સિંહ રાશિફળ 2021 - Singh Rashifal 2021 in Gujarati
સિંહ રાશિફળ 2021 (Singh rashifal 2021) ના વડે હંમેશા ની જેમ એસ્ટ્રોસેજ લઈને આવ્યું
છે તમારા માટે આવનાર 12 મહિના નું સંપૂર્ણ રાશિફળ। જેની મદદ થી તમે જાણી શકો છો કે
આવનારું નવું વર્ષ તમારા જીવન ના દરેક ક્ષેત્ર ના માટે કેવું રહેવા વાળું છે? આ દરમિયાન
તમને પ્રેમ જીવન, વૈવાહિક જીવન, પારિવારિક જીવન, નાણાકીય જીવન, આરોગ્ય જીવન, વગેરે
માં શુ મુશ્કેલીઓ આવનારી છે? આની સાથેજ આ લેખ માં તમારી રાશિ ના મુજબ અમુક સટીક ઉપાયો
પણ જણાવવા માં આવ્યા છે, જેની મદદ થી તમે પોતાના આવનારા સમય ને સારો બનાવી શકો છો.
તમારા કરિયર ની વાત કરીએ તો તેના માટે વર્ષ 2021 સારું રહેવા વાળું છે. તમને કાર્ય ક્ષેત્ર માં સફળતા મળશે, જેથી તમારું પ્રમોશન શક્ય છે. પરંતુ આ સમયે યોગ બની રહ્યા છે કે કોઈપણ કારણસર તમારું કાર્ય સ્થળ ઉપર કોઈ સહકર્મી થી વિવાદ થાય. આવા માં કોઈપણ વિવાદ થી પોતાને દૂર રાખવું તમારા માટે સારું રહેશે। વેપારીઓ ના માટે સમય અમુક પડકારરૂપ રહેવા વાળું છે. તમને કોઈ મોટું નુકસાન થઈ શકે છે, પરંતુ નાણાકીય જીવન માં તમને સાવચેત રહેવા ની સલાહ આપવા માં આવે છે, કેમકે આ સમય દરમિયાન તમે ના ઇચ્છતા પણ નાણાકીય કટોકટી ની બાજુ વધતા દેખાશો। આ સમયે તમને ધન લાભ તો થશે, પરંતુ તમારા ખર્ચ માં અપ્રત્યાશિત વધારો તમારી નાણાકીય સ્થિતિ નબળી કરશે। આવા માં જેટલુ શક્ય હોય ધન ને બચાવવા ની બાજુ પ્રયાસ કરો.
જો તમે છાત્ર છો તો તમને પોતાની શિક્ષા માં સામાન્ય ફળ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમે જેટલી મહેનત કરશો, કર્મફળ દાતા શનિ તમને તેના મુજબ જ ફળ પ્રદાન કરશે। વિદેશ જઈને અભ્યાસ કરવા ની ઈચ્છા રાખનારા છાત્રો ની સાથે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી માં લાગેલા છાત્રો ને પણ આ વર્ષે વધારે મહેનત કરવા ની જરૂર હશે. શક્યતા છે કે તમારા વિરોધી તમારું ધ્યાન ભ્રમિત કરવા નો પ્રયાસ કરશે। આવા માં સાવચેત રહી માત્ર અને માત્ર અભ્યાસ ઉપર ધ્યાન આપો. પારિવારિક જીવન માં આ વર્ષ તમને સારા ફળ પ્રાપ્ત થશે, કેમ કે ગુરુ ની દૃષ્ટિ સિંહ રાશિ ના જાતકો પર સકારાત્મક પ્રભાવ નાખશે, જેથી તમને પારિવારિક સુખ તો મળશે, પરંતુ તમારી માતા ને આરોગ્ય કષ્ટ શક્ય છે. શક્યતા છે કે તેમનું કોઈ જુનો રોગ તેમને પરેશાન કરે. આવા માં તેમની સારી કાળજી લો.
પરિણીત જાતકો ની વાત કરીએ તો તમારા માટે આ સમય સારો નથી, તમારું જીવન સાથી ની જોડે વિવાદ થઈ શકે છે. શક્યતા વધારે છે કે કોઈ મોટી ગેરસમજ ના લીધે તમારા બંને ની વચ્ચે કોઈ મોટું ઝઘડો ઉત્પન્ન થાય, જેનું ખોટુ પ્રભાવ તમારા બન્ને ના સંબંધો પર સ્પષ્ટરૂપે દેખાશે। પરંતુ દાંપત્ય જીવન ના માટે સમય ભાગ્યશાળી રહેવા વાળું છે. તમારી સંતાન ને ભાગ્ય નો સાથ મળશે, અને તે પોતાના દરેક ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકશે। ત્યાંજ પ્રેમી જાતકો ના જીવન માં આ વર્ષ ઘણી મોટી સોગાત લઈને આવનારું છે, કેમકે ગુરુ દેવ અને શુક્ર દેવ ની દ્રષ્ટિ તમારા પ્રેમ માં હજી વધારે મધુરતા ભેળવવા નું કામ કરશે, જેના લીધે તમે પ્રેમ વિવાહ માં બંધાઈ શકો છો.
આરોગ્ય ની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ અમુક પરેશાન કરશે કેમકે શક્યતા છે કે તમને વાયુ રોગ, સાંધા ના દુખાવા, હાથ, ડાયાબિટીસ ની સમસ્યા, વગેરે વિકાર થાય, જેનું સીધું પ્રભાવ તમારા અંગત અને નોકરિયાત જીવન બંને ઉપર જોવા મળશે।
Read in English - Leo Horoscope 2021
સિંહ રાશિફળ 2021 ના મુજબ કરિયર
સિંહ રાશિફળ 2021 ના મુજબ, તમને આ વર્ષે પોતાના કરિયર માં અનુકૂળ ફળ પ્રાપ્ત થશે. કેમકે આ સંપૂર્ણ વર્ષ છાયા ગ્રહ રાહુ તમારા દસમા ભાવ માં હાજર રહેશે, જે તમને કાર્યક્ષેત્ર માં ભરપૂર સફળતા આપવા નું કામ કરશે। રાહુ ની આ શુભ દૃષ્ટિ થી તમે પોતાના શત્રુઓ પર ભારે રહેશો અને સાથે જ બીજા લોકો ને પોતાની વાતો થી પ્રભાવિત કરવા માં સફળ થશો. આ દરમિયાન તમારી અંદર એક ગજબ નું આકર્ષણ જોવા મળશે, જેથી તમે બીજા લોકો થી પોતાનું કામ કરાવવા માં સફળતા મેળવશો। આ સમયે તમને પ્રગતિ અને ઉન્નતિ પણ મળી શકે છે. પરંતુ તમારી પ્રગતિ થી તમારા વિરોધી અસહજ અનુભવ કરશે અને શક્યતા છે કે આના લીધે તમારા શત્રુઓ ની સંખ્યા માં વધારો થાય. પરંતુ પોતાની મહેનત ના લીધે તમે તે બધા ઉપર વિજય પ્રાપ્ત કરવા માં સફળ થશો.
આ વર્ષ ની શરૂઆત માં મંગળ દેવ પણ તમારી કુંડળી થી નવમા ભાવ માં હાજર હશે, જેના લીધે તમને ભાગ્ય નો સાથ મળશે, અને કાર્યક્ષેત્ર માં તમે સારું પ્રદર્શન આપવા માં સફળ થશો. એપ્રિલ અને મે ની વચ્ચે અમુક પડકારો થી પસાર થવું પડી શકે છે. કેમકે આ સમય મંગળ તમારી કુંડળી ના અગિયારમાં ભાવ માં હશે. જેના પરિણામ સ્વરૂપ તમે પોતાના કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ થી કોઇ વાત ને લઇને વિવાદ કરી શકો છો.
આ વર્ષ ની વચ્ચે શનિ અને ગુરૂ દેવ પણ તમારી રાશિ થી છઠ્ઠા ભાવ માં યુતિ બનાવશે, જે શત્રુ નો ભાવ હોય છે. આ દરમિયાન તમે કાર્યક્ષેત્ર ઉપર પોતાની જાત ને શત્રુઓ થી ઘેરાયેલું અનુભવ કરશો। જોકે આ સ્થિતિ અમુક સમય માટે હશે. પરંતુ આ સમયે તમને અમુક પરેશાની થઈ શકે છે, જેથી તમારું માનસિક તણાવ વધશે।
આના પછી એપ્રિલ અને સપ્ટેમ્બર ની વચ્ચે તમને કાર્યક્ષેત્ર થી સંબંધિત કોઈ યાત્રા ઉપર જવું પડશે। આ યાત્રા તમારી સફળતા માટે સારી નહીં હોય. જો તમે વેપાર થી સંકળાયેલા છો તો તમને આ સંપૂર્ણ વર્ષ વિશેષ સાવચેતી રાખવી હશે. નહીંતર નુકસાન થવા ના યોગ બનતા દેખાય છે. આની સાથે જો તમે કોઈ મોટું નિવેશ કરવા નું વિચારી રહ્યા છો, તો તમને સારી રીતે વિચારી ને અને સમજી ને ચાલવા ની જરૂર હશે. આ દરમિયાન તમારા માટે સારું હશે કે ઘર ના વડીલો ની સમય-સમય પર સલાહ લેતા રહો.
સિંહ રાશિફળ 2021 ના મુજબ નાણાકીય જીવન
સિંહ રાશિ ના જાતકો નાણાકીય જીવન ની વાત કરીએ તો, તમે પોતાના નાણાકીય જીવન માં મિશ્ર પરિણામ પ્રાપ્ત કરશો। આમ તો આ વર્ષ નાણાંકીય બાબતો માટે ઠીકઠાક રહેવાવાળું છે, પરંતુ તમારા ખર્ચ માં વધારો થવા થી તમને નાણાકીય કટોકટી માંથી પણ પસાર થવું પડી શકે છે. આવા માં તમને આ સંપૂર્ણ વર્ષ પોતાની આવક ને વધારવા ની બાજુ વધારે ધ્યાન આપવું જોઈએ અને વધારે પ્રયાસ કરવા ની જરૂર હશે, નહીંતર પાછળ થી મુશ્કેલી થઈ શકે છે. વર્ષ ની શરૂઆત તમારા માટે સારી રહેશે। પરંતુ એપ્રિલ નો મહિનો તમારા માટે સૌથી વધારે સારું જોઈ શકાય છે. આ મહિનો તમારી આવક માં વધારો લઈને આવશે, જેના લીધે તમને આવક ના જુદા જુદા સ્ત્રોતો થી ધન લાભ થશે. આ દરમિયાન તમને આ સ્તોત્રો થી પોતાની આવક ને ઝડપ આપવા અને સારી કરવા ના અવસર પ્રાપ્ત થશે.
આના પછી એપ્રિલ માં નાણાકીય જીવન માં અમુક તણાવ જોવા માં આવશે, કેમકે આ દરમિયાન તમે પોતાના દાંપત્ય જીવન માં ધન ખર્ચ કરશો। વેપારી જાતકો ને પણ નાણાકીય નુકસાન થવા ના યોગ બનતા દેખાય છે. જો તમે કોઇ મોટો નિવેશ કરવા નું વિચારી રહ્યા હતા તો, તમારે વિશેષ સાવચેતી રાખવી હશે. નહીંતર કોઈ મોટું નુકસાન થઈ શકે છે. જેના લીધે તમને આરોગ્ય કષ્ટ પણ શક્ય હશે. આ દરમિયાન તમને કોઈપણ નવું વેપાર શરૂ કરવા થી બચવું જોઈએ, અને ભાગીદારી માં વેપાર કરી રહેલા જાતકો ને સહયોગી ની સાથે પોતાની દરેક રણનીતિ શેર કરવા ની જરૂર હશે.
સિંહ રાશિફળ 2021 મુજબ શિક્ષા
સિંહ રાશિફળ 2021 ના મુજબ શિક્ષા માં તમને વર્ષ પર્યંત ઘણી વધઘટ નો સામનો કરવો પડી શકે છે, કેમકે સિંહ રાશિ માં ક્રૂર ગ્રહો ની દૃષ્ટિ છાત્રો ના જીવન માં ઘણા પડકારો લઈને આવનારી છે. જો તમે પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છો તો, તમારા માટે એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી નો સમય વિશેષ પ્રતિકૂળ રહેશે। આ દરમિયાન તમને પહેલા થી વધારે મહેનત કરવા ની જરૂર હશે. નહીંતર તમને સારા ફળ પ્રાપ્ત નહીં થાય. તમારા માટે જાન્યુઆરી થી એપ્રિલ સુધી નો સમય સૌથી વધારે અનુકૂળ દેખાય છે. આના પછી મે થી ઓગસ્ટ સુધી નો સમય અમુક વધારે સાવચેત રહેવાવાળો હશે, અને તે પછી 15 સપ્ટેમ્બર થી 20 નવેમ્બર સુધી છાત્રો ને ફરી થી અનુકૂળ ફળ પ્રાપ્ત થશે.
જો તમે ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરવા નું વિચારી રહ્યા છો તો, આના માટે વધારે મહેનત કરવા ની જરૂર રહેશે। કેમકે આ દરમિયાન શનિ દેવ તમારી પરીક્ષા લેતાં તમારા થી વધારે મહેનત કરાવશે। જે છાત્ર વિદેશ જઈને અભ્યાસ કરવા નું વિચારી રહ્યા હતા, તેમને આ વર્ષ નિરાશા પ્રાપ્ત થશે. આવા માં ધીરજ બનાવી ને ચાલો અને મહેનત કરતા રહો. જો તમે કોઈ સારા કોલેજ માં એડમિશન લેવા નું વિચારી રહ્યા છો, તો આ સમય શક્યતા અમુક ઓછી અનુકૂળ દેખાય છે. છાત્રો ને પોતાના શિક્ષકો નું સમર્થન મેળવવા ની જરૂરિયાત હશે. આવા માં કોઇ પણ કારણસર શોર્ટકટ લેવા થી બચો, નહીંતર જીવનભર પસ્તાવો થઈ શકે છે.
સિંહ રાશિફળ 2021 ના મુજબ પારિવારિક જીવન
સિંહ રાશિફળ 2021 ના મુજબ પારિવારિક જીવન માં તમને પારિવારિક સુખ ની પ્રાપ્તિ થશે. કેમકે આ સંપૂર્ણ વર્ષ કેતુ ની તમારી રાશિ થી છઠ્ઠા ભાવ માં હાજીરી તમારા માટે સારી દેખાય છે. આની સાથે જ ગુરુ ની પણ છઠ્ઠા ભાવ થી બીજા ભાવ પર પડી રહેલી દ્રષ્ટિ તમારી રાશિ પર વિશેષ પ્રભાવ નાખશે। જેના લીધે તમને આ વર્ષ ક્યારેક પારિવારિક સુખ મળશે તો ક્યારેક તમને કુટુંબ થી અમુક નાની મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. જે દરમિયાન તમારા માનસિક તણાવ માં વધારો થશે.
માતા-પિતા નું આરોગ્ય પણ વધઘટ થી ભરેલું રહેશે। શત્રુ પક્ષ ભારે થવા ના પ્રયાસ કરશે। આવા માં તમને તેમના થી સાવચેત રહેવું હશે. નહીંતર શત્રુઓ ના લીધે તમને પોતાના પારિવારિક જીવન માં પણ તણાવ અનુભવ થશે. નાના ભાઈ-બહેનો ના માટે સમય સારો છે. તેમના થી તમને સુખ પ્રાપ્ત થશે. વિશેષ રૂપ થી ફેબ્રુઆરી થી એપ્રિલ ની વચ્ચે માં તમે કોઈ ઘર અથવા વાહન ખરીદવા નું વિચારી શકો છો. વર્ષ ના છેલ્લે એટલે કે 5 ડિસેમ્બર ના પછી તમારી માતાજી નું આરોગ્ય ખરાબ થવા થી પરિવાર માં નિરાશા ભરેલું વાતાવરણ જોવા મળશે। આ વર્ષ તમને પોતાના પરિવાર ની જોડે સમય પસાર કરવા ની જરૂર હશે, નહીંતર તમારા અને પરિવાર ની વચ્ચે અંતર આવી શકે છે.
સિંહ રાશિફળ 2021 ના મુજબ વૈવાહિક જીવન અને સંતાન
સિંહ રાશિફળ 2021 ના મુજબ સિંહ રાશિ ના જાતકો ને આ વર્ષ ની શરૂઆત માં તણાવ અનુભવ થશે. પરંતુ ગુરુ ની કૃપા અમુક સમસ્યાઓ ને દૂર કરવા નું કામ કરશે। આના ઉપરાંત પણ તમને તણાવ અનુભવ થતો રહેશે। એપ્રિલ થી સપ્ટેમ્બર સુધી ના સમય માં તમને વિશેષ સાવચેતી રાખવા ની સલાહ આપવા માં આવે છે. આ સમય તમારા અને જીવનસાથી ના સંબંધ માં તણાવ જોવા મળશે, જેનો સીધો પ્રભાવ તમારી સંતાન ઉપર પણ પડી શકે છે. આવા માં આ દરમિયાન કોઈ ત્રીજા પક્ષ નો હસ્તક્ષેપ ના થવા દો નહીંતર તમારા સંબંધો તૂટવા ની શક્યતા પણ થઈ શકે છે. જો વિવાહ થી સંકળાયેલી કોઈ બાબત કોર્ટ કચેરી માં ચાલી રહી છે તો આ સમય એના નીકળી જવા નું ઇન્તજાર કરો અને કંઇક પણ એવું ના કરો જેના લીધે તમને પાછળ થી પસ્તાવો થાય. જીવનસાથી નું આરોગ્ય નબળું રહેશે।
જો તમારા દાંપત્ય જીવન ની વાત કરીએ તો તેના માટે આ વર્ષ સારું રહેશે। કેમકે સંતાન પોતાના કાર્યક્ષેત્ર માં પહેલા થી સારૂ પ્રદર્શન કરશે અને દરેક સફળતા અને પ્રગતિ પ્રાપ્ત કરવા માં સફળ થશે. આ સમયે તમે પણ તેમની જોડે ઉભા રહેશો અને તેમનું આત્મબળ વધારતાં દેખાશો। તમારું અને સંતાન નું સંબંધ પણ આ સમય મજબૂત થશે.
સિંહ રાશિફળ 2021 ના મુજબ પ્રેમ જીવન
સિંહ રાશિફળ 2021 ના મુજબ આ વર્ષે તમને પોતાના પ્રેમ જીવન માં ઘણા સારા ફેરફાર જોવા મળી શકે છે. આ વર્ષ પ્રેમ માં પડેલા જાતકો ને વિશેષ રૂપ થી એપ્રિલ થી સપ્ટેમ્બર ની વચ્ચે કોઇ મોટી સૌગાત મળી શકે છે. આનું સકારાત્મક પ્રભાવ નવેમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે તમારા બંને ના ઉપર પડશે। આ દરમિયાન તમે પ્રેમ વિવાહ માં બંધાવા નું નિર્ણય લઈ શકો છો.
જો તમે અત્યાર સુધી સિંગલ છો તો આ વર્ષ પોતાના મિત્રો ના માધ્યમ થી તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ થી થશે, જે આગળ જઈને તમારું જીવન સાથી પણ બની શકે છે. પ્રેમી જાતક એકબીજા ને સમજવા ના માટે પોતાનું પૂરું સમય લેતા દેખાશે। પ્રેમી ની સાથે યાત્રા કરવા ની તક મળશે। જે દરમિયાન તમે કોઇ મોટો નિર્ણય પણ લઈ શકો છો. વિશેષ રૂપ થી ગુરુ અને શુક્ર દેવ ની શુભ દૃષ્ટિ તમારા પ્રેમ જીવન ને ખુશી પ્રદાન કરશે। આવા માં આ સમય ને સાથે મળી ને જીવવા નો પ્રયાસ કરો.
સિંહ રાશિફળ 2021 ના મુજબ આરોગ્ય જીવન
આરોગ્ય જીવન ની વાત કરીએ તો, સિંહ રાશિફળ 2021 ના મુજબ તમને આ વર્ષ ઘણી સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે. કેમકે કર્મફળ દાતા શનિ અને ગુરૂ દેવ ની તમારી રાશિ થી છઠ્ઠા ભાવ માં યુતિ કોઈ મોટા રોગ ને જન્મ આપવા નું કામ કરશે। આવા માં તમને આ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી હશે. શક્યતા છે કે તમને હાથ અથવા કિડની સંબંધિત કોઈ સમસ્યા ઊભી થઈ જાય. આવા માં પોતાના શરીરનું વિશેષ ધ્યાન રાખો અને કંઈક પણ એવું ન કરો જેના લીધે તમને આરોગ્ય સંબંધિત મુશ્કેલી થાય. આની સાથેજ વાયુરોગ અને સાંધા ના રોગો ની પણ સમસ્યા થવા ના યોગ બનતા દેખાય છે. જો તમે ડાયાબિટીસ થી પીડિત છો તો પોતાનું ધ્યાન રાખો, નહીંતર મુશ્કેલી વધી શકે છે.
સિંહ રાશિફળ 2021 ના મુજબ જ્યોતિષીય ઉપાય
- કોઈપણ રવિવાર ના દિવસે તાંબા ની મુદ્રિકા માં ઉત્તમ ગુણવત્તા વાળું માણેક રત્ન ધારણ કરો. આના થી તમને કાર્યક્ષેત્ર માં ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.
- આની સાથેજ તમે રવિવાર ના દિવસે નંદી ને ઘઉં અથવા બંધાયેલું લોટ પણ ખવડાવી શકો છો. આના થી તમને મહેનત ના મુજબ સારા પરિણામ પ્રાપ્ત થશે.
- માતા-પિતા ની સેવા અને તેમનું સન્માન કરો, ત્યારે જ ભાગ્ય નો સાથ મળશે।
- કોઈપણ શનિવાર ના દિવસે સરસિયા ના તેલ માં પોતાની છાયા જોઈને છાયા દાન કરો. આના થી તમને આરોગ્ય કષ્ટ થી મુક્તિ મળશે।
- તમે ગુરુવાર નું વ્રત પણ રાખી શકો છો. આ દરમિયાન પીપળ ના વૃક્ષ ને અડ્યા વગર જળ ચઢાવો અને ગરીબો ને અનાજ દાન કરો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada