કેતુ ગ્રહ નો બાર ભાવ માં લાલ કિતાબ મુજબ ફળ
લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહ ભગવાન ગણેશજી નું પ્રતિનિધિત્વ કરે છે. આ એક છાયાગ્રહ છે જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. પરંતુ જન્મ કુંડળી માં સ્થિત કેતુ ગ્રહ નું બાર ભાવો માં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. જોકે વેદિક જ્યોતિષ ની જેમ લાલ કિતાબ માં પણ કેતુ ને પાપ ગ્રહ જણાવવા માં આવ્યું છે. કુંડળી ના બાર ભાવ મનુષ્ય ના સંપૂર્ણ જીવન ને દર્શાવે છે. આવો જાણીએ છે લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહ નું બાર ભાવ માં પ્રભાવ અને ઉપાય:
લાલ કિતાબમાં કેતુ ગ્રહ નું મહત્વ
લાલ કિતાબ જ્યોતિષ ની મહત્વપૂર્ણ પુસ્તકો માં થી એક છે, જે ગ્રહ સાથે સંબંધિત સરળ ઉપાય માટે પ્રસિદ્ધ છે. લાલ કિતાબ માં શુક્ર અને રાહુ ને કેતુ નો સાથી ગ્રહ જણાવવા માં આવ્યું છે. જ્યારે ચંદ્ર અને મંગળ કેતુ ના શત્રુ ગ્રહ છે. ત્યાંજ ગુરુ પણ કેતુ માટે અનુકૂળ ગ્રહ છે. આ કેતુ ની નિર્બળતા ને દૂર કરે છે. તેથી જ કાન માં સોના ના આભૂષણ પહેરવા થી કેતુ બળવાન હોઈ સંતાન ને પેદા કરવા ની શક્તિ પ્રદાન કરે છે.
લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહ ક્યારેય પણ સીધી ચાલ નથી ચાલતું પરંતુ આ ઉંધી ચાલ ચાલે છે એટલે કે વક્રી ચાલે છે. કેતુ કુંડળી ના 12માં ભાવ નો સ્વામી હોય છે. જો કોઈ કુંડળી માં આ ભાવ નિષ્ક્રિય હોય તો આને સક્રિય કરવા માટે કેતુ ના ઉપાય કરવા જોઈએ.
લાલ કિતાબ જ્યોતિષ ના સંબંધ માં એક ઘણી જ સરળ પુસ્તક છે જેના દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાની ચારે બાજુ ની પરિસ્થિતિ મુજબ પોતાની કુંડળી નાં વિશે જાણી શકે છે. તે પોતાની કુંડળી માં હાજર ગ્રહો થી સંબંધિત સરળ ટોટકા અને પ્રયોગ કરી તેમને પોતાની અનુકૂળ બનાવી શકે છે. આ નિયમ હિન્દુ જ્યોતિષ ના નિયમો થી જુદા છે.
કેતુ ગ્રહ ના કારકત્વ
લાલ કિતાબ મુજબ કેતુ વ્યક્તિ ના ચાલ ચલન, ખાટલા, કુતરા, ભિખારી, પુત્ર, મામા, પૌત્ર, ભાણેજ, ભત્રીજા, કાન, સાંધા, પગ, સલાહ દેવા વાળો, કાબરચીતરા, લીંબુ, રાત દિવસ નો મેલ, દૂર નું વિચારવા વાળું વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.
લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહ નું સંબંધ
કેતુ ગ્રહ નું સંબંધ સમાજ સેવા ધાર્મિક અને આધ્યાત્મિક કર્મ થી હોય છે. આના સિવાય ભૂંડ, ગરોળી, ગધેડો, સસલુ, ઉંદર કેતુ ના દ્વારા દર્શાવવા માં આવે છે. સાથે જ કાળુ ધાબલું, કાળા તલ, લસણીયા પથ્થર, આંબલી, ડુંગળી, લસણ વગેરે વસ્તુઓ કેતુ ગ્રહ સાથે સંબંધિત છે.
લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહ નું પ્રભાવ
જો કોઈ જાતક ની કુંડળી માં કેતુ ગ્રહ બળવાન હોય છે તો જાતક ને આના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિ ને આધ્યાત્મિક ક્ષેત્ર માં સફળતા અપાવે છે અને મોક્ષ પ્રાપ્તિ ના માર્ગ પર આગળ વધારે છે. કેતુ ગ્રહ પોતાના મિત્ર ગ્રહો સાથે સબળ હોય છે. જ્યારે આના થી વિપરીત જો કોઈ જાતક ની કુંડળી માં કેતુ ની સ્થિતિ નબળી હોય છે અથવા તે પીડિત હોય છે તો જાતક માટે આ સારું ગણવા માં નથી આવતું. કેતુ પોતાના શત્રુ ગ્રહો સાથે નબળું હોય છે. એકંદરે આ કહી શકાય છે કે વ્યક્તિ ના જીવન માં કેતુ નો પ્રભાવ સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતે પડે છે. આવો જાણીએ છીએ કે કેતુ ના સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ શું છે:
-
સકારાત્મક પ્રભાવ - જ્યારે કેતુ ગુરુ ગ્રહ સાથે યુતિ બનાવે છે તો વ્યક્તિ ની કુંડળી માં આના પ્રભાવ થી રાજયોગ નું નિર્માણ થાય છે. શુભ કેતુ લોકો ને ચરિત્રવાન બનાવે છે. આના થી વ્યક્તિ ના મામા, પુત્ર અને પૌત્ર સાથે સંબંધ સારા બને છે. કેતુ સબળ હોય તો વ્યક્તિ નું આધ્યાત્મિક જ્ઞાન વધે છે.
-
નકારાત્મક પ્રભાવ - લાલ કિતાબ મુજબ પાંચમા ભાવ માં જ્યારે શુક્ર, શનિ, રાહુ અથવા કેતુ ની હાજર હોય અથવા આમાં થી કોઈ ની યુતિ પાંચમા ઘર માં હોય તો જાતક આત્મ ઋણી એટલે કે પોતાનો ઋણી માનવા માં આવે છે. આ ઋણ ના લીધે વ્યક્તિ ના જીવન સંઘર્ષમય રહે છે તથા વાદ વિવાદ કોર્ટ કેસ માં પરાજય નો સામનો કરવો પડે છે. ત્યાં જ વારંવાર વગર કોઈ કારણ અપમાન થાય છે અને ક્યારેક ક્યારેક રાજકીય દંડ પણ પ્રાપ્ત થાય છે.
કેતુ ગ્રહ માટે લાલ કિતાબના ઉપાય
જ્યોતિષ માં લાલ કિતાબ ના ઉપાય ને ઘણું મહત્વપૂર્ણ માનવા માં આવ્યું છે. એટલે લાલ કિતાબ માં કેતુ ગ્રહ ની શાંતિ ના ટોટકા જાતકો માટે ઘણાં લાભકારી અને સરળ હોય છે. તેથી જ કોઈ પણ વ્યક્તિ સરળતા થી પોતે આમને કરી શકે છે. કેતુ ગ્રહ સંબંધિત લાલ કિતાબ ના ઉપાય કરવા થી જાતકો ને કેતુ ગ્રહ ના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે. કેતુ ગ્રહ સાથે સંબંધિત લાલ કિતાબ ના ઉપાય નીચે પ્રમાણે છે:
- માથા પર કેસર અથવા હળદર નું તિલક લગાવો.
- વૃદ્ધ અને અસહાય વ્યક્તિઓ ની સહાય કરો.
- કાનો માં સોના ની બાલી પહેરો.
- દૂધ માં કેસર ભેળવી ને પીવો.
- પિતા અને પૂરોહિત નું સન્માન કરો.
- કૂતરો પાળવું સહાયક થશે.
લાલ કિતાબ ના ઉપાય જ્યોતિષ વિજ્ઞાન ના સિદ્ધાંતો પર આધારિત છે. એટલે જ્યોતિષ માં આ પુસ્તક ને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત છે. અપેક્ષા છે કે કેતુ ગ્રહ સંબંધિત લાલ કિતાબ માં આપેલી આ માહિતી તમારા કાર્ય ને સિદ્ધ કરવા માં સફળ થશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





