સૂર્ય નું મિથુન રાશિ માં ગોચર આપશે કેવા પ્રભાવ 14 જૂન 2020
સૂર્ય ને જ્યોતિષ માં આત્મા નું દરજ્જો આપવા માં આવ્યો છે. આ બધા ગ્રહો નું રાજા પણ કહેવાય છે. સૂર્ય ના લીધેજ સંસાર માં જીવન શક્ય છે. કુંડળી માં આ સારી અવસ્થા માં છે તો નામ અને પદ અપાવે છે. આની સાથેજ મજબૂત હાડકા, પ્રશંસા, સરકારી નોકરી અને પિતા નું પણ આ પરિબળ ગ્રહ છે. સૂર્ય ની મજબૂતી વ્યક્તિ ને નેતૃત્વ નું ગુણ આપે છે.
મેળવો તમારી સમસ્યાઓ નું જ્યોતિષીય નિરાકરણ: જ્યોતિષીય પરામર્શ
સૂર્યદેવ 14 જૂન 2020, રવિવારે સાંજે 23:40 વાગ્યે વૃષભ રાશિ થી મિથુન રાશિ માં ગોચર કરશે અને 16 જુલાઈ સવારે 10:32 વાગ્યે, કર્ક રાશિ માં પરિવર્તન કરશે। તો વિવિધ રાશિઓ માટે આ ગોચર ના પરિણામ શું છે, અમે લેખ માં ચર્ચા કરીશું-
આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે - જાણો પોતાની ચંદ્ર રાશિ
મેષ
તમારા પાંચમા ભાવ નો સ્વામી સૂર્ય તમારા ત્રીજા ભાવ માં ગોચર કરી રહ્યો છે. આ ભાવ ને
સાહસ અને પરાક્રમ નો ભાવ પણ કહેવાય છે. સૂર્ય ના આ ગોચર યાત્રાઓ અને વ્યવસાયિક યાત્રાઓ
કરવા માટે શુભ ફળદાયી રહેશે। મેષ રાશિ ના જાતક આ દરમિયાન પોતાની શક્તિ અને સાહસ ના
માધ્યમ થી પોતાના જીવન માં આવી રહેલા અવરોધો ને દૂર કરવા માં સક્ષમ હશે. સૂર્ય ના ગોચર
ના દરમિયાન તમારી પ્રશાસનિક અને નેતૃત્વ ક્ષમતા માં વધારો થશે. જે નાણાંકીય મોરચે પ્રગતિ
માટે અને નવા કામ શરૂ કરવા માટે પણ શુભ છે. આ સમય ભાઈ બહેનો ની સાથે તમારું તાલમેલ
સારું રહેશે અને કોઈ જાત ની ગેરસમજ જો તમારા દિલ માં હતી તો તે પણ આ દરમિયાન દૂર થઈ
જશે. આ રાશિ ના જે જાતક રમત ગમત ના ક્ષેત્ર માં છે તેમને પોતાની પ્રતિભા દેખાડવા માટે
સારું પ્લેટફોર્મ મળી શકે છે. જોકે સૂર્ય મિથુન રાશિ માં છે જે વાયુ તત્વ ની રાશિ છે
તેથી આ દરમિયાન જો સંચાર માટે તમે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા નો વપરાશ કરશો તો તમને
વધારે શુભ ફળ ની પ્રાપ્તિ થશે.
ઉપાય: દરરોજ સૂર્ય નમસ્કાર કરવો તમારા માટે લાભદાયક રહેશે।
વૃષભ
વૃષભ રાશિ ના જાતકો માટે સૂર્ય ચોથા ભાવ નો સ્વામી છે અને ગોચરકાળ માં આ તમારા બીજા
ભાવ માં હશે. આ ભાવ ને સંચાર, ધન અને વાણી નો ભાવ પણ કહેવાય છે. સૂર્ય ના ગોચર ના દરમિયાન
તમારે કોઈના ઉપર પણ વધારે વિશ્વાસ કરવા થી બચવું જોઈએ, કોઈના થી પણ જુઠો વાયદો ના કરો
નહીંતર તમને નુકસાન થઇ શકે છે. બીજા ભાવ ને સંસાધનો નુ ભાવ પણ કહેવાય છે તેથી આ દરમિયાન
તમને પોતાની પાસે જે સંસાધન છે તેનું જ સારી રીતે વપરાશ કરવો જોઈએ। આવું કરવું તમારા
માટે ફાયદાકારક રહેશે। સૂર્ય અગ્નિ તત્ત્વ નું પ્રતિનિધિત્વ કરે છે અને ઘણીવાર પ્રકૃતિ
માં ક્રૂર ગણવા માં આવે છે. આ તમારી વાણી અને પરિવાર ના બીજા ઘર માં સ્થાનાંતરિત થઈ
રહ્યું છે. તેથી આ દરમિયાન તમને વાણી માં કઠોરતા લાવવા થી બચવું જોઇએ, નહીંતર ઘર માં
અનાવશ્યક મુશ્કેલી થઈ શકે છે.
ઉપાય: સુર્યાષ્ટકમ નું પાઠ કરવું ઘણું શુભ રહેશે।
મિથુન
મિથુન રાશિ ના લોકો બિનજરૂરી રૂપે આક્રમક હશે કેમ કે સૂર્ય તમારા વ્યક્તિત્વ ના ભાવ
માં હોવા થી તમારા માં આક્રમકતા અને ગુસ્સો જોઈ શકાય છે. આ રાશિ ના લોકો ને પોતાના
લક્ષ્ય ને મેળવવા માટે ઘણી સખત મહેનત કરવી પડશે, કેમકે સૂર્ય તમારા સાહસ અને પરાક્રમ
ભાવ ના સ્વામી પણ છે. વ્યવસાયિક જીવન માં તમને કોઈપણ કામ વગર પ્લાનિંગ અને સોચયા કે
સમજ્યા વગર ના કરવું જોઈએ। આ સમયે તમે પોતાના કામ ને કરવા માટે બીજાઓ ની સહમતિ લેવા
માંગશો જેથી કોઈ પણ નિર્ણય લેવા માં તમને મુશ્કેલી થશે. તમારા અંગત સંબંધો ની વાત કરીએ
તો પોતાના અહમ ભાવ ને દૂર રાખી તમારે આગળ વધવું જોઈએ। તમારા વર્તન ને લીધે સંબંધો માં
વધઘટ આવી શકે છે.
ઉપાય: રામ રક્ષા સ્ત્રોત નું દરરોજ પાઠ કરવો તમારા માટે શુભ રહેશે।
કર્ક
કર્ક રાશિ ના જાતક અમુક આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરી શકે છે, જેમ કે માથા નો દુખાવો,
તાવ, આંખો ની સમસ્યાઓ કેમકે સૂર્ય ખર્ચ, મોક્ષ અને નુકસાન ના પોતાના બારમા ભાવ માં
ગોચર કરી રહ્યો છે. નિવેશ ઉચિત ચકાસણી ના પછી કરવું જોઈએ, નહિતર તમે આ પ્રક્રિયા માં
નુકસાન વેઠવવી શકો છો. સૂર્ય તમારા માટે ધન ના બીજા ઘર નો સ્વામી છે અને બારમા ઘર માં
ગોચર કરી રહ્યો છે તેથી ધન ને લઈને ઉચિત પ્રબંધન નું સંકેત આપે છે, તેથી આ દરમિયાન
તમારે સંસાધનો નો ઉપયોગ યોજના બનાવી ને કરવું જોઈએ। કેમકે ધન નો ઉપયોગ ખોટી વસ્તુઓ
પર થઇ શકે છે જેના લીધે ખર્ચ માં વધારો થશે. ભાવનાત્મક નિર્ણય થી બચવું જોઈએ અને તે
લોકો ના પ્રતિ સાવચેત રહેવું જોઈએ જેની સાથે તમે પોતાના રહસ્યો ને શેર કરી રહ્યા છો,
કેમકે જે વ્યક્તિ પર તમે વધારે વિશ્વાસ કરો છો તે તમારી સાથે દગો કરી શકે છે. પ્રેમ
જીવન અને સંબંધો ગેરસમજ ના લીધે ખરાબ થઈ શકે છે, તેથી ઉચિત અને પારદર્શી રહેવું તમારા
માટે સૌથી વધારે મહત્વપૂર્ણ રહેશે। જોકે આ ગોચર તમારા બારમા ભાવ માં થઇ રહ્યું છે તેથી
તમને વિદેશ થી લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે.
ઉપાય: મહાગૌરી ની પૂજા કરવું તમારા માટે શુભ રહેશે।
સિંહ
સિંહ રાશિ વાળા મહત્વકાંક્ષી હશે કેમકે સૂર્ય નું ગોચર તેમના લાભ અને સફળતા ના ઘર માં
થઇ રહ્યું છે. આ ગોચર તમને સફળતા અપાવશે જેની રાહ તમે લાંબા સમય થી જોઈ રહ્યા હતા.
આ ગોચર ના દરમિયાન તમારુ નેતૃત્વ, પ્રશાસનિક અને સંગઠનાત્મક કૌશલ બહાર આવશે। જેના લીધે
તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ થી પ્રશંસા મળશે। તમને સરકાર અને સરકારી એજન્સીઓ થી લાભ
અને સમર્થન પ્રાપ્ત થશે. અગિયારમા ભાવ થી સૂર્ય ની દ્રષ્ટિ પાંચમાં ભાવ પર છે જેના
લીધે તે લોકો ના જીવન માં કોઈ ખાસ નું આગમન થઇ શકે છે જે અત્યાર સુધી એકલ છે અને પ્રેમ
ની તલાશ કરી રહ્યા છે. અગિયારમો ભાવ સામાજિક સરોકાર અને મિત્રો થી સંબંધો નું પણ ભાવ
છે તેથી આ દરમિયાન તેમને પોતાના સામાજિક સંપર્કો થી પણ લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે.
જો તમે પોતાના સ્વભાવ માં કઠોરતા અને હઠીલુંપણ ના લાવો તો આ ગોચર તમારી ઘણી ઇચ્છાઓ
ને પૂરી કરી શકે છે. તમારું વ્યવહાર જેટલું સરળ હશે તે તમને સારા પરિણામ મળશે।
ઉપાય: અનામિકા આંગળી પર રુબી રત્ન જડિત સોના ની અથવા તાંબા ની વીંટી ધારણ કરવું તમારા માટે શુભ રહેશે।
કન્યા
આ ગોચર કન્યા રાશિ ના લોકો માટે અનુકૂળ રહેશે કેમ કે સૂર્ય તમારા કરિયર ના દસમા ભાવ
માં હાજર છે અને આના થી જીવન ના લક્ષ્ય, કરિયર વગેરે ના વિશે ખબર પડે છે. દસમા ભાવ
માં સૂર્ય દેવ દિગબલી હોય છે તેથી તમારૂ કરિયર આ દરમિયાન શિખર પર હશે. આ દરમિયાન તમને
નવી ભૂમિકા અને જવાબદારીઓ ની સાથે સન્માનિત કરવા માં આવશે જે કે તમારી ક્ષમતા ના મુજબ
હશે. નોકરિયાત અને વ્યવસાયિક બંને આ ગોચર થી શુભ પરિણામ પ્રાપ્ત કરવા માં સક્ષમ હશે,
કેમકે આ તમને ઘણું ઝડપી આવલોકન કૌશલ પ્રદાન કરવા ની સાથે તમારા વેપાર માં પણ ઠીક પરિસ્થિતિ
ને સમજવા ની યોગ્યતા આપશે। કોઈ પણ સ્થિતિ માં લાભ અને નુકસાન નું અવલોકન કરવા ની તમારી
ક્ષમતા સારી હશે, આના થી તમને પોતાના શત્રુઓ પર વિજય મળશે। વિદેશી સંગઠન માં આયાત,
નિર્યાત અથવા કોઈપણ કામ કરો છો તો તમને પ્રમોશન મળવા ની શક્યતા છે. જ્યાં સુધી તમે
પોતાના નિર્ણય લેવા ની શક્તિ પર પોતાના અહંકાર ને ભારે નથી થવા દેતા તો બુદ્ધિમાની
નું ઇસ્તેમાલ કરી ને આગળ વધો છો ત્યાર સુધી આ ગોચર તમારા માટે ઘણું સુખદ રહેશે।
ઉપાય: સોમવારે ગોળ નું દાન કરવું તમારા માટે શુભ રહેશે।
તુલા
ધર્મ, પિતા, આધ્યાત્મિકતા, યાત્રા અને ભાગ્ય ના નવમા ભાવ માં સૂર્ય નું ગોચર તમારા
પિતા અથવા પિતાતુલ્ય લોકો ની સાથે અમુક વૈચારિક મતભેદો ને દેખાડે છે. અમુક સમયે ક્રૂર
કહેનારા ગ્રહ સૂર્ય ગોચર ના લીધે જીવન માં આવનારા અવસરો અને ભાગ્ય ઉપર પણ પ્રભાવ પડી
શકે છે. આ સૂચિત કરે છે કે તમને પોતાના લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ ને સાકાર કરવા માટે
વધારે પ્રયાસ કરવા હશે. કોઈપણ જાત ની યાત્રા, વિશેષ રૂપ થી વધારે આધ્યાત્મિક હેતુ થી
કરવા માં આવી રહી છે તો તેમાં આ દરમિયાન મોડું થઈ શકે છે. તેથી આ અવધિ માં આધ્યાત્મિક
યાત્રાઓ ની યોજના થી બચો. એવું કંઈ પણ ના કરો જે કાયદા ની વિરુદ્ધ હોય નહીંતર તમને
આના પરિણામ ભોગવવા પડી શકે છે. ભાઈ બહેનો અને મિત્રો ની સાથે અમુક મતભેદ અથવા સમસ્યાઓ
થઈ શકે છે. જેને સમય રહેતા તમારે ઉકેલવું હશે.
ઉપાય: તુલસી ના છોડ પર પાણી આપવું તમારા માટે શુભ રહેશે।
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિ ના લોકો ને પોતાના વ્યવસાય અને કરિયર માં આ સપ્તાહ વધઘટ નું સામનો કરવો
પડી શકે છે કેમકે સૂર્ય તમારા પરિવર્તન અને અનિશ્ચિતતા ના આઠમા ભાવ માં ગોચર કરી રહ્યા
છે. કોઈ ગોટાળા માં તમારું નામ જબરદસ્તી નાખી શકાય છે જેના પરિણામ સ્વરૂપ મન ની શાંતિ
ભાંગી શકે છે. આ ગોચર ના દરમિયાન તમને ચિંતા રહેશે, વિશેષરૂપ થી આવક ને લઈ કેમકે આ
ઘર માં સૂર્ય સીધો સંચિત ધન અને પરિવાર ના ઘર પર દ્રષ્ટિ રાખે છે. આ સ્થિતિ ને લીધે
પરિવાર નું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે, તેથી ઘર માં અનુશાસન રાખવું તમારા માટે ઘણું
જરૂરી હશે. તમે ખોવાયેલા અને દિશાહીન અનુભવ કરશો, જે તમારા આરોગ્ય અને ખાવા ની ટેવ
ને પ્રભાવિત કરશે, જેના પરિણામ સ્વરૂપ પેટ અને આંખો થી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
જોકે, આ ગોચર શોધ કાર્ય કરનારા લોકો ના માટે સારું રહેશે। યોગ, ધ્યાન ને વિકસિત કરી
શકો છો આના થી તમને પોતાની જાત થી સંકળાવવા માં મદદ મળશે અને તમે પોતાની સંતાયેલી ક્ષમતાઓ
ને ઓળખી શકો છો.
ઉપાય: તર્જની આંગળી માં રુબી રત્ન જડિત વીંટી પહેરવી તમારા માટે શુભ રહેશે।
ધનુ
સાતમા ભાવ માં સૂર્ય ના આ ગોચર ના દરમિયાન ધનુ રાશિ ના જાતકો ને મિશ્રિત ફળ મળશે। આ
ભાવ વિવાહ, ભાગીદારી અને સંબંધો નું ભાવ પણ કહેવાય છે. જોકે આનું તમારા લગ્ન ભાવ પર
સીધો પ્રભાવ હશે, તેથી તમારું નેતૃત્વ કૌશલ વધશે, જેથી મુશ્કેલ નિર્ણય લેવા માં પણ
તમને સરળતા થશે. જોકે આના થી તમે આત્મમુગ્ધ થઇ શકો છો જેના લીધે કોઈપણ ભાગીદારી માં
તમને મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ વિવાહિત જીવન અને સંબંધો માં પણ તિરાડ પડી શકે છે.
તેથી, તમને સલાહ આપવા માં આવે છે કે નિર્ણય લેવા ની પ્રક્રિયા માં પોતાના અહંકાર ને
ભારે ના થવા દો. જો તમે આ ગોચર ના દરમિયાન અમુક યાત્રાઓ ની યોજના બનાવી રહ્યા છો, તો
તમને સલાહ આપવા માં આવે છે કે જ્યાર સુધી સૂર્ય નું મિથુન રાશિ માં ગોચર પૂરું ન થાય
ત્યાં સુધી યાત્રા અટકાવી દો.
ઉપાય: માથા પર કેસર નું તિલક લગાવવું તમારા માટે શુભ છે. તર્જની આંગળી માં પુખરાજ રત્ન ધારણ કરવા થી તમને સૌભાગ્ય ની પ્રાપ્તિ થશે.
મકર
સૂર્ય નું ગોચર તમારા છઠ્ઠા ભાવ માં થશે. આ ભાવ ને શત્રુઓ, પ્રતિયોગિતાઓ અને રોગો નું
ભાવ પણ કહેવાય છે. આ ભાવ માં સૂર્ય નું ગોચર તમારા માટે સારું રહેશે। તમે પોતાના શત્રુઓ
પર વિજય પ્રાપ્ત કરશો। તમારી પ્રતિરોધક ક્ષમતા પણ ગજબ ની રહેશે। તમે તે બીમારીઓ અને
પરેશાનીઓ થી પણ બહાર આવી જશો જેના થી તમે ઘણા લાંબા સમય થી પરેશાન હતા. આ દરમિયાન તમને
કાયદાકીય બાબતો માં પણ વિજય પ્રાપ્ત થશે અને તમે પોતાના પ્રયાસો માં વધારે સમર્પિત
રહેશો, જેનું આકસ્મિક લાભ તમને મળી શકે છે. ઉધાર અથવા લોન ને ચૂકવવા માટે પણ આ ગોચર
અનુકૂળ છે. વ્યવસાયિક જીવન માં તમારા કામ ને પ્રશંસા મળી શકે છે. વરિષ્ઠ અધિકારી તમારા
કામ ને પ્રશંસિત કરશે।
ઉપાય: પોતાના પિતા અથવા પિતા તુલ્ય લોકો નું આશીર્વાદ લેવું તમારા માટે શુભ રહેશે। જમણા હાથ ની નાની આંગળી માં પન્ના રત્ન ધારણ કરવું તમારા માટે લાભદાયક સાબિત થશે.
કુંભ
સૂર્ય જે તમારા વિવાહ અને ભાગીદારી ના સાતમા સ્થાન નો સ્વામી છે, તમારા પ્રેમ, શિક્ષા
અને બુદ્ધિ ના પાંચમા ભાવ માં ગોચર કરી રહ્યું છે. આ અવધિ માં તમારા કઠોર અને હઠીલા
વર્તન થી પ્રેમ અને સંબંધો માં અમુક મુશ્કેલી આવી શકે છે. આ ઉચ્ચ અભ્યાસ કરનારા છાત્રો
માટે ઘણું લાભદાયક ગોચર હશે કેમકે આ તમને મૂળરૂપ થી વિષય ને સમજવા માં મદદ કરશે। જોકે,
બાળકો થી અમુક નારાજ રહેશો જેના લીધે માતા-પિતા ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે
છે. આના લીધે ઘર નું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે. જોકે આ ગોચર તમને લાભ આપી શકે છે,
જો તમે કોઇ જાત ના શોધ કાર્ય માં લાગેલા છો અથવા કોઈ નવી પરિયોજના શરૂ કરનારા છો.
ઉપાય: રવિવાર ના દિવસે તાંબા નું દાન કરવું ઘણુ લાભદાયક રહેશે।
મીન
મીન રાશિ ના જાતક પોતાના દિલ માં અમુક અનુભવ કરી શકે છે. આનું કારણ આ છે કે આત્મા નું
પરિબળ ગ્રહ તમારા નબળા ભાવ (ચોથા) માં છે. ચોથા ભાવ ને આરામ, માતા અને વિલાસિતા નો
ભાવ ગણવા માં આવે છે. પોતાની માતા ના આરોગ્ય ને લઇને ચિંતિત હોઈ શકો છો. ઘર અથવા કાર્યાલય
માં નવીનીકરણ ના કામ માં તમારું ઘણો સમય લાગી શકે છે. જોકે સૂર્ય દૃઢ સંકલ્પ અને પ્રતિનિધિત્વ
ને પણ દર્શાવે છે અને વર્ષ ના આ સમયે સૂર્ય મજબૂત સ્થિતિ માં નથી, જેના પરિણામ સ્વરૂપ
નિર્ણય લેવા માં મોડું થઈ શકે છે જે નુકસાન નું કારણ થઈ શકે છે, જેથી બિનજરૂરી તણાવ
અને અનિશ્ચિતતા હોઈ શકે છે. પરંતુ તમારે આ સમજવું હશે કે આ ગોચર તમને પોતાના આરામ ક્ષેત્ર
થી બહાર કાઢવા માં અને વધારે કાર્યોન્મુખ બનાવવા માટે છે. આના સિવાય કરિયર અને જીવન
ના સમગ્ર ક્ષેત્ર માં તમને સારા પરિણામ મળવા ની શક્યતા છે. તમને પોતાના જીવન માં સારા
પરિણામ પ્રાપ્ત કરવા માટે યોગ ધ્યાન વગેરે ની મદદ આ દરમિયાન લેવી જોઈએ સાથેજ સાત થી
આઠ કલાક ની પર્યાપ્ત ઊંઘ થી પણ તમે ઘણા માનસિક તણાવ થી બચી શકો છો.
ઉપાય: તર્જની આંગળી માં પુખરાજ રત્ન ધારણ કરવું અને ગુરુ મંત્ર નું જાપ કરવું તમારા માટે શુભ રહેશે।
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada