કર્ક રાશિફળ 2021 - Kark Rashifal 2021 in Gujarati
કર્ક રાશિફળ 2021 માં અમે કર્ક રાશિ ના જાતકો ના જીવન ની દરેક નાની-મોટી ભવિષ્યવાણીઓ
લઈને આવ્યા છે. જેની મદદ થી તમે જાણી શકશો કે તમારા જીવન ના દરેક ક્ષેત્ર માં જેમકે
કરિયર, નાણાકીય, પારિવારિક, પ્રેમ, વૈવાહિક, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માં આ વર્ષ
તમને કેવા ફળ પ્રાપ્ત થશે. સાથેજ અમે તમને આ વર્ષ અને હજી પણ સારું બનાવવા માટે તમારી
રાશિ મુજબ ઉચિત અને સકારાત્મક ઉપાય જણાવશું।
કરિયર ના ક્ષેત્ર માં આ વર્ષ તમને મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. કેમકે શરૂઆત થી અંત સુધી જ્યાં રાહુ-કેતુ તમારી પોતાની રાશિ માં હાજર રહી તમને પડકાર આપવા નું કામ કરશે, ત્યાંજ શનિદેવ નું આશીર્વાદ તમારી રાશિ ને કાર્યક્ષેત્ર માં ઉપલબ્ધિ અને પ્રગતિ આપવા નું કામ કરશે। આવા માં સતત મહેનત કરતા રહો અને દરેક જાત ના ગેર કાયદાકીય ગતિવિધિઓ થી પોતાને દૂર રાખો। નાણાકીય સ્થિતિ ઉપર પણ ગ્રહો ની વિશેષ દૃષ્ટિ તમારા નાણાકીય જીવન ને સુખી બનાવવા માં મદદ કરશે, પરંતુ આરોગ્ય ના ખરાબ હોવા ના લીધે તમારું ધન ખર્ચ થઇ શકે છે. આવી સ્થિતિ માં ધન ને ભવિષ્ય ના માટે બચાવવા નું પ્રયાસ કરતા રહો. વેપારીઓ ને પણ નાણાકીય ફાયદો મળશે, જેથી તેમની પ્રગતિ થશે.
શિક્ષણ ના ક્ષેત્ર માં માત્ર મહેનતી છાત્રો ને સારા ફળ પ્રાપ્ત થશે. તમને ફેબ્રુઆરી થી એપ્રિલ ના દરમિયાન શનિ દેવ ની વિશેષ કૃપા પામવા થી સારા ફળ પ્રાપ્ત થશે. જેથી તમે પોતાની પરીક્ષા માં હજી સારું કરવા માં સફળ થશો. જોકે આની સાથેજ કેતુ તમારું ધ્યાન ભટકાવશે, જેથી તમને વિષયો ને સમજવા માં પણ મુશ્કેલી થઈ શકે છે. આવા માં પોતાના લક્ષ્ય પર એકાગ્રતા રાખી માત્ર અને માત્ર પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપો.
તમારા પારિવારિક જીવન ની વાત કરીએ તો તેના માટે સમયે અમુક ઓછુ અનુકૂળ દેખાય છે, કેમકે સાતમા ભાવ માં હાજર શનિ તમારા ચોથા ભાવ પર દ્રષ્ટિ નાખશે, જ્યાં પહેલા થી જ મંગળ હાજર છે. આવા માં તમને પોતાના પરિવાર થી દૂર જવું પડશે। આ સમયે તમને પારિવારિક સુખ નહીં મળે, અને તમારા પરિવાર ના ઘણાં સભ્યો તમારા કોઈ નિર્ણય વિરૂધ્ધ ઊભા દેખાશે। વૈવાહિક જીવન માં શનિ અને ગુરુ સારા પરિણામ નહીં આપે. જેથી તમારું પોતાના જીવનસાથી ની જોડે વિવાદ થતું રહેશે। પરંતુ તમે બંને પોતાના સંબંધો પ્રત્યે વફાદારી દેખાડતા દરેક પડકાર થી બહાર આવતા દેખાશો। દાંપત્ય જીવન ના માટે સમય સારું રહેશે, પરંતુ તમને આ સમયે પોતાની સંતાન પક્ષ ની સંગતિ ઉપર વિશેષ ધ્યાન આપવા ની જરૂર હશે.
ત્યાંજ જો પ્રેમ માં પડેલા જાતકો ની વાત કરીએ તો તમારા માટે વર્ષ ની શરૂઆત સારી હશે. વિશેષ રૂપ થી ફેબ્રુઆરી, મધ્ય માર્ચ, એપ્રિલ, મે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર નો સમય ઘણું સારું સાબિત થનાર છે. આ વર્ષ તમે બંને ને એક બીજા ના પ્રત્યે વફાદારી દેખાડવા નું શીખવશે। જેથી તમારો સંબંધ મજબૂત થશે. આરોગ્ય ની બાબત માં પણ તમને આ વર્ષે મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે, કેમ કે શનિ સાતમા અને આઠમા સ્થાન નો સ્વામી હોઈ તમારા સાતમા ભાવ માં હાજર હશે, જેથી તમારા આરોગ્ય માં નબળાઈ આવવા ના યોગ બનશે। આ વર્ષ નું અંત તમારા આરોગ્ય જીવન માટે સૌથી વધારે પ્રતિકૂળ રહેવાવાળો છે. આવા માં પોતાનું ધ્યાન રાખો।
Read in English - Cancer Horoscope 2021
કર્ક રાશિફળ 2021 ના મુજબ કરિયર
કર્ક રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ તમારા કરિયર ના માટે મિશ્રિત પરિણામ લઇને આવી રહ્યું છે. કેમકે વર્ષ ની શરૂઆત માં લાલ ગ્રહ મંગળ તમારી રાશિ થી દસમા ભાવ માં હાજર હશે, જેથી તમને કાર્ય ક્ષેત્ર માં પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત થશે. આ સમયે તમે દરેક કાર્ય ને સફળતા પૂર્વક કરી શકશો। આની સાથેજ શનિદેવ તમારી રાશિ થી સાતમા ભાવ માં વર્ષ પર્યંત હાજર રહેશે, જેથી તમને શુભ ફળો ની પ્રાપ્તિ થશે. આવામાં શનિ ની આ શુભ દૃષ્ટિ નોકરિયાત જાતકો ને પ્રમોશન આપવા માં સહાયક સાબિત થશે. વિશેષરૂપ થી આ વર્ષ એપ્રિલ થી સપ્ટેમ્બર ની વચ્ચે નુ સમય તમારા માટે અમુક મુશ્કેલી ભરેલું રહેશે। આવા માં જેટલું હોય પોતાના કાર્યક્ષેત્ર માં સાવચેત રહો, કેમકે તમને ભાગ્ય ની અછત હોવા થી મુશ્કેલી પણ થઈ શકે છે. આ દરમિયાન કાર્યસ્થળ પર કોઈની જોડે મતભેદ અથવા વિવાદ પણ શક્ય છે. શક્યતા વધારે છે કે આ વિવાદ કોઈ મહિલા સહકર્મી થી હોય, જેથી નકારાત્મક પ્રભાવ તમારી છવિ ને ખરાબ કરી શકે છે. આવા માં પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવા ની જરુર હશે.
કરિયર માટે સૌથી વધારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનો કર્ક રાશિ ના લોકો ના માટે સારું રહેવા નું છે. કાર્ય ક્ષેત્ર થી સંબંધિત વિદેશ જવા ની તક પણ તમને એપ્રિલ ના મહિના માં પ્રાપ્ત થશે. વેપારી વર્ગ ની વાત કરીએ તો વેપારીઓ ને શનિ અને ગુરૂ દેવ ની તમારી રાશિ ના સાતમા ભાવ માં હાજરી ઘણા સારા ફળ આપશે। આ દરમિયાન તમારા વેપાર માં વધારો થશે. સાથેજ નવા નવા સ્ત્રોતો થી ધન કમાવવા ની પણ તક મળશે। આની સાથેજ તમે આ વર્ષ કાર્ય, વ્યવસાય ના સિવાય સામાજિક કાર્યો માં પણ આગળ વધી ને ભાગ લેશો, જેથી તમારા વેપાર માં સુધારા ની સાથે સમાજ માં માન-સન્માન અને પ્રતિષ્ઠા માં વધારો થશે. જો તમે કોઈ પુંજી નિવેશ કરવા નું વિચારી રહ્યા છો તો, વેપાર માટે આ સમયે સારું સાબિત થશે. જોકે આ દરમિયાન તમને પોતાની મહેનત અને પ્રયાસો ને સતત રાખવા ની જરૂર હ.શે એના માટે કોઈપણ શોર્ટકટ અથવા ટૂંકા રસ્તા ને ના આપનાવો નહીંતર મુશ્કેલી થઈ શકે છે.
કર્ક રાશિફળ 2021 ના મુજબ નાણાકીય જીવન
કર્ક રાશિ ના જાતકો ના નાણાકીય જીવન ની વાત કરીએ તો, તેમના માટે આ વર્ષ સામાન્ય થી ઘણું સારું રહેશે। કેમકે તમને ઘણા ગ્રહો ની દૃષ્ટિ નુ શુભ પ્રભાવ પ્રાપ્ત થશે. જોકે વર્ષ ની શરૂઆત અમુક નબળી થઇ શકે છે, આવા માં પોતાના ખર્ચ પર નિયંત્રણ લાગાવતા, જેટલું શક્ય હોય પોતાના ધન ને બચત કરવા ની બાજુ વધારે પ્રયાસ કરવો જોઈએ। જોકે આના પછી મે ના દરમિયાન સ્થિતિઓ માં અમુક ફેરફાર આવશે અને વિશેષ રૂપ થી સરકારી ક્ષેત્ર થી તમને ધન લાભ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ સારી હોવા થી તમે પોતાનું ઉધાર અને બાકી નું બિલ ચૂકવવા માં સફળ થશો.
વર્ષ 2021 માં તમે પોતાના આરોગ્ય ઉપર ખર્ચ કરી શકો છો. આ દરમિયાન તમારું માનસિક તણાવ વધશે। આ વર્ષ ના ઓગસ્ટ મહિના માં તમને કોઈ સ્ત્રોત થી અચાનક થી નાણાકીય લાભ થશે, જેના લીધે તમે પોતાના ધન ને વધારે બચાવવા ની બાજુ વિચાર કરી શકો છો. જીવનસાથી ને લઈને પણ તમારા અમુક ખર્ચ થશે, પરંતુ આ ઉપરાંત પણ નાણાકીય સ્થિતિ સારી રહેશે। એકંદરે જોઈએ તો માર્ચ નો મહિનો તમારા માટે સૌથી વધારે સારો રહેશે। આ દરમિયાન તમારું લાભ સૌથી વધારે જોવા માં આવશે।
કર્ક રાશિફળ 2001 ના મુજબ શિક્ષા
કર્ક રાશિફળ 2021 ના મુજબ શિક્ષણ ના ક્ષેત્ર માં આ વર્ષ છાત્રો ને પહેલા થી વધારે મહેનત કરવા ની જરૂર હશે. કેમ કે આ વર્ષ છાત્રો ના માટે ઘણું વધઘટ થી ભરેલું રહેવા નું છે. વર્ષ ની શરૂઆત સારી હશે, જેથી વિદ્યાર્થીઓ ને સારા ફળ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમને પોતાની મહેનત નું ફળ મળશે અને પ્રતિયોગી પરીક્ષા માં સફળતા પ્રાપ્ત કરવા માં તમે પોતાને સક્ષમ અનુભવ કરશો। આ સમય ભાગ્ય નુ સાથ તમને મળશે અને પોતાના શિક્ષકો નું પણ સહયોગ તમે અનુભવ કરશો। યોગ બની રહ્યા છે કે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ ના માટે જાન્યુઆરી અને ઓગસ્ટ નો મહિનો સૌથી વધારે સારું રહેશે। આ દરમિયાન તમે દરેક પરીક્ષા માં મહેનત મુજબ ફળ મેળવશો। જેના લીધે લોકો તમારી પ્રશંસા કરશે।
જોકે વર્ષ પર્યન્ત તમારી રાશિ થી પાંચમાં ભાવ માં કેતુ ની હાજરી ઘણા છાત્રો ના મન ને ભટકાવવા નું કામ કરશે। કેતુ તમારું મન અભ્યાસ માં નહિ લાગવા દે. આવા માં તમને વધારે એકાગ્રતા ની સાથે અભ્યાસ કરવા ઉપર ધ્યાન આપવું હશે. નહીંતર નુકસાન થઈ શકે છે. જે છાત્ર ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરવા નું વિચારી રહ્યા છે તેમના માટે એપ્રિલ ના પહેલા સપ્તાહ માં અને તે પછી સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી નો સમય સારું રહેશે। આ દરમિયાન તમને વધારે સફળતા મળશે જોકે આના સિવાય તમને અમુક વિશેષ ધ્યાન રાખતા વધારે મહેનત કરવા ની જરૂર હશે ત્યારે તમને આના શુભ ફળ પ્રાપ્ત થશે. વિદેશ જઈને અભ્યાસ કરવા નું વિચારી રહેલા વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તેમને જાન્યુઆરી ની શરૂઆતમાં અને તે પછી મે થી જુલાઈ ની વચ્ચે કોઇ વિદેશી કોલેજ અથવા સ્કૂલ માં એડમિશન થવા ના શુભ સમાચાર મળી શકે છે.
કર્ક રાશિફળ 2021 ના મુજબ પારિવારિક જીવન
કર્ક રાશિફળ 2021 ના મુજબ, તમારા પારિવારિક જીવન માં આ વર્ષ ઘણા પડકારો આવનારા છે. આ વર્ષ ની શરૂઆત તમારા માટે સારી નથી દેખાતી। આની સાથેજ તમારી રાશિ ના સાતમા ભાવ માં હાજર શનિદેવ ની દ્રષ્ટિ તમારા ચોથા ભાવ ઉપર હશે, જેના લીધે તમને પારિવારિક સુખ માં ઘટાડો અનુભવ થશે. સાથેજ પરિવાર નો સહયોગ પ્રાપ્ત કરવા માં પણ તમને મુશ્કેલી થશે. જેથી તમારું અંગત જીવન તણાવ પૂર્ણ રહેશે। તમારા પરિવાર ના સભ્ય તમારા થી અસંતુષ્ટ દેખાશે। જોકે આના માટે તમે પોતાના પ્રયાસ સતત રાખશો પરંતુ નિરાશા જ હાથ લાગવા થી મન વિચલિત રહેશે।
ઘર ની પરિસ્થિતિઓ તમારા વિરુદ્ધ હશે, જેથી તમારા સ્વભાવ માં ફેરફાર સ્પષ્ટ દેખાશે। આવા માં પોતાના ક્રોધ ને શાંત રાખો અને દરેક વિવાદ ને પોતા થી દુર રાખો। આ વર્ષ તમને કાર્યક્ષેત્ર ની બાબત માં ઘર થી દૂર પર જવું પડી શકે છે. આ દરમિયાન તમે અમુક અસહજ અનુભવ કરશો। વર્ષ ની શરૂઆત તમારા માટે સારી નહીં હોય, કેમકે મંગળ તમારા માં ચોથા ભાવ માં હશે, જ્યાં શનિ ની દૃષ્ટિ પણ હશે. આ દરમિયાન પારિવારિક વાતાવરણ સુખદ નહીં હોય, પરિવાર માં કોઇ વાત ને લઇને વિરોધાભાસ દેખાશે, જે લાંબા સમય સુધી કાયમ રહેશે। જોકે નાના ભાઈ બહેનો થી તમારા સંબંધો સારા હશે. આવા માં આનો લાભ ઉપાડતા તમે તેમની વાતો ને સમજો અને પોતાની વાતો પણ તેમને સમજાવવા નો પ્રયાસ કરતાં રહો.
કર્ક રાશિફળ 2021 ના મુજબ વૈવાહિક જીવન અને સંતાન
કર્ક રાશિ ના જાતકો ને આ વર્ષ મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે, કેમકે આ વર્ષ ઘણા ગ્રહો ની બદલતી દશા તમારા પરિણીત જીવન માં તણાવ ની ઉત્પત્તિ કરશે। ત્યાંજ અમુક શુભ ગ્રહ, તમારા દાંપત્ય જીવન માં પ્રેમ વરસાવવા નું કામ પણ કરશે। ક્રૂર ગ્રહો ની દૃષ્ટિ ના લીધે તમારા અને જીવનસાથી ના સંબંધો માં આકર્ષણ માં ઘટાડો આવશે। આની સાથેજ તમારા જીવનસાથી નું પણ રસ આધ્યાત્મિકતા ની બાજુ વધશે અને આનો સીધો પ્રભાવ તમારા વૈવાહિક સંબંધો પર દેખાશે, કેમકે જે સમયે તમે પોતાના જીવનસાથી થી પ્રેમ ભરેલી વાતો કરશો, તે ધર્મ કર્મ ની વાતો કરી તમારું દિલ તોડી શકે છે. આવા મા પોતાને અને પોતાના સાથી ને સમય આપો.
તમને 14 જાન્યુઆરી થી 12 ફેબ્રુઆરી ની વચ્ચે પોતાના વિવાહિત જીવન માં ઘણા ફેરફાર અનુભવ થશે. કેમકે આ દરમ્યાન સૂર્ય દેવ નું ગોચર તમારી રાશિ થી શનિ દેવ ની સાથે સાતમા ભાવ માં થશે, જેના લીધે તમારા બંને માં વિવાદ શક્ય છે. પરંતુ આના ઉપરાંત પણ તમારા સંબંધો ના પ્રત્યે તમે બંને વફાદારી રાખશો જેથી સંબંધો ના દરેક તણાવ અને વિવાદ દૂર કરવા માં મદદ મળશે। આના પછી ફેબ્રુઆરી ના મહીના માં શુક્ર દેવ નું ગોચર પણ મકર રાશિ માં થવા થી તમારી રાશિ પર આનું શુભ પ્રભાવ પડશે। જેથી તમારા બંને ના સંબંધો માં અપનત્વ અને આકર્ષણ વધશે। તમે સાથી ની જોડે કોઈ યાત્રા પર જવા નો પ્લાન બનાવી શકો છો. આ વર્ષે 2 જૂન થી 21 જુલાઈ ની વચ્ચે મંગળ નું ગોચર તમારી જ રાશિ માં હોવા થી તમારું દાંપત્ય જીવન અમુક પરેશાન હોઈ શકે છે. ત્યાંજ જો તમે અને તમારું જીવન સાથી એક સાથે વેપાર કરો છો, તો તમારા બંને ના માટે આ ગોચર બહુ સારું રહેશે।
જો તમારા દાંપત્ય જીવન ની વાત કરીએ તો, તેમાં તમને સારા ફળ પ્રાપ્ત થશે. કેમકે આ વર્ષ શનિ અને ગુરુ તમારી રાશિ થી સાતમા ભાવ માં હાજર હશે, જેના લીધે તમને દાંપત્ય જીવન માં પણ મિશ્ર પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ કેતુ ની હાજીરી તમારી રાશિ ના પાંચમા ભાવ માં હોવા થી સંતાન ને આ સંપૂર્ણ વર્ષ નાની-નાની મુશ્કેલીઓ આવતી રહેશે। પરંતુ તમે તેમની સાથે ઉભા રહેશો, જેથી તમારી સંતાન નું આત્મવિશ્વાસ વધશે અને તે પહેલાં થી હજી વધારે સારું કરવા માં સફળ થશે.
કર્ક રાશિફળ 2021 ના મુજબ પ્રેમ જીવન
પ્રેમ માં પડેલા જાતકો નું જીવન આ વર્ષ સામાન્ય થી સારું રહેવાનું છે, કેમકે કર્ક રાશિફળ 2021 ના મુજબ વર્ષ ની શરૂઆત થી ફેબ્રુઆરી સુધી તમને ઘણા શુભ પરિણામ પ્રાપ્ત થશે. જોકે આના પછી મધ્ય માર્ચ સુધી પ્રેમીઓ ને અમુક પરેશાની થઇ શકે છે. પરંતુ માર્ચ થી એપ્રિલ ના મધ્ય સુધી નો સમય તમારા પ્રેમ જીવન માટે ઉત્તમ સાબિત થશે. આ અવધિ માં તમે પોતાને અને પોતાના પ્રિયતમ ની ઘણી નજીક અનુભવ કરશો અને પ્રેમી ની સાથે પોતાના દિલ ને દરેક વાત ને શેર કરવા માં સક્ષમ હશો.
કર્ક રાશિ ના પ્રેમી જાતકો ના માટે મે, ઓગસ્ટ અને તે પછી સેપ્ટેમ્બર નો મહિનો ઘણું સારું રહેવાનું છે. જોકે આ દરમિયાન વચ માં શનિદેવ તમારા બંને ની પરીક્ષા લેતાં તમને ઘણા પડકારો આપતા રહેશે। પરંતુ તમે અને તમારા સાથી દરેક પડકાર નું સામનો કરતા પોતાના સંબંધ ને મજબુત બનાવવા નો પ્રયાસ કરશો। આવા માં તમને અમુક સાવચેતી રાખવા ની અને પોતાના પ્રિયતમ પર વિશ્વાસ દેખાડવા ની જરૂર હશે. જો કે આ સમયે પ્રેમી જાતકો ને પોતાના માનસિક તણાવ માં વધારો અનુભવ થશે અને તમે પોતાના ઉપર ઘણી સ્થિતિઓ માં વધારે દબાણ અનુભવ કરશો। આવા માં તમને જરૂરિયાત હશે પોતાના સાથી ની જોડે સમય પર દરેક વિવાદ અને ગેરસમજ ને સમય રહેતા ઉકેલવા ની.
કર્ક રાશિફળ 2021 ના મુજબ આરોગ્ય
કર્ક રાશિફળ 2021 ના મુજબ, આરોગ્ય જીવન માં કર્ક રાશિ ના લોકો ને આ વર્ષે વિશેષ સાવચેતી રાખવા ની જરૂર હશે, કેમકે શનિ આ સંપૂર્ણ વર્ષ તમારી રાશિ થી સાતમા ભાવ માં હશે, જે તમારી રાશિ ના સાતમા અને આઠમા ભાવ ના સ્વામી પણ છે અને તમારા છઠ્ઠા અને ચોથા ભાવ ને દૃષ્ટિ આપી રહ્યા છે. આની સાથેજ ગુરુ પણ તમારા છઠ્ઠા ભાવ માં રહેશે। આવા માં આ ગ્રહો ની સ્થિતિ તમને અમુક આરોગ્ય સમસ્યાઓ પ્રદાન કરવા નું કામ કરશે। આ દરમિયાન તમારે વિશેષ સાવચેતી રાખવી હશે, નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે.
વાહન ચલાવનારા જાતકો ને પણ વાહન ચલાવતાં સમયે સાવચેતી રાખવી હશે, નહીંતર કોઈ અકસ્માત થઈ શકે છે. આની સાથેજ શરૂઆતી મહિના, જાન્યુઆરી થી એપ્રિલ ની વચ્ચે મા તમને આરોગ્ય સંબંધિત કોઇ વિશેષ કષ્ટ વેઠવું પડી શકે છે. આવા માં તમે પોતાના ખોરાક નું ધ્યાન રાખી તમે આના થી મુક્તિ મેળવી શકો છો. આની સાથેજ 15 સપ્ટેમ્બર થી 20 નવેમ્બર ની વચ્ચે આરોગ્ય સમસ્યાઓ માં સ્થિતિ અમુક સારી થશે, પરંતુ શારીરિક વિકારો કાયમ રહેશે। આ દરમિયાન કાર્ય વ્યવસાય અને પારિવારિક જીવન નું તણાવ પોતાના ઉપર ભારે ના થવા દો અને સમય સમય પર કોઈ સારા ડૉક્ટર ની સલાહ લેતા રહો. ઘરે થી નીકળતા સમયે સારી રીતે જમી ને જ નીકળો અને પોતાની પાસે સ્વચ્છ પાણી ની બોટલ રાખો।
કર્ક રાશિફળ 2021 ના મુજબ જ્યોતિષીય ઉપાય
- કોઈપણ સોમવાર ના દિવસે અથવા ચંદ્ર ની હોરા પર ઉત્તમ ગુણવત્તા વાળું મોતી રત્ન ચાંદી ની મુદ્રિકા માં ધારણ કરો. આના થી તમને કાર્યક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત થશે.
- તમારા માટે નિરંતર બજરંગ બાણ નો પાઠ કરવું અને શ્રી ગણપતિ અથર્વશીર્ષ નું પાઠ કરવો ઘણું શુભ સાબિત થશે.
- શક્ય હોય તો દરરોજ ગુરુ ના બીજ મંત્ર નું 108 વાર જાપ કરો. આના થી તમને આરોગ્ય કષ્ટો થી મુક્તિ મળશે।
- સોમવાર ના દિવસે કોઈ પણ મંદિર માં જઈ શિવજી ને અક્ષત ચઢાવો અને શિવલિંગ નું અભિષેક કરો.
- તમે મંગળવાર ના દિવસે મંદિરે જઈ લાલ રંગ નું ધ્વજ પણ લગાવી શકો છો. આના થી મંગળ ગ્રહ મજબુત થશે અને તમને શુભ ફળ પ્રદાન કરશે।
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada