબ અને જરૂરતમંદ ને તમારી સજાકતી મુજબ અનાજ કે પૈસા નું દાન કરો.તમારી ઈચ્છા હોય તો કપડાં,કંબલ,ગોળ વગેરે પણ દાન કરી શકો છો.આનાથી વ્યકતિ ના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.
  • આ મહિના દરમિયાન પાણીમાં લાલ ચંદન,લાલ ફુલ અને અક્ષત ભેળવીને સૂર્ય મંત્ર નો જાપ કરીને સૂર્ય દેવ ને અર્ધ્ય આપો. 

જાન્યુઆરી 2024 માં પડવાવાળા ગ્રહણ અને ગોચર

જાન્યુઆરી 2024 માં પડવાવાળા વ્રત-તૈહવારો અને બેંક રજાઓ ની તારીખ જાણ્યા પછી હવે અમે તમને આ મહિનામાં લાગવાવાળા ગ્રહણ અને થવાવાળા ગ્રહણ ના ગોચર વિશે જણાવીશું.જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં કુલ 3 મોટા ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરવા જય રહ્યા છે,તો એ બે ગ્રહ એવા પણ છે જે પોતાની ચાલ માં બદલાવ કરતા પણ નજર આવે છે.આવો રાહ જોયા વગર જાણીએ કે જાન્યુઆરી 2024 માં ક્યારે-ક્યારે અને ક્યાં-ક્યાં ગ્રહ પોતાની સ્થિતિ માં બદલાવ અને ગોચર કરવા જઈ રહ્યા છે.

બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી (02 જાન્યુઆરી 2024): બુદ્ધિ અને વાણી નો કારક ગ્રહ બુધ02 જાન્યુઆરી 2024 ની સવારે 08 વાગીને 06 મિનિટે પોતાની વક્રી અવસ્થા માંથી બહાર આવીને વૃશ્ચિક રાશિમાં માર્ગી થઇ જશે.આ ગોચર ની અસર બધીજ રાશિઓ ને પ્રભાવિત કરશે. 

બુધ નો ધનુ રાશિ માં ગોચર (07 જાન્યુઆરી 2024): વાદિક જ્યોતિષ માં બુધ મહારાજ ને રાજકુમાર નું બિરુદ મળેલું છે જે નવા વર્ષ માં 07 જાન્યુઆરી 2024 ની રાતે 08 વાગીને 57 મિનિટે ધનુ રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.

સૂર્ય નો મકર રાશિ માં ગોચર (15 જાન્યુઆરી 2024): નવગ્રહોના રાજા સૂર્ય મહારાજ પોતાની રાશિ માં પરિવર્તન કરીને 15 જાન્યુઆરી 2024 ની બપોરે 02 વાગીને 32 મિનિટે મકર રાશિ માં ગોચર કરશે.આ દિવસ ને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

મંગળ નો ધનુ રાશિ માં ઉદય (16 જાન્યુઆરી 2024): સાહસ અને પરાક્રમ નો ગ્રહ મંગળ 16 જાન્યુઆરી 2024 ની રાતે 11 વાગીને 07 મિનિટે પોતાની અસ્ત અવસ્થા માંથી બહાર આવીને ધનુ રાશિ માં ઉદય થઇ જશે.

શુક્ર નો ધનુ રાશિ માં ગોચર (18 જાન્યુઆરી 2024): પ્રેમ,ઐશ્વર્ય અને ભૌતિક સુખો નો કારક ગ્રહ શુક્ર 18 જાન્યુઆરી 2024 ની રાતે 08 વાગીને 46 મિનિટે ધનુ રાશિ માં ગોચર કરશે જેનો પ્રભાવ બાઘાઈજ 12 રાશિઓ ને પ્રભાવિત કરશે. 

નોંધ : વર્ષ 2024 કરતા પેહલા જાન્યુઆરી માં કોઈ ગ્રહણ નથી લાગવા જય રહ્યો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

બધીજ 12 રાશિઓ માટે જાન્યુઆરી 2024 નું રાશિફળ

મેષ રાશિ 

  • મેષ રાશિ વાળા ના કારકિર્દી માટે જાન્યુઆરી મહિનો અનુકૂળ રહેશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે જેનાથી તમને કાર્યક્ષેત્ર માં લાભ મળશે.
  • આ રાશિના વિદ્યાર્થીઓ ની પોતાના વિષયો માં પકડ મજબૂત હશે જેનાથી તમે શિક્ષણ માં સારા પરિણામ મેળવી શકશો.
  • મેષ રાશિ વાળા લોકો આ મહિને નકામી વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ કરતા જોવા મળી શકે છે,પરંતુ તમારી આવક સ્થિર બની રહેશે.
  • પ્રેમ જીવન માટે જાન્યુઆરી મહિનો થોડો નબળો રહેશે કારણકે તમારી બંને વચ્ચે અંદર ની સમજણ નો અભાવ રહેશે જેનાથી વિવાદ થવાની આશંકા છે.
  • આ લોકો નું આરોગ્ય જાન્યુઆરી મહિનામાં નબળું રહેશે અને આ દરમિયાન તમારા આરોગ્ય માં ઉતાર ચડાવ જોવા મળી શકે છે. 
  • મેષ રાશિના લોકો નું પારિવારિક જીવન આ મહિને સારું રહેશે અને તમે બાળકો ની ભલાઈ માટે સોચ વિચાર કરી શકો છો.

 

ઉપાય : દરરરોજ શ્રી ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરો.

વૃષભ રાશિ

  • વૃષભ રાશિ વાળા ના કારકિર્દી માટે જાન્યુઆરી મહિનો અનુકૂળ રહેશે.આ દરમિયાન તમે કોઈ રુકાવટ વગર મેહનત કરશો જેની અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળશે. 
  • જાન્યુઆરી નો મહિનો આર્થિક દ્રષ્ટિકોણ થી તમારા માટે સારો રહેશે.આ સમયગાળા માં તમારી આવક ઉમ્મીદ કરતા વધારે રહેશે.
  • આ લોકોને આરોગ્યના મામલો માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમને આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. 
  • શિક્ષણ ના દ્રષ્ટિકોણ થી,આ મહિનો થોડો નબળો રહી શકે છે કારણકે તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે.એકાગ્રતા પણ ઓછી રહી શકે છે.
  • આ લોકોના પ્રેમ જીવનમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.સબંધો માં સમસ્યા ના કારણે તમે અલગ પણ થઇ શકો છો. 
  • પારિવારિક જીવન ની વાત કરીએ,તો આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે.તમારી માતા નું આરોગ્ય પણ નબળું રેહવાની આશંકા છે.

ઉપાય : દરરોજ શ્રી ગણેશ ની પૂજા કરો.

મિથુન રાશિ

  • જાન્યુઆરી 2024 નો મહિનો તમારી કારકિર્દી માં સમસ્યા લઈને આવી શકે છે જેના કારણે તમારો તણાવ થઇ શકે છે.
  • મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી મહિનો અનુકૂળ રહેશે.આ સમયે તમને તમારી પ્રતિભા જોવાનો મોકો મળશે.
  • પ્રેમ જીવન ની દ્રષ્ટિ થી,આ મહિનો સારો રહેશે અને આ લોકોના પ્રેમ લગ્ન થવાના યોગ બનશે.
  • આર્થિક રૂપે જાન્યુઆરી 2024 ઉત્તમ રહેશે.પરંતુ,તમારા ખર્ચા ચાલુ રહેશે પરંતુ આવક પણ સારી રહેશે.
  • આ મહિનો મિથુન રાશિના લોકો ના આરોગ્ય માટે થોડો કઠિન રહી શકે છે.એવા માં,તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.
  • તમારે પારિવારિક જીવનમાં તણાવ થી ઝૂઝવું પડી શકે છે અને અંદર ની સમજણ માં પણ કમી રેહવાની આશંકા છે. 

ઉપાય : શનિવાર ના દિવસે શનિ દેવ ના પગો માં સરસો નું તેલ ચડાવો અને આ તેલ થી એમના પગ ની માલિશ કરો.

કર્ક રાશિ

  • કારકિર્દી ની વાત કરીએ તો,કર્ક રાશિ વાળા માટે જાન્યુઆરી મહિનો ઉત્તમ રહેશે.આ લોકોને પોતાના અનુભવ થી લાભ મળશે. 
  • શિક્ષણ ની દ્રષ્ટિ એ,આ મહિનો તમારા માટે સારો માનવામાં આવશે.આ દરમિયાન તમે નવી નવી વસ્તુઓ શીખશો અને કળા માં તમારી રુચિ વધશે. 
  • તમે અને પાર્ટનર એકબીજા ની નજીક આવશો અને તમને બંને યાદગાર સમય પસાર કરશો.એવા માં,આ લોકોના સબંધ મીઠા બની રહેશે.
  • વેપાર કરવાવાળા લોકો ઝોખમ ઉઠાવીને આગળ વધશે અને ફળસ્વરૂપે,તમને સારા લાભ ની પ્રાપ્તિ પણ થશે.
  • કર્ક રાશિના લોકો માટે જાન્યુઆરી મહિનો થોડો મુશ્કિલ રહી શકે છે.આશંકા છે કે આ મહિને તમે કોઈ બીમારી ના શિકાર થશો. 
  • કર્ક રાશિ વાળા ને આ મહિને થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,આ લોકો તણાવગ્રસ્ત નજર આવી શકે છે. 

ઉપાય : ગુરુવાર ના દિવસે હળદર કે કેસર નો ચાંદલો કરો.

સિંહ રાશિ

  • શુક્ર અને બુધ ના પ્રભાવ થી તમારી કારકિર્દી સુગમતા થી ચાલશે અને મન લગાવીને કામ કરતા નજર આવશો.
  • સિંહ રાશિના વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં સારા પરિણામ મળશે અને એવા માં,તમે પુરા મન સાથે અભ્યાસ કરશો.પરંતુ આરોગ્ય પ્રતિ સાવધાન રહે.
  • આ લોકો નું પારિવારિક જીવન મીઠું બનીને રહેશે.આ દરમિયાન પરિવારજનોમાં પ્રેમ વધશે અને એકબીજા વચ્ચે સારા સબંધ જોવા મળશે.
  • સિંહ રાશિ વાળા લોકોના સબંધ રોમાન્સ થી ભરેલો રહેશે.આના પરિણામસ્વરૂપ,તમારી બંને ની વચ્ચે પ્યાર વધશે,પરંતુ,બહેસ થવાની આશંકા છે.
  • આર્થિક દ્રષ્ટિ થી,આ મહિનો તમારા માટે સારો રહેશે કારણકે તમારી આવકમાં વધારો થશે.એની સાથે,આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. 
  • સિંહ રાશિ વાળા ને અનિયમિત રૂટિન ના કારણે આરોગ્ય સમસ્યા થી બે ચાર થવું પડી શકે છે એટલા માટે ખાવાપીવાની આદતો થી સાવધાન રહો.

ઉપાય : રાતે દૂધ માં કેસર મેળવીને પીજો.

કન્યા રાશિ

  • કન્યા રાશિ વાળા લોકો પોતાના કામમાં આગળ વધવાની કોશિશ કરશે.એવા માં,તમે કડી મેહનત ના દમ ઉપર શાનદાર પ્રદર્સન કરશો.
  • જાન્યુઆરી 2024 માં તમારી અવાક માં વધારો થશે અને એના ફળસ્વરૂપે,તમારા સંપત્તિ ખરીદવાના યોગ બનશે.
  • જે લોકો પેહલાથી સબંધ માં છો એમનામાં બહુ સારો તાલમેલ જોવા મળશે અને એકબીજા ઉપર તમારો વિશ્વાસ વધશે.
  • આ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.જે લોકોના સબંધ રિસેર્ચ સાથે છે,એમને સકારાત્મક પરિણામ મળી શકે છે.
  • પારિવારિક જીવન ની વાત કરીએ,તો ભાઈ-બહેનો સાથે સબંધ પ્રેમપૂર્ણ બની રહેશે.એની સાથે,તમે એકબીજા ની મદદ કરતા પણ નજર આવશો.
  • શનિ,રાહુ અને કેતુ નો પ્રભાવ ના કારણે આ લોકોના આરોગ્યમાં ગિરાવટ આવવાની સંભાવના છે એટલા માટે તમારે આરોગ્ય નો ખ્યાલ રાખવો પડશે. 

ઉપાય : બુધવાર ના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

તુલા રાશિ

  • તુલા રાશિના જે લોકો નોકરીમાં બદલાવ કરવા માંગે છે,એમને આજ મહિનામાં સફળતા મળી શકે છે. 
  • આ રાશિના વેપાર કરવા વાળા જે લોકો નવો વેપાર કરવાની ઈચ્છા રાખે છે,એમના માટે જાન્યુઆરી નો મહિનો અનુકૂળ રહેશે.
  • બારમા ભાવમાં બેઠેલો કેતુ તમારા ખર્ચમાં વધારો કરશે અને તમારે ઈચ્છા નહિ હોવા છતાં પૈસા ખર્ચ કરવા પડશે. 
  • આ લોકો ની વાણી મીઠી રહેશે અને એવા માં,બધાજ તમારાથી ખુશ રહેશે.એની સાથે ઘર પરિવાર માં પણ પ્રેમ બની રહેશે. 
  • तुતુલા રાશિવાળા ના પ્રેમ જીવનમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.સબંધ ને બનાવી રાખવા માટે આ લોકો ને વફાદાર રેહસવું પડશે. 
  • આરોગ્ય માટે જાન્યુઆરી 2024 સારું રહેશે અને આ દરમિયાન તમારી આરોગ્ય સમસ્યા માં પણ કમી આવશે.

ઉપાય : સ્ફટિક ની માળા થી મહાલક્ષ્મીજી ના મંત્ર નો જાપ કરો.

વૃશ્ચિક રાશિ

  • વૃશ્ચિક રાશિના લોકોને કારકિર્દી માં સારા પરિણામ મળી શકે છે.આ મહિને કાર્યક્ષેત્ર માં તમારો દબદબો બની રહેશે. 
  • જે લોકો વેપાર કરે છે એમને નિવેશ થી લાભ મળશે.નવા લોકોનો સાથ મળવાથી તમારો બિઝનેશ રફ્તાર પકડશે. 
  • ગુરુ ગ્રહ ની છથા ભાવમાં હાજરી ના કારણે તમારી આવક ની સાથે સાથે તમારા ખર્ચા માં પણ વધારો થશે એટલા માટે સોચ વિચાર કરીને પૈસા ખર્ચ કરો. 
  • પારિવારિક જીવન માટે જાન્યુઆરી નો મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રહી શકે છે.પરિવાર માં તમારે વિવાદ અને મતભેદ થી ઝૂઝવું પડી શકે છે.
  • પ્રેમ જીવન ની દ્રષ્ટિ થી,આ મહિનો અનુકૂળ રહેશે.એની સાથે,આ દરમિયાન તમારા પાર્ટનર તમારી ઉપર પ્યાર નો વરસાદ કરતા નજર આવશે.
  • આરોગ્યના ક્ષેત્ર માં આ મહિનો તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.પરંતુ,તમને બહુ વધારે પડતો તાવ,માથાનો દુખાવો વગેરે ની શિકાયત આવી શકે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાન ચાલીસા નો પાઠ કરો.

ધનુ રાશિ 

  • ધનુ રાશિ વાળા લોકો ને નોકરીમાં ઉતાર ચડાવ થી ઝૂઝવું પડશે.એની સાથે,તમે કામકાજ માટે વ્યસ્ત રહી શકો છો.
  • વેપાર કરવાવાળા લોકોને વિદેશ માંથી લાભ મળી શકે છે જેનાથી તમારો વેપાર ઉન્નતિ મેળવશે.
  • આ લોકો નું આર્થિક જીવન સમસ્યાઓ થી ભરેલું રહી શકે છે અને તમારા ખર્ચા માં બહુ વધારો જોવા મળી શકે છે. 
  • શિક્ષણ ક્ષેત્ર માં તમને સકારાત્મક પરિણામ મળશે.આ દરમિયાન તમારા જ્ઞાન માં વધારો થશે અને તમે નવી નવી વસ્તુઓ શીખવાનું પસંદ કરશો.
  • ધનુ રાશિના લોકો ને લગ્ન જીવનમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે સબંધ માં અંદર ની સમજણ ઓછી રેહવાની આશંકા છે. 
  • આ મહિનો તમારા આરોગ્ય માટે વધારે સારો નહિ કહેવામાં આવે કારણકે અસંતુલિત ખાવાપીવા ના કારણે તમને રોગ થઇ શકે છે.

ઉપાય : બુધવારે સાંજે કોઈપણ મંદિર માં કાળા તલ નું દાન કરો.

મકર રાશિ

  • મકર રાશિવાળા ને કારકિર્દી ના ક્ષેત્ર માં સારા પરિણામ મળશે અને ઉન્નતિ નો પણ છે.
  • વેપાર કરવાવાળા ને મિશ્રણ પરિણામ મળશે.આ દરમિયાન તમે જેવી મેહનત કરશો એવુજ તમને પરિણામ મળશે.
  • આ મહિને તમે આર્થિક રીતે પ્રગતિ હાસિલ કરશો અને એવા માં,તમારા બેંક બેલેન્સ માં પણ વધારો થશે.
  • ઘર-પરિવાર માં આ લોકોનો રૂતબો વધશે અને તમે બીજા ની સામે પોતાની વાત ને મજબૂતી સાથે રાખી શકશો. 
  • મકર રાશિના શાદીશુદા લોકો માટે જાન્યુઆરી 2024 સારું રહેશે.પારિવારિક સમસ્યાઓ ઓછી થવાના કારણે તમે સબંધો ઉપર ધ્યાન આપી શકશો.
  • આરોગ્ય માટે જાન્યુઆરી 2024 થોડું નબળું રહી શકે છે અને તમને માથાનો દુખાવો,તાવ કે આંખ ના રોગ વગેરે જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.

ઉપાય : શનિવાર અને મંગળવાર ના દિવસે તિલ ના તેલ નો દીવો સળગાવો અને હનુમાન ચાલીસા નો પાઠ કરો.

કુંભ રાશિ

  • કુંભ રાશિ વાળા ના સબંધ કાર્યક્ષેત્ર પર વરિષ્ઠ સાથે અનુકૂળ રહેશે.એવા માં,તમે બધીજ સમસ્યા નો સામનો નીડરતા થી કરશો.
  • જે લોકોનો પોતાનો વેપાર છે,એમનો બિઝનેશ તરક્કી કરશે અને તમને વિદેશ માંથી પણ લાભ મળશે. 
  • આર્થિક રૂપથી જાન્યુઆરી 2024 તમારા માટે શાનદાર રહેશે.આ દરમિયાન તમે વેપાર અને નોકરી બંનેમાં તરક્કી મેળવશો. 
  • શિક્ષણ ની દ્રષ્ટિએ જાન્યુઆરી 2024 ઉતાર-ચડાવ થી ભરેલું રહેશે અને તમારે અભ્યાસ માં સફળતા મેળવા માટે બહુ મેહનત કરવી પડશે. 
  • પ્રેમ જીવનમાં તમારે વિવાદો અને મતભેદ નો સામનો કરવો પડી શકે છે એટલા માટે તમારે બહુ સાવધાની થી આગળ વધવું પડશે. 
  •  આરોગ્ય ને ફિટ રાખવા માટે તમારે આળશ નો ત્યાગ કરવો પડશે.એની સાથે,નિયમિત રૂપથી તમારે યોગ અને કસરત કરવી પડશે. 

ઉપાય : બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ઘાસ કે લીલા શાકભાજી ખવડાવો.

મીન રાશિ

  • મીન રાશિના જે લોકો સારી નોકરી ની રાહ માં છે,એમની આ મહિનામાં નોકરી લાગી શકે છે. 
  • વેપાર કરતા લોકોને સમસ્યા થી ઝૂઝવું પડી શકે છે અને કામકાજ માટે તમારે યાત્રા પણ કરવી પડી શકે છે. 
  • પારિવારિક જીવનમાં તમે જે પણ કહેશો,બધાજ તમારી વાત ને જાણશે અને સમજશે.
  • આર્થિક જીવનમાં તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે જેના કારણે તમે દબાવ માં આવી શકો છો. 
  • શનિ ની હાજરી તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે એટલા માટે તમારે સાવધાન રેહવું પડશે. 

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer