અંક સાપ્તાહિક રાશિફળ : 24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર 2023

કેવી રીતે જાણવો પોતાનો મુખ્ય અંક (મૂલાંક)?

અંક સાપ્તાહિક રાશિફળ : 24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર 2023

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મૂલાંક નું મોટું મહત્વ છે.મૂલાંક ને લોકોના જીવન નું મહત્વપૂર્ણ અંક માનવામાં આવે છે.તમારી જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં ફેરવ્યા પછી જે અંક મળે છે,એ તમારો મૂલાંક કહેવાય છે.મૂલાંક 1 થી 9 અંક ની વચ્ચે કોઈપણ હોય શકે છે.ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 1+1 એટલે કે 2 થશે.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મૂલાંક ની ગણના કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો મૂલાંક જાણીને એના આધારે સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે ફોન પર કરો વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2023)

અંક જ્યોતિષ નું અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જન્મ તારીખ સાથે સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મૂલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.

જેમ કે મૂલાંક 1 પર સૂર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મૂલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવ ગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિ દેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહો ના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન આવે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ

મૂલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)

મૂલાંક 1 વાળા લોકો બહુ વધારે દ્રઢ નિશ્ચયી હોય છે અને સારી રીતે પોતાનું જીવન જીવે છે.આ જલ્દી કામ કરે છે અને પોતાના કામને પુરા કરીને દમ લ્યે છે.આ લોકો બહુ પ્રતિબદ્ધ હોય છે અને આ સબંધ માં વેવસાયિક રીતે આગળ વધે છે.આના સિવાય મૂલાંક 1 વાળા લોકો પુરા સમ્માન અને પ્રતિસ્થા ની સાથે ઊંચા લક્ષ્ય ને મેળવા માટે ઉત્સુક હોય છે.પોતાની આ ઈચ્છા ને પુરી કરવા માટે લગાતાર પ્રયાસ કરતા નજર આવે છે.આ લોકો માં પ્રસાશનિક બનવાના ગુણ પણ હોય છે અને આ લોકોની શીખવાની આવડત બહુ સારી હોય છે.આ અઠવાડિયે આ લોકોની બીજા ઉપર સારી નજર રેહવાની છે અને બની શકે છે કે એમના હાથોમાં પ્રબંધન સાથે કોઈ શક્તિઓ હોય.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ મીઠા બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.તમારી અંદર પ્રેમ ની ભાવનાઓ નો અભાવ રહેશે જેના કારણે આ અઠવાડિયે તમારી બંને ની વચ્ચે દુરીઓ આવવાની સંભાવના છે.તમને તમારા જીવનસાથી સાથે સબંધ માં મીઠાસ બનાવી રાખવા માં દિક્કત આવી શકે છે.તમારે આ વસ્તુને ઠીક કરવા અને પોતાના પાર્ટનર સાથે પોતાના સબંધ મજબૂત કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

શિક્ષણ : અભ્યાસ માંથી વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકી શકે છે.પરીક્ષા માં સારા નંબર લાવવા માટે એકાગ્રતા ની જરૂરત છે,આ સમયે તમારી અંદર એની કમી જોવામાં આવે છે.ત્યાં આ અઠવાડિયે તમે અભ્યાસ ને લઈને લાપરવાહી કરી શકો છો.આ કારણ થી તમે અભ્યાસ ઉપર વધારે ધ્યાન નહિ આપી શકો અને તમે જે પણ અભ્યાસ કરશો,એને યાદ રાખવામાં પણ તમને દિક્કત થશે.આ અઠવાડિયે શિક્ષણ ના મામલા માં તમારા હાથ માંથી ઘણા અવસરો છૂટવાની આશંકા છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કાર્યક્ષેત્ર માં કામ નું દબાણ મેહસૂસ કરી શકે છે.કાર્યક્ષેત્ર માં કામ નું દબાણ અને ચુનોતીઓ ને સંભાળવામાં દિક્કત આવવાના કારણે તમે આવું મેહસૂસ કરી શકો છો.તમને તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તરફ થી અડચણો અને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.આવી પરિસ્થિતિ ના કારણે તમારી કાર્યક્ષેત્ર માં પણ કમી આવવાના સંકેત છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની જરૂરત છે કારણકે ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે અને દ્રઢતા માં કમી આવવાના કારણે તમને ચામડી ને લગતા સંક્રમણ થવાની શક્યતા છે.કારણકે,આ સમયે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા થોડી કમજોર રહેશે એટલા માટે તળેલી વસ્તુઓ ખાવાથી બચો નહિ તો તમને આરોગ્ય ને લગતી સમસ્યા થઇ શકે છે.

ઉપાય : રવિવાર ના દિવસે સૂર્ય દેવ ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

મૂલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય)

આ અઠવાડિયે મૂલાંક 2 વાળા લોકો ને નિર્ણય લેવામાં પરેશાની થઇ શકે છે.માનસિક રૂપથી અસંતુલિત મેહસૂસ હોવાના કારણે તમારી સાથે આવું થઇ શકે છે.આગળ વધવા માટે તમારે તમારી તરફ થી વેવસ્થિત યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.આના સિવાય,તમારે આ અઠવાડિયે લાંબી યાત્રા પર જવાથી પણ બચવું જોઈએ કારણકે યાત્રા દરમિયાન તમારા પૈસા ના નુકસાન ના યોગ બની રહ્યા છે.આ અઠવાડિયે કોઈપણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળી દેવું જોઈએ.મૂલાંક 2 વાળા લોકો પોતાના જીવન ને લઈને બહુ ભાવુક હોય છે અને એમની આ આદતો ના કારણે એ ક્યારેક ક્યારેક પરેશાની માં ફસાઈ જાય છે.ત્યાં બહુ વધારે સંવેદનશીલ હોવાના કારણે એમના સ્વભાવ માં ક્યારેક ક્યારેક અસુરક્ષા ની ભાવના જોવા મળે છે.

પ્રેમ જીવન : જો તમે તમારા સબંધ ને સારો બનાવા માંગો છો તો આ અઠવાડિયે પોતાના પાર્ટનર સાથે એવી કોઈપણ વાત નહિ કરો,જે એને ઠેસ પોહચાડી શકે કારણકે આનાથી તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.આ રીતની પરિસ્થિતિઓ થી બચવા માટે પોતાના પાર્ટનર સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરવી જોઈએ.તમે તમારા પાર્ટનર ને પ્યાર કરવાની કોશિશ કરો અને એને તમારા પ્યાર નો ઇજહાર કરવામાં શરમાતા નહિ.આનાથી તમારા પાર્ટનર ને પણ તમારા પ્રત્ય વધારે પ્રેમ અને આનંદ મેહસૂસ કરવામાં મદદ મળશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમારે સારા નંબર લાવવા માટે બહુ વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.તમારે કામ અને અભ્યાસ માં સામાન્ય તરીકે રજુ થવાની જરૂરત છે.જો તમે આવું નથી કરી સકતા,તો તમારી એકાગ્રતા માં કમી આવી શકે છે અને આની તમારા પ્રદશન ઉપર ખરાબ અસર પડી શકે છે.આ અઠવાડિયે તમારે તમારી એકાગ્રતા ને વધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ.આના સિવાય આ અઠવાડિયે તમારી શીખવાની આવડત માં પણ કમી આવવાની સંભાવના છે અને તમારા માટે આ એક માત્ર એવો મંત્ર છે,જે તમને કામયાબી ના રસ્તા ઉપર લાવી શકે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કામના મામલો માં તમારી સામે ચુનોતીઓ આવવાની સંભાવના છે.આના કારણે તમે તમારા કામ સમય ઉપર પુરા કરવામાં અસફળ રહી શકો છો.તમારી તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ અનબન થવાના સંકેત છે.આ સમયે તમે કામ પ્રત્ય સમર્પિત રેહશો અને તમારા કામની યોજના બનાવીને ચાલો.તમારી ઉપર કામ ની દબાણ વધારે વધી શકે છે અને આ વાત ની સંભાવના છે કે તમે કાર્યક્ષેત્ર માં તમારી ઉપર આ વધતા બોજને સંભાળી નહિ શકો અને એના કારણે તમારા હાથમાંથી સારા અવસર છૂટી શકે છે.વેપારીઓ અને હરીફો ની વાત માં આવી શકો છો.વેપાર માં તમારા વિરોધી તમને કિનારે કરવામાં અને તમને વધારે નફો નહિ મળે એ માટે પ્રયાસ કરશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને સંક્રમણ ના કારણે ખાંસી અને શરદી થવાની આશંકા છે.ત્યાં ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે આ સમયે તમારા આરોગ્ય માં ગિરાવટ આવી શકે છે.તમારે તમારી રોગપ્રતિરોધક ક્ષમતા ને વધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ.ત્યાં આ અઠવાડિયે તમને એલર્જી ના કારણે ચામડી સબંધિત સંક્રમણ થવાની સંભાવના છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ સોમાય નમઃ’ નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મૂલાંક 3

(જો તમારી જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

મૂલાંક 3 ના લોકો આ અઠવાડિયે ઘણા સાહસ વાળા નિર્ણય લઇ શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.આ સમયે આ લોકોની અધિયાત્મિક કામો માં રુચિ વધશે.આ અઠવાડિયે પોતાને પ્રરિત અને પ્રોત્સાહન કરવા ના પોતાના ગુણ ને કારણે તમે તમારી પ્રતિસ્થા ને વધારવામાં સફળ થશો.તમારા વિચાર સકારાત્મક રહેશે,જેનાથી તમને બહુ લાભ થશે.આ સમયે તમને યાત્રા ઉપર જવાના મોકા મળશે અને તમને આ યાત્રાઓ થી નિશ્ચિત લાભ મળશે.

પ્રેમ જીવન : તમે તમારા સાથી પ્રત્ય પોતાના પ્યાર અને ભાવનાઓ ને વ્યક્ત કરશો.આ સમયે તમે બંને એકબીજા સામે તમારા વિચારો ને એવી રીતે રાખશો કે તમારી વચ્ચે અંદર ની સમજણ વધશે.તમારા પરિવાર માં થવાવાળા કોઈ કાર્યક્રમ ને લઈને તમે તમારા પાર્ટનર સાથે વાત કરી શકો છો.પારિવારિક કાર્યક્રમ ના કારણે તમે ઉત્સાહિત રેહશો અને આનાથી તમારા પ્રેમ જીવનમાં વધારે સકારાત્મકતા આવશે.આ સમયે તમે તમારા પાર્ટનર સાથે સબંધ ને લઈને ખુલા વિચાર રાખશો અને આ વેવહાર ના કારણે તમે તમારા જીવનસાથી સાથે સફળ પ્રેમ કહાની લખશો.

શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેવાનું છે.આ દરમિયાન તમારું પ્રદશન સારું રહેશે અને તમે પેહલા કરતા વધારે સારી રીતે તમારો અભ્યાસ પૂરો કરશો.અર્થશાસ્ત્ર અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા ક્ષેત્રો તમારા માટે ફળદાયી સાબિત થશે.આ અઠવાડિયે તમે અભ્યાસ ના મામલો માં પોતાના ખાસ કૌશલ દેખાડવામાં સક્ષમ રેહશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના નવા મોકા મળવાથી તમે વધારે ખુશ રેહશો.નોકરી ના નવા મોકા માં તમે પોતાને સાબિત કરી શકશો અને પોતાની પુરી ક્ષમતા થી સારું પ્રદશન કરશો.ત્યાં વેપારી આ અઠવાડિયે કોઈ નવો બિઝનેસ ચાલુ કરી શકે છે જેમાં એમને બહુ વધારે નફો થવાની ઉમ્મીદ છે.તમારા ભાગીદાર સાથે પણ તમારા સબંધ સારા રહેશે.આ અઠવાડિયે તમે મલ્ટીલેવલ બિઝનેસ માં પણ તમારા નસીબ ને અજમાવી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપે સ્વસ્થ મેહસૂસ કરશો જેનાથી તમારી અંદર જોશ અને શક્તિ વધશે.આ સમયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.સાહસ માં વધારા ના કારણે તમે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ મેહસૂસ કરી શકો છો.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરુવે નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો છે)

મૂલાંક 4 વાળા લોકોમાં આ અઠવાડિયે બહુ વધારે જુનુન જોવા મળી શકે છે અને તમારા આ જુનુન ના કારણે તમારે આર્થિક નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.આ સમયે ભૌતિક સુખ સુવિધાઓ પ્રત્ય તમારી લાગણી વધારે રહેશે અને તમારી આ ઈચ્છા તમારા રસ્તા માં બાધા બની શકે છે અને આ પ્રગતિ કરવામાં અસફળ હોય શકે છે.આ લોકો ની રુચિ હંમેશા લાંબી દુરી ની યાત્રા માં હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે તમારા ધૈર્ય ને બનાવીને રાખવાનું છે.જો તમે તમારું ધૈર્ય ખોઈ દ્યો છો,તો તમે અંદર થી ખુશી મેહસૂસ નહિ કરી શકો.અસંતુષ્ટ મેહસૂસ કરવાના કારણે તમારા જીવનસાથી સાથે પણ તમારા સબંધ માં ખટાસ આવવાના સંકેત છે.તમે સંતુષ્ટિ મેળવાની કોશિશ કરો કારણકે આ એક માત્ર તરીકો છે જેનાથી તમે તમારા પાર્ટનર સાથે સબંધ મજબૂત કરી શકો છો.તમારા સબંધ ને સારા અને મજબૂત કરવા માટે તમારા જીવનસાથી સાથે એક મિત્ર ની જેમ રહો.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ નું ધ્યાન અભ્યાસ માં વધારે નહિ રહે અને તમે વધારે સારું પ્રદશન નહિ કરી શકો અને એનું કારણ હશે તમારી એકાગ્રતા માં કમી આવવી.આ સમયે તમારી શીખવાની ક્ષમતા પણ ઓછી થઇ શકે છે જેની ખરાબ અસર તમારી એકાગ્રતા ઉપર પડશે.ધ્યાન અને યોગના કારણે તમે અભ્યાસ માં સારું પ્રદશન કરવા માટે પોતાની ક્ષમતા ને વધારવામાં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો ઉપર ઓફિસ ના કામ નો બોજ વધી શકે છે.પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ ના કારણે તમે જે ચુનોતીઓ નો સામનો કરી રહ્યા છો,એના કારણે તમે થોડા નાખુશ મેહસૂસ કરી શકો છો.સારા ભવિષ્ય અને કામમાં અસંતુષ્ટિ મેહસૂસ થવાના કારણે તમારા મનમાં નોકરી બદલવા સુધી નો ખ્યાલ આવી શકે છે.ત્યાં કડી હરીફાઈ અને બિઝનેસ માં ખોટી રણનીતિ અપનાવાના કારણે વેપારીઓ ના હાથમાંથી મોટો નફો છૂટવાની આશંકા છે.પોતાના વેપાર ને લઈને તમારે સાવધાન રેહવાની જરૂરત છે.

આરોગ્ય : તમને આ અઠવાડિયે પાચન સબંધી સમસ્યા પરેશાન કરી શકે છે એટલા માટે સમય ઉપર ખાવાનું ખાવાની કોશિશ કરો.તમારા પગો અને કંધો માં દુખાવાની શિકાયત આવી શકે છે.તળેલી વસ્તુઓ ખાવાના કારણે તમને ચામડી ને લગતી એલર્જી થવાનો ડર છે એટલા માટે આવું ખાવાનું ખાવાથી બચો.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ નો જાપ કરો.

હવે ઘરે બેઠા તમારી ઈચ્છામુજબ પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઓનલાઇન પૂજા અને મેળવો ઉત્તમ પરિણામ!

મૂલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો છે)

આ મૂલાંક વાળા લોકો બુદ્ધિમાની સાથે કામ કરે છે અને આ લોકો પોતાના બધાજ કામને તાર્કિક થઈને કરશે.આ લોકો પોતાના કૌશલ ને વધારવાનો પ્રયાસ કરશે જેનાથી આ લોકો નો તેજીથી વિકાસ થશે.આ અઠવાડિયે તમારી શેર માર્કેટ માં રુચિ વધવાની સંભાવના છે અને તમને આ ક્ષેત્ર માં સારો નફો કમાવાનો પણ મોકો મળશે.આના સિવાય તમે વેપાર ના ક્ષેત્ર માં પણ સારું પ્રદશન કરશો અને બહુ નફો કમાશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પ્રેમ સબંધ માં મીઠાસ બની રહેશે.તમારા પાર્ટનર ને સાચા મનથી પ્યાર કરવાના કારણે તમારા સબંધ માં બધુજ સારું રહેશે.જીવન જીવવામાં થોડા બદલાવ કરવા અને પોતાના પાર્ટનર સાથે દોસ્તના વેવહાર અપનાવાના કારણે તમારી બંને ની વચ્ચે ખુશીઓ વધશે અને તમારા બંને વચ્ચે ના સબંધ મજબૂત થશે.તમને એવું લાગે છે કે તમે બંને એકબીજા માટેજ બનેલા છો.

શિક્ષણ : જો તમે રિસર્ચ કે ડૉક્ટર નો અભ્યાસ કરી રહ્યા છો,તો તમે તમારા ક્ષેત્ર માં ઉત્કૃષ્ટતા મેળવશો અને સારું પ્રદશન કરવામાં સફળ થશો.આ અઠવાડિયે તમે તમારા સાથી વિદ્યાર્થીઓ માટે એક સારું ઉદાહરણ બનીને આવશો.તમારી શીખવાની ક્ષમતા માં વધારો થશે,તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકો પોતાના કામમાં પોતાના કોઈ અનોખા કૌશલ કે હુનુર દેખાડી શકે છે.તમારા વરિષ્ઠ અધિકારી તમારા આ કૌશલ અને તમારા કામ કરવાના તરીકા થી આશ્ચર્યચકિત થઇ જશે.તમને તમારી હાલ ની નોકરીમાં ઉન્નતિ અને નોકરીમાં નવા અવસર મળવાના સંકેત છે.ત્યાં વેપારીઓ ને મલ્ટીલેવલ નેટવર્કિંગ બિઝનેસ કરવાનો મોકો પણ મળી શકે છે જેમાં એમને સારો નફો થવાની સંભાવના છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેશે.આત્મવિશ્વાસ વધવા અને તમારા સકારાત્મક વેવહાર ની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળવાની છે.તમને ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મૂલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો છે)

આ સમયે મૂલાંક 6 વાળા લોકોના રચનાત્મક અને કલાત્મક કૌશલ માં વધારો થશે અને એની મદદ થી તમે આગળ વધવામાં સફળ થઇ શકશો.તમારા દ્વારા ઉઠાવામાં આવેલું પગલું શાનદાર સાબિત થશે અને તમે સકારાત્મકતા તરફ વધશો.તમે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી પણ રાહ નહિ જોશો.

પ્રેમ જીવન : જીવનસાથી અને તમારી વચ્ચે આપસી તાલમેલ બહુ સારા રહેવાના છે.તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો મોકો પણ મળી શકે છે જેનો તમે ભરપૂર આંનદ લેશો.ફરવા જવાથી તમારા બંને ના સબંધ વધારે મજબૂત થશે.પોતાના પાર્ટનર પ્રત્ય પ્રેમ-ભાવ અને સારા સબંધ બનાવી રાખવાના પ્રયાસ કરો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે સક્ષમ હશો.તમે તમારી ખાસ ઓળખ ના કારણે શિક્ષણ ક્ષેત્ર માં ઉત્કૃષ્ટતા મેળવશો.આના સિવાય તમે તમારા અભ્યાસ ના વિષય માં ટોંચ ઉપર પોહ્ચવા માટે આ અઠવાડિયે સફળ રહેવાના છો.શિક્ષણ વિભાગમાં પોતાની યોગ્યતા થી બધીજ મેળવી શકશો.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમને નોકરીમાં થોડા એવા નવા મોકા મળવાની સંભાવના છે કે જેને મેળવીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે અને આ અવસરો થી તમને સારા પરિણામ મળવાના સંકેત છે.તમને વિદેશ માંથી પણ નોકરીના અવસર મળી શકે છે જે તમારા માટે લાભકારી સિદ્ધ થશે.તમે તમારા કામમાં જે કડી મેહનત કરી છે,એના માટે તમને અચાનક ઉન્નતિ મળી શકે છે.વેપારીઓ પોતાની પરિસ્થિતિઓ ને સારી કરવા અને સારો નફો કમાવા અને પોતાને સહજ મેહસૂસ કરાવામાં સફળ થશો.ત્યાં જે લોકો ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે,એ લોકો પણ સારું કામ કરશે અને પોતાના કામમાં સંતુષ્ટિ મેહસૂસ કરશે.

આરોગ્ય : આત્મવિશ્વાસ વધવાના કારણે તમે જોશ અને શક્તિ થી ભરપૂર મેહસૂસ કરશો.આનાથી તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.આ સમયે તમારો વેવહાર અને માનસિક સ્થિતિ બંને સંતુલન માં રહેશે જેનાથી તમારી શારીરિક આરોગ્ય સારું રહેશે.ધ્યાન અને યોગ ની મદદ થી તમે સ્વસ્થ તો રેહશો પણ એની સાથે તમારી અંદર ઉતસાહ પણ વધશે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો છે)

મૂલાંક 7 વાળા જાતકો ની અધિયાત્મિક્તા તરફ રુચિ વધશે અને વિચારો અને માનસિકતા માં પણ અધીયતામિકતા ની ઝલક જોવા મળશે.આની મદદ થી આ લોકો જીવનમાં જોઈ ખાસ વસ્તુ મેળવા અને પોતાને સર્વશક્તિમાન બનાવામાં સક્ષમ હશે.આ સમય થી સર્વગુણસંપન્ન રહેશે અને પોતાના ગુણો ને બીજા ની સામે પ્રદશિત કરશે.આ લોકોની ભૌતિક સુખ-સાધનો ની રુચિ હટી શકે છે અને આ લોકો ભગવાન ની પૂજા માં લિન રહેશે.

પ્રેમ જીવન : તમારે તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે.આ અઠવાડિયે તમારી તમારા પાર્ટનર સાથે બહેસ થવાની આશંકા છે જેના કારણે તમારા સબંધ માં ખુશીઓ માં કમી આવી શકે છે.તાલમેલ બેસાડવાથી વસ્તુઓ તમારા પક્ષ માં આવી શકે છે અને આ રીતે તમને તમારા જીવનસાથી સાથે મીઠા સબંધ બનાવી રાખવામાં મદદ મળશે.

શિક્ષણ : આ સમયે મૂલાંક 7 વાળા લોકોની શીખવાની ક્ષમતા માં કમી આવી શકે છે અને આ કારણો ના કારણે વિદ્યાર્થીઓ માટે આ સમય વધારે સારો નહિ રેહવાની આશંકા છે.આના કારણે તમને અભ્યાસ માં સારું પ્રદશન કરવામાં પણ દિક્કત આવી શકે છે.ત્યાં ઉચ્ચ પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે આ સમય અનુકૂળ નથી.જો તમે આ અઠવાડિયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ પણ લ્યો છો,તો પણ તમે વધારે નંબર લાવવામાં અસફળ રહી શકો છો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે થોડું ધ્યાન રાખીને વાત કરો નહિ તો તમારી એની સાથે બહેસ થઇ શકે છે.તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામની ગુણવતા ઉપર સવાલ ઉભા કરી શકે છે.ત્યાં લાપરવાહી ના કારણે તમારા કામમાં ભૂલો થવાની પણ આશંકા છે.કામને લઈને તમારી તમારા વરિષ્ઠ અધિકારી અને સહકર્મી સાથે બહેસ પણ થઇ શકે છે.વેપારીઓ એ પોતાના બિઝનેસ માં નફા ને લઈને થોડું સાવધાન રહીને ચાલવાની જરૂરત છે કારણકે ક્યારેક-ક્યારેક પરિસ્થિતિઓ નિયંત્રણ માંથી બહાર પણ જઈ શકે છે.

આરોગ્ય : તમારે વાહન ચલાવતી વખતે સાવધાન રેહવાની જરૂરત છે કારણકે આ સમયે તમારી સાથે દુર્ઘટના થવાના યોગ બની રહ્યા છે.તમે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.જોશ અને ઉત્સાહ ઓછો હોવાના કારણે તમને આરોગ્ય સમસ્યા થઇ શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો છે)

મૂલાંક 8 વાળા લોકોને આ સમયે ધીરજ પૂર્વક કામ કરવાની જરૂરત છે.વાત રોજિંદી ઝીંદગીની હોય કે કામ સબંધિત કોઈ વસ્તુ ની,તમારે આ અઠવાડિયે બધીજ જગ્યાએ ધીરજ રાખવી પડશે.આ અઠવાડિયે તમારા આત્મવિશ્વાસ માં પણ કમી આવવાના સંકેત છે અને એના કારણે તમને સારા મૂલ્ય અને નૈતિકતા ને બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.આ લોકો ખુલા વિચારો ની જગયાએ શક કરવાવાળા માનસિકતા વાળા હોય છે એટલા માટે આ લોકો ને બીજા ની સાથે તાલમેલ બેસાડવામાં દિક્કત આવી શકે છે.

પ્રેમ જીવન : પારિવારિક મુદ્દો ના કારણે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે દુરીઓ વધી શકે છે.તમારા પરિવારમાં વિવાદ થવાની પણ આશંકા છે જેના કારણે આ અઠવાડિયે તમારી પરિવારમાંજ કોઈ ની સાથે બહેસ થઇ શકે છે.આનાથી તમારા સબંધ માં સુખ ની કંઇ આવવાની સંભાવના છે અને તમને એવું લાગે છે કે,જેમકે તમે બધીજ ખોઈ નાખ્યું છે.તમને તમારા પાર્ટનર સાથે તાલમેલ બેસાડવા અને સબંધ માં મીઠાસ ને જાળવી રાખવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

શિક્ષણ : આ અઠવાડિયે તમારી એકાગ્રતા સારી રહેશે જેનાથી તમે અભ્યાસ માં આગળ વધશો અને સારું પ્રદશન પણ કરશો.એકાગ્રતા વધવાના કારણે તમારા અભ્યાસ માં સુધારો થવાની સંભાવના છે.તમે ધ્યાન આપીને અભ્યાસ કરશો અને તમારી શીખવાની આવડત પણ ઉત્તમ રહેશે.તમે આ સમયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લઇ શકો છો પરંતુ તમને આ પરીક્ષા અઘરી લાગી શકે છે.જો તમે સારા નંબર લાવવા માંગો છો,તો તમારી તરફ થી સારી તૈયારી કરીને રાખો.

વ્યાવસાયિક જીવન: નોકરીને લઈને અસંતુષ્ટ રહેવાના કારણે તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.આના કારણે તમે ચિંતા માં રહી શકો છો.બની શકે છે કે તમે ક્યારેક ક્યારેક કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન નહિ કરી શકો અને આની અસર તમારા કામની ગુણવતા ઉપર પણ પડશે.આ પરિસ્થિતિ થી બચવા માટે તમારે કામની યોજના બનાવીને ચાલવાની અને સારું પ્રદશન કરવાની જરૂરત છે.વેપારીઓ ને આસાનીથી નફો કમાવા માં પરેશાની ના સંકેત છે.બની શકે છે કે તમારે ઓછા પૈસા માં બિઝનેસ ચલાવો પડે અને જો તમે આવું નથી કરતા,તો તમને નુકસાન થવાની પણ આશંકા છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ નો દુખાવો અને જોડા માં અકળન મેહસૂસ થઇ શકે છે.તમને કસરત કરવાથી લાભ થશે.પોતાને ફિટ રાખવા માટે ધ્યાન અને યોગ ની મદદ પણ લઇ શકો છો.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો છે)

આ મૂલાંક વાળા લોકો ખુલા વિચાર વાળા અને સીધી વાત કરવા વાળા હોય છે.પોતાના આ ગુણ ના કારણે આ અઠવાડિયે આ લોકો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ હશે જેનાથી એમના હિતો ને પ્રોત્સાહન મળશે.આમના સાહસ માં વધારો થશે અને આ લોકોના કામ બહુ તેજી થી પુરા થતા નજર આવશે.

પ્રેમ જીવન : પાર્ટનર સાથે તમારા સબંધ માં મીઠાસ અને શાંતિ બની રહેશે.પ્રેમ સબંધ માં તમને તમારા પાર્ટનર સાથે સુખ ની અનુભૂતિ થશે જેનાથી તમારા સબંધ માં મજબૂતી આવશે.ત્યાં શાદીશુદા લોકો પોતાના જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરવાનો મોકો મળશે.

શિક્ષણ : મૂલાંક 9 વાળા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.તમે સારા નંબર મેળવામાં સફળ થશો.તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિસ્ટ્રી જેવા વિષયો મેં શાનદાર પ્રદશન કરશે.અભ્યાસ ના ક્ષેત્ર માં તમે તમારી એક ખાસ ઓળખ બનાવામાં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: આ મૂલાંક વાળા લોકોને નોકરીમાં નવા મોકા મળવાની સંભાવના છે.જો તમે સરકારી નોકરી ની તૈયારી કરી રહ્યા છો,તો આ અઠવાડિયે તમને શાનદાર મોકા મળવાના સંકેત છે.ત્યાં,તમે નોકરીમાં ઉન્નતિ ની રાહ જોઈ રહ્યા છો,તો આ અઠવાડિયે તમારી આ ઈચ્છા પણ પુરી થઇ શકે છે.પ્રાઈવેટ નોકરી કરતા લોકોને નવા મોકા મળશે જેનાથી એ લોકો બહુ ખુશી મેહસૂસ કરશે.ત્યાં વેપારીઓ ને આ અઠવાડિયે મોટો નફો થવાના સંકેત છે.જો તમે ભાગીદારીમાં કામ કરો છો,તો પણ તમને સફળતા મળશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રીતે સ્વસ્થ મેહસૂસ કરશો.આ અઠવાડિયે તમારી અંદર ની સકારાત્મકતા તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.આના સિવાય તમારા આરોગ્ય ને વધારે સારું કરવા માટે તમે ધ્યાન પણ કરી શકો છો.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ બ્લોગ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer