બુધ નું મિથુન રાશિ માં ગોચર આપશે કેવા પ્રભાવ
બુધ ગ્રહ જેને બધા ગ્રહો માં યુવરાજ નો દરજ્જો મળેલ છે 24 મે 2020 23:57 વાગ્યે પોતાની રાશિ મિથુન માં ગોચર કરશે। બુધ સંચાર, તાર્કિક ક્ષમતા, અવલોકન વગેરે નું પરિબળ ગ્રહ છે. આ જાતક ને વ્યવસાયિક ગુણ પણ આપે છે. કુંડળી માં આની મજબૂત સ્થિતિ હોવાથી ઉપરોક્ત બધા ગુણો જાતક માં જોવા મળે છે.
મેળવો તમારી સમસ્યાઓ નું જ્યોતિષીય નિરાકરણ: જ્યોતિષીય પરામર્શ
જેવું કે અમે જણાવી ચૂક્યા છે બુધ ગ્રહ નું ગોચર પોતાની સ્વરાશિ મિથુન માં થશે, આવો હવે જોઈએ છે કે આ ગોચર નું તમારા જીવન પર શું પ્રભાવ પડશે।
આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે - જાણો પોતાની ચંદ્ર રાશિ
મેષ
બુધ ગ્રહ નું ગોચર તમારા ત્રીજા ભાવ માં થશે. આ ભાવ સંચાર, નાના ભાઇ બહેન, સાહસ અને
પરાક્રમ નું પરિબળ ગણવા માં આવે છે. જોકે આ ભાવ તમારા પરાક્રમ ને દેખાડે છે. એટલે બુધ
ના ગોચર ના દરમિયાન મેષ રાશિ ના જાતકો માં પણ આ ગુણ જોવા મળશે। આ રાશિ ના જાતક ઊર્જાસભર
રહેશે અને આ સમયગાળા માં પોતાના લક્ષ્ય ને પૂરું કરવું તેમનું હેતુ રહેશે। કોઈપણ જાત
નું પ્રયાસ કરવા માં આ રાશિ ના જાતક આ દરમિયાન અચકાશે નહીં। ત્રીજા ભાવ થી તમારા ભાઈ-બહેનો
ના વિશે પણ વિચાર કરવા માં આવે છે. તેથી મેષ રાશિ ના જાતક પોતાના ભાઈ-બહેનો ની સાથે
સમય પસાર કરશે। જેથી પરિવાર ના વાતાવરણ માં પણ સકારાત્મકતા આવશે। પોતાના આ ગોચર ના
દરમિયાન સંચાર ના સાધનો જેમ કે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા ના માધ્યમ થી મેષ રાશિ ના જાતકો
ને કોઈ સારી ખબર આ દરમિયાન મળી શકે છે. આની સાથેજ જે લોકો લેખન અથવા પ્રકાશન થી સંબંધિત
વ્યવસાય થી સંકળાયેલા છે, તેમને પોતાના કરિયર ના ક્ષેત્ર માં આગળ વધવા માટે સારી તકો
મળી શકે છે.
આ સમયે તમે પોતાના ઉધાર અથવા લોન ને પણ ચૂકવી શકો છો. બુધ ની દ્રષ્ટિ તમારા નવમા ભાવ પર પડી રહી છે, અને આ ભાવ પિતા નું હોય છે. તેથી પિતા નું ખરાબ આરોગ્ય તમારી ચિંતા નો વિષય બની શકે છે, સાથે જ પિતા ની સાથે મેષ રાશિ ના જાતકો ના મતભેદ હોઈ શકે છે.
તમારા પ્રેમજીવન માં રોમાન્સ આ ગોચર દરમિયાન વધારે જોવા મળશે, પોતાના પ્રિયતમ થી તમે પોતાની લાગણીઓ ખૂલી ને શેર કરશો। ત્યાંજ વિવાહિત લોકો ને પોતાના જીવનસાથી નું પૂર્ણ સહયોગ આ દરમિયાન મળશે। આરોગ્ય માટે પણ આ ગોચર સારું છે.
ઉપાય: બુધવાર ના દિવસે ભગવાન ગણેશ ની પૂજા કરવું તમારા માટે શુભ રહેશે।
વૃષભ
વૃષભ રાશિ ના જાતકો ના ધન ભાવ એટલે કે બીજા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ થી
તમારી વાણી અને પરિવાર ના વિશે પણ વિચાર કરવા માં આવે છે. આ ગોચર તમારા માટે મિશ્ર
પરિણામ આપવાવાળું સાબિત થશે. આ ગોચર ના લીધે વૃષભ રાશિ ના જાતક પરિવાર માં ઉન્મુખ થશે
અને પોતાના પરિવાર ની સાથે વધારે સમય પસાર કરવા નું પસંદ કરશે। જોકે બુધ વાણી નું પ્રતિનિધિત્વ
પણ કરે છે. તેથી વાતચીત ના દરમિયાન શબ્દો નો વપરાશ સોચી વિચારી ને કરો. આવું એટલા માટે
કારણ કે તમારા વડે કરવા માં આવેલું કોઈ પણ મજાક સામેવાળા ને આહત કરી શકે છે.
બીજા ભાવ થી ધન પર વિચાર કરવા માં આવે છે. બુધ ના આ ગોચર ના દરમિયાન તમારા ધન માં વધારો થઇ શકે છે. નવું બેન્ક એકાઉન્ટ ખોલવા માટે લાંબી અવધિ ના પ્રવેશ માટે આ સમય સારું છે. નાણાકીય પ્રગતિ તમારી પ્રાથમિકતા હશે જેથી તમે પોતાનું અને પોતાના પરિવાર નું ભવિષ્ય સુરક્ષિત કરી શકશો। આ રાશિ ના વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો ધીમે ધીમે તમે શિક્ષા ના ક્ષેત્ર માં પ્રગતિ કરશો।
આ રાશિ ના જે જાતક અત્યાર સુધી સિંગલ છે તે આ ગોચર દરમિયાન પોતાની લાગણીઓ ને વ્યક્ત કરી શકશે જેથી કોઇ નવો સંબંધ બની શકે છે. ત્યાંજ આ રાશિ ના વિવાહિત જાતકો ની ફેમિલી માં કોઈ નવું સભ્ય આવી શકે છે, જોકે પોતાના જીવનસાથી ના આરોગ્ય ને લઈને તમે અમુક ચિંતિત થઇ શકો છો.
આ ગોચરકાળ ના દરમિયાન પોતાની આજુબાજુ સ્વચ્છતા રાખવું તમારા માટે ઘણું જરૂરી છે, નહીંતર મોંઢા અને દાંતો થી સંકળાયેલી કોઈ સમસ્યા તમને થઈ શકે છે. આ રાશિ ના જાતકો ને હાર્મોન્સ થી સંબંધી કોઈ સમસ્યા જેમકે થાઈરાઈડ છે તો તેમને જરૂરી સાવચેતી રાખવા ની જરૂર છે.
ઉપાય: દરરોજ તુલસી ના છોડ ની પૂજા કરો અને છોડ માં પાણી અર્પિત કરો.
મિથુન
મિથુન રાશિ ના જાતકો ના લગ્ન ભાવ એટલે કે પહેલા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ
થી તમારા વ્યક્તિત્વ ની ખબર પડે છે. બુધ તમારા ચોથા ભાવ જેને વિલાસિતા, આરામ, માતાજી
અને ઘર નું પરિબળ ગણવા માં આવે છે, નું પણ સ્વામી છે. આ દર્શાવે છે કે બુધ નું ગોચર
તમારા માટે અનુકૂળ પરિણામ લઇને આવશે। તમારા પહેલા ભાવ માં બુધ ની હાજરી ના લીધે આ સમય
દરમિયાન તમે વધારે જીવંત રહેશો। તમે યુવાની ના જોશ થી ભરેલા હશો અને બુધ તમને સારું
સંચાર કૌશલ આપશે જેથી તમે જીવન માં બધાં ક્ષેત્રો માં લોકોને પ્રભાવિત કરી શકશો। વ્યવસાય
અને નોકરીયાત લોકો ના જીવન માં પણ ઘણી તકો આવવા ની શક્યતા છે જેથી આ સમય આવક અને આરામ
માં વધારો થઇ શકે છે.
બુધ આ ગોચર ના દરમિયાન દિગબલી અવસ્થા માં રહેશે જેના લીધે તમે રચનાત્મક વિચારો થી ભરેલા હશો અને તમારી બૌદ્ધિક ક્ષમતા પણ સારી હશે. બુધ ની આ અવસ્થા મિથુન રાશિ ના લોકો ને કોઇપણ નિર્ણય લેવાની સારી સમજ આપશે। જેથી તમે તકો નું સારું લાભ ઉઠાવી શકશો, જેથી સફળતા અને સંતોષ તમને મળશે। પરંતુ બુધ ના આ ગોચર ના દરમિયાન તમે એકસાથે ઘણાં કામ કરવા નો પ્રયાસ કરી શકો છો, કેમકે તમે વહેલા જ એક કામ થી કંટાળી જાવ છો તેથી બીજા કામ કરવાની બાજુ તરફ તમારું ધ્યાન જાય છે. આવું કરવું તમારા માટે ઠીક નથી કેમકે આના થી તમારા મન માં અસંગતતા આવી શકે છે. તેથી જે કામ કરી રહ્યા છો પહેલા તેને પૂરું કરો અને તેના પછી બીજું કામ હાથ માં લો.
બુધ નું આ ગોચર આ રાશિ ના પ્રેમી પ્રેમિકાઓ ના માટે સુખદ રહેશે। જે લોકો અત્યાર સુધી સિંગલ હતા તે આ ગોચર ના દરમિયાન મિંગલ કરી શકે છે. વિવાહિત લોકો ના જીવન માં સુખ અને સંતોષ કાયમ રહેશે।
ઉપાય: બુધ ગ્રહ ના બીજ મંત્ર નું વિધિવત પાઠ કરો.
કર્ક
કર્ક રાશિ ના જાતકો ના બારમા ભાવ માં બુધ નું ગોચર થશે. આ ભાવ ને વ્યય અને વિદેશ યાત્રાઓ
નું ભાવ કહેવા માં આવે છે, આ ભાવ માં બુધની સ્થિતિ થી તમને જીવન માં મિશ્ર પરિણામ મળશે.
આ ગોચર ના દરમિયાન પોતાના સંસાધનો નું પ્રબંધન તમારા માટે જરૂરી હશે. આ દરમિયાન અમુક
એવી સ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે જેથી તમારો ખર્ચ વધી જાય. કર્ક રાશિ ના જાતકો ને આ દરમિયાન
આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, તેથી યોગ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. તણાવ
ને જેટલું હોય પોતાના થી દૂર રાખો, કેમકે બુધ ની દ્રષ્ટિ તમારા છઠ્ઠા ભાવ પર છે. જેના
થી પ્રતિસ્પર્ધા, શત્રુ, અવરોધો ના વિશે વિચાર કરીએ છે તેના પર પડી રહી છે. તેથી વાદ
વિવાદ ની સ્થિતિ થી આ દરમિયાન તમારે બચવું જોઇએ. નહીંતર તમારી છવિ ખરાબ થઈ શકે છે.
આવા માં કોઈપણ એવું કામ ના કરો જેથી કોર્ટ-કચેરી ની બાબત માં ફસાઈ જાઓ. જો એવું થાય
છે તો તમારો ખર્ચ વધી શકે છે. આ દરમિયાન લોન અથવા ઉધાર લેવા થી પણ તમારે બચવા ની જરૂર
છે.
જોકે આ દરમિયાન કર્ક રાશિ ના જાતકો નું પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. તમારા ભાઈ બહેનો ની પ્રગતિ થી ઘર માં ખુશીઓ નું વાતાવરણ હશે.
ઉપાય: બુધવારે ગાય ને લીલી ઘાસ ખવડાવવું તમારા માટે હિતકર રહેશે.
સિંહ
બુધ ગ્રહ નું ગોચર તમારા અગિયારમા ભાવ માં થશે આને લાભ અને સફળતા નું ભાવ કહેવામા આવે
છે. બુધ તમારા સંચિત ધન અને પરિવાર ના બીજા ભાવ નો સ્વામી પણ છે. બુધ નું આ ગોચર સિંહ
રાશિ ના જાતકો ના માટે શુભ રહેશે. આ રાશિ ના જે લોકો નોકરિયાત છે તેમને ઉચ્ચ અધિકારીઓ
થી સન્માન ની પ્રાપ્તિ થશે અને કાર્યક્ષેત્ર ના દરેક કામ માં સફળતા મળશે. ત્યાંજ જે
લોકો નોકરી ની તલાશ કરી રહ્યા છે તેમને પોતાની મનગમતી સંસ્થા માં જોબ મળી શકે છે. તમારા
બીજા ભાવ નો સ્વામી તમારા અગિયારમા ભાવ માં હાજર હોવાથી સિંહ રાશિ ના જાતકો ના માટે
ઘણું સુંદર ધન યોગ નું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ ના લીધે તમે ધન અને નામ કમાવી શકો
છો અને ઘણા ક્ષેત્રો માં સફળતા મેળવી શકો છો. વેપાર માં પણ તમને લાભ ની પ્રાપ્તિ થશે.
એટલું જ નહીં પોતાના મિત્રો અને સામાજિક સંપર્કો થી પણ તમને લાભ થઈ શકે છે. આ દરમિયાન
તમે જેટલા લોકો થી મળશો સોશીયલ મીડીયા ના માધ્યમ થી જેટલા લોકો થી સંકળાશો એટલુંજ તમને
ફાયદો મળશે.
આ તે સમય છે જ્યારે તમે પોતાની ઈચ્છાઓ ને પૂરી કરી શકશો. પ્રેમ અને રોમાન્સ માટે પણ આ સમય સારું છે પરંતુ પોતાના જીવનસાથી અથવા પ્રિયતમ ની જોડે સમય જરૂર પસાર કરો. આનાથી તમારા સંબંધો ને મજબૂતી મળશે.
ઉપાય: ઘર ના મંદિર માં કપૂર સળગાવવા થી તમને બુધ ગ્રહ ના સારા ફળ પ્રાપ્ત થશે.
કન્યા
બુધ નું ગોચર કન્યા રાશિ ના જાતકો ના દસમા ભાવ માં થશે. દસમા ભાવ થી અમે તમારા કરિયર
અને કર્મ ના વિશે વિચાર કરીએ છે. એટલે કન્યા રાશિ ના જાતકો ને આ ગોચર ના દરમિયાન શુભ
ફળ ની પ્રાપ્તિ થશે. આ ગોચર ના દરમિયાન તમારી અંદર સમર્પણ ની લાગણી વિકસિત થશે આની
સાથેજ તમે ઉર્જા થી ભરેલા રહેશો અને તમારા અટકેલા કામો ને સરળતા થી પુરો કરી શકશો.
આના લીધે કાર્યક્ષેત્ર માં વરિષ્ઠો ની વાહવાહી તમને મળી શકે છે. જોકે બુધ ના આ ગોચરકાળ
ના દરમિયાન તમે આ વિચારતા દેખાઈ શકો છો કે ક્યાંક કામ માં તમારા થી કોઈ અછત તો નથી
રહી ગઈ. આના થી આ થશે કે તમે દરેક કામ ને કરવા માં વધારે સમય લગાવશો. જેના લીધે તમારા
કામ માં મોડું થવા ની શક્યતા છે. આ ગોચર ના દરમિયાન તમારે વધારે સક્રિય થવાની જરૂર
છે અને પોતાના કામને ઝડપ થી પૂરું કરવા ની જરૂર છે ના કે આ વિચારવા ની કે ક્યાંક કોઈ
અછત નથી રહી ગઈ.
આ ગોચરકાળ ના દરમિયાન કન્યા રાશિ ના જાતક કરિયર ઓરિએન્ટેડ રહેશે જેના લીધે તે પોતાના પ્રિયજનો અને જીવનસાથી ને સમય નહીં આપી શકશે. આના લીધે તમારા સંબંધો માં વધઘટ આવી શકે છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે તમારા અંગત અને નોકરીયાત જીવન ની વચ્ચે સંતુલન કાયમ રાખો, આના થી તમારા અંગત જીવન માં ખુશીઓ આવશે. આ રાશિ ના જે છાત્ર પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે તેમને આ ગોચરકાળ ના દરમિયાન સફળતા મળશે.
ઉપાય: દરરોજ સૂર્યોદય ના સમયે "વિષ્ણુ સહસ્ત્રનામ" નું જાપ કરવો.
તુલા
તુલા રાશિ ના જાતકો ના નવમા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ તમારા ભાગ્ય, આધ્યાત્મિકતા
અને ઉચ્ચ શિક્ષા નું હોય છે. બુધ ના આ ગોચરકાળ દરમ્યાન તુલા રાશિ ના જાતકો આધ્યાત્મિકતા
ની બાજુ વધી શકે છે અને જીવન ના રહસ્ય ને જાણવા નો પ્રયાસ કરી શકે છે. આધ્યાત્મિક અને
ધાર્મિક પુસ્તકો નું આ દરમિયાન તમે અભ્યાસ કરી શકો છો. નવમા ભાવ થી ગુરુજનો ઉપર પણ
વિચાર કરવા માં આવે છે તેથી કોઈ ગુરુ થી કરેલી મુલાકાત અને વાતચીત લાંબા સમય સુધી તમારા
કામ આવી શકે છે. જોકે કોરોના મહામારી ના લીધે આ મુલાકાત માત્ર ઓનલાઇન જ શક્ય છે.
તમારા વ્યવસાયિક જીવન પર નજર નાખીએ તો કાર્યક્ષેત્ર માં તમને પ્રમોશન મળી શકે છે. આવું એટલા માટે છે કેમકે તમારા કામ ને આ દરમિયાન ભાગ્ય નું પૂરું સહયોગ મળશે। તમારા સહકર્મી તમારા થી સારો વ્યવહાર કરશે અને પોતાના વરિષ્ઠ ની સાથે તમે ઘણું સારું સમય પસાર કરી શકો છો. બુધ ની સ્થિતિ એક શુભ ધનયોગ નું નિર્માણ પણ કરી રહી છે. આના લીધે તુલા રાશિ ના જાતકો ની આવક વધી શકે છે. બુધ ગ્રહ તુલા રાશિ ના બારમા ભાવ નો સ્વામી પણ છે તેથી આ ગોચર ના દરમ્યાન વિદેશો થી સંકળાયેલા વેપાર માં આ રાશિ ના જાતકો ને લાભ થઈ શકે છે.
પારિવારિક જીવન પર નજર નાખીએ તો બુધ ના આ ગોચર દરમિયાન પિતા ની સાથે તમારા અમુક મતભેદ હોઈ શકે છે. આ મતભેદ ત્યારે વધી શકે છે જ્યારે તમે કોઈ એકજ વ્યવસાય માં છો. પિતાની સાથે વાતચીત દરમિયાન તમારે પોતાની સીમાઓ ને લાંઘવા થી બચવું જોઈએ।
તમારા પ્રેમજીવન પર નજર નાખીએ તો વિવાહિત જાતકો ને આ સમયગાળા માં ખુશી અને સંતોષ ની પ્રાપ્તિ થશે. ત્યાંજ જે જાતક પ્રેમસંબંધો માં પડેલા છે તે પોતાના સંબંધો ને નવી ઊંચાઈઓ આપી શકે છે.
આ ગોચરકાળ માં વિદ્યાર્થીઓ ની સમજવા ની ક્ષમતા માં વધારો થશે, આ રાશિ ના જે જાતક ઉચ્ચ શિક્ષા મેળવી રહ્યા છે તેમને આ સમયકાળ માં સારા ફળો ની પ્રાપ્તિ થશે.
ઉપાય: જરૂરિયાતમંદ બાળકો ને પુસ્તકો અને સ્ટેશનરી ની વસ્તુ આપો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિ ના જાતકો ના આઠમા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ ને પરિવર્તન,
શોધ અને જીવન માં આકસ્મિક થનારી ઘટનાઓ નું પરિબળ ગણવા માં આવે છે. જોકે બુધ ઘણી ઝડપ
થી ગતિ કરનારો હોય છે તેથી તમારા જીવન માં અમુક ઝડપી અને ત્વરિત ફેરફાર લાવી શકે છે.
જેના પરિણામ સ્વરૂપ શરૂઆત માં બેચેની અને ચિંતા તમને હેરાન કરી શકે છે. પરંતુ આ પરિવર્તન
વૃશ્ચિક રાશિ ના લોકોને તેમના કમ્ફર્ટ ઝોન અને જે સીમાઓ તેમને પોતાના માટે બનાવી હતી
તેનાથી બહાર કાઢવા માં મદદ કરશે। જોકે બુધ ગ્રહ તમારા સંચિત ધન ના બીજા ભાવ પર દ્રષ્ટિ
નાખી રહ્યો છે તેથી તમારો ખર્ચ આ દરમિયાન વધી શકે છે. જેથી સંચિત ધન ઓછું થઇ શકે છે.
તેથી આ ગોચર ના દરમિયાન પોતાના સંસાધનો નું તમારે સારી રીતે વપરાશ કરવા ની સલાહ આપવા
માં આવે છે. આઠમા ભાવ થી ગિફ્ટ અને આકસ્મિક થનારા લાભ ના વિશે પણ વિચાર કરવા માં આવે
છે. તેથી બુધ ના આઠમા ભાવ માં હોવા ના દરમિયાન તમને આકસ્મિક લાભ થવા ની શકયતા છે. પરંતુ
આ ગોચર ના દરમિયાન તમારે કોઈના પણ કામ માં બાધા નાખવા થી બચવું જોઈએ। જે લોકો નોકરિયાત
છે તેમને જોબ માં પરિવર્તન કરવા ની જગ્યા પોતાની યોગ્યતા મુજબ સારું બનવું જોઈએ।
આ ગોચર ના દરમિયાન તમને પોતાના આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન રાખવા ની જરૂર છે ખાસ કરીને તે લોકો ને જે એલર્જી અથવા ચામડી થી સંબંધી કોઈ રોગ થી પરેશાન છે. જો તમને કોઈ પણ આરોગ્ય સમસ્યા છે તો તરત જ ડોક્ટર ની પાસે જાઓ. યોગ, ધ્યાન અને શારીરિક કામ કરવા થી તમારા અંદર ની નકારાત્મકતા અને તણાવ દૂર થશે અને સાથેજ આરોગ્ય માં પણ સારા ફેરફાર આવશે।
આ ગોચર તે વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે જે કોઈ નવા અભ્યાસ મા એડમિશન લેવા માંગે છે. બુધ ની સ્થિતિ નવા વિષયો ને સમજવા માં તમારી મદદ કરશે।
પ્રેમ જીવન અને સંબંધો ની વાત કરીએ તો વાતચીત ના દરમિયાન તમારે સાવચેત રહેવું હશે. જૂઠ બોલવા થી બચો નહીંતર સંબંધો માં વધઘટ આવી શકે છે.
ઉપાય: સૂર્યોદય ના સમયે દરરોજ “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નું 108 વાર જાપ કરો.
ધનુ
ધનુ રાશિ ના જાતકો ના વિવાહ ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ થી જીવન માં થનારી
ભાગીદારીઓ ના વિશે ખબર પડે છે. અગ્નિ તત્વ પ્રધાન આ રાશિ ના જાતકો ના માટે બુધ નું
આ ગોચર શુભ સાબિત થશે. બુધ તમારા કર્મ ભાવ નો સ્વામી પણ છે, તેથી ધનુ રાશિ ના જાતકો
ને આ દરમિયાન પ્રમોશન મળી શકે છે. બુધ ગ્રહ તમારી અવલોકન કરવા ની ક્ષમતા ને વધારશે,
જેથી તમે પોતાના કામ ને સારી રીતે પૂરું કરી શકશો અને તમને સારા પરિણામ પણ મળશે। તમારા
વરિષ્ઠ તમારા કામ ની પ્રશંસા આ દરમિયાન કરી શકે છે. આ રાશિ ના વેપારીઓ માટે પણ બુધ
નું ગોચર શુભ રહેશે પરંતુ જે લોકો ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે તેમને વધારે લાભ
થવા ની શક્યતા છે.
પ્રેમ સંબંધો માં પણ સારા પરિવર્તન આવશે કેમકે તમારી અંદર રોમાન્સ ની અધિકતા આ દરમિયાન જોવા મળી શકે છે. જે લોકો પ્રેમ સંબંધ ને શાદી ના અતુટ બંધન માં બાંધવા માંગે છે તેમના માટે પણ આ ગોચર સારું રહેશે। વિવાહિત જાતકો ના જીવન માં પણ ખુશીઓ કાયમ રહેશે। આ રાશિ ના વિદ્યાર્થી શિક્ષા ના પ્રતિ આ દરમિયાન વધારે ગંભીર રહેશે, જેથી શિક્ષા ના ક્ષેત્ર માં શુભ પરિણામ મળશે।
ઉપાય: દરરોજ બુધ ની હોરા ના સમય બુધ મંત્ર નો જાપ કરો.
મકર
મકર રાશિ ના જાતકો ના છઠ્ઠા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ થી પ્રતિયોગિતાઓ,
શત્રુઓ અને રોગો ના વિશે વિચાર કરવા માં આવે છે. આ રાશિ ના પેશાગત લોકો માટે આ ગોચર
શુભ સાબિત થશે. તમારી પ્રતિસ્પર્ધી તાકાત માં આ દરમિયાન વધારો થશે. જેથી તમે પોતાના
શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો। આ સમયે તમને પોતાના સહકર્મીઓ થી સહયોગ પ્રાપ્ત થશે
જેથી કાર્યક્ષેત્ર માં તમારી ઉત્પાદકતા માં વધારો થશે. જે લોકો નોકરી માં ફેરફાર કરવા
નું પ્રયાસ કરી રહ્યા છે તેમને પોતાની પસંદગી ના ક્ષેત્ર અથવા સંસ્થા માં નોકરી મળી
શકે છે. આ રાશિ ના જે જાતક વેપાર કરે છે તેમને પણ બુધ ના આ ગોચર દરમિયાન લાભ થશે અને
જો તમે વેપાર ને વિસ્તાર કરવા માટે લોન લેવા માંગો છો તો તે પણ આ દરમિયાન મંજૂર થઈ
શકે છે.
તમારા અંગત જીવન ની વાત કરીએ તો માતૃ પક્ષ ના લોકો થી આ દરમિયાન તમને ઉપહાર મળી શકે છે. કોર્ટ કચેરી ની બાબત માં તમને આ દરમિયાન વિજય પ્રાપ્ત થઇ શકે છે. જોકે પ્રેમ જીવન માટે આ ગોચર તમને ઘણો ગંભીર બનાવી શકે છે જેથી સંબંધો માં મુશ્કેલીઓ આવી શકે છે. તેથી તમારે પોતાના પ્રિયતમ ની જોડે આ દરમિયાન ક્વાલિટી ટાઈમ પસાર કરવું જોઈએ। આનાથી તમે તેમની લાગણીઓ ને સમજી શકશો અને તમારા વચ્ચે નો સંબંધ મજબૂત થશે.
આ રાશિ ના વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ દરમિયાન પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહેલા આ રાશિ ના છાત્રો ને સફળતા મળી શકે છે. આ દરમિયાન તમારી ઉર્જા નું સ્તર પર વધેલું રહેશે તેથી શારીરિક ક્રિયાકલાપો જેમકે રનીંગ, જિમિંગ અથવા યોગ વગેરે કરવા થી તમે પોતાને ફિટ બનાવી શકો છો અને પોતાના આરોગ્ય માં સકારાત્મક ફેરફાર લાવી શકો છો.
ઉપાય: ગાય ને લીલી ઘાસ ખવડાવો।
કુંભ
બુધ નું ગોચર તમારા પાંચમા ભાવ માં થશે, આ ભાવ થી તમારી બુદ્ધિ, સંતાન, પ્રેમ, રોમાન્સ
વગેરે ના વિશે વિચાર કરવા માં આવે છે. બુધ નું પાંચમા ભાવ માં ગોચર તમારા માટે સારા
પરિણામ આપનારું સાબિત થઈ શકે છે. આ રાશિ ના પેશાગત લોકો પોતાના વિચારો ને ઘણી સારી
રીતે આ દરમિયાન રૂપ આપી શકે છે. જેના લીધે આ સમયગાળા દરમિયાન તેમની આવક અને સમૃદ્ધિ
માં વધારો થશે. આ રાશિ ના વેપારીઓ ને પોતાની યોજનાઓ થી લાભ થશે. જોકે આ દરમિયાન કમાવવા
માં આવેલી રાશિ થી તમને કોઈ એવું નિવેશ કરવું જોઈએ જેથી આવનારા સમય માં તમને લાભ મળે,
આવું કરવું તમારા ભવિષ્ય માટે સારું રહેશે।
તમારા અંગત જીવન ની વાત કરીએ તો આ રાશિ ના વિવાહિત જાતકો માટે આ સમય ઘણો શુભ છે, આ ગોચર ના દરમિયાન તમને પોતાના જીવનસાથી નું પૂરું યોગ મળશે। પ્રેમ જીવન માં પણ આ રાશિ ના લોકો સારા ફળ મેળવશે। તમારો વ્યવહાર સરળ રહેશે અને નકામી વાતો પર તમે ધ્યાન નહીં આપો. આના થી પ્રેમ ના સંબંધો માં પ્રગાઢતા આવશે।
આ રાશિ ના જે જાતકો ની સંતાન છે તે પોતાની સંતાન ની પ્રગતિ જોઇને ખુશ થશે. આ રાશિ ના વિદ્યાર્થી તે જટિલ વિષયો ને પણ આ દરમિયાન સરળતા થી સમજી શકશે, જેમાં તેમને વીતેલા સમય માં મુશ્કેલી આવી રહી હતી. આના લીધે વિદ્યાર્થી શિક્ષણ ના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકશે।
તમારા આરોગ્ય જીવન પર નજર નાખીએ તો પેટ થી સંકળાયેલી સમસ્યા તમને થઇ શકે છે. તેથી ખાનપાન નું ધ્યાન અને નિયમિત વ્યાયામ કરવું તમારા માટે જરૂરી હશે.
ઉપાય: દેવી સરસ્વતી ની પૂજા કરો.
મીન
બુધ ગ્રહ નું ગોચર તમારા ચોથા ભાવ માં થશે. આ ભાવ થી માતા, ઘર, સુખ-સુવિધાઓ વગેરે ના
વિશે વિચાર કરવા માં આવે છે. બુધ ની આ સ્થિતિ મીન રાશિ ના જાતકો ના પારિવારિક જીવન
માં સકારાત્મક ફેરફાર લઈને આવશે। પારિવારિક જીવન માં ખુશીઓ હોવાથી તમારા મન માં શાંતિ
નો અનુભવ જોવા મળશે। ઘર ની સારી સ્થિતિ ને લીધે તમે પોતાના પેશાવર જીવન માં પણ સારું
પ્રદર્શન કરી શકશો। જોકે બુધ ની ચોથા ભાવ માં હાજરી તમને અમુક આળસું પણ બનાવી શકે છે.
કેમકે આ ભાવ તમારા સુખ નું પણ હોય છે. આના લીધે મીન રાશિ ના જાતક પોતાના કમ્ફર્ટ ઝોન
માં રહેવા નું પસંદ કરશે। જેના લીધે તમે પોતાના ભવિષ્ય ને બગાડી શકો છો, તેથી આ દરમિયાન
પોતાને સક્રિય બનાવી રાખવું તમારા માટે જરૂરી હશે. કેમકે આવું કરવું તમને આવનારા સમય
માં સફળ બનાવશે।
અંગત જીવન ની વાત કરીએ તો માતા ની સાથે આ દરમિયાન તમારા સંબંધ સુધરશે। મીન રાશિ ના અમુક જાતક આ દરમિયાન ભૂમિ અથવા વાહન ખરીદી શકે છે. જોકે તમને કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા પોતાના ખર્ચ પર ધ્યાન આપવું જોઇએ અને તેના પછીજ કોઈ નિર્ણય લેવો જોઈએ।
આ ગોચર ના દરમિયાન તમારા જીવનસાથી ને તેમના કાર્યક્ષેત્ર માં સન્માન, પ્રશંસા ની પ્રાપ્તિ થશે. આના થી પરિવાર માં ખુશીઓ વધશે। ખુશીઓ ના વાતાવરણ માં જો તમે પોતાના જીવનસાથી ને જણાવો કે તમારા જીવન માં તે શું મહત્ત્વ રાખે છે તો આના થી તમારા સંબંધો માં હજી મજબૂતી આવશે।
ઉપાય: દરરોજ તુલસી ના છોડ નું પૂજન કરો.
રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada