સૂર્ય નું કન્યા રાશિ માં 16 સેપ્ટેમ્બર 2020 નું ગોચર આપશે કેવા પ્રભાવ
વર્ષ 2020 માં સૂર્ય દેવ 16 સપ્ટેમ્બર 2020 ના દિવસે 19:07 મિનિટ પર સિંહ રાશિ થી કન્યા રાશિ માં ગોચર કરશે। 17 ઓક્ટોબર 7:05 મિનિટ સુધી સૂર્ય દેવ આ જ રાશિ માં રહેશે અને તેના પછી તુલા રાશિ માં ગોચર કરશે। આવો હવે વિસ્તાર થી જાણીએ છીએ કે સૂર્ય નું કન્યા રાશિ માં ગોચર નું બધી રાશિ પર કઈ રીતે પ્રભાવ પડશે।
મેળવો તમારી સમસ્યાઓ નું જ્યોતિષીય નિરાકરણ: જ્યોતિષીય પરામર્શ
જ્યોતિષ માં સૂર્ય ગ્રહ ને રાજા નો દરજ્જો પ્રાપ્ત છે, આ ગોચર ને જ્યોતિષ શાસ્ત્ર માં ઘણું મહત્વપૂર્ણ ગણવા માં આવ્યો છે. સૂર્ય એક રાશિ માં આશરે એક મહિના સુધી રહે છે અને તે પછી આગળ ની રાશિ માં ગોચર કરી જાય છે. સૂર્ય ના ગોચર ને કન્યા સંક્રાંતિ ના નામે પણ ઓળખાય છે. આવી રીતે સંપૂર્ણ વર્ષ માં 12 સંક્રાન્તિઓ હોય છે. સપ્ટેમ્બર મહિના માં સૂર્ય દેવ સિંહ રાશિ થી નીકળી કન્યા રાશિ માં પ્રવેશ કરશે।
આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે - જાણો પોતાની ચંદ્ર રાશિ
મેષ
મેષ રાશિ ના છઠ્ઠા ભાવ માં સૂર્ય દેવ નું ગોચર થશે. આ ભાવ રિપુ ભાવ ના નામે પણ ઓળખાય છે અને આ ભાવ થી તમારા રોગ, ઉધાર, શત્રુઓ ના વિશે પણ વિચાર કરવા માં આવે છે. સૂર્ય ના તમારા છઠ્ઠા ભાવ માં વિરાજમાન થવું તમારા માટે શુભ સંકેત લઈને આવશે। મેષ રાશિ ના જાતક આ દરમિયાન પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે।
જો તમે કામ ની બાબત માં યાત્રા કરવા વાળા છો તો આ ગોચર ના દરમિયાન તમને તે કામ માં સફળતા મળશે। આ રાશિ ના જે જાતક પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યા છે, અથવા પરીક્ષાઓ આપીને હવે પરિણામ ની રાહ જોઇ રહ્યા છે, તેમને પણ આ સમય કાળ માં શુભ ફળો ની પ્રાપ્તિ થશે. ત્યાંજ જે જાતક નોકરિયાત છે, તેમને પણ આ ગોચર કાળ ના દરમિયાન લાભ મળશે।
આ રાશિ ના વેપારીઓ ની વાત કરીએ તો તેમને પોતાના વેપાર ને વિસ્તારવા ના વિશે આ સમયે વિચાર ન કરવો જોઈએ। જો તમે વર્તમાન સ્થિતિ ને સારું બનાવવા નું પ્રયાસ કરશો તો આ ગોચર તમારા માટે શુભ રહેશે। તમારા પ્રેમજીવન ની વાત કરીએ તો પોતાના સંબંધો ને લઈને તમારું વર્તન ઉદાસીન થઈ શકે છે. જેથી પાર્ટનર ની જોડે તમારા મતભેદ થઈ શકે છે. આ ગોચર ના દરમિયાન મેષ રાશિ ના જાતકો ને પોતાની સંતાન ના આરોગ્ય નું વિશેષ ધ્યાન રાખવું હશે. જોકે તમારું આરોગ્ય આ ગોચર કાળ ના દરમિયાન સારો રહેશે।
ઉપાય: દરરોજ સૂર્યોદય ના સમયે સૂર્ય દેવ ને અર્ધ્ય ચઢાવો।
વૃષભ
વૃષભ રાશિ ના જાતકો ના પાંચમા ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. પંચમ ભાવ તમારી શિક્ષા અને પ્રેમ જીવન નું હોય છે તેથી આ ક્ષેત્રો થી સંકળાયેલા ફળ તમને આ દરમિયાન મળશે। જોકે આ રાશિ ના જે લોકો ની શિક્ષા કોઈ કારણસર વચ્ચે છૂટી ગઈ હતી તે ફરી થી એકવાર શિક્ષા પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકે છે. આની સાથેજ પ્રારંભિક શિક્ષા મેળવનાર જાતકો માટે પણ આ સમય અનુકૂળ થવા ની પૂરી શક્યતા છે.
જોકે આ રાશિ ના જે જાતક પ્રેમસંબંધો માં પડેલા છે તેમને આ દરમિયાન મુશ્કેલીઓ નું સામનો કરવો પડી શકે છે. સંભવ છે કે તમે પોતાના પાર્ટનર ની વાત ને સમજવા માં અસમર્થ હો અને તમારી વાત ને સમજી ના શકે. ત્યાંજ વિવાહિત લોકો ને પણ આ સમયગાળા માં ઘણું સમજી વિચારી ને આગળ વધવા ની જરૂર છે. જો તમારા બાળકો છે તો તેમના વ્યવહાર માં આ દરમિયાન ચીડિયાપણું આવી શકે છે અને તે કોઈ વસ્તુ ને મેળવવા ની હઠ કરી શકે છે. જો તમે તેમની હઠ ને પૂરી નથી કરી શકતા તો તેમને પ્રેમ થી સમજાવવા નો પ્રયાસ કરો.
તમારા વ્યવહાર માં પણ અહમ ની અધિકતા સૂર્ય ના આ ગોચર ના લીધે આવી શકે છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે અંગત અને નોકરિયાત જીવન માં પોતાના અહમ ને ભારે ના થવા દો નહીંતર સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
ઉપાય: દરરોજ સૂર્ય અષ્ટકમ નું પાઠ કરવું તમારા માટે શુભ રહેશે।
મિથુન
મિથુન રાશિ ના જાતકો ના ચોથા ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. આ ભાવ તમારા પરિવાર નું હોય છે તેથી સૂર્ય ના ગોચર ના દરમિયાન તમને પોતાના માતા-પિતાજીનું વિશેષ ધ્યાન રાખવું હશે. ખાસકરી ને પિતાજી ના આરોગ્ય પર આ ગોચર નું ખોટો પ્રભાવ પડી શકે છે. તેથી તેમની નાની મોટી માંદગી ને પણ અવગણશો નહીં અને કોઈ સારા ડોક્ટર થી તેમની સારવાર કરાવો।
તમારા ભાઈ બહેનો ને આ ગોચર ના દરમિયાન ફાયદો થઈ શકે છે. જો તે નોકરિયાત છે તો તેમની આવક માં વધારો થઇ શકે છે. આ સમય કાળ માં મિથુન રાશિ ના લોકો ને કોઈપણ જાત નું ઇન્વેસ્ટમેન્ટ કરવા થી બચવું જોઈએ। જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા અથવા વેચવા માંગો છો તો આ સમયે રોકાઈ જાવ.
કાર્યક્ષેત્ર માં આ રાશિ ના નોકરીયાત લોકો ની એકાગ્રતા માં ઘટાડો જોઈ શકાય છે. જેથી ઉચ્ચ અધિકારી નારાજ હશે. કામ માં મન લગાવવા ના માટે તમને નિરર્થક વાતો વિચારવા થી બચવું જોઈએ। અનુભવી લોકો થી તમને આ દરમિયાન વાત કરવી જોઈએ, એમની જોડે અમુક નવું શીખવા માટે મળી શકે છે. આ રાશિ ના અમુક લોકો પોતાને પરિવાર અને સમાજ થી જુદું અનુભવ કરી શકે છે. શિક્ષણ ના ક્ષેત્ર માં સારા ફળ મેળવવા માટે આ રાશિ ના વિદ્યાર્થીઓ ને વધારે મહેનત કરવી પડશે।
ઉપાય: શુભ ફળ ની પ્રાપ્તિ માટે સૂર્ય બીજ મંત્ર નો જાપ કરો.
કર્ક
કર્ક રાશિ ના જાતકો ના સાહસ અને પરાક્રમ ના ત્રીજા ભાવ માં સૂર્ય દેવ નું ગોચર થઇ રહ્યું છે. આ ગોચર કર્ક રાશિ ના લોકો ના જીવન માં ઘણા સકારાત્મક ફેરફાર લઈને આવશે। તમારા પારિવારિક જીવન ની વાત કરીએ તો આ સમય ઘર ના લોકો નું તમને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે જેથી તમારા ઘણા કામ પૂરાં થઈ જશે. જોકે કોઇ વાત ને લઇને ભાઈ-બહેનો થી તણાવ થઇ શકે છે. તેથી સમજદારી ની સાથે તેમની જોડે વાત કરો અને ગેરસમજ ને દૂર કરો.
આ રાશિ ના જાતકો ના નાણાકીય પક્ષ માં પણ આ ગોચર ના દરમિયાન સુધાર આવશે અને તમને આવક ના નવા નવા સાધન પ્રાપ્ત થઇ શકે છે. કાર્યક્ષેત્ર અને સામાજિક જીવન માં તમે પોતાની વાણી થી લોકો ને પ્રભાવિત કરી શકો છો. જો વ્યાપાર કરો છો તો વાણી ના દમ પર તમને કોઈ સારી ડીલ પ્રાપ્ત થઇ શકે છે.
આ રાશિ ના લોકો ને આવક ના નવા નવા સ્રોતો આ સમયગાળા માં પ્રાપ્ત થવા ની શક્યતા છે. જોકે તમારે એક થી વધારે કામ કરવા થી આ દરમિયાન બચવું જોઇએ નહીંતર મૂંઝવણ માં પડી શકો છો. તમે જે કામ હાથ માં લીધું છે પહેલા તેને સારી રીતે પૂર્ણ કરો અને તેના પછી જ કોઈ નવું કામ શરૂ કરો.
ઉપાય: પોતાના પિતાજી અથવા પિતાતુલ્ય લોકો ની સેવા કરો.
સિંહ
સિંહ રાશિ ના જાતકો ના બીજા ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. આ ગોચર તમારા માટે ઘણી રીતે શુભફળદાયક સાબિત થઈ શકે છે. સિંહ રાશિ ના જાતકો માં સ્વાભાવિક રૂપ થી નેતૃત્વ કરવા ની ક્ષમતા હોય છે અને તમારા બીજા ભાવ માં સૂર્ય ના ગોચર થી આ ક્ષમતા માં નિખાર આવશે। જો તમે કોઈ ઊંચા પદ પર છો તો પોતાની વાણી ના દમ પર પોતાના અધીનસ્થ લોકો ને પ્રભાવિત કરી શકો છો.
આ રાશિ ના લોકો આ ગોચરના દરમિયાન પોતાના ભવિષ્ય ને સુધારવા માટે બચત કરશે। જોકે સૂર્ય એક શુષ્ક ગ્રહ છે અને આ તમારી વાણી ના બીજા ભાવ માં વિરાજમાન છે. તેથી જો કોઈ કામ તમારા મુજબ ન થયું તો, તમારી વાણી માં કઠોરતા આ દરમિયાન આવી શકે છે. આ રાશિ ના લોકો ના જીવન માં નાણાકીય પ્રગતિ ના આ દરમ્યાન ઘણા અવસર આવી શકે છે. માત્ર તમને આટલું ખ્યાલ રાખવું છે કે તમે પોતાના અહમ ને પોતાના ઉપર ભારે ન થવા દો. જો તમે અહમ ભાવ થી પીડિત રહેશો તો અવસરો નો લાભ નહીં ઉપાડી શકો.
આ સમયે સિંહ રાશિ ના લોકો ને નાના-મોટા ઇન્વેસ્ટમેન્ટ થી વધારે કોઈ લાંબા સમય નું ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। તમારા આરોગ્ય જીવન ની વાત કરીએ તો ખોરાક માં તમારે સુધાર લાવવો, હશે નહીંતર આરોગ્ય બગડી શકે છે. પોતાની આંખો નું પણ આ સમયે તમે વિશેષ ધ્યાન રાખો।
ઉપાય: રવિવાર ના દિવસે પોતાના પિતાજી ને કોઈ ઉપહાર આપો.
કન્યા
કન્યા રાશિ ના જાતકો ના લગ્ન ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. લગ્ન ભાવ થી તમારા ચરિત્ર, વ્યક્તિત્વ, આરોગ્ય, સ્વભાવ, વગેરે પર વિચાર કરવા માં આવે છે. આ ભાવ માં સૂર્ય તમારા માટે પડકારરૂપ રહી શકે છે.
પોતાના આરોગ્ય નું તમારે વિશેષ ધ્યાન રાખવું હશે. જો તમે શારીરિક મહેનત વધારે નથી કરતાં તો આ દરમિયાન શરૂ કરી દો. સવાર ના સમયે વહેલા ઉઠી વ્યાયામ, યોગ વગેરે કરવું તમારા માટે સારો રહેશે। માનસિક પરેશાનીઓ થી બચવા માટે ધ્યાન કરો. આ સમયે તમારા સ્વભાવ માં પણ ચીડિયાપણું જોવા મળી શકે છે અને તમારી વાણી માં કઠોરતા આવી શકે છે.
આ રાશિ ના જાતક દરેક કામ માં સંપૂર્ણતા ગોતે છે અને આને લીધે કામ ને લઈને ઘણીવાર એટલા સંવેદનશીલ થઈ જાય છે કે આજુબાજુ ના લોકો નું પણ એમને ખ્યાલ નથી રહેતું। આવું કરવા થી આ દરમિયાન તમારે બચવું જોઇએ, નહીંતર સંબંધ ખરાબ થઈ શકે છે. આ રાશિ ના લોકો ના દાંપત્યજીવન ની વાત કરીએ તો કોઈ કારણસર જીવનસાથી ની જોડે તકરાર થઇ શકે છે. જેના લીધે પરિવાર નું વાતાવરણ ખરાબ થઈ શકે છે. સમસ્યાઓ ને દૂર કરવા ના માટે તમારે ખૂલી ને સહુ ની જોડે વાત કરવી જોઈએ।
ઉપાય: રવિવાર ના દિવસે ગોળ નું દાન કરો, શુભ ફળ પ્રાપ્ત થશે.
તુલા
તુલા રાશિ ના જાતકો ના બારમાં ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. આ રાશિ ના તે લોકો ના માટે સૂર્ય નું આ ગોચર ફળદાયી સાબિત થશે. જે કોઈ વિદેશી સંસ્થા માં કામ કરે છે અથવા વિદેશો થી સંકળાયેલું વેપાર કરે છે.
પારિવારિક જીવન ની વાત કરીએ તો મોટા ભાઈ બહેન નો આ દરમિયાન તમને સહયોગ પ્રાપ્ત થશે, જેના લીધે તમને ફાયદો થઈ શકે છે. ત્યાંજ તમારા ભાઈ બહેનો ને પણ તેમના કાર્યક્ષેત્ર માં આ દરમિયાન સારા ફળ પ્રાપ્ત થશે. જોકે તુલા રાશિ ના લોકો ને પોતાના ખર્ચ પર આ અવધિ માં વિશેષ ધ્યાન આપવા ની જરૂર છે. નકામી વસ્તુ ઉપર ધન ખર્ચ કરવા થી આ દરમિયાન બચો. સંચિત ધન વાપરવા નો સમય આવે એવું કોઈ પણ કામ આ દરમિયાન ના કરો.
આ રાશિ ના જે જાતક શિક્ષા મેળવી રહ્યા છે તેમના માટે આ ગોચર મધ્યમ ફળદાયી સાબિત થશે પરંતુ જે વિદ્યાર્થી વિદેશ માં જઈને જ્ઞાન મેળવવા માંગે છે તેમની ઈચ્છા આ દરમિયાન પૂરી થઈ શકે છે. આરોગ્ય ને લઇને આ રાશિ ના લોકો ને વિશેષ ધ્યાન આપવા ની જરૂર છે. પેટ અને ડાબી આંખ થી સંબંધી કોઈ સમસ્યા થઈ શકે છે.
ઉપાય: સૂર્યદેવ ની કૃપા મેળવવા માટે પિતાજી અથવા પિતાતુલ્ય લોકો ની સેવા કરો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિ ના જાતકો ના અગિયારમાં ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. આ ભાવ લાભ નો ભાવ કહેવાય છે અને આનાથી તમારી ઇચ્છાઓ, મોટા ભાઈ બહેનો, વગેરે ને વિશે વિચાર કરવા માં આવે છે. સૂર્યદેવ નું તમારા અગિયારમાં ભાવ માં હોવું આ સૂચિત કરે છે કે તમે આ દરમિયાન જીવન ના દરેક ક્ષેત્ર માં લાભ પ્રાપ્ત કરશો।
આ રાશિ ના જાતક નોકરિયાત છે તેમની આવક માં આ દરમિયાન વધારો થઈ શકે છે. ત્યાંજ વેપારીઓ ને પણ લાભ પ્રાપ્ત કરવા ની પૂરી તક સૂર્ય દેવ આપશે। આની સાથેજ જે જાતક રાજકારણ ના ક્ષેત્રે થી સંકળાયેલા છે તેમને પણ આ ગોચર ના સમયે શુભફળ પ્રાપ્ત થઇ શકે છે, તમારી વાતો ને જનતા ના વડે પ્રશંસા મળી શકે છે. ત્યાંજ આ રાશિ ના જે લોકો લાંબા સમય થી નોકરી કરી રહ્યા છે અને હવે પોતાનું વેપાર કરવા માંગે છે તેમને પણ આ સમય નવી દિશાઓ મળી શકે છે. જો તમે વેપાર શરૂ કરવા ના પ્રયાસ માં છો તો આ સમયે તમારા માટે સૌથી સારુ અને શુભ સાબિત થઈ શકે છે.
જોકે આ દરમિયાન તમને પોતાના ગુસ્સા ને નિયંત્રણ માં રાખવું હશે. જો તમે આવું કામ કરો છો જેમાં ઘણા લોકો શામેલ છે તો તમને સૌની સામે પોતાને સારું સાબિત કરવા નો પ્રયાસ કરવા ની જગ્યા પોતાના કામ ઉપર ધ્યાન આપવું જોઈએ। યાદ રાખો સારુ ટીમ મેમ્બર તેજ છે જે પોતાની ટીમ ની સાથે ખભા થી ખભા મેળવી ને આગળ ચાલે। આ રાશિ ના વિદ્યાર્થીઓ ને શિક્ષણ ના ક્ષેત્ર માં પોતાના પિતાજી નું પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
ઉપાય: રવિવાર ના દિવસે જરૂરિયાતમંદો ને તેમની જરૂરિયાત ની વસ્તુઓ દાન કરો.
ધનુ
ધનુ રાશિ ના જાતકો ના દસમા ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. આ ભાવ માં સૂર્ય મજબૂત અવસ્થા માં હોય છે અને તેને દિશા બળ પ્રાપ્ત થાય છે. સૂર્ય નો આ ભાવ માં ગોચર ધનુ રાશિ ના જાતકો ના માટે શુભ રહેશે। આ દરમિયાન નોકરીયાત લોકો ને કાર્યક્ષેત્ર માં ઉચ્ચપદ ની પ્રાપ્તિ થઇ શકે છે. આ દરમિયાન કામ ના પ્રત્યે તમે ઘણા સંવેદનશીલ રહેશો। જેના લીધે તમારા સહકર્મી પણ તમારા થી પ્રભાવિત થશે.
સરકારી ક્ષેત્ર થી પણ આ રાશિ ના જાતકો ને લાભ થવા ની શક્યતા છે. સામાજિક કામો ને કરવા થી સમાજ માં તમારું માન-સન્માન પણ આ દરમિયાન વધી શકે છે. જો અતીત માં કોઈ કારણસર તમારો કોઈ કામ અટકી ગયું હતું તો તે પણ આ દરમિયાન પૂરું શકો છો। જોકે આ દરમિયાન ધનુ રાશિ ના જાતકો ને વધારે પડતા અધિકારાત્મક વર્તન અપનાવવા થી બચવું જોઈએ। જો તમે લોકો પર અધિકાર દેખાડવા નો પ્રયાસ કરો છો તો, લોકો તમારા થી અંતર બનાવી શકે છે.
આ રાશિ ના વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જે છાત્ર પ્રશાસનિક સેવાઓ ની તૈયારી કરી રહ્યા છે તેમને આ ક્ષેત્ર માં સફળતા મળવા ની પણ પૂરી શક્યતા છે. સૂર્ય ના આ ગોચરકાળ માં પિતાજી ની સાથે તમારા સંબંધો માં પણ નિખાર આવશે। ત્યાંજ પિતાજી ને કોઈ લાંબી બીમારી હતી તો, તે પણ આ દરમિયાન દૂર થઈ શકે છે. તમને આ ગોચર કાળ ના દરમિયાન વધારે ટીકા કરવા માં અને લોકો ના કામ માં ખામીઓ કાઢવા થી બચવું જોઈએ।
ઉપાય: રવિવાર ના દિવસે અનામિકા આંગળી પર માણેક રત્ન ધારણ કરો.
મકર
મકર રાશિ ના જાતકો ના નવમા ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થવા જઈ રહ્યું છે. આ ભાવ થી ધર્મ, ચરિત્ર, ભાગ્ય, યાત્રાઓ, વગેરે ના વિષય માં વિચાર કરવા માં આવે છે. આ ગોચરકાળ ના દરમિયાન મકર રાશિ ના લોકો ને કરિયર ના ક્ષેત્ર માં ઘણું સાચવી ને રહેવું હશે. એવું કોઈ પણ નિર્ણય આ દરમિયાન ના લો જેના લીધે તમારું ભવિષ્ય પ્રભાવિત થાય, નોકરી ચેન્જ કરવા નું વિચારી રહ્યા છો તો આ દરમિયાન રોકાઈ જાઓ.
જે લોકો વેપાર ને વિસ્તારવા ના વિશે વિચાર બનાવી રહ્યા છે તેમને કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લઈને આગળ વધવું જોઈએ। ઉચ્ચ અધિકારીઓ અથવા ગુરુદેવ ની સાથે આ રાશિ ના લોકો ના મતભેદ આ દરમિયાન થઈ શકે છે પરંતુ તમને સલાહ આપવા માં આવે છે કે મર્યાદાઓ માં રહીને પોતાના વરિષ્ઠ અને ગુરુજનો થી વાત કરો.
આ દરમિયાન તમને કોઈપણ જાત ની યાત્રા કરવા થી બચવું જોઈએ સૂર્ય ના આ ગોચર ના લીધે તમને યાત્રાઓ નું ઉચિત લાભ પ્રાપ્ત નહીં થાય. આ ગોચર ના દરમિયાન તમે ઘર ના મોટા લોકો ની સાથે સારું વ્યવહાર કરો અને તેમની સેવા કરો તો તમને શુભ ફળો પ્રાપ્તિ થઇ શકે છે. આરોગ્ય ને લઇને ગંભીર રહો અને પોતાને ફિટ રાખવા માટે શારીરિક અને માનસિક વ્યાયામ કરો.
ઉપાય: સૂર્યોદય ના સમયે સૂર્ય નમસ્કાર નું અભ્યાસ કરવો તમારા માટે શુભ રહેશે।
કુંભ
સૂર્ય દેવ કુંભ રાશિ ના જાતકો ના આઠમા ભાવ માં ગોચર કરશે। આ ભાવ થી જીવન માં આવી રહેલા અવરોધો અને બાધાઓ ના વિશે વિચાર કરવા માં આવે છે. આ ભાવ માં સૂર્ય ના ગોચર થી તમારા જીવનસાથી ના આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જેના લીધે તમારી ચિંતાઓ પણ વધશે। આની સાથેજ તમારું આરોગ્ય પણ આ સમય ખરાબ થઈ શકે છે. તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં આ અવધિ માં અવરોધ આવી શકે છે. તેથી આ દરમિયાન તમારે ધીરજ બનાવી ને જ રાખવું જોઈએ અને આશાવાદી વર્તન અપનાવવું જોઈએ। પારિવારિક જીવન માં કોઈ વાત ને લઈને પિતાજી થી અંતર બની શકે છે. જો તમે ભાગીદારી માં વેપાર કરો છો તો કોઈ નાના કારણ થી ભાગીદાર ની જોડે મન દુઃખ નું કારણ બની શકે છે. જેના લીધે તમને વેપાર માં નુકસાન પણ થઈ શકે છે.
આવા માં પોતાના ભાગીદાર ની જોડે તમારે સ્પષ્ટતા થી વાત કરવા ની જરૂર છે. પોતાના નાણાકીય પક્ષ ઉપર પણ તમને વિશેષ ધ્યાન આપવા ની જરૂર છે આ દરમિયાન કોઈપણ જાત નું ઇન્વેસ્ટમેન્ટ ઘણું સમજી-વિચારી ને કરો. આ રાશિ ના તે વિદ્યાર્થીઓ માટે આ ગોચર સારો રહેશે જે શોધ કરી રહ્યા છે. ત્યાંજ બાકી ના જાતકો ને આ ગોચર નાં દરમિયાન એકાગ્રતા કાયમ રાખવા માટે યોગ ધ્યાન ની મદદ લેવી જોઈએ।
ઉપાય: રવિવાર ના દિવસે સૂર્યોદય ના સમયે કોઈ મંદિર માં જઈને દાન કરો.
મીન
મીન રાશિ ના જાતકો ના વિવાહ અને ભાગીદારી ના સાતમા ભાવ માં સૂર્ય ગ્રહ નું ગોચર થશે. આ ભાવ માં સૂર્ય ના ગોચર ના લીધે તમારા દાંપત્યજીવન માં મુશ્કેલીઓ થઇ શકે છે. તમે નાની-નાની વાતો ને લઈને ગુસ્સે થઈ શકો છો. જેના લીધે તમારો જીવનસાથી પરેશાન થશે. પોતાની વાતો ને જો તમે સ્પષ્ટતા ની સાથે જીવનસાથી જોડે શેર કરો તો ઘણી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. દાંપત્યજીવન માં મુશ્કેલીઓ નું સૌથી મોટું કારણ એ હોય છે કે તમે પોતાની વાત ને પોતાના સુધી જ રાખો છો અને તેને શેર કરવા થી દૂર ભાગો છો તેથી આવું ના કરો.
તમારા માં ગુસ્સા ની અધિકતા આ દરમિયાન જોઈ શકાય છે. જેના લીધે લોકો તમારા થી દૂર રહેવા નું પ્રયાસ કરશે। તમારા વિરોધી આ દરમિયાન તમને મુશ્કેલીઓ માં નાખી શકે છે, તેથી સાવચેત રહો. તમને આ દરમિયાન પોતાની ઇચ્છા શક્તિ ઉપર કામ કરવા ની જરૂર છે. આ રાશિ ના ઘણા લોકો ને જરૂરી નિર્ણય લેવા માં આ સમયે મુશ્કેલી આવી શકે છે. આ સમયે જીવન માં વધઘટ આવશે પરંતુ તમારે ધીરજ સાથે આગળ વધવું હશે અને દરેક પરિસ્થિતિ નો સારી રીતે સામનો કરવો હશે.
ઉપાય: રવિવાર ના દિવસે તાંબા નો દાન કરો શુભ ફળ પ્રાપ્ત થશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada