મોક્ષદા એકાદસી 2024
સનાતન ધર્મ માં એકાદસી તારીખ નું ખાસ મહત્વ છે.આ દિવસે ભગવાન વિષ્ણુ ને બહુ પ્રિય હોય છે.એટલે આ દિવસે શ્રી હરિ ની પુજા ખાસ રૂપથી કરવામાં આવે છે.જણાવી દઈએ કે વર્ષભર માં ટોટલ 24 એકાદશી આવે છે અને દરેક એકાદસી નું પોતાનું મહત્વ છે.આ ક્રમ માં દરેક વર્ષે માર્ગશીર્ષ મહિનામાં પડવાવાળા એકાદસી નેમોક્ષદા એકાદસી 2024 ના રૂપમાં ઉજવામાં આવે છે.કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ને ગીતા નો ઉપદેશ આપ્યો હતો.એવા માં,મોક્ષદા એકાદસી ના દિવસે વ્રત કરીને અને વિધિ-વિધાન થી પુજાકરવાનું પોતાનું એક ખાસ મહત્વ છે.
તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને જાણીએ કેમોક્ષદા એકાદસી 2024 ની તારીખ,પુજા મુર્હત,મહત્વ,જુની કથા અને આસાન જ્યોતિષય ઉપાયો વિશે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
મોક્ષદા એકાદસી 2024: તારીખ અને શુભ મુર્હત
હિન્દુ પંચાંગ મુજબ,માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષ ની એકાદસી તારીખ ની શુરુઆત 11 ડિસેમ્બર 2024,દિવસ બુધવાર ની સવારે 03 વાગીને 42 મિનિટ પર થઇ રહી છે.ત્યાં આ તારીખ પુરી આગળ ના દિવસે એટલે 12 ડિસેમ્બર 2024 ગુરુવાર ની મધ્યરાત્રિ 01 વાગીને 09 મિનિટ પર હશે.એવા માં ઉદય તારીખ ના આધારે મોક્ષદા એકાદસી નું વ્રત 11 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
મોક્ષદા એકાદસી વ્રત મુર્હત
મોક્ષદા એકાદસી પારણ મુર્હત : 12 ડિસેમ્બર ની સવારે 07 વાગીને 04 મિનિટ થી 09 વાગીને 08 મિનિટ સુધી
સમયગાળો : 2 કલાક 4 મિનિટ
આ વર્ષે મોક્ષદા એકાદસી 2024 હિન્દુ ધર્મ માં સૌથી વધારે મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણકે આનો સબંધ મોક્ષ પ્રાપ્તિ અને પિતૃ ની આત્મા ની શાંતિ સાથે છે.આ એકાદસી મરશીર્ષ મહિનાની શુક્લ પક્ષ માં આવે છે અને ધાર્મિક દ્રષ્ટિકોણ થી ખાસ રૂપથી શુભ માનવામાં આવે છે.મોક્ષદા એકાદશી ના દિવસે વ્રત,પુજા-પાઠ,દાન-પુર્ણય,કરવાથી મનુષ્ય ને પાપો માંથી મુક્તિ મળે છે.ચાલો હવે જાણીએ કે આના મહત્વ વિશે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મોક્ષદા એકાદસી નું મહત્વ
સનાતન ધર્મ માં મોક્ષદા એકાદસી 2024 નું ખાસ મહત્વ છે.આ એકાદસી નો મુખ્ય ઉદ્દેશ આત્મા ની મુક્તિ કે મોક્ષ પ્રાપ્તિ છે.આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુ ની પુજા આરાધના કરવાથી વ્યક્તિ ને પોતાના જીવનમાં પાપો થી મુક્તિ મળે છે અને મોક્ષ નો રસ્તો મળે છે.આ વ્રત ખાસ કરીને એ લોકો માટે મહત્વપુર્ણ છે જે મોક્ષ ની કામના કરે છે.આ એકાદસી નું વ્રત કરવાથી પિતૃ ની આત્મા ને શાંતિ મળે છે.આ દિવસ એ લોકો માટે ખાસ હોય છે જે પોતાના પિતૃ ને મોક્ષ માટે પ્રયાસરત હોય છે.માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા પૂર્ણય કામો પિતૃ ની આત્મા ને શાંતિ આપે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
આના સિવાય,આ એકાદસી ઉપર ભગવાન વિષ્ણુ અને એમનો અવતાર શ્રી કૃષ્ણ ની પુજા કરવાનું ખાસ મહત્વ છે.ભક્તો આખો દિવસ વ્રત રાખે છે અને રાતે જાગરણ કરીને ભગવાન વિષ્ણુ ની આરાધના કરે છે.શ્રી કૃષ્ણ ની પુજા કરવાથી જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ મળે છે.મોક્ષદા એકાદસી વિશે એક પ્રસિદ્ધ વાર્તા છે જેમાં ધર્મરાજ યુધિષ્ઠિર ને ભગવાન શ્રીકૃષ્ણ ને આનું મહત્વ પુછવામાં આવે છે.ત્યારે શ્રી કૃષ્ણ એ કહ્યું કે મોક્ષદા એકાદસી નું વ્રત કરવાથી વ્યક્તિ ને મોક્ષ મળે છે અને એ જન્મ-મૃત્યુ ના ચક્કર માંથી મુક્ત થાય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મોક્ષદા એકાદસી ની પુજા વિધિ
આ વર્ષે મોક્ષદા એકાદસી 2024 નું વ્રત અને પુજા વિધિ ખાસ રૂપથી ભગવાન વિષ્ણુ ની આરાધના અને મોક્ષ પ્રાપ્તિ ના ઉદ્દેશ થી કરવામાં આવે છે.ચાલો જાણીએ કે મોક્ષદા એકાદસી ની પુજા વિશે.
- આ દિવસે વ્રત કરવાવાળા વ્યક્તિ ને બ્રહ્મ મુર્હત માં ઉઠવું જોઈએ અને પછી સ્નાન કરીને શુદ્ધ કપડાં પહેરવા જોઈએ.
- એના પછી ઘર ના મંદિર કે પુજા સ્થળ ને સાફ કરો અને ભગવાન વિષ્ણુ ની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો.
- સ્નાન પછી ભગવાન વિષ્ણુ ની સામે વ્રત નો સંકલ્પ લો અને વ્રત કે નિયમો નું પાલન કરીને એની પ્રતિજ્ઞા કરો.
- હાથ માં પાણી,અક્ષત અને ફુલ લઈને ભગવાન વિષ્ણુ ને પ્રાર્થના કરો કે તમારું વ્રત સફળ થાય.
- ભગવાન વિષ્ણુ ની મૂર્તિ ને ગંગાજળ કે ચોખ્ખા પાણી થી સ્નાન કરાવો.
- ભગવાન ને પીળા કપડાં ચડાવો કારણકે વિષ્ણુ ભગવાન નો આ મનપસંદ કલર છે.
- ભગવાન વિષ્ણુ ને ચંદન,ફુલ,ધુપ,દીવો,ફળ અને મીઠાઈ ચડાવો.
- વિષ્ણુ ભગવાન ની આરતી કરો અને ઓમ ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરો.
- ભગવાન વિષ્ણુ ની પુજા પછી તુલસી માતા ની પુજા કરો.તુલસી ના પાંદડા ભગવાન વિષ્ણુ ને ચડાવો,કારણકે તુલસી ભગવાન વિષ્ણુ ના પ્રિય છે.
- તુલસી ના છોડ પાસે દીવો સળગાવો અને તુલસી માતા ની આરતી કરો.
- આ દિવસે વ્રત રાખવાવાળા એ આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ.જો તમે આખો ઉપવાસ નથી રાખી શકતા તો ફરાળ કરવો જોઈએ.
- મોક્ષદા એકાદસી ની રાતે જાગરણ કરવાનું ખાસ મહત્વ છે.આ દરમિયાન ભગવાન વિષ્ણુ ની કથા સાંભળો કે શ્રીમદ ભાગવત ગીતા નો પાઠ કરો.
- આગળ ના દિવસે દ્રાદશી ના વ્રત નું પારણ કરતા પેહલા જરૂરતમંદ અને બ્રાહ્મણો ને ભોજન કરાવો.
- અનાજ,કપડાં,અને દક્ષિણા નું દાન કરો.આનાથી વર્ત નું ફળ વધે છે.
- પારણ નો સમય એકાદસી વ્રત ના આગળ ના દિવસે સવારે હોય છે,જયારે દ્રાદશી તારીખ ચાલુ થાય છે.મુર્હત જોઈને વ્રત પારણ કરો.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
મોક્ષદા એકાદશી ની કથા
જુની વાર્તાઓ મુજબ,પ્રાચીનકાળ માં ગોકુળ નામ નું એક નગર હતું જ્યાં વૈખાનસ નામનો એક ધર્મનિષ્ટ રાજા રાજ કરતો હતો.રાજા વૈખાનસ પોતાની પ્રજા નું બહુ ધ્યાન રાખતો હતો અને ન્યાયપ્રિય,ધર્મપરાયણ છતાં પરોપકારી રાજા હતો.એના રાજ્ય માં લોકો સુખી અને સંતુષ્ટ હતા.રાજા પોતે ધાર્મિક કર્મો નું પાલન કરતો હતો અને વેદો માં બહુ આસ્થા રાખતો હતો.
એક દિવસ રાજા વૈખાનાસે એક ખરાબ સ્વપ્ન જોયું. તેના સ્વપ્નમાં તેણે તેના પિતાને નરકમાં અત્યંત પીડા સહન કરતા જોયા. આ દ્રશ્ય જોઈને રાજા ખૂબ જ દુઃખી અને વ્યથિત થઈ ગયા. રાજાએ તેના દરબારના તમામ વિદ્વાન પંડિતો અને જ્યોતિષીઓને બોલાવ્યા અને સ્વપ્ન વિશે ચર્ચા કરી. તેણે દરેકને પૂછ્યું કે શા માટે તેના પિતા નરકમાં પીડાઈ રહ્યા છે અને આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય. પરંતુ કોઈ વિદ્વાન આ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપી શક્યો નથી. પછી મંત્રીઓએ રાજાને સૂચવ્યું કે તે પર્વત મુનિના આશ્રમમાં જઈને તેમની મદદ માંગે. અને ચોક્કસપણે તેમને મદદ કરશે.
મંત્રીઓની વાત સાંભળીને રાજા ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને તેમને તેમના સ્વપ્ન વિશે જણાવ્યું. પછી રાજા પર્વત મુનિ પાસે ગયા અને ત્યાં તેમણે આખી વાત કહી. પર્વત ઋષિએ રાજાને કહ્યું કે હે રાજા ! તમારા પિતા તેમના પૂર્વ જન્મના પાપોને લીધે નરકમાં પીડાઈ રહ્યા છે. પણ તેમના મોક્ષ અને મોક્ષ માટેનો ઉપાય છે. પર્વત મુનિએ કહ્યું, "તમે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે વિધિ પ્રમાણે વ્રત અને પૂજા કરો છો, જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતથી તમારા પિતા નરકમાંથી મુક્ત થશે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થશે." પર્વત મુનિની સૂચના મુજબ રાજા વૈખાનાસે મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું. વ્રતની અસરથી તેમના પિતા નરકમાંથી મુક્ત થયા અને તેમને મોક્ષ પ્રાપ્ત થયો.
મોક્ષદા એકાદશી પર અપનાવો આ સેહલા ઉપાયો
મોક્ષદા એકાદશી પર થોડા ખાસ જ્યોતિષય ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં સકારાત્મક ઉર્જા,સમૃદ્ધિ અને મોક્ષ મળે છે.પિતૃ ની આત્મા ની શાંતિ માટે આ દિવસે કરવામાં આવેલા ઉપાય બહુ પ્રભાવશાળી હોય છે.ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
સુખ સૌભાગ્ય માટે
સુખ-સમૃદ્ધિ માટે મોક્ષદા એકાદશી ના દિવસે સવારે પીપળ ના ઝાડ ની પાસે જઈને એની પુજા કરો.ઝાડ ઉપર પાણી ચડાવો અને દીવો સળગાવો.એની સાથે,પીપળ ના ઝાડ ને 7 વાર પરિક્રમા કરો અને મનમાં વિષ્ણુ ભગવાન ને યાદ કરો.
માનસિક શાંતિ માટે
ચંદ્રમા ની સ્થિતિ ને મજબુત કરવા માટે મોક્ષદા એકાદશી પર ચાંદી નો એક નાનો ટુકડો વહેતા પાણીમાં નાખો.આનાથી માનસિક શાંતિ અને સ્થિરતા મળે છે.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
સકારાત્મક ઉર્જા માટે
આ દિવસે પોતાના ઘર માં શ્રી યંત્ર ની સ્થાપના કરો અને એની વિધિ પ્રમાણે પુજા કરો.શ્રી યંત્ર ને શુભ માનવામાં આવે છે અને એની પુજા થી પૈસા-સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.ઘર માં સકારાત્મક ઉર્જા નું સંચાર થાય છે.
આર્થિક સમસ્યાઓ માટે
મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુ ની પુજા ની સાથે માતા લક્ષ્મી ની પુજા કરો.વિષ્ણુ અને લક્ષ્મી ની સંયુક્ત પુજા કરવાથી પૈસા માં વધારો થાય છે અને આર્થિક સમસ્યાઓ થી છુટકારો મળે છે.
પિતૃ ના આર્શિવાદ માટે
પિતૃ ની આત્મા ની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિ માટે આ દિવસે પિંડદાન અને તર્પણ કરો.આ ઉપાય કરવાથી પિતૃ ની કૃપા મળે છે અને પરિવારમાં સુખ-શાંતિ નું વાતાવરણ બને છે.એના સિવાય તિલ.કુશા અને પાણી થી તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે.
રાહુ-કેતુ ના દોષો થી મુક્તિ મેળવા માટે
જો તમારી કુંડળી માં રાહુ-કેતુ સાથે જોડાયેલા દોષ કે સમસ્યા છે તો આ દિવસે ભગવાન શંકર ની પુજા કરો અને ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરો.એની સાથેજ રાહુ-કેતુ ના દોષ થી બચવા માટે શનિવાર ના દિવસે કાળા તિલ અને રાય ના તેલ નું દાન કરો.
સ્વસ્થ જીવનશૈલી માટે
આ દિવસે ગાય ને ગોળ અને રોટલી ખવડાવી બહુ શુભ માનવામાં આવે છે.આ ઉપાય જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સારા આરોગ્ય નું પ્રતીક છે.એના સિવાય,ગાય ને લીલું ઘાસ ખવડાવાથી પિતૃ ની આત્મા ને શાંતિ મળે છે અને વ્યક્તિ ને બધીજ સમસ્યા માંથી છુટકારો મેળવે છે.
નવગ્રહ શાંતિ ના ઉપાય
જો તમારી કુંડળી માં ગ્રહો ની સ્થિતિ પ્રતિકુળ છે તો આ દિવસે નવગ્રહ શાંતિ માટે ઉપાય કરો.નવગ્રહ યંત્ર ની પુજા કરો અને દરેક ગ્રહ માટે ખાસ મંત્ર નો જાપ કરો.
પિતૃ ની આત્મા ની શાંતિ માટે
આ વર્ષે મોક્ષદા એકાદસી 2024 ના દિવસે ગરીબો અને જરૂરતમંદ ને દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે.ભાત,લોટ,કપડાં અને પૈસા નું દાન કરો.એના સિવાય,દાન-પૂર્ણય જરૂર કરો.એનાથી પિતૃ ને આત્મા ની શાંતિ મળે છે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1: મોક્ષદા એકાદશી ક્યારે છે?
મોક્ષદા એકાદશી નું વ્રત 11 ડિસેમ્બરે રાખવામાં આવે છે.
2: મોક્ષદા એકાદશી નું મહત્વ શું છે?
આ એકાદશી નો મુખ્ય ઉદ્દેશ આત્માની મુક્તિ કે મોક્ષ પ્રાપ્તિ છે.
3: મોક્ષદા એકાદશી નું પારણ કેવી રીતે કરવું?
મોક્ષદા એકાદશી વ્રત પારણ કરવા માટે સૌથી પેહલા બ્રાહ્મણો ને ભોજન કરાવો.એના પછી મુર્હત માં વ્રત પારણ કરો.
4: મોક્ષદા એકાદશી વ્રત માં શું ખાવું જોઈએ?
શકરકંદ,કુટ્ટું,બટેકા,સાબુદાણા,નારિયેળ,કાળા મરચા,સેંધા મીઠું,દુધ,બાદમ,ખાંડ વગેરે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






