એપ્રિલ ઓવરવ્યૂ 2024 - April Overview 2024

વર્ષ નો કોઈપણ દિવસ પોતાની સાથે એક નવો સવેરો અને એક નવી આશા ની કિરણ લઈને આવે છે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 માં શરદી હવે ધીરે ધીરે કરીને ઓછી થવા લાગશે અને સુરજ ની કડકડાતી તડકા સાથે ગરમી પોતાના ચરણ ઉપર પોંહચવા લાગશે.સામાન્ય ભાષા માં કહીએ તો,હવે જલ્દી માર્ચ નો મહિનો અમારાથી વિદાઈ લેવા માટે અને એપ્રિલ 2024 દસ્તક દેવા માટે તૈયાર છે.એવા માં,અમારા બધા માં એ આનંદ હોય છે કે આવનારો મહિનો અમારા માટે કેવો રહેશે ?શું પ્રેમ જીવનમાં બનેલી રહેશે મીઠાસ કે તકરાર?કારકિર્દી અને વેપાર માં કેવું મળશે પરિણામ?આ બધાજ સવાલ અમારા મગજ માં ફરતા રહે છે.

એપ્રિલ ઓવરવ્યૂ 2024 : April Overview 2024

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

ખાલી આટલુંજ નહિ,એપ્રિલ નો મહિનો ઘણી રીતે ખાસ હશે કારણકે જ્યાં એકબાજુ એપ્રિલ માં બાળકો ની સ્કુલ ચાલુ થશે અને 1 એપ્રિલ થી નવું આર્થિક વર્ષ પણ ચાલુ થશે.આ બધીજ વાત નો ધ્યાન રાખીને અને તમારા મનમાં ઊઠવાવાળા બધાજ સવાલ ના જવાબ દેવા માટે એસ્ટ્રોસેજ એપ્રિલ ઓવરવ્યૂ 2024 નો આ ખાસ લેખ માસિક લેખ તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

આ લેખના માધ્યમ થી અમે તમને એપ્રિલ મહિના સાથે જોડાયેલી મહત્વપુર્ણ વાતો ની જાણકારી આપીશું.આ મહિનામાં આવનારા વ્રત,તૈહવાર અને બેંક ની રજા ઓ ક્યારે ક્યારે આવશે ત્યાંથી લઈને એપ્રિલમાં જન્મ લેવાવાળા લોકોનું વ્યક્તિત્વ કેવું હોય એ વિશે જાણીશું.તો ચાલો રાહ જોયા વગર આ લેખની શુરુઆત કરીએ અને જાણીએ કે એપ્રિલ નો મહિનો તમારા માટે શું લઈને આવશે.

કઈ વિષેશતાઓ બનાવે છે એપ્રિલ 2024 ના આ લેખને સૌથી વધારે ખાસ?

એસ્ટ્રોસેજ ના આ લેખમાં તમને એપ્રિલ ઓવરવ્યૂ 2024 વિશે વિસ્તારપૂર્વક જાણકારી મળશે કે પછી એ રાશિફળ હોય કે મહિનામાં આવતા તૈહવારો.અહીંયા તમને એપ્રિલ 2024 ની ઝલક જોવા મળશે.

  • એપ્રિલ માં જન્મેલા લોકોમાં ક્યાં ખાસ ગુણો જોવા મળે છે.
  • ક્યારે-ક્યારે છે આ મહિનામાં બેંક રજાઓ?
  • એપ્રિલ 2024 માં કયો ગ્રહ ક્યારે કરશે પોતાની સ્થિતિ,ચાલ અને રાશિમાં પરિવર્તન?અને આ મહિનામાં સુર્ય કે ચંદ્ર કયું ગ્રહણ લાગશે ને કઈ તારીખે લાગશે?અહીંયા આ જાણકારી પણ અમે તમને આપીશું.
  • એપ્રિલ નો આ મહિનો રાશિચક્ર ની બધીજ 12 રાશિઓ માટે કેવો રહેશે?શુભ કે અશુભ,લોકોને કેવા પ્રકારના પરિણામ આપશે?એની સાથે,તમને તમારી કારકિર્દી થી લઈને પારિવારિક જીવન સુધી નું ભવિષ્ય વિસ્તારપુર્વક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચવો જરૂરી રહેશે.

ચાલો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ એપ્રિલ 2024 ના પંચાંગ વિશે.

એપ્રિલ 2024 નું જ્યોતિષય ભવિષ્યવાણી અને હિન્દુ પંચાંગ ની ગણતરી

એપ્રિલ એ વર્ષનો ચોથો મહિનો છે અને મોટાભાગે હિન્દુ વર્ષમાં વર્ષનો પ્રથમ મહિનો છે. હિંદુ કેલેન્ડર મુજબ, એપ્રિલ 2024 મૂળ નક્ષત્ર હેઠળ એટલે કે 1 એપ્રિલ 2024ના રોજ કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિથી શરૂ થશે જ્યારે ઉત્તરાષાદ નક્ષત્ર હેઠળ એટલે કે 30 એપ્રિલ 2024ના રોજ મહિનો સમાપ્ત થશે.

આ પણ વાંચો : રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

એપ્રિલ 2024 માં પડવાવાળા વ્રત અને તૈહવારો ની તારીખ

સનાતન ધર્મમાં દર મહિને અનેક ઉપવાસ અને તહેવારો આવે છે અને આ તમામ તહેવારો ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. આમ, માર્ચની જેમ એપ્રિલ ઓવરવ્યૂ 2024 માં પણ ઉપવાસ અને તહેવારોની ભરમાર જોવા મળશે. આ મહિનામાં ચૈત્ર નવરાત્રીથી હનુમાન જયંતિ જેવા પવિત્ર તહેવારોની ઉજવણી કરવામાં આવશે. ચાલો હવે તમને એપ્રિલ 2024 ના ઉપવાસ અને તહેવારોની તારીખોથી પરિચિત કરાવીએ.

તારીખ તૈહવાર
5 એપ્રિલ 2024, શુક્રવાર પાપમોચની એકાદશી
6 એપ્રિલ 2024, શનિવાર પ્રદોષ વ્રત (કૃષ્ણ)
7 એપ્રિલ 2024, રવિવાર માસિક શિવરાત્રી
8 એપ્રિલ 2024, સોમવાર ચૈત્ર અમાવસ્યા
9 એપ્રિલ 2024, મંગળવાર

ચૈત્ર નવરાત્રી, ઉગાદી,

ઘટસ્થાપન, ગુડી પડવો

10 એપ્રિલ 2024, બુધવાર ચેટી ચંદ
13 એપ્રિલ 2024, શનિવાર મેષ સંક્રાંતિ
17 એપ્રિલ 2024, बुधवार ચૈત્ર નવરાત્રી પર્ણ, રામ નવમી
19 એપ્રિલ 2024, શુક્રવાર કામદા એકાદશી
21 એપ્રિલ 2024, રવિવાર પ્રદોષ વ્રત (શુક્લ)
23 એપ્રિલ 2024, મંગળવાર

હનુમાન જયંતિ,

ચૈત્ર પૂર્ણિમા વ્રત

27 એપ્રિલ 2024, શનિવાર

સંકષ્ટી ચતુર્થી

એપ્રિલ 2024 માં ઉજવામાં આવતા વ્રત અને તૈહવાર નું મહત્વ

પાપમોચની એકાદશી (5 એપ્રિલ 2024, શુક્રવાર): એક વર્ષ માં આવનારી ચોવીસ એકાદશી માં બહુ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 પાપમોચની એકાદશી નો મતલબ પાપ ને નષ્ટ કરવો થાય છે.આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને સમર્પિત હોય છે અને આ દિવસે વિધિ વિધાન થી વિષ્ણુજી ની પુજા કરવામાં આવે છે.આ તરીખે વ્યક્તિએ બીજા ની નિંદા કે ખોટું બોલવાથી બચવું જોઈએ.એની સાથે,જે લોકો પાપમોચની એકાદશી નું વ્રત કરે છે,તેઓ બ્રહ્મા હત્યા, સોનાની ચોરી, અહિંસા, દારૂ પીવા અને ભ્રૂણહત્યા સહિતના ઘણા ગંભીર પાપોમાંથી મુક્ત થાય છે.

શનિ પ્રદોષ વ્રત (કૃષ્ણ) (6 એપ્રિલ 2024, શનિવાર): હિન્દુ ધર્મ માં દરેક મહિને ઘણા વ્રત કરવામાં આવે છે પ્રદોષ વ્રત પણ એમાંથીજ એક છે.પંચાંગ મુજબ,દરેક મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષ ની ત્રયોદશી તારીખ ઉપર પ્રદોષ વ્રત કરવામાં આવે છે.આ તરીખે ભગવાન શિવ અને માતા પાર્વતી ની પુજા ફળદાયી હોય છે.આ મહિને પ્રદોષ વ્રત 06 એપ્રિલ 2024 ના શનિવાર ના દિવસે પડી રહ્યું છે.શનિવાર ના દિવસે હોવાના કારણે આને શનિ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે.પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી ભક્ત ને લાંબી ઉંમર ના આર્શિવાદ મળે છે.

માસિક શિવરાત્રી (07 એપ્રિલ 2024, રવિવાર): માસિક શિવરાત્રી નું વ્રત પણ દર મહિને ભક્તો દ્વારા ભગવાન શિવ ની કૃપા ને આર્શિવાદ મેળવા માટે થાય છે.જણાવી દઈએ કે માસિક નો મતલબ મહિનો બીજા શબ્દ માં મહિનાથી છે પરંતુ શિવરાત્રી નો મતલબ શિવ ની રાત થી થાય છે.હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તારીખ ને માસિક શિવરાત્રી તરીકે મનાવામાં આવે છે.આ વ્રત ભગવાન શિવ ને સમર્પિત હોય છે અને આ વ્રત શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે અને મહાદેવ ની કૃપા મેળવા માટે વિધિપુર્વક એની પુજા કરે છે.

ચૈત્ર અમાવસ્યા (8 એપ્રિલ 2024, સોમવાર): હિંદુ ધર્મમાં દર મહિને અમાવસ્યા તિથિ આવે છે અને દરેક અમાવસ્યાનું પોતાનું આગવું મહત્વ છે. પરંતુ, ચૈત્ર અમાવસ્યાને વિશેષ માનવામાં આવે છે જે દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા પર આવે છે, તેથી તેને ચૈત્ર અમાવસ્યા કહેવામાં આવે છે. આ તિથિએ સ્નાન, દાન, જપ અને અન્ય ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. આ ઉપરાંત પિતૃ તર્પણ વગેરે કાર્યો કરવા માટે પણ ચૈત્ર અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ છે કારણ કે આ અમાવસ્યા પૂર્વજો સંબંધિત કાર્યો માટે શ્રેષ્ઠ છે.

ચૈત્ર નવરાત્રી (09 એપ્રિલ 2024, મંગળવાર): નવરાત્રી ની નવ તારીખ ને બહુ શુભ અને પાવન માનવામાં આવે છે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 હિન્દુ પંચાંગ મુજબ,ચૈત્ર નવરાત્રી ની શુરુઆત ચૈત્ર મહિનાની પ્રતિપદા તારીખ થી થાય છે અને આ દિવસ થી હિન્દુ નવાવર્ષ ની પણ શુરુઆત થાય છે.નવરાત્રી ના નવ દિવસમાં માં દુર્ગા ના નવ અવતાર ની પુજા વિધિ-વિધાન થી કરવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી ના પેહલા દિવસે કળસ મુકવામાં આવે છે અને પછી નવ દિવસ સુધી દેવી માટે વ્રત અને પુજા કરવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી ના છેલ્લા દિવસે નાની છોકરીઓ ને ભોજન કરાવામાં આવે છે.

ઉગાદી (09 એપ્રિલ 2024, મંગળવાર): હિંદુ નવા વર્ષના આગમનની ઉજવણી માટે દક્ષિણ ભારતમાં ઉગાડી ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, આ માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં છે. દક્ષિણ ભારતમાં રહેતા લોકો ઉગાદીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસે લોકો તેમના સંબંધીઓ અને મિત્રો સાથે એક જગ્યાએ ભેગા થાય છે અને વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ માણે છે.

ઘટસ્થાપન પુજા (09 એપ્રિલ 2024, મંગળવાર): ચૈત્ર નવરાત્રી 2024 ના પેહલા દિવસે બીજા શબ્દ માં પ્રતિપદા તારીખ પર કળસ ની સ્થાપના કરવામાં આવે છે.આ સ્થિતિ માં કળસ સ્થાપના ને બહુ શુભ અને પાવન માનવામાં આવે છે.એના પછી,9 દિવસો સુધી એ કળસ ની પુજા અર્ચના કરવામાં આવે છે,પરંતુ ઘટ્સ્થપના કરતી વખતે સમય અને નિયમો નું ખાસ ધ્યાન રાખવું પડશે.જેટલું બની શકે કળસ સ્થાપના ના સમયે ભુલો કરવાથી બચવું જોઈએ.

ગુડી પડવો (09 એપ્રિલ 2024, મંગળવાર): ગુડી પડવા નો તૈહવાર મુખ્ય રૂપથી મહારાષ્ટ્ર માં ધામધુમ થી મનાવામાં આવે છે અને અહીંયા આની અલગજ રોનક જોવા મળે છે.હિન્દુ પંચાંગ મુજબ,ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદા તારીખ એ ગુડી પડવા ને ઉજવામાં આવે છે.આ તૈહવારથીજ હિન્દુ નવુંવર્ષ કે નવ-સાવંતસર ચાલુ થાય છે.એવું માનવામાં આવે છે કે ચૈત્ર પક્ષ ની શુક્લ પક્ષ ની પ્રતિપદા થી નવા વર્ષ ની શુરુઆત થાય છે.

ચેટી ચંડ (10 એપ્રિલ 2024, બુધવાર): ચેટીચંદ એ સિંધી સંપ્રદાયનો મુખ્ય તહેવાર છે અને કેલેન્ડર મુજબ, તે સિંધી લોકો દ્વારા ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં દ્વિતિયા તિથિની તિથિએ ઉજવવામાં આવે છે. આ સમુદાયના સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવારોમાંનો એક ઝુલેલાલ જયંતિ છે અને આ પ્રસંગે સિંધી સમુદાયના લોકો ઝુલેલાલ મંદિરોની મુલાકાત લે છે અને તેમની ભક્તિપૂર્વક પૂજા કરે છે. સિંધી સમુદાયના લોકો માટે આ તારીખ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસથી સિંધી લોકોનું નવું વર્ષ શરૂ થાય છે.

મેષ સંક્રાંતિ (13 એપ્રિલ 2024, શનિવાર): હિંદુ ધર્મમાં સંક્રાંતિ તિથિને ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે અને આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન દર મહિને પોતાની રાશિ બદલે છે એટલે કે એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. જ્યારે તે પોતાની રાશિ બદલીને નવી રાશિમાં ફેરવે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. હવે સૂર્ય મહારાજ 13 એપ્રિલ 2024 ના રોજ મેષ રાશિના પ્રથમ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેના કારણે આ દિવસે મેષ સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.

ચૈત્ર નવરાત્રી પારણ (17 એપ્રિલ 2024, બુધવાર): ચૈત્ર નવરાત્રી નો તૈહવાર લગાતાર નવ દિવસ ચાલે છે અને આ દિવસો માં માં દુર્ગા ના નવ રૂપો ની પુજા કરવામાં આવે છે.પરંતુ,ચૈત્ર નવરાત્રી નું પારણ કરવું પણ મહત્વ નું માનવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,ચૈત્ર શુક્લ પક્ષ ની દસમી તારીખ એ ચૈત્ર નવરાત્રી ના પારણ કરવામાં આવે છે જે નવ દિવસી ચૈત્ર નવરાત્રી તૈહવાર ના છેલ્લા દિવસ ની નિશાની છે.

રામનવમી (17 એપ્રિલ 2024, બુધવાર) : મર્યાદા પુરષોતમ ભગવાન રામને શ્રી હરિ વિષ્ણુ નો સાતમો અવતાર માનવામાં આવે છે જેને અયોધ્યા ના રાજા દશરથ ના ઘરે જન્મ લીધો હતો.જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે હિન્દુ નવાવર્ષ ની શુરુઆત ચૈત્ર મહિનાથી થાય છે અને આજ મહિનામાં નવરાત્રી ના નવ દિવસ શક્તિ સાધના કરવામાં આવે છે.આજ ક્રમ માં,ચૈત્ર નવરાત્રી નો નવમો દિવસ એટલેકે નવમી તારીખને મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણકે આ દિવસે ભગવાન શ્રી રામ ની જન્મ થયો હતો એટલા માટે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ ની નવમી તારીખ ને રામનવમી તરીકે ઉજવામાં આવે છે.

કામદા એકાદશી વ્રત (19 એપ્રિલ 2024, શુક્રવાર): હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 આ દિવસે ભક્તો કામદા એકાદશીનું વ્રત રાખે છે. માન્યતાઓ અનુસાર આ વ્રતને શ્રી હરિનું શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે અને આ તિથિએ ભગવાન વાસુદેવ અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કામદા એકાદશીના અર્થ વિશે વાત કરીએ તો ‘કામદા’ શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે બધી ઈચ્છાઓની પરિપૂર્ણતા. આ વ્રત દરમિયાન ભક્તો વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની વિધિ પ્રમાણે પૂજા અને ઉપવાસ કરે છે. આમ કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિંદુ ધર્મ અનુસાર આ વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

હનુમાન જયંતી (23 એપ્રિલ 2024, મંગળવાર): હનુમાન જી ને ભગવાન શિવ નું રુદ્ર રૂપ માનવામાં આવે છે અને આ સંસાર માં રામજી ના ખાસ ભક્ત તરીકે ઓળખાય છે.હિન્દુ ધર્મમાં સંકટમોચન હનુમાન ને બહુ શક્તિશાળી માનવામાં આવે છે અને હનુમાન જયંતિ નો તૈહવાર આમના જન્મોત્સવ ના રૂપમાં આખા દેશ માં હર્ષઉલાસ થી મનાવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,ચૈત્ર મહિનાની પૂર્ણિમા તારીખે સાહસ અને શક્તિ ના દેવતા અને વાયુદેવ ના પુત્ર હનુમાનજી નો જન્મ થયો હતો.પરંતુ,મંગળવાર ના દિવસે હનુમાન જયંતી ના મહત્વ માં ઘણો વધારો થશે.

ચૈત્ર પુર્ણિમા વ્રત (23 એપ્રિલ 2024, મંગળવાર): ચૈત્ર મહિનામાં આવનારી પુર્ણિમા ને ચૈત્ર પુર્ણિમા ના નામે ઓળખાય છે.પરંતુ,ઘણા લોકો આ વ્રત ને ચૈત્ર પુનમ પણ કહે છે.સનાતન ધર્મ માં ચૈત્ર પુર્ણિમા વ્રત નું મહત્વ બહુ વધારે છે અને આ તારીખે ભગવાન સુર્ય-નારાયણ ની વિધિ-વિધાન થી પૂંજા કરવામાં આવે છે.આ વ્રત ને કરવાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.કદાચ જ તમે જાણતા હસો કે ચૈત્ર પુર્ણિમા વ્રત ને ઘણા લોકો પાણી પીધા વગર રહીને પૂરું કરે છે.

સંકષ્ટી ચતુર્થી (27 એપ્રિલ 2024, શનિવાર): હિન્દુ ધર્મ માં દરેક મહિને આવનારું આ એક પ્રસિદ્ધ વ્રત છે.સંકષ્ટિ ચતુર્થી ના જે લોકો કોઈપણ કષ્ટ કે તકલીફ ને સહન .સંકષ્ટિ શબ્દ ની વાત કરીએ તો,આ એક સંસ્કૃત નો શબ્દ છે અને આનો અર્થજ થાય છે સંકટ માંથી મુક્તિ મેળવી.ધાર્મિક માન્યતા મુજબ,સંકષ્ટિ ચતુર્થી વ્રત નો આરંભ સુર્ય ઉદય મી સાથે થાય છે અને અને આ પૂરું ચંદ્રમા ના ઉદય ઉપર થાય છે.હિન્દુ પંચાંગ મુજબ એક મહિનામાં બે વાર આ તારીખ આવે છે અને આ દિવસે વિધ્નહર્તા ભગવાન ગણેશ ની પુજા વિધિ-વિધાન થી કરવામાં આવે છે.ભગવાન ગણેશ પોતાના ભક્તો ના બધાજ દુઃખો દુર કરે છે.ધાર્મિક ગ્રંથો માં પણ આ વ્રત ની વાત કરેલી છે અને આ વ્રત ને કરવાથી ભગવાન ગણેશ પોતાના ભક્તો ને શુભ ફળ આપે છે.

વર્ષ 2024 માં હિન્દુ ધર્મના બધાજ તૈહવાર ને પર્વ ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024

એપ્રિલ 2024 માં આવનારી બેંક રજાઓ નું લિસ્ટ

દિવસ બેંક રજા કયા રાજ્ય માં માન્ય રહેશે
1 એપ્રિલ 2024,સોમવાર ઓરિસ્સા દિવસ ઓરિસ્સા
5 એપ્રિલ 2024, શુક્રવાર બાબુ જગજીવન રામ જયંતિ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા
5 એપ્રિલ 2024,શુક્રવાર જુમાતુલ વિદા જમ્મુ અને કાશ્મીર
7 એપ્રિલ 2024, રવિવાર શબ-એ-બારાત જમ્મુ અને કાશ્મીર
9 એપ્રિલ 2024, મંગળવાર ગુડી પડવો મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ
9 એપ્રિલ 2024, મંગળવાર તેલુગુ નવું વર્ષ તમિલનાડુ
9 એપ્રિલ 2024, મંગળવાર ઉગાડી

આંધ્ર પ્રદેશ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, ગોવા, ગુજરાત,

જમ્મુ કાશ્મીર, કર્ણાટક, રાજસ્થાન અને તેલંગાણા

10 એપ્રિલ 2024, બુધવાર ઈદ ઉલ-ફિત્ર રાષ્ટ્રીય રજાઓ
11 એપ્રિલ 2024, ગુરુવાર ઈદ અલ-ફિત્રની રજાઓ તેલંગાણા
11 એપ્રિલ 2024, ગુરુવાર સરહુલ ઝારખંડ
13 એપ્રિલ 2024, શનિવાર બિહુ તહેવારની રજાઓ આસામ
13 એપ્રિલ 2024, શનિવાર, મહાવિષુવ સંક્રાંતિ ઓરિસ્સા
13 એપ્રિલ 2024, શનિવાર વૈશાખ જમ્મુ-કાશ્મીર અને પંજાબ
14 એપ્રિલ 2024, રવિવાર બંગાળી નવું વર્ષ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
14 એપ્રિલ 2024, રવિવાર બિહુ અરુણાચલ પ્રદેશ અને આસામ
14 એપ્રિલ 2024, રવિવાર ચેરોબા ફેસ્ટિવલ મણિપુર
14 એપ્રિલ 2024, રવિવાર આંબેડકર જયંતિ

સમગ્ર દેશમાં (આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ,

ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, લક્ષદ્વીપ,

(મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા વગેરે રાજ્યો સિવાય)

14 એપ્રિલ 2024, રવિવાર તમિલ નવું વર્ષ તમિલનાડુ
14 એપ્રિલ 2024, રવિવાર વિશુ કેરળ
15 એપ્રિલ 2024, સોમવાર હિમાચલ દિવસ હિમાચલ પ્રદેશ
17 એપ્રિલ 2024, બુધવાર

રામ નવમી

સમગ્ર દેશમાં (અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા,

ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યો સિવાય.

21 એપ્રિલ 2024, રવિવાર ગરિયા પૂજા ત્રિપુરા
21 એપ્રિલ 2024, રવિવાર મહાવીર જયંતિ

છત્તીસગઢ, ચંદીગઢ, દમણ અને દીવ, દિલ્હી, દાદરા અને નગર હવેલી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓરિસ્સા, પંજાબ,

રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ

એપ્રિલ માં જન્મેલા લોકો માં હોય છે આ ગુણ

એસ્ટ્રોસેજ પોતાના પાછળ ના લેખમાં પણ તમને જણાવી ચૂક્યું છે કે વ્યક્તિનો જન્મ જે મહિનામાં હોય છે તે મહિનાની ઊંડી છાપ વ્યક્તિના વ્યક્તિત્વમાં જોવા મળે છે પછી ભલે જાન્યુઆરી નો મહિનો હોય કે સપ્ટેમ્બર નો.પરંતુ,આ લેખના માધ્યમ થી અમે ચર્ચા કરીશું કે એ લોકો વિશે જેનો જન્મ એપ્રિલ મહિનામાં થયો છે અને એની સાથેજ,એની અંદર છુપાયેલા ગુણો સાથે પણ મળાવીશું.આગળ વધીએ અને વાત કરીએ એપ્રિલ માં જન્મ લેવાવાળા લોકો વિશે.

સૌથી પહેલા તો આપણે એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોના સ્વભાવ વિશે વાત કરીશું, એપ્રિલ ઓવરવ્યૂ 2024 આ લોકોનો સ્વભાવ અન્ય લોકોથી તદ્દન અલગ હોય છે અને તેમનામાં અનોખી કુશળતા પણ જોવા મળે છે. એપ્રિલ મહિનામાં જન્મ લેવાને કારણે, આ લોકો શુક્ર દ્વારા શાસન કરે છે, જે પ્રેમ, ઐશ્વર્ય અને ભૌતિક સુખ માટે જવાબદાર ગ્રહ છે. આ લોકોનું વ્યક્તિત્વ અન્ય કરતા અલગ હોય છે અને તેઓ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે.

સામાન્ય રીતે કહીએ તો, એપ્રિલમાં જન્મેલા લોકો ખૂબ જ સર્જનાત્મક, બુદ્ધિશાળી અને ઉત્સાહથી ભરેલા હોય છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલા છે અને તેમના જીવનની મહત્વાકાંક્ષાઓ વિશે સભાન છે. તેમના વ્યક્તિત્વની સૌથી ખાસ વાત તેમની હિંમત છે. તેઓ તેમના મંતવ્યો અથવા મંતવ્યો અન્યની સામે ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. હવે અમે તમને તેમના વ્યક્તિત્વના કેટલાક પસંદગીના ગુણો વિશે જણાવીએ.

રહે છે જુનુન થી ભરેલા : જે લોકોનો જન્મ એપ્રિલ મહિનામાં થાય છે,એ લોકો બહુ જુનૂની હોય છે.પરંતુ,આ જુનુન સકારાત્મક અને નકારાત્મક બંને જગ્યા એ તમને કામ આવશે.આ મહિનામાં પેદા થવાવાળા લોકોની પકડ મીડિયા,રમત-ગમત,રાજકારણ અને અડવર્ટાઈસિંગ વગેરે માં મજબુત હોય છે અને આમજ એમને સફળતા મળે છે.આ લોકો જે પણ જગ્યા એ રહે છે,એમને લોકોનો સાથ મળે છે.

સાહસ ની નથી હોતી કમી : એપ્રિલ માં પેદા થવાવાળા લોકો સાહસ થી ભરેલા હોય છે એટલા માટે આ લોકો બહાદુર હોય છે અને કોઈપણ જોખમ વાળા કામને કરવાથી નથી ડરતા.આ લોકો મુશ્કિલ થી મુશ્કિલ સ્થિતિ માં પણ સફળતા મેળવા માં સક્ષમ હોય છે જે આ લોકોના વ્યક્તિત્વ નો ખાસ ગુણ હોય છે.

મિત્રતા હોય છે આ લોકો માટે ખાસ : એપ્રિલ મહિનામાં જન્મ લેવાવાળા લોકો માટે મિત્રતા હોય છે બહુ ખાસ.જણાવી દઈએ કે આ લોકો પોતાના મિત્રો માટે બહુ ખાસ હોય છે.મિત્રો ના ખાસ હોવાની સાથે સાથે સબંધીઓ ના પણ ખાસ હોય છે.એની સાથે,આ લોકો બહુ રોમેન્ટિક હોય છે અને પોતાના જીવનસાથી ને પ્રસન્ન રાખવા માં માહિર હોય છે.

કલા માં હોય છે શોખ : જો તમારો જન્મ એપ્રિલ મહિનામાં થાય છે,એ લોકો નો શોખ કલા માં હોય છે.આ લોકોને કલા થી બહુ લગાવ હોય છે અને કલાત્મક વસ્તુઓમાં આ લોકોનો ઝુકાવ હોય છે.જ્યોતિષ મુજબ,આ મહિનામાં જામેલા લોકો માટે નવી નવી વસ્તુઓ ને જાણવાની રુચિ હોય છે એટલા માટે આ લોકો બહુ જીજ્ઞાશુ સ્વભાવ ના હોય છે.

ભાવનાઓ ની કરે છે કદર : એપ્રિલમાં જેનમેલાં લોકો બહુ ભાવુક હોય છે અને એના પરિણામસ્વરૂપ,આ લોકો પોતાની ભાવનાઓ નો ખ્યાલ તો રાખેજ છે,પરંતુ એની સાથે પોતાની નજીકના લોકોની ભાવનાઓ નો પણ ખ્યાલ રાખે છે.જેમકે અમે તમને જણાવ્યુ કે આ લોકો ઈમોશનલ હોય છે,પરંતુ ખોટું કે ખરાબ કરતા લોકોને કોઈ દિવસ પણ માફ નથી કરતા.આ લોકોને ધોખો એકદમ સહન નથી થતો.

આ લોકોમાં હોય છે આ અવગુણ : આપણે બધાજ જાણીએ છીએ કે દરેક સિક્કા ની બે બાજુ હોય છે,સારું અને ખરાબ.એજ રીતે જે લોકોનો જન્મ એપ્રિલ માં થાય છે,આ લોકોના વ્યક્તિત્વમાં ગુણો ની સાથે સાથે અવગુણો પણ હોય છે.આ લોકોનો સ્વભાવ બીજાની ઝીંદગી માં ધ્યાન રાખવાનો હોય છે અને આ વાત આ લોકોના જીવનમાં સમસ્યાઓ ઉભી કરવાનું કામ કરે છે.એની સાથે,આના કારણે બીજા સાથે આ લોકોના સબંધ ખરાબ પણ થાય છે.આ લોકોમાં ધૈર્ય ની કમી જોવા મળે છે અને બીજા ઉપર ગુસ્સો કરવામાં આ લોકોને વધારે સમય નથી લાગતો.આ લોકો પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ નથી હોતો જેના કારણે વગર વિચારે કોઈપણ કામ જલ્દી બાજી માં આવીને કરી લ્યે છે.

એપ્રિલ મહિનામાં જન્મ લેવાવાળા લોકોનો શુભ કલર : સંતરી,મરૂન અને ગોલડન

એપ્રિલ મહિનામાં જન્મ લેવાવાળા લોકોનો શુભ દિવસ : રવિવાર,બુધવાર અને શુક્રવાર

એપ્રિલ મહિનામાં જન્મ લેવાવાળા લોકોનો શુભ નંબર : 1, 4, 5, 8

એપ્રિલ મહિનામાં જન્મ લેવાવાળા લોકોનો શુભ પથ્થર : માણેક

એપ્રિલ 2024 નું ધાર્મિક મહત્વ

જયારે વાત આવે છે એપ્રિલ મહિનાના ધાર્મિક મહત્વ ની,તો જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ અને સનાતન ધર્મ બંને માજ દરેક તારીખ,વાર,મહિનો વગેરે નું ખાસ મહત્વ હોય છે.જો કોઈ શુભ કે માંગલિક કામ ને કરવાનું હોય,તો સૌથી પેહલા તારીખ અને મહિના ને જ જોવામાં આવે છે કારણકે હિન્દુ ધર્મ માં ઘણા મહિનામાં શુભ કામ નથી થતા.આ લેખમાં અમે તમને જણાવીશું એપ્રિલ મહિનાના ધાર્મિક મહત્વ વિશે.

માર્ચની જેમ એપ્રિલ પણ ઉપવાસ અને તહેવારોથી ભરેલો રહેશે. ધાર્મિક દૃષ્ટિકોણથી, આ મહિનો વર્ષના અન્ય મહિનાઓ કરતાં વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ મહિનો હિન્દુ નવા વર્ષની શરૂઆત કરે છે અને વર્ષનો પહેલો મહિનો છે જેને ચૈત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે કેલેન્ડર વિશે વાત કરીએ, તો એપ્રિલ ઓવરવ્યૂ 2024 ની શરૂઆત ચૈત્ર મહિના હેઠળ થશે જ્યારે તે વૈશાખ મહિનામાં સમાપ્ત થશે. તે વિક્રમ સંવતનો પહેલો મહિનો છે જે સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડરમાં માર્ચ અથવા એપ્રિલમાં આવે છે.

ચૈત્ર મહિનાની શુરુઆત વર્ષ 2024 માં 26 માર્ચે થશે પરંતુ આ પુરો 23 એપ્રિલ 2024 ના રોજ થશે.વિક્રમ સવંત મુજબ,ચૈત્ર મહિનાથી હિન્દુ નવાવર્ષ ની શુરુઆત થાય છે જે સંવત્સર ના નામે ઓળખવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જીવન ની શુરુઆત બ્રહ્માજી એ ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષ માં પ્રતિપદા થી કરી હતી અને સતયુગ ની શુરુઆત પણ ચૈત્ર મહિનાથીજ થઇ હતી.આના સિવાય,ધાર્મિક માન્યતા મુજબ,ચૈત્ર મહિનાની પ્રતિપદા તારીખે ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ પોતાના દસ અવતાર માંથી પેહલો અવતાર મત્સ્ય અવતાર લીધો હતો અને પાણી ના પ્રલય ની વચ્ચે મનુ ને સુરક્ષિત જગ્યા એ પોહ્ચાડયા હતા અને એના પછી નવા જીવન ની શુરુઆત થઇ હતી.

તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ માં મહિનાના નામ નક્ષત્રો ના આધારે રાખવામાં આવે છે. જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તેના પરથી મહિનાનું નામ રાખવામાં આવ્યું છે. આ ક્રમમાં ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં રહે છે, તેથી આ માસને ચૈત્ર માસ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિનામાં જ સૂર્ય ધન રાશિના પ્રથમ રાશિ મેષમાં પ્રવેશ કરે છે.

ચૈત્ર 2024 માં ઘણા શુભ અને પાવન તૈહવાર ને ઉજવામાં આવશે જેમાં ચૈત્ર નવરાત્રીથી લઈને હનુમાન જયંતિ વગેરે શક્તિ સાધનાના તહેવારોનો સમાવેશ થાય છે. આ મહિનામાં ઉપવાસ અને પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ, આ મહિનો 23મી એપ્રિલે સમાપ્ત થશે અને બીજા દિવસે એટલે કે 24મી એપ્રિલ ઓવરવ્યૂ 2024 ના રોજ વૈશાખ મહિનો શરૂ થશે અને આ મહિનાનો છેલ્લો દિવસ 23મી મે 2024 હશે.

હિન્દુ પંચાંગ નો બીજો મહિનો વૈશાખ હોય છે જે એંગ્રેજી કેલેન્ડર મુજબ,એપ્રિલ કે મે ના મહિનામાં આવે છે.આ મહિનાનો સબંધ વિશાખા નક્ષત્ર સાથે હોય છે અને આ મહિનો તમને પૈસા ની પ્રાપ્તિ ની સાથે સાથે પુર્ણય ની પણ પ્રાપ્તિ આપે છે.આ મહિનાને ખાસ રૂપે ભગવાન વિષ્ણુ,પરશુરામજી અને દેવીની આરાધના માટે બહુ શુભ માનવામાં આવે છે.

બાંકે બિહારી જી ભક્તોને તેમના ચરણોના દર્શન માત્ર વૈશાખમાં જ આપે છે, જે વર્ષમાં એકવાર થાય છે. ગંગા અથવા તળાવમાં સ્નાન કરવાની દૃષ્ટિએ પણ આ મહિનાનું પોતાનું મહત્વ છે અને આ દરમિયાન લોકોના જીવનમાં શુભ કાર્યોની શરૂઆત થાય છે.

તમને એપ્રિલ 2024 નું ધાર્મિક મહત્વ વિશે જાણકારી આપ્યા પછી અમે તમને આ મહિનામાં થવાવાળા ગ્રહના ગોચર વિશે જાણકારી આપીશું.

એપ્રિલ 2024 માં આવનારા ગ્રહણ અને ગોચર

એપ્રિલ મહિનામાં ઉજવામાં આવતા વ્રત,તૈહવારો અને આવનારી બેંક રજાઓ ના તારીખ વિશે વિસ્તારપુર્વક જાણકારી આપ્યા પછી હવે અમે તમને આ મહિનામાં થવાવાળી સ્થિતિ કે રાશિમાં પરિવર્તન સાથે જોડાયેલી જાણકારી આપવા જઈ રહ્યા છીએ. એપ્રિલ ઓવરવ્યૂ 2024 માં બે ગ્રહ તમારી સ્થિતિ માં બદલાવ કરશે અને ચાર મોટા ગ્રહ પોતાની રાશિમાં પરિવર્તન કરશે.આના સિવાય,આ મહિનામાં વર્ષ નું સુર્ય ગ્રહણ પણ લાગશે.તો ચાલો જાણીએ કે ગ્રહણ અને ગોચર ની તારીખો વિશે.

બુધ મેષ રાશિ માં વક્રી (02 એપ્રિલ 2024): બુદ્ધિ અને વાણી નો કારક ગ્રહ ના નામ થી પ્રખ્યાત બુધ 02 એપ્રિલ 2024 ની બપોરે 03 વાગીને 18 મિનિટ પર મેષ રાશિ માં વક્રી થઇ જશે રાશિઓ ઉપર પડશે.

બુધ મેષ રાશિ માં અસ્ત (04 એપ્રિલ 2024): બુધ મહારાજ પોતાની સ્થિતિ માં બદલાવ કરીને એકવાર ફરીથી મેષ રાશિ માં રહીને 04 એપ્રિલ 2024 ની સવારે 10 વાગીને 36 મિનિટ પર અસ્ત થશે.

બુધ નો મીન રાશિ માં ગોચર (09 એપ્રિલ 2024): વાણી,વેપાર અને બુદ્ધિ નો કારક ગ્રહ બુધ પોતાની રાશિ અવસ્થા માં 09 એપ્રિલ 2024 ની રાતે 10 વાગીને 06 મિનિટ પર મેષ માંથી નીકળીને મીન રાશિ માં પ્રવેશ કરશે.

સુર્ય નો મેષ રાશિ માં ગોચર (13 એપ્રિલ 2024): વૈદિક જ્યોતિષ માં સુર્ય ને નવગ્રહ નો રાજા કહેવામાં આવે છે અને હવે આ 13 એપ્રિલ 2024 ની રાતે 08 વાગીને 51 મિનિટ પર મીન રાશિ માંથી નીકળીને મંગળ દેવની રાશિ મેષ માં ગોચર કરી જશે.

બુધ નો મીન રાશિ માં ઉદય (19 એપ્રિલ 2024): એપ્રિલના મહિનામાં બુધ ફરીથી પોતાની સ્થિતિ માં પરિવર્તન કરીને 19 એપ્રિલ 2024 ની સવારે 10 વાગીને 23 મિનિટ પર ઉદય થશે.

મંગળ નો મીન રાશિ માં ગોચર (23 એપ્રિલ 2024): સાહસનો કારક ગ્રહ મંગળ દેવ 23 એપ્રિલ 2024 ની સવારે 08 વાગીને 19 મિનિટ પર ગ્રહના આધિપત્ય વાળી રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રર્હ્યો છે.આ ગોચર નો પ્રભાવ દેશ અને દુનિયા પર જોવા મળશે.

શુક્ર નો મેષ રાશિ માં ગોચર (24 એપ્રિલ 2024): વૈદિક જ્યોતિષ માં શુક્ર દેવને સુખ,ઐશ્વર્ય અને પ્રેમ નો કારક ગ્રહ કહેવામાં આવે છે અને હવે આ 24 એપ્રિલ 2024 ની રાતે 11 વાગીને 44 મિનિટ પર મેષ રાશિમાં ગોચર કરશે.

બુધ મીન રાશિમાં માર્ગી (25 એપ્રિલ 2024): એપ્રિલના મહિનામાં અમને એક નહિ ઘણી વાર બુધ ની સ્થિતિ અને ચાલ માં બદલાવ જોવા મળશે.એવા માં,આ ફરીથી મહિના ના અંત સુધી એટલે કે 25 એપ્રિલ 2024 ની સાંજે 05 વાગીને 49 મિનિટ પર મીન રાશિમાં માર્ગી થઇ જશે.

શુક્ર મેષ રાશિમાં અસ્ત (28 એપ્રિલ 2024): આ મહિને શુક્ર ગ્રહ ની સ્થિતિ માં પણ બદલાવ જોવા મળશે અને એના પરિણામસ્વરૂપ,આ 28 એપ્રિલ 2024 ની સવારે 07 વાગીને 27 મિનિટ પર મેષ રાશિમાં અસ્ત થઇ જશે.

એપ્રિલ મહિનામાં લાગવાવાળું સુર્ય ગ્રહણ

સુર્ય ગ્રહણ 2024 (08 એપ્રિલ 2024): વર્ષ 2024 નું પહેલું સુર્ય ગ્રહણ 08 એપ્રિલ 2024 લાગશે જે પુર્ણ સુર્ય ગ્રહણ હશે.પરંતુ,આ સુર્ય ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે એટલા માટે સુતક કાળ માન્ય નહિ રહે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જંક કુંડળી મેળવો

બધીજ 12 રાશિઓ માટે એપ્રિલ 2024 ની રાશિફળ

મેષ રાશિ

  • મેષ રાશિ વાળા માટે આ મહિનો અનુકુળ રહેશે અને કાર્યક્ષેત્ર માં તમારી સ્થિતિ મજબુત રહેશે અને તમે મન લગાડીને કામ કરશો.
  • આર્થિક રૂપે એપ્રિલ નો મહિનો તમારા માટે મિશ્રણ રહેશે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 આ સમયગાળા માં તમારી આવક માં વધારો થશે અને તમારી પાસે સારી માત્રા માં પૈસા આવશે.
  • આ લોકો નું પ્રેમ જીવન રહેશે.પરંતુ,આ દરમિયાન તમે રોમાન્સ થી ભરેલા રેહશો,પરંતુ આશંકા છે કે પાર્ટનર સાથે તમારો સબંધ સારો નહિ રહે.
  • આરોગ્ય ની દ્રષ્ટિએ,આ મહિનો નાજુક રહી શકે છે કારણકે આ લોકોને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે ખાસ કરીને કમર દુખાવો કે પેટ ની દુખાવો થઇ શકે છે.
  • પારિવારિક જીવનમાં તમારી સદસ્ય સાથે બહેસ કે કહાસુની થવાની આશંકા છે.પરંતુ,ધીરે ધીરે તમને પરિવારજનો ની મદદ મળશે.

ઉપાય : દરરોજ ભગવાન સુર્ય ને તાંબા ના લોટ થી પાણી ચડાવો.

વૃષભ રાશિ

  • વૃષભ રાશિ ના લોકો ના કારકિર્દી માટે આ મહિનો સામાન્ય રહેશે.આ મહિને શનિ તમને ખુબ મેહનત કરાવશે અને તમારી મેહનત રંગ લાવશે.
  • જે લોકો નો પોતાની ધંધો છે એમના માટે આ મહિનો તણાવપુર્ણ રહી શકે છે.આ સમયે શાંત રહો કારણકે તમારા ભાગીદાર સાથે તમારી બહેસ થઇ શકે છે.
  • શિક્ષણ માં આ રાશિના વિદ્યાર્થીઓ એ થોડી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,તમારી એકાગ્રતા પ્રભાવિત થવાની આશંકા છે.
  • આર્થિક જીવનમાં તમને એપ્રિલ મહિનાની શુરુઆત માં સારી કમાણી થશે.જે લોકો એક કરતા વધારે કામ કરે છે એ લોકો ને સારો એવો લાભ થવાના યોગ બની રહ્યો છે.
  • આરોગ્યના લિહાજ થી,આ લોકો એ એપ્રિલ માં થોડી રોફયે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેમકે પાચન અને પેટ સાથે જોડાયેલી સમસ્યા વગેરે.

ઉપાય : દરરોજ શ્રી ગણપતિ અથર્વશીર્ષ સ્ત્રોત નો પાઠ કરો.

મિથુન રાશિ

  • એપ્રિલ 2024 માં તમને કારકિર્દી માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.ઓફિસ માં તમારા રસ્તા માં સમસ્યા આવી શકે છે એટલા માટે સોચ વિચાર કરીને આગળ વધો.
  • મિથુન રાશિ વાળા નું પારિવારિક જીવન આ મહિને કઠિન રહી શકે છે.ગ્રહો ની સ્થિતિ ના કારણે તમારા પારિવારિક જીવનમાં તણાવ ઉભો થઇ શકે છે.
  • પ્રેમ જીવન માટે એપ્રિલ નો શુરુઆત નો સમય સારો રહેશે.આ દરમિયાન તમે તમારા પાર્ટનર સામે દિલ ની વાત રાખશો અને એની સાથે તમારો સબંધ મજબુત થશે.
  • એપ્રિલ નો મહિનો તમારી આવકમાં વધારો લઈને આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત થશે.
  • આ મહિનો આરોગ્ય માટે મિશ્રણ રહેશે કારણકે અલગ લેગ ગ્રહો ની સ્થિતિ તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે એટલા માટે સાવધાન રહો.

ઉપાય : બુધવાર ના દિવસે નાગકેસર નું ઝાડ લગાવો.

કર્ક રાશિ

  • કારકિર્દી ની વાત કરીએ,તો એપ્રિલ નો મહિનો તમારા બહુ સારો રહેશે અને કાર્યક્ષેત્ર માં પરિસ્થિતિઓ તમારા પક્ષ માં રહેશે.
  • આ મહિનો વેપાર કરતા લોકો માટે સામાન્ય રહેશે અને એવા માં,તમારે બહુ સોચ વિચાર કરીને રોકાણ કરવું પડશે.
  • એપ્રિલ નો શુરુઆત નો સમય પ્રેમ જીવન માટે નાજુક રહેશે કારણકે તમારા સાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.
  • આર્થિક જીવન ના લિહાજ થી,આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે,તો પણ તમે સારો નફો કમાઈ શકશો.
  • આરોગ્યમાં,આ લોકોએ સાવધાન રેહવું પડશે અને વાહન ને પણ સાવધાનીપુર્વક ચલાવું પડશે.

ઉપાય : દરેક મંગળવારે હનુમાન ચાલીસા અને બજરંગબાણ નો પાઠ કરો.

સિંહ રાશિ

  • સિંહ રાશિ વાળા ની કારકિર્દી આ મહિને તમને મિશ્રણ પરિણામ આપી શકે છે કારણકે તમારે નોકરીમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.
  • આ રાશિના વિદ્યાર્થી વધારેમાં વધારે અભ્યાસ કરવા અને નવી વાતો ને શીખવામાં ઈચ્છા રાખે છે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 આ દરમિયાન તમે જ્ઞાન માં વધારો કરવા માંગશો.
  • એપ્રિલ 2024 માં તમારું પારિવારિક જીવન થોડું મુશ્કિલ રહી શકે છે.પરંતુ,તમારે ઘર-પરિવારના વિષયમાં દખલગીરીકરવાથી બચવું પડશે.
  • શાદીશુદા લોકોના જીવનમાં આ સમય તણાવ લઈને આવશે.એની સાથે,તમારા પાર્ટનર નું આરોગ્ય બગાડવાની પણ આશંકા છે એટલા માટે સાવધાન રહો.
  • આ લોકો સામે ખર્ચ બહુ જલ્દી જલ્દી આવશે અને એવા માં,તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

ઉપાય : દરરોજ સુર્ય દેવ ને પાણી ચડાવો અને સુર્ય નમસ્કાર કરો.

કન્યા રાશિ

  • કન્યા રાશિના લોકોના કારકિર્દી માટે આ સમય મિશ્રણ રહી શકે છે.જે લોકો નોકરી કરે છે,એમને આ સમયે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
  • વેપારમાં તમારે કોઈપણ મોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ.એની સાથે,એવું કોઈ કામ નહિ કરો જેનાથી તમારે માનહાની નો સામનો કરવો પડે.
  • પરિવારના લોકોઓ પ્રેમ તમારા માટે વધશે અને એવા માં,એ તમારી વાતો ને મહત્વ આપશે જેનાથી તમારા હોદ્દા માં પણ વધારો થશે.એની સાથે,પરિવારમાં શાંતિ બનેલી રહેશે.
  • પ્રેમ જીવનમાં તમારી જીવનસાથી સાથે કહાસુની અને બહેસ થવાની આશંકા છે.એવા માં,તમારે બહુ સાવધાન રેહવું પડશે.
  • આર્થિક રૂપે આ મહિનો સામાન્ય રહેશે.પરંતુ,તમને વેપાર અને જીવનસાથી ના માધ્યમ થી લાભ થશે.

ઉપાય : છક્કાઓ પાસેથી આર્શિવાદ મેળવો તમારા માટે બહુ ફળદાયક સાબિત થશે.

શું વર્ષ 2024 માં તમારા પ્રેમ જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

તુલા રાશિ

  • તુલા રાશિ વાળા લોકોના કારકિર્દી માટે આ મહિનો અનુકુળ રહેશે.આ દરમિયાન થોડા દુશ્મન તમને પરેશાન કરી શકે છે અને એ તમારું નામ ખરાબ કરવાની કોશિશ કરી શકે છે.
  • આ સમયગાળા માં તમારી આવક માં વધારો થશે અને તમારી પાસે તેજ રફ્તાર થી પૈસા આવશે.એવા માં,તમે તમારી જરૂરત ને પુરી કરી શકશો.
  • જે લોકો પ્રેમ કરે છે અને સરકારી નોકરી સાથે જોડાયેલા છે એમને આ મહિનો સારી સફળતા આપશે.
  • પ્રેમ જીવનમાં ગ્રહો ની સ્થિતિ તમને અને પાર્ટનર ને ઉગ્ર બનાવશે જેની અસર તમારા બંને ના સબંધ ઉપર પડી શકે છે.
  • આ રાશિના લોકો નું આરોગ્ય કમજોર રહી શકે છે.પરંતુ,ગુરુ ગ્રહ તમારા આરોગ્યને ખરાબ નહિ થવા દેશે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંદિર માં લાલ દાડમ નું દાન કરો.

વૃશ્ચિક રાશિ

  • વૃશ્ચિક રાશિના લોકો ના કારકિર્દી માટે એપ્રિલ સામાન્ય રૂપથી ફળદાયી રહેશે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 આ દરમિયાન તમારી નોકરીમાં પરિવર્તન જોવા મળી શકે છે.
  • વેપારીઓ માટે આ મહિનો બહુ સારો રહેશે અને તમે વેપારમાં તરક્કી મેળવશો.એવા માં,તમારો વેપાર ઘણી ઊંચાઈઓ મેળવશે.
  • જે લોકો પહેલાથીજ કોઈ સબંધ માં છે.એમના માટે આ મહિનો સરપ્રાઈઝ લઈને આવી શકે છે.એવા માં,તમારા અને પાર્ટનર નો સબંધ મજબુત થશે.
  • આ લોકોને પોતાની આવકમાં વધારો જોવા મળશે અને એવા માં,તમને ઘણી જગ્યા એ થી પૈસા મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.
  • આરોગ્ય ની દ્રષ્ટિએ,આ મહિનો થોડો કમજોર રહી શકે છે કારણકે તમારી છાતી માં જકડન કે બળવા ની સમસ્યા તમને પરેશાન કરી શકે છે એટલા માટે સાવધાન રહો.

ઉપાય : શનિવાર ના દિવસે કાળા તલ નું દાન કરો.

ધનુ રાશિ

  • ધનુ રાશિ વાળા માટે આ મહિનો કારકિર્દી માં ઉતાર-ચડાવ લઈને આવી શકે છે.એવા માં,તમારું મન કામ માંથી ભટકી શકે છે અને તમે અસંતુષ્ટ રહી શકો છો.
  • વેપાર વર્ગ માટે એપ્રિલ સુકુન વાળો મહિનો રેહવાની સંભાવના છે.આ દરમિયાન તમારો બિઝનેસ તરક્કી ના રસ્તે આગળ વધશે અને તમે નવા લોકો સાથે મળશો.
  • જો તમે કોઈને પ્રેમ કરો છો,તો મહિનાનો પેહલો ભાગ તમારા માટે અનુકુળ રહેશે અને આ દરમિયાન તમે પ્રેમ જીવનનો આનંદ લેતા જોવા મળશો.
  • આ લોકોને પૈસા ની પ્રાપ્તિ સામાન્ય રૂપે થતી રહેશે.પરંતુ,તમારે ઘરના કોઈ જરૂરી કામ કે પરિવારના લોકો ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
  • આ મહિનો આરોગ્યમાં ઉતાર-ચડાવ લઈને આવી શકે છે એટલા માટે તમને થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ તમારા માથા ઉપર હળદર,ચંદન કે કેસર નો ચાંદલો કરો.

મકર રાશિ

  • મકર રાશિ વાળા લોકો કાર્યસ્થળ પર પોતાના કામની ઈજ્જત કરીને સારી રીતે કરશે.એવા માં,તમે તમારી એક અલગ જગ્યા બનાવામાં સફળ થશો.
  • આ મહિને તમારું પારિવારિક જીવન સારું રહેશે અને એવા માં,તમારું જીવન સુખમય બની રહેશે.એની સાથે માતા-પિતા નું આરોગ્ય પણ ઉત્તમ રહેશે.
  • જે લોકો કોઈની સાથે પ્રેમ કરે છે,એમના માટે મહિનાની શુરુઆત અનુકુળ રહેશે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 આ દરમિયાન પાર્ટનર ને તમે તમારા મિત્રો સાથે મેળવી શકો છો.
  • મકર રાશિના શાદીશુદા લોકોને આ મહિનો થોડો કઠિન લાગી શકે છે કારણકે તમારા સાથી નું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે એટલા માટે તમારે સાવધાન રેહવું પડશે.
  • એપ્રિલ 2024 માં તમારા ખર્ચા માં વધારો થશે અને એવા માં,બચત પણ ખર્ચ થવાની આશંકા છે જેના કારણે તમે તણાવ માં આવી શકો છો.

ઉપાય : શનિવાર ના દિવસે શ્રી શનિ ચાલીસા નો પાઠ કરો.

કુંભ રાશિ

  • કુંભ રાશિના લોકોના કારકિર્દી માટે એપ્રિલ મહિનો સામાન્ય રહેશે.આ દરમિયાન સાવધાન રહો કારણકે કોઈ કારણ વગર સહકર્મીઓ સાથે વિવાદ થઇ શકે છે.
  • જે લોકોનો પોતાનો ધંધો છે,એમને વેપારમાં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે દરેક પગલું બહુ સમજદારી થી ભરવું પડશે.
  • જે લોકો સિંગલ છે,એમની નજીક કોઈ આવી શકે છે.સંભવ છે કે તમે એને તમારા દિલ ની વાત કહેશો જે તમે તમારા મન માં છુપાવી ને રાખી હતી.
  • આ મહિને તમારી આર્થિક સ્થિતિ નિયંત્રણ માં રહેશે.જો નાના-મોટા ખર્ચા ને છોડી દેશો તો કોઈ મોટો ખર્ચો નહિ આવે.
  • આ લોકો નું આરોગ્ય થોડું કમજોર રહેશે કારણકે તમારે આરોગ્ય સમસ્યા થી પરેશાન થવું પડી શકે છે એટલા માટે સાવધાન રહો.

ઉપાય : સંભવ હોય તો હંમેશા ખીંચા માં એક રૂમાલ રાખો.

મીન રાશિ

  • મીન રાશિના નોકરિયાત લોકો માટે એપ્રિલ મહિનો ઘણા સારા મોકા લઈને આવી શકે છે.એની સાથે,કાર્યસ્થળ પર તમારું પ્રમોશન થવાની સંભાવના છે.
  • વેપાર કરતા લોકો એ વેપારમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ ઓવરવ્યૂ 2024 એની સાથે,બિઝનેસ ભાગીદાર સાથે સબંધ માં પણ ધ્યાન આપવું પડશે.
  • પ્રેમ જીવનમાં તમારે સાવધાન રેહવું પડશે કારણકે તમારા પાર્ટનર ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.
  • આ મહિને તમારા ખર્ચા માં વધારો જોવા મળશે જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર જોવા મળશે.
  • આ મહિનો તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે ખાસ કરીને મોટાપા અને કોલોસ્ટ્રોલ જેવા રોગ વગેરે.

ઉપાય : તમારે દરરોજ શ્રી બજરંગ બાણ સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer