સૂર્ય નું મીન રાશિ માં ગોચર આપશે કેવા પ્રભાવ

સૂર્ય નું મીન રાશિ માં ગોચર 14 માર્ચ, શનિવારે બપોરે 11 વાગી ને 45 મિનટ પર થશે, જયારે સૂર્યદેવ પોતાના મિત્ર ગુરુ ના સ્વામિત્વ વાળી મીન રાશિ માં પ્રવેશ કરશે. આ એક જળ તત્વ ની રાશિ છે. આવી રીતે એક અગ્નિ તત્વ પ્રધાન સૂર્ય ગ્રહ નું પ્રવેશ જળ તત્વ પ્રધાન રાશિ માં થશે. આવો હવે જાણીએ છે કે સૂર્ય ના મીન રાશિ માં ગોચર (મીન સંક્રાંતિ) ના લીધે બધી રાશિઓ ના જાતકો પર કેવું પ્રભાવ પડશે:

આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે. જાણો પોતાની ચંદ્ર રાશિ .

મેષ રાશિ

મેષ રાશિ ના લોકો માટે સૂર્ય પાંચમા ભાવ ના સ્વામી છે. તમારી રાશિ ના સ્વામી મંગળ દેવતા થી સૂર્ય દેવ ની મિત્રતા પણ છે. મીન રાશિ માં ગોચર ના લીધે સૂર્યદેવ તમારા બારમા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ઘણી બાબતો માં ખાસ રહેવાવાળું છે કેમકે આના થી વિદેશ જઈ ને અભ્યાસ પૂરું કરવા ની લોકો ની ઈચ્છા પૂર્ણ થઇ શકે છે. અને તમને વિદેશી કોલેજ અથવા વિશ્વ વિદ્યાલય માં એડમિશન મળવા થી તમારી ખુશી ચરમ સીમા પર હશે. અમુક લોકો ને પ્રેમ સંબંધો માં નિરાશા નું સામનો કરવો પડી શકે છે. શક્યતઃ તમારું પ્રિયતમ ઘણી દૂર ની યાત્રા પર જેઇ અને તમારું તેમના થી મળવું શક્ય ના હોય. આવા માં પોતે હિમ્મત રાખવું સારું હશે. આ પ્રકાર આ ગોચર થી અમુક લોકો ને વિદેશ જવા ની તક મળી શકે છે. વિરોધીઓ પર તમારું પ્રભાવ રહેશે અને તે તમારા દબાણ માં રહેશે જોકે તમારા ખર્ચ માં અણધાર્યું વધારો થઇ શકે છે જેનું પ્રભાવ તમારા પાકીટ ઉપર પડી શકે છે. કોઈપણ જાત ના નિવેશ માટે સોચી સમજી ને પ્લાનિંગ કરો, નહીંતર અમુક સમય માટે નિવેશ રહેવા દો. તમારા આરોગ્ય માં અમુક ઘટાડો જોવા મળી શકે છે અને તમને તાવ અથવા કોઈ જાત ની સમસ્યા હેરાન કરી શકે છે. કોઈપણ જાત ના વિવાદ અથવા કોર્ટ કચેરી ની બાબત માટે આ સમય ઉપયુક્ત નથી તેથી અમુક સંયમ રાખો.

ઉપાય: તમારે દરરોજ સૂર્યદેવ ને જળ ચઢાવી આદિત્ય હૃદય સ્ત્રોત્ર નું પાઠ કરવું જોઈએ.

વૃષભ રાશિ

વૃષભ રાશિ ના લોકો ના માટે સૂર્ય તમારા સુખ સ્થાન એટલે કે ચોથા ભાવ નો સ્વામી છે અને પોતાના આ ગોચર માં તે મીન રાશિ માં તમારી રાશિ થી અગિયારમા ભાવ માં પ્રવેશ કરશે. અગિયારમા ભાવ ને લાભ ભાવ કહેવાય છે અને સામાન્ય રીતે સૂર્ય નું અગિયારમા ભાવ માં ગોચર અનુકૂળ પરિણામ આપનારું માનવાં માં આવે છે, તેથી આ ગોચર ના પરિણામ સ્વરૂપ તમને આવક માં વધારા ની સોગાત મળી શકે છે. તમને નાણાકીય રીતે ઘણા લાભ થશે જે તમારી નાણાકીય સ્થિતિ ને મજબૂત બનાવવા માં તમારું સહયોગ કરશે. સમાજ માં પણ તમારું સ્તર સારું થશે અને તમને સમાજ ના ગણમાન્ય લોકો થી મળવા ની તક મળશે. અમુક નવા સંપર્કો બનશે, જે ભવિષ્ય માં તમારા કામ આવશે. શિક્ષા ના ક્ષેત્ર માં કરેલા પ્રયાસો માં સફળતા મળશે અને જો તમે પરિણીત છો તો તમારી સંતાન થી પણ તમને સારું લાભ થઇ શકે છે. તમારા મન ની ઈચ્છાઓ પુરી થશે. જે યોજનાઓ ઘણા લાંબા સમય થી લંબિત ચાલી રહી હતી તે પણ હવે પુરી થવા માંડશે, જેથી તમને લાભ પણ થશે અને તમારા આત્મબળ માં વધારો થશે. પરિવાર ના લોકો થી તમારું સંબંધ સુધરશે અને કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ જોડે સ્થિતિ પહેલા કરતા વધારે સારી હશે, જેનું લાભ તમને મળશે. સરકારી ક્ષેત્ર થી લાભ ના સારા યોગ બનશે અને વાદ વિવાદ માં વિજય મળશે.

ઉપાય: તમારે દરરોજ સુખ ની કામના સાથે સૂર્ય દેવ ની આરાધના કરવી જોઈએ.

મિથુન રાશિ

મિથુન રાશિ ના લોકો માટે સૂર્ય ત્રીજા ભાવ ના સ્વામી છે. તે પોતાના આ ગોચર કાળ માં તમારા દસમા ભાવ માં પ્રવેશ કરશે. દસમા ભાવ માં સૂર્ય દિગબલી હોય છે અને તે વધારે બળશાળી ગણાય છે. આવી સ્થિતિ માં તમને પોતાના કાર્યસ્થળ પર ઘણા સારા પરિણામ મળશે. તમારા પદ અને અધિકાર માં વધારો થશે. તમારું યશ અને સમ્માન વધશે અને તમારા આત્મબળ માં પણ વધારો થશે. તમને સરકાર અથવા રાજ્યપક્ષ થી લાભ થઇ શકે છે. જે લોકો સરકારી ક્ષેત્ર માં કામ કરી રહ્યા છે, તેમને વિશેષરૂપ થી આ દરમિયાન લાભ ની પ્રાપ્તિ થશે, તેમને આ દરમિયાન વિશેષરૂપ થી લાભ ની પ્રાપ્તિ થશે. આ સમયકાળ માં તમને પોતાના પરિવાર થી સંબંધિત પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને તમારું સામાજિક સ્તર સારું થઇ શકે છે. તમે દરેક કામ ને ઘણી સારી રીતે પૂરું કરશો અને તમારી કાબેલિયત ની ચારે બાજુ પ્રશંસા થશે. તમારા વિરોધી શાંત રહેશે અને સમાજ માં તમારી સ્થિતિ પ્રબળ બનશે. વરિષ્ઠ અધિકારીઓ થી તમારા સંબંધ સારા બનશે અને તમને ધન લાભ પણ થશે. તમે પોતાના પ્રયાસો થી પોતાના કામ ને સારું બનાવી શકશો. અમુક લોકો પોતના કોઈ શોખ ને પોતાનું વ્યવસાય બનાવી શકે છે, જેમાં તેમને સફળતા મળશે. જો તમે કોઈ વેપાર કરો છો તો તેમાં તમને પોતાના ભાઈ બહેનો નું સહયોગ મળશે અને તમે માર્કેટિંગ અને સોશલ મીડિયા ની મદદ થી પોતાના વેપાર ને આગળ વધારવા માં સફળ થઇ શકો છો.

ઉપાય: તમારે દરરોજ સૂર્ય દેવ ને જળ ચઢાવવું જોઈએ.

કર્ક રાશિ

તમારી રાશિ ના સ્વામી ચંદ્ર દેવ ના પરમ મિત્ર સૂર્ય દેવ તમારી રાશિ થી નવમાં ભાવ માં ગોચર કરશે. તે તમારા બીજા ભાવ ના સ્વામી છે. સૂર્ય ના આ ગોચર ના પ્રભાવ થી તમને પરિવાર નું સહયોગ મળશે. પરિવાર ના લોકો ની મદદ થી તમે પોતાના કામો માં સફળતા મેળવશો. જોકે આ દરમિયાન તમારા પિતાજી ને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ ઘેરી શકે છે, જેના લીધે તેમનું આરોગ્ય અમુક પીડિત હોઈ શકે છે પરંતુ તમારા માન સમ્માન માં વધારો થઇ શકે છે. વેપાર માં અપેક્ષિત સફળતા ના યોગ બનશે. તમે કોઈ નવી ધાર્મિક યાત્રા પર જય શકો છો, જેથી તમને માનસિક શાંતિ મળશે. પરિવાર ના વધારા અને સમૃદ્ધિ માટે તમે કોઈ વિશેષ પૂજા નું આયોજન કરી શકો છો. પોતાના ધન ને કોઈ વિશેષ પરોપકાર ના કામ માં લગાડશો જેથી તમને આત્મિક સંતુષ્ટિ ની અનુભૂતિ થશે. સૂર્ય ના આ ગોચર કલ માં તમે આત્મ મંથન માં થી પસાર થશો. એવી શક્યતા છે કે તમારી મુલાકાત કોઈ વરિષ્ઠ અથવા ગુરુ સમાન વ્યક્તિ થી થાય, જે તમને જીવન ની નવી દિશા આપે. આ દિશા ભવિષ્ય માં તમારી ઘણી કામ આવશે. આ સમયખંડ માં તમને ઉત્તમ લાભ થશે અને તમે પોતાના ધન ને કઈ ગણું વધારી શકવા માં સફળ થશો. સૂર્ય નું આ ગોચર તમને પ્રતિષ્ઠિત બનાવશે.

ઉપાય: તમારે શ્વેતાર્ક વૃક્ષ ની પૂજા કરવી જોઈએ અને તેને જળ અર્પિત કરવું જોઈએ.

સિંહ રાશિ

તમારા માટે સૂર્ય નું કોઈપણ ગોચર વિશેષરૂપ થી મહત્વપૂર્ણ હોય છે કેમકે સૂર્ય દેવ તમારી રાશિ ના સ્વામી છે. સૂર્ય ના મીન રાશિ માં ગોચર ના દરમિયાન આ તમારી રાશિ થી આઠમા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના પ્રભાવ થી તમને મિશ્ર પરિણામો મળશે. જ્યાં એકબાજુ તમને આરોગ્ય સંબંધી મુશ્કેલી હોઈ શકે છે અને તમારું આરોગ્ય પીડિત હોઈ શકે છે ત્યાંજ બીજી બાજુ તમારું મન ગહન આધ્યાત્મિક કામો માં પણ લાગશે. જો તમે ધ્યાન લગાવો છો તો આ સમય તમારા માટે ઘણું અનુકૂળ રહેશે અને તમને સારા અનુભવ થશે. સરકારી ક્ષેત્ર થી આ દરમિયાન અમુક સમસ્યા ઉભી થઇ શકે છે. જો તમે કોઈ ગુપ્ત વાત સંતાડી રાખી છે તો તે આ સમય ભાર આવી શકે છે અને તમારી છવિ ને નુકસાન પહોંચાડી શકે છે. આના સિવાય જો તમે કાયદા વિરુદ્ધ જય ને કોઈ કામ કર્યું છે તો આ સમય તમને દંડ પણ ફટકારી શકાય છે. તમારી આવક માં સામાન્યરૂપે ઘટાડો થશે અને નકામી યાત્રાઓ ઉપર જવા ના યોગ પણ છે. આ દરમિયાન તમારે પોતાના માન અને યશ વિષે અમુક સચેત રહેવું હશે કેમકે આ સમય વિરોધીઓ તમારી વિરુદ્ધ કોઈ કાવતરું કરી શકે છે જેના લીધે તમને સામાજિક અને માનસિક રૂપે હેરાન થવું પડી શકે છે. ધાર્મિક આચરણ કરો અને પોતાના પિતાજી ની દેખભાળ પણ કરો.

ઉપાય: તમારે પોતાના ગળા માં સ્વર્ણ નું સૂર્ય ધારણ કરવું જોઈએ, જેને તમે સોના ની ચેન અથવા લાલ રંગ ની દોરી માં રવિવારે 8 વાગ્યા પહેલા પહેરી શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિ માં જન્મ્યા લોકો માટે સૂર્ય દેવ બારમા ભાવ ના સ્વામી છે. પોતાનું મીન રાશિ માં ગોચર દરમિયાન સૂર્ય તમારા સાતમા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના પરિણામ સ્વરૂપ તમને વેપાર ની બાબત માં ઘણા સારા પરિણામ મળશે. તમારું વેપાર ઝડપી થશે અને તેનું વિસ્તાર પણ થશે. સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થી તમારા વેપાર માં તમને કોઈ લાભ થઇ શકે છે. જો તમે નોકરિયાત છો તો સૂર્ય નું આ ગોચર તમારા માટે ખુશીઓ ની સોગાત લઇ ને આવશે અને તમને પદોન્નતિ મળી શકે છે અને અમુક વિશેષ પરિસ્થિતિઓ માં તમારી આવક માં પણ વધારો થવા ની અપેક્ષા તમે કરી શકો છો. આ ગોચર તમારા કરિયર માટે ઘણું અનુકૂળ રહેશે. ત્યાંજ વિદેશી માધ્યમો થી પણ તમને તમારા વેપાર માં સારું લાભ મળશે અને મલ્ટીનેશનલ કંપની માં કામ કરતા લોકો માટે ખુશી નું સમય આવશે. આના વિપરીત તમારા દામ્પત્ય જીવન માં તણાવ વધશે. કેમકે સૂર્ય નું આ ભાવ માં ગોચર કરવું દામ્પત્ય જીવન માટે સારું નથી કહી શકાતું. અગ્નિ તત્વ નું સૂર્ય જળ તત્વ ની રાશિ ના દામ્પત્ય જીવન માં ઉકાળો લાવી શકે છે અને તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે કોઈ ઝગડો થઇ શકે છે, તેથી તમારે ધ્યાન રાખવું હશે. જો તમે પોતાના વ્યવહાર પર ધ્યાન આપશો તો તમને સારી સફળતા મળશે.

ઉપાય: તમારે "ૐ સૂર્યાય નમઃ" મંત્ર નું જાપ કરવું જોઈએ.

તુલા રાશિ

તમારી રાશિ ના લોકો માટે સૂર્યદેવ લાભ ભાવ ના સ્વામી છે કેમકે તે તમારા અગિયારમા ભાવ પર પોતાનું અધિકાર રાખે છે. મીન રાશિ માં ગોચર ના લીધે તે તમારી રાશિ થી છઠ્ઠા ભાવ માં પ્રવેશ કરશે. છઠ્ઠા ભાવ માં સૂર્ય નું ગોચર સામાન્ય રૂપે લાભદાયક સિદ્ધ થાય છે, તેથી આ ગોચર ના લીધે કોર્ટ કચેરી થી સંકળાયેલી બાબતો માં સફળતા મળશે. જો તમે કોઈ પર કેસ કરવા માંગો છો તો તેમાં પણ સફળતા મળશે. આવક માં આ દરમિયાન અમુક ઘટાડો હોઈ શકે છે પરંતુ આવનારા સમય માં નાણાકીય રૂપે મજબૂતી માટે અમુક કઠિન નિર્ણય આ સમય તમે લેશો. અમુક ખર્ચ પણ થશે પરંતુ શાસન પ્રશાસન નું તમને સહયોગ મળશે. સરકારી ક્ષેત્ર માં કામ કરી રહેલા લોકો ને સારા પરિણામ મળશે આ દરમિયાન તમારા સંબંધ વરિષ્ઠ અધિકારીઓ થી સારા થશે આનું લાભ તમને તમારી નોકરી માં મળશે. સૌથી સારી વાત આ હશે કે આ દરમિયાન તમે પોતાનું ઉધાર અથવા બેંક લોન ચૂકવવા માં સફળ થશો. મામા પક્ષ ના લોકો થી ધન ને લઇ કોઈ બોલાચાલી થઇ શકે છે. તમને નાનું અમથું તાવ પણ થઇ શકે છે પરંતુ સામાન્ય રીતે આરોગ્ય ઠીકઠાક રહેશે અને આ ગોચર નું તમને વિશેષરૂપ થી નાણાકીય અને સામાજિક લાભ મળશે.

ઉપાય: તમારે રવિવારે માંદા લોકો ને મફત માં દવા વિતરિત કરવી જોઈએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે સૂર્ય દેવ ની ખાસ ભૂમિકા છે કેમકે તે તમારા દસમા ભાવ ના સ્વામી છે અને દસમા ભાવ એટલે કે કર્મ ભાવ. સૂર્ય ના મીન રાશિ માં ગોચર ને લીધે તે તમારી રાશિ થી પાંચમા ભાવ માં પ્રવેશ કરશે, જેના પરિણામસ્વરૂપ તમને કાર્યક્ષેત્ર માં અમુક વધઘટ નું સામનો કરવો પડી શકે છે. આવી શક્યતાઓ પણ છે કે જો તમે નોકરી કરો છો તો તમે તેને બદલવા માંગો અને બીજી નોકરી ગોતવા નું પ્રયાસ કરો. અમુક લોકો ને આ દરમિયાન નોકરી થી પણ હાથ ધોવું પડી શકે છે, પરંતુ જે લોકો કોઈ જાત ના વેપાર માં શામેલ છે, તેમને આ ગોચર થી ઘણા સારા પરિણામ મળી શકે છે અને તેમને વેપાર થી સારું ધન લાભ થશે. તમારા સમાજ ના પ્રતિષ્ઠિત લોકો થી લાભ ઉપાડવા નું આજ સમય છે. આનું તમને ઉચિત ફળ મળશે. આ ગોચર અવધિ માં તમને સંતાન સંબંધિત કોઈ ખબર મળી શકે છે. જો તમે એક વિદ્યાર્થી છો તો તમને ખુબ મન લગાવી ને વાંચવા નું સમય આજ છે. આ દરમિયાન તમારી સોચ માં ભારે ફેરફારો આવશે અને તમે દેશ દુનિયા ની ઘટનાઓ થી ઘણું પ્રભાવિત અનુભવ કરશો. તમારા પિતાજી ને આ સમય કામ માં અમુક ઘટાડો અનુભવ થઇ શકે છે. નોકરી માં સારા પરિણામ મેળવવા માટે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ થી સારા સંબંધ બનાવી ને રાખવા હશે.

ઉપાય: તમારે તાંબા ના પાત્ર માં લાલ મિર્ચ ના બીજ ભેળવી ને સૂર્યદેવ ને અર્ધ્ય આપવું જોઈએ.

ધનુ રાશિ

ધનુ રાશિ ના લોકો માટે સૂર્ય દેવ તમારા ભાગ્ય નું સ્વામી છે કેમકે આ તમારી કુંડળી માં નવમાં ભાવ પર પોતાનું અધિકાર રાખે છે. સૂર્ય ના મીન રાશિ માં ગોચર દરમિયાન આ તમારી રાશિ ના ચોથા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના ફળસ્વરૂપ તમને મિશ્ર પરિણામો ની પ્રાપ્તિ થશે, જેમાં પારિવારિક જીવન માં અમુક અસંતુષ્ટિ અને સામંજસ્ય ની અછત જોવા મળી શકે છે અને પરિવાર માં વિશેષરૂપ થી તમારી માતાજી નું આરોગ્ય પણ બગડી શકે છે. તમે પરિવાર પર પ્રભુત્વ સ્થાપિત કરવા નું પ્રયાસ કરી શકો છો અને સ્વયં ને શ્રેષ્ઠ દેખાડવા ના પ્રયાસ માં તમારા પારિવારિક સંબંધો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. આના સિવાય પરિવાર ના લોકો માટે તમે કટુ વચનો નો પ્રયોગ પણ કરી શકો છો. આના વિપરીત કાર્યક્ષેત્ર માં તમને સારા પરિણામ મળશે. ભાગ્ય ના લીધે તમને કાર્યસ્થળ પર માન સમ્માન ની સાથે સારા અધિકારો ની પ્રાપ્તિ થશે. અમુક લોકો ને નોકરી માં ટ્રાન્સફર ના પછી સારી પોજીશન મળી શકે છે, જેથી તે ઘણા પ્રસન્ન રહેશે. આના સિવાય સરકાર થી કોઈ સારું લાભ મળી શકે છે અને કોઈ મિલકત ખરીદવા ની દિશા માં પણ પ્રયાસ કરી શકો છો. જે લોકો પોતાના ઘર થી દૂર રહે છે, તેમને આ દરમિયાન ઘરે પાંચ ફરવા ની તક મળી શકે છે અને પરિવાર ના લોકો થી મળી ને તેમનું હૃદય પણ ભાવુક થઇ જશે. નાણાકીય રીતે આ ગોચર સામાન્ય ફળ આપશે.

ઉપાય: તમારે સારી ગુણવત્તા વાળો માણેક રત્ન ધારણ કરવું જોઈએ, જેને તમે શુક્લ પક્ષ ના રવિવારે પોતાની અનામિકા આંગળી માં ધારણ કરી શકો છો.

મકર રાશિ

મકર રાશિ ના લોકો માટે સૂર્ય દેવ તમારા આયુ ભાવ ના સ્વામી છે એટલે કે અષ્ટમ ભાવ ના સ્વામી, પરંતુ વૈદિક જ્યોતિષ ના મુજબ સૂર્ય ને અષ્ટમેશ થવાનું દોષ નથી લાગતું. પોતાના પુત્ર શનિ ની રાશિ મકર ના માટે તેમના પિતા સૂર્ય દેવ આ ગોચર માં ત્રીજા ભાવ માં પ્રવેશ કરશે. સામાન્યરૂપે ત્રીજા ભાવ માં સૂર્ય નું ગોચર અનુકૂળ હોય છે, પરંતુ જયારે અષ્ટમ નો સ્વામી ત્રીજા ભાવ માં જાય છે ત્યારે આરોગ્ય માટે અમુક નબળો રહે છે. આવી સ્થિતિ માં આ ગોચર ના પરિણામ સ્વરૂપ તમારા આરોગ્ય માં ઘટાડો જોઈ શકાય છે. માત્ર એટલુંજ નહિ, તમારા માતા પિતા નું આરોગ્ય પણ અમુક નબળું થવા ની શક્યતા રહેશે, પરંતુ તમારા પ્રયાસો માં ઘટાડો નહિ આવે. તમે વેપાર માં રિસ્ક લેશો અને આગળ વધવા નું પ્રયાસ કરશો. અમુક લોકો આ દરમિયાન નોકરી માં વધારે આત્મવિશ્વાસ ની સાથે પોતાનું કામ કરશે, જેનું તેમને સારું ફળ પણ મળશે. આ સંબંધ માં અમુક નાની દુરી ની યાત્રાઓ પણ થઇ શકે છે અને તે કોઈ તીર્થયાત્રા પર પરિજનો ની સાથે જય શકે છે. માન સમ્માન માં વધારો તમને જરૂર મળશે અને તમે પોતાના બાહુબળ થી પડકારો ને પરાજિત કરી આગળ વધશો. આ ગોચર તામર નાના ભાઈ બહેનો માટે વધારે અનુકૂળ નહિ રહેશે, આ દરમિયાન તમારે તેમનું ધ્યાન રાખવું જોઈએ.

ઉપાય: તમારે સારા આરોગ્ય માટે ખીજડા ના વૃક્ષ ની પૂજા કરવી જોઈએ અને તેને જળ ચઢાવવું જોઈએ.

કુમ્ભ રાશિ

સૂર્ય દેવ તમારી રાશિ માટે સાતમા ભાવ નો સ્વામી છે અને મીન રાશિ માં ગોચર ના લીધે તે તમારી રાશિ ના બીજા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર ના પ્રભાવ થી તમારા જીવન સાથી ના આરોગ્ય માં ઘટાડો જોવા મળી શકે છે અને તમારું આરોગ્ય પણ બગડી શકે છે. આ સમય માં તમારા અને તમારા જીવન સાથી ની વચ્ચે વિચારો ની અથડામણ પણ નક્કી છે. આવા માં તમારે અમુક ધ્યાન રાખવું હશે અને કોઈપણ એવું કામ ના કરવું જોઈએ, કે જેથી વાત બગડી જાય. બીજી તરફ તમારું જીવનસાથી ઘર ના લોકો ના પ્રતિ પોતાની ફરજ સંપૂર્ણ નિષ્ઠા થી ભજવશે, જેથી પરિવાર માં તમારા બંને લોકો નું પદ વધશે અને તે તમારા બંને ઉપર પ્રેમ લૂંટાવશે. વેપાર ની બાબત માં તમને સારા પરિણામ મળશે અને આ ગોચર ના દરમિયાન તમે ધન સંચિત કરી શકવા માં સફળ થશો એટલે કે તમારું બેન્ક બેલેન્સ પણ વધશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મહાભુત થશે, તમારી વાતચીત માં ઘમંડ આવી શકે છે. આવી સ્થિતિ થી બચવા નું પ્રયાસ તમારે જરૂર કરવો જોઈએ, નહીંતર તમારા સંબંધો બગડી શકે છે અને બનેલા કાર્યો માં અવરોધ આવી શકે છે. જો તમે રાજ નીતિ ના ક્ષેત્ર થી છો તો આ દરમિયાન તમારી પબ્લિક ઇમેજ સારી બનશે અને તમને લોકો ની નજર માં સમ્માન મળશે.

ઉપાય: તમારે રવિવારે ગાય ને ગોળ ખવડાવું જોઈએ.

મીન રાશિ

મીન રાશિ ના લોકો માટે સૂર્ય દેવ તમારા છઠ્ઠા ભાવ ના સ્વામી છે અને પોતાની આ ગોચર અવધિ માં તે તમારા પ્રથમ ભાવ માં પ્રવેશ કરશે એટલે કે તમારીજ રાશિ માં, તેથી આ ગોચર તમારા માટે ઘણું મહત્તવપૂર્ણ રહેશે. આ ગોચર ના પ્રભાવ થી તમારા આરોગ્ય માં ઘટાડો જોવા મળશે અને તમારું આરોગ્ય વધઘટ ભરેલું રહેશે. તમારે વિશેષ રૂપ થી પોતાની ખાવા પીવા ની ટેવ ને સુધારવું હશે અને પોતાના શરીર ઉપર ધ્યાન આપવું હશે જો જરૂરિયાત હોય તો ડોક્ટર ની સલાહ લેવી પણ જોઈએ. આ ગોચર ના પ્રભાવ થી દામ્પત્ય જીવન માં પણ તણાવ વધશે અને તમારા અને તમારા જીવન સાથી ની વચ્ચે અહમ ની અથડામણ પણ હોઈ શકે છે. આવી સ્થિતિ માં તમારે ધ્યાન રાખવું હશે કેમકે ભૂલ તમારી બાજુ થી પણ થઇ શકે છે. વેપાર ની બાબત માં આ ગોચર થી તમને સારા પરિણામ મળશે. અને પહેલા કરતા સારી રીતે વેપાર માં સફળ થશો. ભાગીદાર થી તમારા સંબંધો ઉપર ખોટી અસર પડી શકે છે.

ઉપાય: તમારે રવિવારે ઘઉં અને ગોળ નું દાન કરવું જોઈએ.

રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer