બુધ નું વૃષભ રાશિ માં ગોચર આપશે કેવા પ્રભાવ
બુધ ગ્રહ જેને સંચાર, વ્યવસાય, તર્ક ક્ષમતા, વિશ્લેષણ અને અવલોકન નું પરિબળ ગણવા માં આવે છે, પોતાની મિત્ર રાશિ વૃષભ માં 9 મે 2020, 09:47 વાગ્યે ગોચર કરશે। અહીં થી 24 મે 2020, 23:57 વાગ્યે બુધ ગ્રહ પોતાની રાશિ મિથુન માં ગોચર કરશે। તેથી વૃષભ રાશિ માં બુધ ગ્રહ 16 દિવસ સુધી હાજર રહેશે।
મેળવો તમારી સમસ્યાઓ નું જ્યોતિષીય નિરાકરણ: જ્યોતિષીય પરામર્શ
આવો જોઈએ છે બુધ ના વૃષભ રાશિ માં ગોચર નું તમારા પર શું પ્રભાવ પડશે અને પરિવાર, કરિયર, આરોગ્ય, પ્રેમ વિવાહ, શિક્ષા વગેરે ક્ષેત્ર માં તમને કેવા ફળ પ્રાપ્ત થશે.
આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે - જાણો પોતાની ચંદ્ર રાશિ
મેષ
મેષ રાશિ ના જાતકો ના માટે બુધ નું ગોચર તેમની વાણી, સંચિત ધન અને બચત ના બીજા ભાવ
માં થશે. આ ગોચર દરમિયાન મેષ રાશિ ના જાતકો ને સૌથી જરૂરી કામ કરવું છે કે તે પોતાના
ધન ની બચત કરવા માટે કોઈ સેવિંગ કરે. આ જાત નું નિવેશ કરવું તમારા માટે સારું હશે જેથી
આવનારા સમય માં તમને નાણાકીય લાભ થાય. તમારા જીવન માં આવનારી વધઘટ અને અવરોધ ના પરિબળ
ભાવ (છઠ્ઠા ભાવ) ના સ્વામી બુધ ની સ્થિતિ ના લીધે તમે વધારે ખર્ચાળ હોઇ શકો છો. આ દરમિયાન
તમને વાતચીત ના સમયે સાવચેતી રાખવી હશે અને ઠીક શબ્દો નો વપરાશ કરવું હશે. નહીંતર તમે
કોઈની લાગણી દુભાવી શકો છો. આના લીધે તમારા પરિવાર નું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે.
આ રાશિ ના વ્યવસાયિક લોકો ને કાર્યક્ષેત્ર માં આ દરમિયાન લાભ ની પ્રાપ્તિ થશે. ત્યાંજ મેષ રાશિ ના વેપારીઓ ને આ દરમિયાન વેપાર માં નવી યોજનાઓ ના કાર્યાન્વયન માં મુશ્કેલીઓ આવી શકે છે. આ ગોચર કાળ દરમિયાન તમને કોઈપણ જાત નું લોન અથવા ઉધાર લેવા થી બચવું જોઈએ।
આરોગ્ય જીવન પર નજર નાખીએ તો તમને પોતાની આજુબાજુ સ્વચ્છતા બનાવી રાખવા ની જરૂર છે. નહીંતર તમને દાંત અથવા મોઢા થી સંબંધિત કોઇ મુશ્કેલી થઈ શકે છે.
ઉપાય: ફળો નું દાન કરો, શુભ ફળ મળશે।
વૃષભ
બુધ ગ્રહ નું ગોચર તમારા લગ્ન ભાવ માં થશે અને આ સ્થિતિ માં બુધ દિગબલી અવસ્થા માં
રહેશે। બુધ ની આ સ્થિતિ તમને આકર્ષક વ્યક્તિત્વ વાળું બનાવશે આની સાથેજ તમારું વાર્તાલાપ
કૌશલ પણ સારું રહેશે। તમે લોકો ને આકર્ષિત કરી શકશો।
આ દરમિયાન તમારું મિલનસાર અને સૌમ્ય વર્તન અંગત અને વ્યવસાયિક બંને મોરચે તમને સકારાત્મક પરિણામ આપશે। આ રાશિ ના જે જાતક વિવાહિત છે તે પોતાના સંબંધ માં વધારે સંતોષ અને ખુશી અનુભવ કરશે। આ રાશિ ના જે જાતક પ્રેમસંબંધો માં પડેલા છે તે પોતાના પ્રિયતમ ની સાથે પ્રેમ સંબંધ ને વધારે મજબૂત બનાવી શકશે।
આ રાશિ ના જે જાતક નોકરિયાત છે અથવા કોઈ વ્યક્તિગત કામ કરે છે, બુધ ની આ સ્થિતિ તેમના માં વધારે જિજ્ઞાસા જગાડશે। જેના લીધે તમે નવા અનુભવો માંથી પસાર થશો જેથી ભવિષ્ય માં તમારા કૌશલ માં વધારે નિખાર આવશે। આ ગોચરકાળ ના દરમિયાન વૃષભ રાશિ ના જાતકો ના વ્યવહાર માં સરળતા જોવા મળશે જેના લીધે તમે પોતાની બધી જવાબદારીઓ ને સરળતા થી પુરી કરી લેશો। તમારા સહકર્મી અને સિનિયર્સ તમારા કામ થી ખુશ થશે.
આ રાશિ ના જે લોકો આયાત નિર્યાત થી સંકળાયેલું વેપાર કરે છે તેમને આ દરમિયાન લાભ મળી શકે છે. આ રાશિ ના માતા-પિતા ના માટે સંતાન ખુશી નું કારણ બનશે। આ રાશિ ના વિદ્યાર્થીઓ ની એકાગ્રતા આ દરમિયાન ગજબ ની રહેશે જેથી તે શિક્ષણ ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી શકશે।
ઉપાય: દરરોજ સૂર્યોદય ના સમયે રામ રક્ષા સ્તોત્ર નું પાઠ કરો.
મિથુન
બુધ ગ્રહ આ ગોચર ના દરમિયાન તમારા બારમા ભાવ માં રહેશે। આ ભાવ ને હાનિ, અણધારી પરિસ્થિતિઓ
નું ભાવ કહેવા માં આવે છે અને આ ભાવ માં બુધ ની હાજરી મિથુન રાશિ ના જાતકો ના માટે
અનુકૂળ નથી કહી શકાતી। આ ભાવ થી વિદેશ ના વિશે પણ વિચાર કરવા માં આવે છે તેથી, મિથુન
રાશિ ના જાતકો ને વિદેશ સંબંધો થી લાભ થઈ શકે છે. આ ગોચર ના દરમિયાન પોતાના પ્રિયજનો
ની સાથે તમે વિદેશ જઇ શકો છો. જોકે બુધ ના આ ગોચર ના દરમિયાન તમારા ખર્ચ માં વધારો
થઈ શકે છે. જેથી તમારી માનસિક પરેશાની અને ચિંતા થવા ની શક્યતા છે. તેથી સારી આર્થિક
યોજના અને સંસાધનો નું સારું વપરાશ તમારા માટે ઘણું જરૂરી હશે. આ રાશિ ના ઘણા જાતકો
નું ટ્રાન્સફર આ દરમિયાન થઇ શકે છે.
આ રાશિ ના વ્યવસાયિક લોકો ની વાત કરીએ તો આ ગોચર તમારા આત્મવિશ્વાસ માં ઘટાડો લાવી શકે છે અને સાથેજ તમને હેરાન અને ચિંતિત કરી શકે છે. તેથી આ દરમ્યાન તમારે કોઈપણ નવું કામ કરવા થી બચવું જોઈએ અને જે કામ તમે કરી રહ્યા છો તેને મહેનત ની સાથે કરતા રહેવું જોઈએ। પોતાના કૌશલ ઉપર વિશ્વાસ કરો અને તેને સારું કરવા નું સતત પ્રયાસ કરતા રહો. આના થી તમારા માં સંપૂર્ણતા આવશે। જે વસ્તુઓ તમારા વ્યવસાયિક જીવન ને પ્રભાવિત કરી રહી છે તેના થી તમારું અંગત જીવન પણ પ્રભાવિત થઇ શકે છે. તમે આ દરમિયાન ઘણી નાની-નાની વાતો ને લઈ ને પણ ઝડપ થી નારાજ થઈ શકો છો, જેથી જીવન માં વધઘટ આવશે તમારા સંબંધો પણ ખરાબ થઈ શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે આ ગોચર ના દરમિયાન શાંત રહો આના થી તમને પરિસ્થિતિઓ ને સમજવા માં મદદ મળશે અને આ ગોચર ના સારા ફળ તમને પ્રાપ્ત થશે.
પોતાના આરોગ્ય ને લઈને પણ આ દરમિયાન તમારે કોઈ બેદરકારી ન દેખાવવી જોઈએ, ખાસ કરીને આંખો અને ચામડી થી સંબંધિત પરેશાનીઓ ને લઈને સાવચેત રહો. તેથી આંખ અને ચામડી થી સંબંધિત આરોગ્ય સમસ્યા ને લઇ તરત ડોક્ટર થી સલાહ લો.
કર્ક
કર્ક રાશિ ના જાતકો માટે બુધ ગ્રહ નું ગોચર તેમની સફળતા અને લાભ ના અગિયારમાં ભાવ માં
થશે. કર્ક રાશિ ના જાતકો ની ઈચ્છાઓ ના ત્રીજા ભાવ અને વિદેશ, ખર્ચ ના બારમા ભાવ પર
બુધ ગ્રહ નું સ્વામિત્વ છે, આના થી ખબર પડે છે કે કર્ક રાશિ ના જાતકોના માટે આ ગોચર
શુભ સાબિત થશે. આ રાશિ ના જે જાતક વિદેશી વેપાર થી સંકળાયેલા છે અથવા વિદેશી કંપની
માં કામ કરે છે તેમને લાભ મળવા ની પૂરી શકયતા છે.
ત્રીજા ભાવ થી તમારી યોગ્યતા વિશે પણ વિચાર કરવા માં આવે છે, તેથી પોતાની યોગ્યતા ના દમ પર તમે સારું ધન કમાવી શકો છો. આ ગોચર ના દરમિયાન તમને પોતાના કૌશલ નો વિકાસ કરવા ની જરૂર છે. આની સાથેજ બુધ નું આ ગોચર તમારી દબાયેલીi ઈચ્છાઓ ને પૂરું કરનારું સાબિત થઇ શકે છે. આ રાશિ ના નોકરીયાત લોકો ને તેમના વડે અતીત માં કરેલા કોઈપણ કામ નું પુરસ્કાર મળી શકે છે. અગિયારમો ભાવ તમારા સામાજિક વર્તણુક વિષે પણ જણાવે છે. તેથી બુધ ના આ ગોચર ના દરમિયાન તમે સામાજિક સ્તર પર જેટલા સક્રિય રહેશો એટલીજ સફળ થવા ની વધારે થી વધારે તક તમને મળશે। જોકે આ ગોચર ના દરમિયાન તમે પોતાના પાર્ટનર થી ઘણી અપેક્ષાઓ રાખશો જેના લીધે સંબંધો માં અમુક મુશ્કેલીઓ આવી શકે છે. તમારું સાથી જેમ છે એવી જ રીતે તમે તેમને સમજશો તો આ ગોચર દરેક રીતે તમારા માટે સારું રહી શકે છે.
ઉપાય: ઘર માં મની પ્લાન્ટ અથવા લીલો છોડ લગાવો।
સિંહ
સિંહ રાશિ ના જાતકો ના દસમા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે, આ ભાવ થી તમારા કરિયર અને
કર્મ ના વિશે વિચાર કરવા માં આવે છે. બુધ ગ્રહ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી
છે. બીજા ભાવ થી તમારા સંચિત ધન અને અગિયારમા ભાવ થી લાભ અને સફળતા ના વિશે વિચાર કરવા
માં આવે છે. બુધ ની સ્થિતિ થી ખબર પડે છે કે સિંહ રાશિ ના જાતકો ને બુધ ના આ ગોચર થી
લાભ ની પ્રાપ્તિ થશે.
વ્યવસાયિક રૂપ થી, તમારી રચનાત્મકતા અને સંગઠન કૌશલ માં વધારો થશે અને તમે તે કાર્યો ને રૂપ આપવા માં સક્ષમ હશો જેના પરિણામ સ્વરૂપ ઉત્પાદકતા અને દક્ષતા માં વધારો થાય. આના થી સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની વચ્ચે તમારી છવિ સારી થશે. સિનેમા, મનોરંજન અને બીજા ક્ષેત્રો જેમ કે ક્રિએટિવ મેનેજમેન્ટ માં કામ કરનારા જાતકો ને આ અવધિ માં સારા પરિણામ અને લાભ પ્રાપ્ત થવા ની પૂરી શક્યતા છે. આ રાશિ ના જે જાતક પબ્લિક ડીલિંગ થી સંકળાયેલા વેપાર માં છે તેમને પણ લાભ મળવા ની પૂરી શકયતા છે. વેપારીઓ માટે પણ આ સમયે સારું રહેશે, ખાસ કરીને તે વેપારીઓ ના માટે જે પરિવાર થી સંકળાયેલું વેપાર કરે છે. આ ગોચર કાળ ના દરમિયાન તમને પોતાની વિરાસત ને આગળ વધારવા ની તક મળશે।
તમારા પારિવારિક જીવન ની વાત કરીએ તો ઘર ના લોકો થી તમને સહયોગ ની પ્રાપ્તિ થશે, ખાસ કરીને પિતા અથવા પિતાતુલ્ય લોકો થી ઘર નું વાતાવરણ સુખદ રહેશે। તમારા પ્રેમ જીવન ની વાત કરીએ તો બુધ ની સ્થિતિ તમારા સંબંધો ને સંતુલન આપશે। પ્રિયતમ ની સાથે તમારી નજીકીઓ આ દરમિયાન વધી શકે છે. પરિણીત લોકો ના જીવન માં પ્રેમ અને ખુશી કાયમ રહેશે। આ રાશિ ના જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે અને સફળ થવા માંગે છે, તેમને અમુક વધારે મહેનત કરવા ની જરૂર છે.
ઉપાય: બુધવાર ના દિવસે દૂધ અને ચોખા દાન કરો.
કન્યા
કન્યા રાશિ ના જાતકો ના નવમા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે. આ ભાવ થી તમારા ભાગ્ય,
ઉચ્ચ શિક્ષા વગેરે ના વિશે વિચાર કરવામાં આવે છે. આની સાથેજ યાત્રા અને ધાર્મિક યાત્રા
વિશે પણ આ ભાવ થી વિચાર કરવામાં આવે છે. કન્યા રાશિ ના જાતકો ને દરેક કામ માં આ દરમિયાન
ભાગ્ય નો સાથ મળશે। જોકે આ ઉપરાંત પોતાના લક્ષ્ય ને પ્રાપ્ત કરવામાં તમારે નિરંતર પ્રયાસ
અને સખત મહેનત કરવાની જરૂર છે. આ ગોચર કાળ ના દરમિયાન તમારું માન-સન્માન મળશે અને સામાજિક
સ્તરે તમે સારી ઓળખાણ બનાવી શકશો।
વ્યવસાયિક લોકો ની વાત કરીએ તો આ દરમિયાન તમને કોઈ નવી નોકરી મળી શકે છે અને આવક માં પણ વધારો થઇ શકે છે. આ ગોચર ના દરમિયાન આધ્યાત્મિકતા ની બાજુ તમારો રસ હોઈ શકે છે, તમે લોકો ની સહાયતા અને સેવા કરી શકો છો. તમે પોતાનું ધ્યાન સમાજ ના તે પ્રમુખ પાસા ઉપર કેન્દ્રિત કરશો જેમાં સુધાર લાવવા ની જરૂર છે. જો તમે વિવાહિત છો તો સસરા પક્ષ ના લોકો ની સાથે તમારા સંબંધ સુધરશે જેથી જીવનસાથી ની જોડે તમારો સંબંધ સુધરશે। એકલ લોકો ની વાત કરીએ તો જો તમે કોઈના થી પ્રેમ કરો છો અને ઈઝહાર કરવા માં અચકાઈ રહ્યા છો તો પોતાના કોઈ મિત્ર ની મદદ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે।
આ રાશિ ના જે છાત્ર વિદેશ માં જઈને અભ્યાસ કરવા માંગે છે તેમનાં સ્વપ્ન બુધ ના આ ગોચર ના દરમિયાન પુરા થઇ શકે છે.
ઉપાય: 5 - 6 કેરેટ નું પન્ના રત્ન જમણા હાથ ની સૌથી નાની આંગળી માં ધારણ કરો.
તુલા
તુલા રાશિ ના જાતકો ના આઠમાં ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે, આ ભાવ થી જીવન માં થનારા
ફેરફાર અને અણધારી યાત્રાઓ ના વિશે વિચાર કરવા માં આવે છે. અને સાથેજ આકસ્મિક મળનારા
ઉપહાર અને આરોગ્ય વિશે પણ આ ભાવ થી માહિતી મળે છે. તમારા આઠમા ભાવ માં બુધ નું આ ગોચર
સૂચન કરે છે કે તમને પોતાના આરોગ્ય ને લઈને સાવચેત રહેવા ની જરૂર છે. આ સમય તમને માટી
અને પ્રદુષણ થી દૂર રહેવું જોઈએ નહિતર એલર્જી અથવા ચામડી થી સંબંધિત કોઇ બીમારી તમને
થઈ શકે છે. જો વાહન ચલાવો છો તો વાહન ચલાવતી સમયે સાવચેતી રાખો નહીંતર અકસ્માત થઈ શકે
છે.
તુલા રાશિ ના લોકો ને બુધ ના ગોચર ના દરમિયાન ઘણા પ્રસ્તાવો મળી શકે છે, પરંતુ તમને સલાહ આપવા માં આવે છે કે કોઇપણ નિર્ણય પર પહોંચતા પહેલા નફા અને નુકસાન ના વિશે વિચાર કરી લો. નહીતર તમે કોઈપણ જાત ની ડીલ થી નુકશાન માં આવી શકો છો. જોકે, તમે પોતાના વડીલો થી વિરાસત અથવા ઉપહાર માં આકસ્મિક લાભ પણ પ્રાપ્ત કરી શકો છો.
રહસ્યમય અને ગુપ્ત વિજ્ઞાન ને શીખવવા અથવા સમજવા માં તમારું રસ વધી શકે છે. આની સાથેજ આ ગોચર તે લોકો ના માટે શુભ રહેશે જે કોઈપણ જાત ના શોધ કાર્ય થી સંકળાયેલા છે, તમને આ સમયે માનમાફક સફળતા મળી શકે છે.
તમારા અંગત જીવન ની વાત કરીએ તો પોતાના જીવનસાથી નું ભાવનાત્મક અને આર્થિક સહયોગ તમને મળશે જેથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓ નું પણ સરળતા થી સામનો કરી શકશો। આ ગોચરકાળ ના દરમિયાન તમને નકારાત્મક વિચારો થી દૂર રહેવું હશે અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવો હશે. જો તમે આવું કરો છો તો આ ગોચર તમારા માટે ઘણું સુખદ રહેશે।
ઉપાય: પોતાના ઘર માં કપૂર નો દીવો પ્રગટાવવા થી તમને બુધ ગ્રહ ના શુભ ફળ મળશે।
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિ ના જાતકો માટે બુધ ગ્રહ નું ગોચર તેમના સાતમા ભાવ માં થશે. સાતમા ભાવ
થી તમારા જીવનસાથી, ભાગીદારી વગેરે ના વિશે વિચાર કરવામાં આવે છે. બુધ ના ગોચર થી વૃશ્ચિક
રાશિ ના લોકો ને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થવા ની શક્યતા છે.
બુધ ગ્રહ વૃશ્ચિક રાશિ ના જાતકો ના આઠમા ભાવ નો સ્વામી છે જેથી જીવન માં આવનારા અવરોધો ના વિષે ખબર પડે છે, અહીં બુધ ગ્રહ આ ગોચર ના દરમિયાન તમારા સંબંધો માં સાતમા ભાવ માં વિરાજમાન છે. આના થી ખબર પડે છે કે આ ગોચર ના દરમિયાન તમે વસ્તુઓ ને લઈને ખામીઓ કાઢી શકો છો. તમારા વર્તન માં સતત થનારા ફેરફાર ના લીધે જીવનસાથી જોડે ગેરસમજ થઇ શકે છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે જીવનસાથી ની દરેક વાત પર પ્રતિક્રિયા આપવા થી બચો આના થી ઘણી બાબતો સરળતા થી ઉકેલી શકાય છે. ત્યાંજ આ રાશિ ના એકલ જાતકો ની વાત કરીએ તો આ ગોચરકાળ ના આ દરમિયાન તેમની મુલાકાત કોઈ ખાસ થી થઈ શકે છે.
બુધ તમારા સફળતા અને લાભ ના અગિયારમા ભાવ નાં સ્વામી છે અને આ ગોચરકાળ ના દરમિયાન તમારા સાતમા ભાવ માં વિરાજમાન છે. આના થી ખબર પડે છે કે તમને લાભ ની પ્રાપ્તિ થશે ખાસ કરી ને તે લોકો ને જે ભાગીદારી માં વેપાર કરે છે. આ ઉપરાંત ભાગીદાર સાથે વાતચીત કરવું અને તેમના પર વિશ્વાસ કરવો તમારા માટે આ દરમિયાન ઘણું જરૂરી હશે. આ ગોચર ની અવધિ માં તમે જેટલું સામાજીક સંપર્ક બનાવશો એટલુંજ તમને લાભ થવા ની શક્યતા છે.
તમારા આરોગ્ય જીવન પર નજર નાખીએ તો પોતાની ઉર્જા માં આ સમયે વધારો અનુભવ થઈ શકે છે, આ ઉર્જા ને તમે જો કોઇ શારીરિક કામ જેમ કે રનિંગ, જિમ અથવા યોગ માં લગાવો તો આના થી તમારું આરોગ્ય હજી પણ સારું થઈ શકે છે.
ઉપાય: દરરોજ માતા સરસ્વતી ની પૂજા કરવા થી તમને બુધ ગ્રહ ના શુભ ફળ મળશે।
ધનુ
બુધ ગ્રહ નું ગોચર ધનુ રાશિ ના જાતકો ના છઠ્ઠા ભાવ માં થશે, વેદિક જ્યોતિષ મા આ ભાવ
થી પ્રતિયોગિતાઓ, અવરોધો, શત્રુ, રોગ વગેરે ના વિશે વિચાર કરવા માં આવે છે. આ રાશિ
ના જે જાતક નોકરિયાત છે અથવા કોઈ પ્રોફેશનલ કામ કરે છે તેમના માટે બુધ નું આ ગોચર શુભ
રહેશે। તમારા સતત પરિશ્રમ અને દૃઢ નિશ્ચય ના લીધે કાર્યક્ષેત્ર માં તમને સફળતા મળશે।
જોકે આ દરમિયાન તમને પોતાના શત્રુઓ થી સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે તેમના વડે તમારા
વિરુદ્ધ કોઈ કાવતરું કરી શકાય છે. જોકે, પોતાની વધેલી પ્રતિસ્પર્ધી ક્ષમતા અને સહજ
જ્ઞાન થી તમે આવી પરિસ્થિતિ માં થી પોતાને બચાવી શકો છો.
આ રાશિ ના વ્યવસાયિકો નું વેપાર ને વિસ્તાર આપવા નો કોઇ પ્લાન હતું તો તેને અમુક દિવસ સુધી સ્થગિત કરવું જ સારું રહેશે। જો તમે જરૂરી કામ જે તમે કરી રહ્યા હતા તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને શુભ ફળો ની પ્રાપ્તિ થશે. આની સાથેજ ઉધાર અથવા લોન લેવાથી પણ તમારે આ દરમિયાન બચવું જોઇએ, નહીંતર આ તમને માનસિક ચિંતાઓ આપી શકે છે.
તમારા અંગત સંબંધો ની વાત કરીએ તો જીવનસાથી નું આરોગ્ય આ ગોચર કાળ માં સંવેદનશીલ રહેશે। આની સાથેજ અમુક ગેરસમજ અને સંબંધો માં ફેરફાર તમારા બંને ની વચ્ચે અથડામણ નું કારણ બની શકે છે. અને એકબીજા ને લઈને તમારી ધારણાઓ પર બદલી શકે છે. આના પરિણામસ્વરૂપ તમારા બંને ની અંદર એકબીજા ના પ્રતિ અસહજતા ની લાગણી ઉત્પન્ન થઇ શકે છે. આવી સ્થિતિ માં તમારા બંને ને એકબીજા થી વાતચીત કરવી જોઇએ અને દરેક બાબત નો ઉકેલ કાઢવા નો પ્રયાસ કરવો જોઈએ, ના કે એકબીજા પર દોષારોપણ કરવું જોઈએ। આ રાશિ ના વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તે છાત્ર છાત્રાઓ ને આ દરમિયાન સફળતા મળી શકે છે જે પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે.
ઉપાય: ગાય ને રોજ લીલી ઘાસ ખવડાવો।
મકર
મકર રાશિ ના જાતકો ના પાંચમા ભાવ માં બુધ ગ્રહ નું ગોચર થશે, આ ભાવ થી તમારી બુદ્ધિ,
પ્રેમ, રોમાન્સ અને સંતાન ના વિશે વિચાર કરવામાં આવે છે. તમારા અંગત જીવન પર નજર નાખીએ
તો પ્રેમ અને રોમાન્સ ના માટે બુધનું આ ગોચર સારું રહેશે। આ રાશિ ના જે જાતક અત્યાર
સુધી એકલ હતાં તે આ ગોચર ના દરમિયાન પોતાના પ્રેમ નું ઇઝહાર કોઈ ખાસ થી કરી શકે છે,
કેમકે આ દરમિયાન તમારા પ્રસ્તાવ પર સકારાત્મક જવાબ આવી શકે છે, તેથી તમારા જીવન માં
ખુશીઓ આવશે। બુધ નું આ ગોચર મકર રાશિ ના વિવાહિત જાતકો માટે શુભ સાબિત થશે. આ દરમિયાન
તમે પોતાના જીવનસાથી ની જોડે સારો સમય પસાર કરી શકો છો.
તમારા વ્યવસાયિક જીવન ની વાત કરીએ તો બુધ જે તમારા નવમા ભાવ નો સ્વામી છે, તમારા પાંચમા ભાવ માં ગોચર કરી રહ્યો છે. તેથી આ રાશિ ના તે નોકરીયાત લોકો ને પ્રમોશન મળી શકે છે જેમને પ્રમોશન ની અપેક્ષા હતી. આની સાથેજ મનગમતી જગ્યા પર તમારું ટ્રાન્સફર પણ થઈ શકે છે. તમારા વિચારો ને આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ ની પ્રશંસા મળશે। આની સાથેજ તે લોકો ને પણ પોતાની પ્રતિભા ને દેખાડવા માટે આ દરમિયાન સારું પ્લેટફોર્મ મળશે, જે કોઈ જાત નો રચનાત્મક કાર્ય જેમકે ગાયન, વાદન, નૃત્ય વગેરે કરે છે. આ રાશિ ના વેપારીઓ ને પણ આ દરમિયાન લાભ ની પ્રાપ્તિ થશે.
આ ગોચર ના દરમિયાન મકર રાશિ ના જાતકો ને પોતાના બાળકો ની તરફ થી કોઈ સારા સમાચાર મળી શકે છે, જેથી તેમને ખુશી થશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા આ રાશિ ના વિદ્યાર્થીઓ માટે પણ આ ગોચર લાભદાયક રહેશે। ખાસ કરી ને તે વિદ્યાર્થીઓ ના માટે જે વિદેશી યુનિવર્સિટી માં જઈ અભ્યાસ કરવા માંગે છે.
આરોગ્ય માટે પણ આ ગોચર અનુકૂળ દેખાય છે, તોપણ કોઈપણ જાત નું શારીરિક કાર્ય કરવું તમારા માટે લાભદાયક સાબિત થશે.
ઉપાય: ભગવાન ગણેશ ને દરરોજ દુર્વા ઘાસ અર્પિત કરો.
કુંભ
કુંભ રાશિ ના જાતકો ના માટે બુધ ગ્રહ નું ગોચર ચોથા ભાવ માં થશે, આ ભાવ થી સુખ સુવિધાઓ,
ઘર અને માતા ના વિશે વિચાર કરવામાં આવે છે. આ સૂચિત કરે છે કે માતા ના આરોગ્ય માં અમુક
ઘટાડો આવી શકે છે જેથી તમને પણ માનસિક ચિંતા થઈ શકે છે. કુંભ રાશિ ના જાતકો ના માટે
બુધ સંતાન ભાવ એટલે કે પંચમ ભાવ નો સ્વામી છે જેકે તમારી રાશિ થી બારમા ભાવ માં ગોચર
કરી રહ્યો છે. આ સૂચિત કરે છે કે આ રાશિ ના પરિણીત જાતકો ને સંતાન થી સંકળાયેલી અમુક
મુશ્કેલીઓ આવી શકે છે અને તમારા સંતાન તમારું ઘણો સમય લેશે। આ રાશિ ના વિદ્યાર્થીઓ
ની એકાગ્રતા પર પ્રભાવ પડી શકે છે, જેથી શિક્ષા ના ક્ષેત્ર માં મુશ્કેલીઓ આવશે।
તમારા નોકરિયાત જીવન પર નજર નાખીએ તો બુધ તમારા આઠમા ભાવ નો સ્વામી પણ છે જેથી પરિવર્તન અને આકસ્મિક થનારી ઘટના વિશે ખબર પડે છે અને તેની સીધી દૃષ્ટિ કરિયર અને પ્રોફેશન ના દસમા ભાવ પર છે. આના થી ખબર પડે છે કે તમારા જીવન માં અમુક વધઘટ આવી શકે છે, તમને કાર્યક્ષેત્ર માં અમુક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમને કરિયર ના ક્ષેત્ર માં સારું રિઝલ્ટ મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે। આની સાથેજ ઉચ્ચ અધિકારીઓ ની સાથે અમુક મતભેદો ના લીધે તમે પરેશાન થઇ શકો છો. જોકે તમને અથડામણ ની સ્થિતિ થી બચવું જોઇએ નહીંતર તમારી છવિ ખરાબ થઈ શકે છે. જોકે આ રાશિ ના વેપારીઓ ને અચાનક થી લાભ પ્રાપ્તિ થઇ શકે છે.
પ્રેમ અને રોમાન્સ ના માટે બુધ નું ગોચર સારું રહેશે, આ ગોચર ના દરમિયાન તમારા પાર્ટનર ને પ્રોફેશનલ જીવન માં સફળતા અને ઉપલબ્ધિ મળશે। આ દરમિયાન તમારું સંગી પોતાનું પૂરું સહયોગ આપશે। જોકે આ દરમિયાન તમને નાની-નાની વાતો ને અવગણી ને સંબંધો ને સારું બનાવવું જોઈએ।
તમારા આરોગ્ય જીવન ની વાત કરીએ તો, જો તમે વાહન ચલાવો છો તો આ દરમિયાન સાવચેતી થી ચલાવો નહીંતર ઇજા અથવા કોઈ અકસ્માત થઈ શકે છે. આની સાથેજ છાતીથી સંકળાયેલી કોઈ સમસ્યા શરદી જુકામ વગેરે આ સમય માં તમને થઇ શકે છે. તેથી વધારે ઠંડુ ખાવા થી આ દરમિયાન બચો.
ઉપાય: દરેક બુધવારે વિષ્ણુ સહસ્ત્ર નામ નો જાપ કરો.
મીન
મીન રાશિ ના જાતકો માટે બુધ ગ્રહ નું ગોચર તેમના ત્રીજા ભાવ માં થશે, આ ભાવ થી તમારી
ઇચ્છાઓ, મહત્વકાંક્ષાઓ, પ્રયાસો અને નાના ભાઈ-બહેનો ના વિશે વિચાર કરવામાં આવે છે.
આ સૂચિત કરે છે કે તમે પોતાના લક્ષ્ય અને મહત્વકાંક્ષાઓ ના પ્રતિ આ દરમિયાન એકાગ્રચિત
રહેશો।
આ ગોચર ના દરમિયાન તમારા સંચાર અને વાતચીત કરવા ના કૌશલ માં વધારો થશે, જેથી તમને ઘણી તકો નું લાભો ઉપાડવા માં સફળતા મળશે। પોતાના સખત પ્રયાસો થી તમે પોતાની નાણાકીય સ્થિતિ મજબૂત કરી શકશો। બુધ ના આ ગોચર ના દરમિયાન તમારા સાહસ અને પરાક્રમ માં વધારો થશે જેના લીધે તમે કઠિન નિર્ણય લેવા માં પણ પાછળ નહીં ખસો. આ દરમિયાન તમારા સિનિયર મેનેજમેન્ટ અને સહકર્મીઓ ની સામે તમારી છવિ સારી હશે. જોકે આ ગોચર ના દરમિયાન તમે એકસાથે ઘણાં કામ કરવા નું પ્રયાસ કરી શકો છો. જેના લીધે કામ માં અસંગતિ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે એકવાર માં એક જ કામ કરો અને એ કામ ના પૂરું થયા પછી બીજું કામ હાથ માં લો.
તમારા અંગત જીવન ની વાત કરીએ તો ઘર નું વાતાવરણ સોહાર્દપૂર્ણ રહેશે, તમને પોતાના ભાઈ બહેનો નું પુરુ સહયોગ આ દરમિયાન પ્રાપ્ત થશે. આ રાશિ ના જાતકો ને સંચાર ના સાધનો જેમ કે ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા થી કોઈ ખુશખબરી મળી શકે છે. દાંપત્ય જીવન ની વાત કરીએ તો તમારા જીવનસાથી ને આ દરમિયાન લાભ ની પ્રાપ્તિ થશે, તે પોતાના કરિયર માં પ્રગતિ કરી શકશે। બુધ ની આ સ્થિતિ થી તમારા સંબંધો માં નિખાર આવશે।
ઉપાય: બુધવારે લીલા રંગ ના વસ્ત્રો અને ભોજ્ય પદાર્થ દાન કરો.
રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada