વૃશ્ચિક રાશિફળ 2021 - Vrushchik Rashifal 2021 in Gujarati
વૃશ્ચિક રાશિફળ 2021 (Vrishchik Rashifal 2021) ના મુજબ આવનારું નવું વર્ષ વૃશ્ચિક
રાશિ ના જાતકો માટે ઘણાં પરિવર્તન અને સૌગાત લઈને આવનાર છે. આ સમયે તમારું કરિયર અમુક
તણાવપૂર્ણ દેખાય છે. તમને આ વર્ષે પોતાના કાર્યક્ષેત્ર માં શનિ ના પ્રભાવ ના લીધે વધારે
મહેનત કરવી પડશે। ત્યારેજ તમને શનિદેવ શુભ ફળ આપશે। શનિ ની દૃષ્ટિ તમારા આળસ માં વધારો
કરશે, જેથી તમારું મન કોઈ પણ કાર્ય માં નહીં લાગે। આવા માં તમને પોતાના સમય ની કિંમત
ને સમજતા તેનો લાભ ઉપાડવા ની અને માત્ર અને માત્ર પોતાના કામ ઉપર ધ્યાન આપવા ની જરૂર
હશે. નહિતર તમને પરેશાની થઈ શકે છે. નાણાકીય જીવન ની વાત કરીએ તો તેના માટે સમય સારો
રહેશે। તમને આ વર્ષ ધન ની પ્રાપ્તિ થશે, પરંતુ સાથેજ તમારા ખર્ચ માં પણ વધારો જોવા
માં આવશે। તમને આ વર્ષ પોતાના ધન ને બચાવવા ની બાજુ અને તેનું સારી રીતે નિવેશ કરવું
શીખવું હશે. નહીંતર આગળ જઈને નાણાકીય કટોકટી માંથી પસાર થવું પડી શકે છે.
પ્રાપ્ત કરો પોતાની કરિયર પરામર્શ રિપોર્ટ
છાત્રો ની વાત કરીએ તો આ વર્ષ છાત્રો ને અભ્યાસ માં તો સારા ફળ પ્રાપ્ત થશે, પરંતુ તેમના માટે પહેલા થી જ વધારે મહેનત કરવાની જરૂર હશે. તમારું મન અભ્યાસ માં ઓછું લાગશે જેનું મુખ્ય કારણ તમારી ખરાબ સોબત હોઈ શકે છે. આવા માં પોતાના લક્ષ્ય ને પોતાના દિમાગ માં રાખતા માત્ર અને માત્ર પોતાના અભ્યાસ પર ધ્યાન આપો. આ દરમિયાન જો કોઈ મુશ્કેલી અનુભવ થાય છે તો તેને સંતાડવા ની જગ્યા પોતાના માતા-પિતા અથવા પોતાના શિક્ષકો ની જોડે શેર કરો. પારિવારિક જીવન માટે આ વર્ષ વૃશ્ચિક રાશિ ના જાતકો ને અમુક પ્રકાર પરેશાની હશે. તમારા માતા પિતા નું આરોગ્ય ખરાબ થઈ શકે છે, જેનું નકારાત્મક પ્રભાવ તમારા ઉપર પડશે। જો કે ભાઈ બહેન નું સંપૂર્ણ સહયોગ તમને મળતું રહેશે। જેથી તમે કાર્યક્ષેત્ર માં પહેલા થી વધારે સારું પ્રદર્શન કરી શકશો।
વૈવાહિક જાતકો ને આ વર્ષે પોતાના વૈવાહિક જીવન માં અમુક કષ્ટ સંભવ છે. તમારું અને જીવનસાથી નું નકામી વાતો ને લઈને ઝઘડો થતો રહેશે। જેના નકારાત્મક પ્રભાવો તમારા આરોગ્ય અને માનસિક તણાવ ઉપર પણ પડશે। સંતાન પક્ષ થી સુખ પ્રાપ્ત થશે અને તે પોતાનું સારું પ્રદર્શન કરીને ઘર પરિવાર ના લોકો નું દિલ જીતવા માં સફળ થશે. ત્યાં જ પ્રેમ જીવન માં પ્રેમની ભરમાર રહેશે, પરંતુ વચ્ચે તમને પ્રેમી ના ગુસ્સા નો સામનો પણ કરવો પડી શકે છે. આ સમય પોતાને આગળ ના રાખતા માત્ર પોતાના સંબંધ ને જ આગળ રાખીને ચાલો તો સારું હશે. પ્રેમ વિવાહ માં બંધાવા માં સફળતા મળશે। તમારા આરોગ્ય જીવન ને જોઈએ તો આ વર્ષ ક્રૂર ગ્રહો નો પ્રભાવ તમને શારીરિક કષ્ટ આપી શકે છે. વિશેષ રૂપ થી શરૂઆત ના મહિનાઓ માં આરોગ્ય હાનિ સંભવ છે. તમને દરેક પ્રકાર ના રોગ થી પોતાને બચાવી ને રાખવા ની સલાહ આપવા માં આવે છે. નહિતર આ રોગ તમને લાંબા સમય સુધી પરેશાન કરતા રહેશે।
Read in English - Scorpio Horoscope 2021
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ કરિયર
વૃશ્ચિક રાશિવાળા જાતકો ને વર્ષ 2021 માં પોતાના કરિયર ના ક્ષેત્ર માં અમુક પરેશાની આવી શકે છે. કેમ કે આ વર્ષ કાળ પુરુષ ની કુંડળી ના મુજબ શનિ તમારા ત્રીજા ઘર માં હાજર રહેશે। જેથી તમને પહેલા થી વધારે મહેનત કરવા ની જરૂર હશે. આ દરમિયાન તમારા સ્વભાવ માં ઘણો આળસ જોવા માં આવશે। આવા માં તમને પોતાની ટેવ થી મુક્તિ મેળવતા આગળ વધવું હશે, નહીંતર પરિણામ તમારા વિરુદ્ધ થઇ જશે. તમારું આળસ તમારા કાર્યક્ષેત્ર માં પણ પડકારો લઈને આવશે। વિશેષરૂપ થી આ વર્ષે જાન્યુઆરી ના વચ્ચે થી ફેબ્રુઆરી, મધ્ય માર્ચ, મધ્ય એપ્રિલ, જૂન અને જુલાઈ નું સમય તમારા માટે ઘણું મુશ્કેલીઓ થી ભરેલું રહેવાનું છે. એટલે કે તમને શરૂઆત ના 6 મહિના માં ઘણું સાવચેતી પૂર્વક કાર્ય ક્ષેત્ર પર ધ્યાન આપવા ની જરૂર હશે. કોઇ પણ નવા કામ ને લેતાં પહેલાં તમારે તે કામ ના માટે સારી રણનીતિ બનાવવું સારું રહેશે। આ સમયે કંઇક પણ એવું ન કરવો જેથી તમારી નોકરી જવા નું ખતરો બને.
જોકે જુલાઈ ના પછી સ્થિતિઓ અમુક સારી થતી જોવા માં આવશે અને ઓગસ્ટ નો મહિનો તમારા માટે વિશેષ રૂપ થી સારો રહેશે। આ સમયે તમે એક નવી શરૂઆત ની સાથે કાર્ય કરતા દેખાશો અને આના થી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. જે જાતક નોકરિયાત છે અને પોતાના ટ્રાન્સફર નો વિચારી રહ્યા છે. જુલાઈ નો મહિનો તેમના માટે સારો રહેશે। તમને વર્ષ ના અંત માં વિદેશ જવાની તક મળી શકે છે. જેથી તમે પોતાનું ધન પણ મેળવવા માં સફળ રહેશો।
વેપારી જાતકો ની વાત કરીએ તો તેમના માટે વર્ષ 2021 ની શરૂઆત ઘણી સારી રહેશે। સૌથી વધારે માર્ચ થી ઓક્ટોબર નો મહિનો તમારા માટે ભાગ્યશાળી રહેવાવાળો છે. આ સમયે તમારી મુલાકાત ઘણા નવા નિવેશકો થી થશે, જેથી તમને ભવિષ્ય માં ફાયદો મળશે।
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ નાણાકીય જીવન
નાણાકીય રાશિફળ ની વાત કરીએ તો વર્ષ 2021 માં વૃશ્ચિક રાશિ ના લોકો ને અનુકૂળ ફળ પ્રાપ્ત થશે. જોકે શરૂઆત માં તમારા ખર્ચ માં વધારો થશે. આ દરમિયાન તમારુ કોઈની જોડે પ્રોપર્ટી અથવા ધન ને લઈને વાદ-વિવાદ શક્ય છે. જો કે આના પછી તમને ધન લાભ થવા ના યોગ બનતા દેખાય છે. જોકે ધન થી સંકળાયેલી કોર્ટ કચેરી માં કોઈ બાબત અટકેલી હતી તો આ વર્ષ તેનો નિર્ણય તમારા પક્ષ માં આવી શકે છે. ધનલાભ થવા ની સાથે તમારા ખર્ચ માં પણ વધારો સતત કાયમ રહેશે। જે જાતક લાંબા સમય થી ધન બચાવવા નો પ્રયાસ કરી રહ્યા હતા તેમને આ વર્ષ મુશ્કેલી આવી શકે છે.
જોકે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેવા થી આનો પ્રભાવ તમારા જીવન ઉપર નહીં પડે. એપ્રિલ થી લઈ સપ્ટેમ્બર ની વચ્ચે નો સમયતમારા માટે અમુક પરેશાની ભરેલું સાબિત થશે. આ સમયે ઘર-પરિવાર ની બાજુ પોતાની અમુક ઈચ્છાઓ ની પૂર્તિ માટે તમે ખર્ચ કરતા પણ દેખાશો। ઘર માં કોઈ માંગલિક કાર્યક્રમ નું આયોજન થઇ શકે છે. આના સિવાય જુલાઈ અને ઓગસ્ટ નો સમય તમારા માટે વિશેષ રૂપ થી લાભદાયક સાબિત થશે.
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ શિક્ષા
વૃશ્ચિક રાશિફળ 2021 ની વાત કરીએ તો, શિક્ષા ના ક્ષેત્ર માં આ વર્ષ છાત્રો ને પહેલા થી વધારે મહેનત કરવા ની જરૂર હશે. જો તમે અભ્યાસ માં સામાન્ય છાત્ર છો, તો તમને સફળતા મેળવવા માટે પોતાના ગુરુજનો અને શિક્ષકો ની જરૂર પડી શકે છે. આવા માં તેમની મદદ અને સહયોગ લેવા માં બિલકુલ પણ અચકાશો નહિ. પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા છાત્રો ને પરીક્ષા માં સફળતા પ્રાપ્ત થશે. જે દરમિયાન તમારો પરિવાર પણ તમને પ્રોત્સાહિત કરતો દેખાશે। ઉચ્ચ શિક્ષણ ના ક્ષેત્ર માં છાત્રો ને જાન્યુઆરી થી એપ્રિલ સુધી ઘણા સારા ફળ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમને કોઈ સારી જગ્યા એડમિશન ના શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. જે છાત્ર વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઇ રહ્યા છે, તેમનું આ સ્વપ્ન જાન્યુઆરી, એપ્રિલ અને સપ્ટેમ્બર મહિના માં પૂરું થઈ શકે છે. આ સમયે તમને આ વાત નું ધ્યાન રાખવું હશે કે પહેલા થી જ પોતાના બધા કાગળીયા ભેગા કરી લો.
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ પારિવારિક જીવન
પારિવારિક જીવન ની વાત કરીએ તો, વૃશ્ચિક રાશિ ના જાતકો ને વર્ષ 2021 માં અમુક પડકારો માંથી પસાર થવું પડી શકે છે. કેમ કે ગ્રહો ની દૃષ્ટિ તમારા પારિવારિક જીવન ને સૌથી વધારે પ્રભાવિત કરનારી છે. માતા-પિતા ની આરોગ્ય સંબંધી પરેશાની તમને તણાવ આપશે। વિશેષ રૂપ થી જાન્યુઆરી ના વચ્ચે થી લઈને ફેબ્રુઆરી ના વચ્ચે સુધી પિતાજી ના આરોગ્ય માં ઘટાડો જોવા મળશે, જેથી તેમનો સ્વભાવ તમારા પ્રત્યે ગુસ્સો વાળો જોવામાં આવશે। જોકે એપ્રિલ ના પહેલા સપ્તાહ થી લઇને સપ્ટેમ્બર અને પછી 20 નવેમ્બર સુધી નો સમય તમારા માટે ઘણું અનુકૂળ રહેવાવાળો છે. આ સમય તમને પોતાના ભાઇ-બહેન નું સાથ મળશે, અને કાર્યક્ષેત્ર માં પણ ઘર ના સભ્યો નુ સહયોગ પ્રાપ્ત થશે.
ઘર-પરિવાર માં માંગલિક કાર્યક્રમ નું આયોજન હોવાથી, ઘર માં સુખ-શાંતિ રહેશે। મહેમાનો અને સંબંધીઓ નું આગમન ઘર ના વાતાવરણ ને વધારે ખુશાલ બનાવશે। પોતાના પરિવાર ની જોડે કોઈ યાત્રા પર જવાનો પ્લાન કરી શકો છો. જો કે 15 સપ્ટેમ્બર થી નવેમ્બર ની વચ્ચે પિતાજી નું આરોગ્ય ફરી થી ખરાબ થઈ શકે છે. આની પાછળ નું કારણ તેમનું માનસિક તણાવ હશે. આવામાં તેમનું ધ્યાન રાખવું તમારું કર્તવ્ય હશે. તમને આ વર્ષે પોતાના ઘર ના સભ્યો ના પ્રત્યે સકારાત્મક વ્યવહાર દેખાડવા ની સૌથી વધારે જરૂર હશે.
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ વૈવાહિક જીવન અને સંતાન
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ પરિણીત જાતકો ના જીવન માં ઘણી વધઘટ લઈને આવવા નું છે. કેમ કે, રાહુ તમારી રાશિ થી આ વર્ષ સાતમા ભાવ માં હાજર હશે. જેથી તમને વૈવાહિક જીવન માં કષ્ટ શક્ય છે. વિશેષ રૂપ થી 22 ફેબ્રુઆરી થી 14 એપ્રિલ ની વચ્ચે નો સમય વૈવાહિક જીવન ના માટે અમુક તણાવપૂર્ણ રહેશે। શક્યતા છે કે તમારું પોતાના જીવનસાથી ની જોડે કોઈ વાત ને લઈને વિવાદ થાય, જેના લીધે તમારા બંને ની વચ્ચે બોલાચાલી કાયમ રહેશે। તમને પણ આ સમય પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું હશે, નહીંતર તમારા ખરાબ આરોગ્ય ના લીધે તમારા દાંપત્ય જીવન ઉપર ખરાબ પ્રભાવ પડી શકે છે. મે નો મહિનો તમારા માટે વિશેષ સાવચેત રહેવાનું હશે, કેમ કે આ સમય જો તમે કોઈ પણ વાત ને અવગણશો તો નાની વાત ને પણ મોટી બનતા વાર નહિ લાગે। જેથી તમારું વૈવાહિક જીવન પણ પ્રભાવિત થશે. આવા માં સૌથી સારું હશે કે પોતાના જીવનસાથી ની જોડે બેસી ને દરેક વિવાદ ને ઉકેલો।
તમારા દાંપત્ય જીવન ની વાત કરીએ તો જાન્યુઆરી મહિના થી ઓક્ટોબર નો મહિનો તમારા માટે સારું હશે. આ દરમિયાન તમને સંતાન પક્ષ ની ઉન્નતિ જોવા મળશે, સાથે જ તે પોતાના કાર્યક્ષેત્ર માં સારૂ પ્રદર્શન કરતા દેખાશે। તમારા અને સંતાન ની વચ્ચે નો પ્રેમ વધશે, જેથી તમારું જીવન સાથી પણ ખુશ રહેશે। ઓગસ્ટ નો મહિનો વિવાહિત જીવન માટે સારું રહેવાનું છે. આ સમયે તમે જીવનસાથી ની જોડે યાત્રા ઉપર જઈ શકો છો. તમને તેમની મદદ થી લાભ પણ શક્ય છે. સંતાન પક્ષ સપ્ટેમ્બર થી નવેમ્બર માં કોઈ મોટી ઉપલબ્ધી મેળવવા માં સફળ રહેશે। જેથી સમાજ માં તમારું માન સન્માન વધશે।
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ પ્રેમ જીવન
પ્રેમ જીવન ના માટે રાશિફળ 2021 વધઘટ ભરેલી સ્થિતિઓ ની બાજુ સૂચન કરે છે. વૃશ્ચિક રાશિ ના લોકો ને આ વર્ષ શનિ ની દૃષ્ટિ પાંચમાં ભાવ માં હોવા થી અમુક પરેશાની આવી શકે છે. જોકે તે જાતક જે ઊંડા પ્રેમ માં છે, તેમનું પ્રેમ આ વર્ષ હજી ઊંડું થશે. સિંગલ જાતકો ને અત્યારે વધારે ઇન્તજાર કરવું પડી શકે છે. આશંકા છે કે પ્રેમ જીવન માં પ્રિયતમ ના પ્રત્યે તમારો વિશ્વાસ અમુક કમજોર દેખાય। આવા માં દરેક જાત ની ગેરસમજ ને ઉકેલવું જ સમજદારી હશે. આની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિ નું હસ્તક્ષેપના થવા દો. એપ્રિલ અને સપ્ટેમ્બર નો મહિનો તમારા માટે અમુક પ્રતિકૂળ દેખાય છે. શક્યતા છે કે તમે બંને ને કોઈ કારણસર એકબીજા થી દૂર જવું પડે. આવા માં જ્યારે સમય મળે પોતાના સંવાદ ને કાયમ રાખવા નો પ્રયાસ કરો અને એકબીજા ની સાથે પોતાની વાતો, પોતાના વિચારો અને પોતાની લાગણીઓ ને શેર કરતા રહો. માર્ચ થી એપ્રિલ નું સમય પ્રેમી યુગલ માટે સારું રહેશે। આ દરમિયાન તમને સારા પરિણામ મળશે। જોકે આના પછી એપ્રિલ ના અંત થી અમુક વિવાદ ઉભા થવા લાગશે। સપ્ટેમ્બર નો સમય પ્રેમ વિવાહ નું યોગ દેખાડે છે. આવા માં જો તમે પોતાના પ્રેમી ની સાથે પોતાના સંબંધ ને હજી વધારે મજબૂત બનાવવા માંગો છો. તો પ્રેમ વિવાહ નો નિર્ણય લઈ શકો છો. આ સમયે તમારા આ નિર્ણય માં તમને પોતાના ઘરવાળાઓ નું સહયોગ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ આરોગ્ય જીવન
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ, આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી આ વર્ષ તમને વિશેષ પરિણામ આપશે। આમ તો આ વર્ષ તમારો આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ કેતુ નો પ્રભાવ તમારી પરીક્ષા લેતાં, તમને વચ માં શારીરિક કષ્ટ પ્રદાન કરતું રહેશે। આવા માં પોતાના ખોરાક ઉપર વધારે સાવચેતી રાખો, અને જેટલું શક્ય હોય તળેલું ખાવા થી બચો. કેમકે આ વર્ષ તમને થનારા રોગો લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. આવા માં કોઈપણ બીમારી ને ના અવગણતા તરત સારવાર કરાવો। વિશેષ રૂપ થી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે નું મહિનો તમારા માટે પ્રતિકૂળ સાબિત થશે. આ સમય ના સિવાય તમને વર્ષ પર્યન્ત સારા પરિણામ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિફળ 2021 ના મુજબ જ્યોતિષીય ઉપાય
- ઉત્તમ ગુણવત્તા વાળો મૂંગા રત્ન પહેરવું તમારા માટે શુભ રહેશે।
- મોતી રત્ન ને ચાંદી ના અર્ધચંદ્ર ની સાથે પોતાના ગળા માં ધારણ કરો. આના થી તમને કાર્યક્ષેત્ર માં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.
- દરરોજ ઘરે થી નિકળતા પહેલા પોતાના કપાળ પર શુદ્ધ કેસર અથવા હળદર નું તિલક લગાવો। આના થી તમારો દિવસ શુભ પસાર થશે.
- સંભવ હોય તો પરિવાર ની જોડે મળી ને પોતાના નિવાસ સ્થાન પર રૂદ્રાભિષેક પૂજન આયોજિત કરો.
- તાંબા ના વાસણ માં જળ અને અમુક દાણા ખાંડ ના ભેળવી તે જળ ને દરરોજ સવારે ઉદિત થતાં સૂર્ય દેવ ને અર્પિત કરો. આના થી તમને કરિયર માં આવી રહેલી દરેક સમસ્યા થી મુક્તિ મળશે।
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada