અંક સાપ્તાહિક રાશિફળ : 10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર 2023

કેવી રીતે જાણવો પોતાનો મુખ્ય અંક (મૂલાંક)?

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મૂલાંક નું મોટું મહત્વ છે.મૂલાંક લોકોના જીવનનો મહત્વપૂર્ણ અંક માનવામાં આવ્યો છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એ તમારો મૂલાંક કહેવાય છે.મૂલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોય શકે છે,ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 1+1 એટલે કે 2 થશે.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી મૂલાંક ની ગણતરી કરવામાં આવે છે.આ પ્રકારે બધા લોકો પોતાનો મૂલાંક જાણીને એના આધાર ઉપર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો સબંધિત બધીજ જાણકારી

પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (10 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર, 2023)

અંક જ્યોતિષ નું અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ નાકો નો અમારી જન્મ તારીખ સાથે સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મૂલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.

જેમકે મૂલાંક 1 પર સૂર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મૂલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવ ગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિદેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આ ગ્રહોના પરિવર્તન થી લોકોના જીવનમાં અલગ અલગ પરિવર્તન આવે છે.

બધીજ 12 રાશિઓ નું સૌથી વિસ્તૃત 2024 રાશિફળ: રાશિફળ 2024

મૂલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)

મૂલાંક 1 વાળા લોકો ને આ અઠવાડિયે કારકિર્દી માં નવા કામ અને અવસર મળવાની સંભાવના છે.આ સમયે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે જેનાથી તમે બહુ આસાની થી તમારા ઉદ્દેશ પુરા કરી શકશો.આ અઠવાડિયે આ લોકો માંપ્રશાસનિક ક્ષમતા વધશે જેના કારણે આ પોતાનાકામને આરામ થી પુરા કરી શકશે.આ અઠવાડિયે તમારી અંદર છુપાયેલા કોઈપણ ગુણ બીજા ની સામે આવી શકે છે.આ સમયે તમે તમારા સિદ્ધાંતો ને બહુ સારી રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કરશો.ખાસ કરીને મૂલાંક 1 વાળા લોકો વધારે સફળતા મેળવા માટે પોતાના નસીબ ઉપર ભરોસો કરે છે.આ લોકો પોતાને આર્થિક રીતે મજબૂત કરવામાં સક્ષમ હશે.તમારા માટે આ અઠવાડિયે વધારે યાત્રાઓ નો યોગ બની રહ્યો છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે થોડા સુખદ અને આનંદિત સમય પસાર કરવા માટે મોકા મળશે.તમે બંને એકબીજા સાથે સમય વિતાવશો અને બંને વચ્ચે અંદર નો તાલમેલ પણ સારો રહેશે.આનાથી તમારા સબંધ માં મીઠાસ આવશે.તમારા મનમાં તમારા દિલ માં તમારા પાર્ટનર માટે રોમાન્સ અને પ્યાર થી ભરેલી ભાવનાઓ વિક્સિત થશે અને આના કારણેતમે અને તમારા પાર્ટનરએકબીજાને વધારે સારી રીતે સમજી શકશો.તમે તમારા જીવનસાથી સાથે કહી બહાર ફરવા જય શકો છો જેનાથી તમારા બંનેના મન માં એકબીજા માટે માં સમ્માન વધશે.બહાર ફરતી વખતે તમે તમારા પાર્ટનર સાથે પરિવાર ના કોઈ મહત્વપૂર્ણ મુદ્દા ની વાત પણ કરી શકો છો.

શિક્ષણ : અભ્યાસ ના વિષય માં તમે તમારા લક્ષ્ય ને મેળવામાં સક્ષમ થશો.તમે તમારા માટે જે લક્ષ્ય તૈયાર કર્યો છે,હવે તમે એને મેળવામાં સફળ થશો.મેનેજમેન્ટ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો માં તમે મહારથ મેળવશો.આ અઠવાડિયે તમે સારા નંબર લાવવા અને પોતાના સાથી વિદ્યાર્થીઓ સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ થશો.આ સમયે તમારી અંદર એક એવી અનોખી આવડત કે પ્રતિભા વિક્સિત થઇ શકે છે જેના વિશે તમને પોતાને ખબર નહિ હોય.આની તમારા અભ્યાસ ઉપર પ્રભાવશાળી અસર પડશે.જો તમે મેડિકલ નો અભ્યાસ કરવા માંગો છો,તો તમારી ઈચ્છા ને પુરી કરવા માટે આ સમય સારો સમય છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કાર્યક્ષેત્ર માટે સારી સ્થિતિ બનેલી છે.ત્યાં વેપારી પણ નફો કમાવા માટે અને પોતાના વિરોધીઓ ને પાછળ છોડવામાં સક્ષમ રહેશે.કોઈ નવી બિઝનેશ ડીલ કે પાર્ટ્નરશિપ તમારા માટે સફળતા નો રસ્તો શોધી શકે છે અને આ બદલાવ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.તમે તમારા વિરોધીઓ ઉપર વધારે ભરોસો કરવા લાગશો.ત્યાં આ અઠવાડિયે તમને પાર્ટ્નરશિપ મેં કામ કરવા માટે નવી ડીલ પણ મળી શકે છે.તમે તમારા બિઝનેશ માટે નવી રણનીતિઓ બનાવશો અને પોતાના વેપાર ની ગુણવતા ને વધારવાનું કામ કરશો.ત્યાં નોકરિયાત લોકો ને ઉન્નતિ અને ઈન્સેન્ટિવ મળવાની સંભાવના પણ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉર્જા થી ભરપૂર મેહસૂસ કરશો જેનાથી તમારો આરોગ્ય પણ સારું બની રહેશે.આના સિવાય આનંદ થી લબરેજ઼ થવાના કારણે તમને ફિટ રહેવામાં મદદ મળશે.આરોગ્ય ને સ્વસ્થ રાખવા અને બીમારીઓ થી બચવા માટે યોગ અને અન્ય ક્રિયાઓ ની મદદ લઇ શકો છો.પોતાની અંદર હાજર દ્રઢ સંકલ્પ ના કારણે તમે આ સમયે ઉત્તમ આરોગ્ય નો આનંદ લઇ શકશો.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મૂલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય)

આ અઠવાડિયે મૂલાંક 2 વાળા લોકો પોતાની કોઈ પ્રતિભા કે સ્કિલ ને દેખાડવામાં સક્ષમ હશે અને આગળ ચાલીને આ સ્કિલ તમારી ક્ષમતા ને વધારવામાં મદદકરી શકે છે. આ સમયે તમે ખુલ્લા વિચાર સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેશો.અધીયતામાં તરફ તમારી રુચિ વધશે જેનાથી તમને સફળતા મેળવામાં મદદ મળશે.આ અઠવાડિયે મૂલાંક 2 વાળા લોકો ની માનસિક સ્થિતિ સકારાત્મક રહેશે જેના કારણે આ લોકો શાંત બેસીને પોતાના જીવનમાં એક નવી દિશા દેવાવાળા મહત્વના નિર્ણય લેશે.ક્યારેક ક્યારેક મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે આ લોકો મૂંઝવણ માં પણ મુકાઈ શકે છે અને જો તમે આ મૂંઝવણ માંથી બચવા માંગો છો તો ભગવાન ની ઉપાસના અને ધ્યાન કરો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા મનમાં તમારા જીવનસાથી માટે પ્યારભરી ભાવનાઓ ઉભરવા લાગશે જેનાથી તમને તમારા પાર્ટનર સાથે સબંધ મીઠા બનાવી રાખવામાં મદદ મળશે.તમારી બંને વચ્ચે બહુ વાતો પણ થશે.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગયાએ બહાર ફરવા જય શકો છો.આ સમયે તમારા બંને ના સબંધ એટલા સુખી અને પ્રેમ થી પરિપૂર્ણ રહેવાના છે કે લોકો એને કોઈ પ્રેમ કહાની ની જેમ જોશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ ના ક્ષેત્ર માં પોતાના માટે ઉચ્ચ માનક સ્થાપિત કરશો. તમારે લોજિસ્ટિક્સ, બિઝનેસના આંકડા અને અર્થશાસ્ત્ર જેવા વિષયો માં સારા પરિણામ મળવાની સંભાવના છે.ત્યાં આ અઠવાડિયે તમારા માટે પ્રતિયોગી પરીક્ષા પણ સહેલી સાબિત થશે.તમે તમારા સાથી વિદ્યાર્થીઓ સાથે પ્રતિસ્પર્ધા કરવા અને સારા નંબર લાવવા માં સફળ થશો.તમે શિક્ષણ ક્ષેત્ર માં સારા અને વેવસાયિક માનક સ્થાપિત કરશો અને આને પોતાના માટે એક અમૂલ્ય લક્ષ્ય ના રૂપમાં નિર્ધારિત કરી શકે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કારકિર્દી ક્ષેત્ર માં તમને નોકરીના એવા અવસર મળવાની સંભાવના છે કે જેને મેળવીને તમે સંતુષ્ટ મેહસૂસ કરશો.કામને લઈને પ્રતિબદ્ધ હોવાના કારણે તમે તમારા તમારા કારકિર્દી માં કાબિલિયત ને સાબિત કરવા માટે અને પ્રતિસ્થા મેળવામાં સફળ થશે.આના સિવાય તમારી મેહનત અને લગન ને જોઈને,તમને પ્રમોશન મળવાની સંભાવના છે.ત્યાં વેપારીઓ ને ઘણો નફો કમાવાનો મોકો મળશે અને તમે તમારા વેપાર ના ક્ષેત્ર માં નવા સંપર્ક પણ બનાવી શકો છો.આ અઠવાડિયે તમને તમારા બિઝનેશ ના કારણે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે અને આ યાત્રાઓ થી તમને મોટો નફો થવાની આશંકા છે.

આરોગ્ય : આ અઠવાડિયે મૂલાંક 2 વાળા લોકો બહુ ખુશ રહેશે અને આ સમયે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.આ અઠવાડિયે તમે તમારી અંદર આનંદ,પ્રોત્સાહન અને દ્રઢ સંકલ્પ મેહસૂસ કરશે.આનાથી તમારી અંદર સાહસ વધશે જે તમારા માટે એક માર્ગદર્શન રૂપે કામ કરશે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મૂલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય)

આ અઠવાડિયે તમારી અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સાહસ વધશે અને પોતાની રુચિઓ અને હિતો ને સપોર્ટ કરવા માટે આગળ વધશો.તમને તમારા સાહસ વધારવાના ઘણા મોકા મળશે.મૂલાંક 3 વાળા લોકો ને આ અઠવાડિયે અધિયાત્મિક યાત્રાઓ વધારે કરવી પડી શકે છે અને આ યાત્રાઓ એમના માટે લાભકારી સિદ્ધ થશે.આના સિવાય લાંબી યાત્રાઓ નો યોગ બની રહ્યો છે.તમને નવા નિવેશ થી પણ સારા રિટર્ન મળી શકે છે અને સુખદ વાત એ છે કે આ યાત્રાઓ ના ઉદ્દેશ ની પૂર્તિ થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે રોમાન્સ ના મુડ માં રહેવાના છો.તમારા બંનેના સબંધ મજબૂત થશે.ત્યાં ઘર પર શુભ કામો માં ભાગ લેવા માટે મેહમાન આવી શકે છે.જો તમે તમારા દ્રષ્ટિકોણ કે રવૈયા માં લાલચીપણ લઈને આવો છો,તો તમે તમારા જીવનસાથી ને વધારે સારી રીતે સમજી શકશો.આ સમયે તમે તમારા પાર્ટનર સાથે પ્યાર ના સાગર માં ડૂબેલા રેહશો અને આનાથી તમને જીવનમાં સ્થિરતા મળશે.

શિક્ષણ : તમને આ અઠવાડિયે શિક્ષણ ક્ષેત્ર માં લાભકારી પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. મેનેજમેન્ટ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો તમારા માટે સારા સાબિત થશે.અભ્યાસ સાથે જોડાયેલી કોઈ વોર્કશોપ માં શામિલ થવાનો મોકો મળી શકે છે.આ અઠવાડિયે શિક્ષણ ક્ષેત્ર માં પોતાને સાબિત કરવા માટે તમે તમારા પ્રયાસો ઉપર વધારે નિર્ભર રેહશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના વિષય માં તમે તમારી કાબિલિયત દેખાડી શકશો.નોકરિયાત લોકોને નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના છે.એની સાથે તમારા કામની સાથે તમારી પ્રતિસ્થા માં પણ વધારો થશે.તમને આ અઠવાડિયે નોકરીના નવા અવસર મળવાના પણ સંકેત છે અને આ અવસર ને મેળવીને તમે ઘણા સંતુષ્ટ થશો.આ નવા અવસર ની સાથે તમને વિદેશ યાત્રા નો મોકો પણ મળી શકે છે અને આ અવસર તમારા માટે લાભકારી સિદ્ધ થશે.વેપારીઓ ના હાથમાં કોઈ એવી શાનદાર ડીલ આવી શકે છે જેમાં એમને વધારે નફો કમાવાનો મોકો મળશે.એની સાથે નોકરિયાત લોકો માટે પ્રમોશન ના યોગ પણ બની રહ્યા છે.

આરોગ્ય : આ અઠવાડિયે સાહસ માં વધારો થવાના કારણે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો.આ સાહસ અને જોશ ના કારણે તમે તમારા આરોગ્ય ને સ્વસ્થ રાખી શકશો.આ અઠવાડિયે તમારી ઈમ્યૂનિટી પણ મજબૂત રહેશે જેનાથી તમે સ્વસ્થ મેહસૂસ કરશો.આત્મવિશ્વાસ વધવાના કારણે તમને આ રીતના લાભ મળવાની સંભાવના છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરુવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મૂલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો હોય)

મૂલાંક 4 વાળા લોકોના સ્વભાવમાં જુનુન જોવા મળે છે જો કે ક્યારેક ક્યારેક પોતાના કામ માં રુકાવટ બનવાનું કામ કરી શકે છે.આ સમયે તમે લાંબી યાત્રા માં વ્યસ્ત રહેવાના છો.આના સિવાય તમારી અંદર કોઈ એવી ખૂબી કે ગુણ વિકસિત થશે કે જેને લોકો આસાનીથી ઓળખી નહિ શકે.તમે આ અઠવાડિયે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રેહશો.પરંતુ,નિર્ણય લેતા પેહલા તમને થોડી જીજક મેહસૂસ થઇ શકે છે.આને પોતાની ઝીંદગી માં જે કઈ પણ મળે છે,આ લોકો એને લઈને અસંતુષ્ટ રહે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે અભિમાન ના કારણે તમારી તમારા જીવનસાથી સાથે અનબન થવાની આશંકા છે.ત્યાં તમારા જીવનસાથી સાથે તમારા સબંધ પણ કમજોર થતા નજર આવશે.બંનેની વચ્ચે અંદર ની સમજ ઓછી હોવાના કારણે આ પ્રકાર ની પરિસ્થિતિઓ ઉભી થઇ શકે છે.

શિક્ષણ : શિક્ષણ ક્ષેત્ર માં આવેલી થોડી મુશ્કિલ પરિસ્થિતિઓ સાથે લડવામાં તમારો ઘણો સમય અને ઉર્જા બરબાદ થઇ શકે છે.તમે જે કઈ પણ અભ્યાસ કરી રહ્યા છો,એને યાદ રાખવામાં તમને દિક્કત આવી શકે છે.અહીંયા સુધી કે તમને સહેલી વસ્તુઓ પણ તમને મુશ્કિલ લાગશે અને આના કારણે પરીક્ષા માં તમારા ઓછા નંબર આવવાની આશંકા છે.સારું રહેશે કે અભ્યાસ ના વિષયે તમે તમારા કામો નો પ્લાન અને યોજના બનાવી ને ચાલો.આના સિવાય પ્રોફેશનલ અભ્યાસ કરવા માટે તમારે વધારે મેહનત કરવી પડશે અને આમાં તમારો ઘણો સમય અને ઉર્જા બરબાદ થઇ શકે છે એટલા માટે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મુશ્કિલ રહી શકે છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કામ નું દબાણ વધવાથી પરેશાન રહી શકે છે.ત્યાં તમને આ અઠવાડિયે કામમાં પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારી નો સહયોગ નહિ મળવાની પણ આશંકા છે.દબાવ વધવાના કારણે તમારાથી કામમાં વધારે ભુલ થઇ શકે છે અને આ વસ્તુ તમારા માટે વધારે પરેશાની ઉભી કરી શકે છે.વેપારીઓ ને નુકસાન થવાની સંભાવના છે અને આના કારણે એમની ઉપર બોજ વધી શકે છે.તમારા તમારા બિઝનેશ પાર્ટનર સાથે પણ મતભેદ થવાના સંકેત છે.તમારા વિરોધી તમારી ઉપર ભારી પડી શકે છે એટલા માટે તમારે આ સમયે થોડી સાવધાની રાખવાની સલાહ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને ચામડીને લગતી સમસ્યા થવાની સંભાવના છે.ઈમ્યૂનિટી કમજોર થવાના કારણે તમને આ પ્રકાર ની સમસ્યા થઇ શકે છે.આના સિવાય તમને મોટાપા સાથે જોડાયેલી કોઈ સમસ્યા પણ થઇ શકે છે.ઈમિનિટી કમજોર હોવું અને એલર્જી ના કારણે તમારા શરીર માં સોજો આવવાના પણ સંકેત છે.તમારા માટે આ અઠવાડિયે સંતુલિત ભોજન લેવું બહુ જરૂરી છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મૂલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય)

મૂલાંક 5 વાળા લોકો બધાજ સમયે પોતાના જ્ઞાન ને વધારવામાં લાગી રહે છે અને આ અઠવાડિયે પણ એમની આજ કોશિશ રહેશે.આ લોકો ની બિઝનેશ કરવામાં રુચિ હોય છે અને આ લોકો વેપાર માં આગળ વધવા અને પ્રગતિ માટે ઉત્સુક રહે છે.આ અઠવાડિયે મૂલાંક 5 ના લોકોને વધારે યાત્રાઓ કરવી પડી શકે છે અને યાત્રાઓ ના ઉદ્દેશો ની પણ પૂરતી થશે.આ સમયે તમે બધાજ સમયે કોઈપણ વસ્તુ માં તર્ક શોધવા માટે અને પોતાની બુદ્ધિમાની ને વધારવામાં સક્ષમ રેહશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે તમારો સબંધ બહુ સારો નથી રહેવાનો.તમારી બંને ની વચ્ચે અંદર ની સમજણ માં કમી આવવાના સંકેત છે અને બની શકે છે કે તમે તમારા સબંધ ને જરૂરી સમય નહિ આપી શકો.તમે તમારા પાર્ટનર સાથે જે જૂડાવ ની ઉમ્મીદ કરી રહ્યા છો,એ આ અઠવાડિયે સંભવ નથી.એટલા માટે તમારે તમારા જીવનસાથી સાથે તમારા સબંધ ઉપર કામ કરવું કે એને સારું બનાવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણ : વિદ્યાર્થી સામે પ્રગતિ ના રસ્તામાં થોડી રુકાવટ આવવાની સંભાવના છે.તમને અભ્યાસ ઉપર ધ્યાન દેવામાં અને એકાગ્રતા ને બનાવી રાખવા માં પણ દિક્કત આવી શકે છે.આનાથી બચવા માટે પોતાના કામોને બહુ સાવધાની થી કરવાની કોશિશ કરો.ત્યાં તમને તમારા એકાગ્રતા અને પ્રયાસો ને વધારવાની પણ સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી ઉપર કામનો બોજ વધી શકે છે અને એકસાથે આટલા બધા કામ કરવામાં તમને દિક્કત મેહસૂસ થઇ શકે છે.ત્યાં તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારી પણ તમારા માટે પરેશાની ઉભી કરવાનું કામ કરી શકે છે.આનાથી તમારી કામ કરવાની ક્ષમતા માં કમી આવવાની પણ સંકેત છે અને આ વસ્તુ તમને આગળ વધવામાં પણ રોકી શકે છે.ત્યાં તમારા કામના વખાણ નહિ થવાથી તમે પરેશાન રહી શકો છો.વેપારીઓ ને એમના વિરોધીઓ પાસેથી ધોખો મળવાની સંભાવના છે.તમને તમારા વિરોધીઓ થી કડી ટક્કર મળી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.પરંતુ,ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે અને એલર્જી ના કારણે સ્કિન પર ખંજવાળ આવવાની શિકાયત આવી શકે છે એટલા માટે તમે થોડા સાવધાની થી રહો.આના સિવાય આ અઠવાડિયે નસો ને લગતી સમસ્યા પણ પરેશાન કરી શકે છે.સાચી સારવાર ના કારણે તમે તમારા આરોગ્યને સારી રીતે રાખી શકો છો.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વસુદેવાય નમઃ’ નો જાપ કરો.

શું 2024 માં તમારા જીવનમાં આવશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 बબતાવશે જવાબ

મૂલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય)

આ અઠવાડિયે તમે તમારી અંદર ની શક્તિ ને પુરી ક્ષમતા સાથે મેહસૂસ કરી શકશે અને પોતાની રચનાત્મકતા ને વધારવામાં સક્ષમ હશે.આ વસ્તુ સફળતા ની ટોંચ ઉપર તમને લઇ જવામાં તમને મદદ કરશે.આ અઠવાડિયે તમારી આજુબાજુ માં ઘણી બધી સારી વસ્તુ થવાની છે જેના કારણે તમે બહુ વધારે ઉર્જાવાન મેહસૂસ કરશો.મૂલાંક 6 વાળા લોકો બહુ રચનાત્મક હોય છે.આમનો આ ગુણ આ અઠવાડિયે પ્રગતિ કરવા અને એક સફળ વેવસાયિક રૂપમાં ઉભરવા માટે એમનું માર્ગદર્શન જરૂરી છે.

પ્રેમ જીવન : તમારા તમારા જીવનસાથી સાથે આપસી તાલમેલ સારો રહેશે.મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે તમારા બંનેના વિચાર એકબીજા સાથે મેળ ખાસે.તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો મોકો પણ મળી શકે છે અને તમે આ અવસરો નો ખુબ આનંદ લેશો.તમારા પરિવાર માં કોઈ શુભ કાર્યક્રમ થવાની પણ સંભાવના છે.તમારી અંદર પ્યાર ની ભાવના વિક્સિત થશે અને તમે તમારા આ પ્યાર ને એક સારા સબંધ માં બદલવા માટે સક્ષમ થશો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવામાં સક્ષમ રેહશો.આ સમયે તમારી એક એવી અલગ ઓળખાણ બનાવશો જેનાથી તમે અભ્યાસ માં શિખર સુધી પોહ્ચવામાં સક્ષમ થઇ શકશો.તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.તમે પ્રતિયોગી પરીક્ષા માં સારા નંબર લઈને આવશો અને આગળ વધશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના નવા અવસર મેળવીને તમે બહુ ખુશી મેહસૂસ કરશો.તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે અને આ મોકો તમને સારો લાભ આપશે.તમારે તમારી કારકિર્દી માટે લાંબી દુરી ની યાત્રા પણ કરવી પડી શકે છે અને આ યાત્રા તમારા માટે પ્રભાવશાળી સિદ્ધ થશે.વેપારી પોતાની સ્થિતિ ને સુધારવા અને વધારે નફો કમાવા સક્ષમ હશે.આ સમયે વેપારીઓ પોતાને સહજ મેહસૂસ કરાવાનો પ્રયાસ કરશે.તમે કોઈ નવી બિઝનેશ ડીલ પણ કરી શકો છો જેમાં તમને સારો નફો કમાવાનો મોકો મળશે અને તમે તમારી એક અલગ ઓળખાણ બનાવશો.એની સાથે તમે તમારા બિઝનેશ ના ક્ષેત્ર માં પોતાને સાબિત પણ કરી શકશો.તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશો.

આરોગ્ય : આત્મવિશ્વાસ વધવાના કારણે તમે આ સમયે ઉર્જા થી ભરપૂર મેહસૂસ કરશો.આનાથી તમારું આરોગ્ય પણ શાનદાર રહેવાનું છે.જોશ અને આત્મવિશ્વાસ વધવાના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેશે.તમારો સ્વભાવ કઈ એવો છે કે તમે કોઈપણ રીતે સફળતા મેળવા માંગો છો અને આ સમયે તમે કોઈપણ કમી અને ભૂલ વગર સફળ થવાનો પ્રયાસ કરશો.તમારી અધિયાત્મિક કામોમાં રુચિ વધશે અને તમે ધ્યાન અને યોગ કરશો જે તમારા માટે બહુ પ્રભાવશાળી રહેશે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મૂલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય)

મૂલાંક 7 વાળા લોકો પોતાની પ્રગતિ અને ભવિષ્ય વિશે વિચાર કરી શકે છે.તમારે નાના માં નાની વાત માટે પણ બહુ વધારે વિચાર અને યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.આ અઠવાડિયે ધાર્મિક કર્યો માં તમારી રુચિ વધશે અને આની મદદ થી તમે તમારી એક નવી ઓળખાણ બનાવામાં સક્ષમ થશો.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પાર્ટનર સાથે પ્રેમ નો આનંદ લેવામાં વિફળ થઇ શકો છો.પરિવાર માં ચાલી રહેલા ઘણા વિવાદો ના કારણે તમારા સબંધ માં ખુશીઓ ઓછી થવાના સંકેત છે.આ સબંધ માં તમારે ચિંતા કરવાની જગ્યાએ તમારા પાર્ટનર સાથે થોડો તાલમેલ બેસાડવાની કોશિશ કરવી જોઈએ.આનાથી તમારા સબંધ માં ખુશી આવશે.

શિક્ષણ : અધીયતમાં અને જ્યોતિષ જેવા વિષયો માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી માટે આ સમય વધારે શુભ નથી.આ સમયે તમારી શીખવાની ક્ષમતા સામાન્ય રહેશે જેના કારણે આ અઠવાડિયે ઓછા નંબર આવવાની આશંકા છે.જે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ અભ્યાસ કરી રહ્યા છે,એમને એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં દિક્કત આવી શકે છે અને આ વસ્તુ સારું પ્રદશન કરવા અને પોતાની ક્ષમતા ને દેખાડવામાં બાધા બનીને આડી આવી શકે છે.

વ્યાવસાયિક જીવન: કાર્યક્ષેત્ર માં સારી ઉપલબ્ધીઓ મેળવાને લઈને આ અઠવાડિયું સામાન્ય રહેવાનું છે.તમે નવી વસ્તુઓ શીખશો અને નોકરીમાં તમારી પ્રતિસ્થા વધશે.ત્યાં વેપારીઓ માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે એટલા માટે વેપારીઓ એ આ સમયે યોજના બનાવીને ચાલવું અને પોતાના વેપાર પર ખાસ નજર રાખવાની જરૂરત છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને એલર્જી ના કારણે ચામડીમાં બળવું અને પાચન ને લગતી સમસ્યા નો ખતરો છે.પોતાના આરોગ્યને સ્વસ્થ રાખવા માટે તમે સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,આ સમયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની શક્યતા નથી.

ઉપાય : દરરોજ 43 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય)

આ અઠવાડિયે મૂલાંક 8 વાળા લોકો માં ધીરજ ની કમી જોવા મળી શકે છે અને સફળતા ના રસ્તામાં આ પાછળ છૂટી શકે છે.આ અઠવાડિયે યાત્રા દરમિયાન તમારા કોઈ કિંમતી વસ્તુની ચોરી થવાની પણ આશંકા છે.આના કારણે તમે થોડા પરેશાન રહી શકો છો.આ સમયે તમને દ્રઢ નિશ્ચયી થવા અને વેવસ્થિત યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.

પ્રેમ જીવન : તમારા મિત્રો ના કારણે તમારા પોતાના પ્રેમી કે જીવનસાથી સાથે અનબન થવાની આશંકા છે.તમારા મિત્રો કોઈ એવી પરિસ્થિતિ ઉભી કરી શકે છે કે જેનાથી તમને તમારા પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.આના કારણે તમારા બંનેના સબંધ પામ કમજોર પડી શકે છે અને તમને તમારા જીવનસાથી સાથે મીઠા સબંધ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.મુસીબતો ના સામનો કર્યા પછીજ તમને કોઈ ખુશી મળી શકશે અને આ સમય તમારા પ્રેમ જીવન માટે વધારે સારો નથી રહેવાનો.

શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો મુશ્કિલ રહેવાનો છે.પોતાની ગાડીને પાટા ઉપર લાવવા માટે તમારે વધુ મેહનત કરવાની જરૂરત છે.તમે આ સમયે ધીરે થી કામ લ્યો અને વધારે દ્રઢ નિશ્ચયી થઈને ચાલો.આનાથી તમને સારા નંબર લાવવામાં મદદ મળશે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કામમાં પોતાના પ્રયાસો માટે કોઈ પ્રશંસા નહિ મળવાના કારણે પરેશાન રહી શકે છે.તમારી સામે એવી પરિસ્થિતિઓ પણ ઉભી થઇ શકે છે જેમાં તમારા સહકર્મીઓ ને નવું પદ મળી જાય અને તમે એનાથી પાછળ રહી જાવ.આ અઠવાડિયે તમને તમારા કર્યો ને પુરા કરવામાં મુસીબતો અને મોડા નો સામનો કરવો પડી શકે છે.ત્યાં વેપારીઓ માટે પૈસા ના નુકસાન ની સ્થિતિ બની રહી છે.આ લોકોને ઓછો નફો મળવાના પણ સંકેત છે એટલા માટે વેપારીઓ એ આ અઠવાડિયે થોડી સાવધાની રાખીને ચાલવાની જરૂરત છે.

આરોગ્ય : તમને તણાવ ના કારણે પગમાં અને જોડા માં દુખાવો થવાની આશંકા છે.અસંતુલિત ભોજન લેવાના વિષય માં તમને આ પ્રકારના પરિણામ જોવા મળી શકે છે.આના સિવાય સાચા સમયે ખાવાનું નહિ ખાવાથી પાચન ને લગતી સમસ્યા પણ થવાની સંભાવના છે.સ્વસ્થ રહેવા અને કોઈપણ પ્રકાર ની આરોગ્ય સમસ્યા થી બચવા માટે તમારે સમય ઉપર ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ.

ઉપાય : દરરરોજ 44 વાર ‘ઓમ શનેશ્વરાય નમઃ’ નો જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મૂલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય)

આ સમયે તમે અવસરો ને તમારા પક્ષ માં કરવા અને એની લાભ લેવામાં સક્ષમ હસો.મૂલાંક 9 વાળા લોકો પોતાના લક્ષ્ય સુધી પોહ્ચવામાં સફળ થશે.આ અઠવાડિયે જો તમે પહેલાથીજ કોઈ પ્લાન બનાવીને ચાલો છો,તો તમે આસાનીથી લક્ષ્ય સુધી પોહચી શકશો.

પ્રેમ જીવન : તમે તમારા જીવનસાથી સાથે સિદ્ધાંતિક સ્વભાવ દેખાડશો અને સબંધ માં ઉચ્ચ મૂલ્ય સ્થાપિત કરશો.એના કારણે તમારી બંને ની વચ્ચે સારી સમજણ બની રહેશે અને તમને એવું પણ લાગી શકે છે કે તમારો સબંધ કોઈ પ્રેમ કહાની થી નબળો નથી.તમારા માટે તમારા જીવનસાથી સાથે યાત્રા પર જવા નો યોગ પણ બની રહ્યો છે અને યાત્રા દરમિયાન તમે તમારા સબંધ ને વધારે સારા બનાવા માટે તમારા પાર્ટનર સાથે વાતચીત કરી શકો છો.

શિક્ષણ : મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવા વિષયો નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ આ અઠવાડિયે સારું પ્રદશન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.આ લોકોની શીખવાની ક્ષમતા વધશે અને આ જે પણ અભ્યાસ કરશે,એ એને બહુ જલ્દી યાદ રહી જશે.આનાથી એમને પરીક્ષા માં સારું પરિણામ મળશે.આ અઠવાડિયે મૂલાંક 9 વાળા વિદ્યાર્થીઓ પોતાના શોખ મુજબ કોઈ પ્રોફેશનલ કોર્ષ માં ભાગ લઇ શકે છે અને આ લોકો આમાં શ્રેષ્ઠતા મેળવશે.

વ્યાવસાયિક જીવન: તમે તમારા કાર્યક્ષેત્ર માં બહુ સારું પ્રદશન કરશો અને તમારી પ્રતિષ્ઠા માં પણ વધારો થશે.તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામ ના વખાણ કરશે જેનાથી તમારામાં વધુ કામ કરવા માટે આત્મવિશ્વાસ વધશે.પોતાના અધિકારીઓ પાસેથી વખાણ મળવાના કારણે તમે તમારી સ્કિલ્સ ને વધારવા અને એમાં વિશેષતા મેળવામાં સક્ષમ રેહશો.ત્યાં વેપારીઓ ને બધીજ ઠીક કરવા અને સારો નફો કમાવાનો મોકો મળશે.આના કારણે એ પોતાના વિરોધીઓ ની વચ્ચે પોતાની ઓળખ ને બરકરાર રાખી શકશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો જેનાથી તમારું આરોગ્ય સારું રહેશે.તમને આ અઠવાડિયે કોઈ આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.તમારો આત્મવિશ્વાસ બહુ વધારે વધી જશે જેનાથી તમને તમારા આરોગ્ય અને શરીર ને મજબૂત બનાવી રાખવા માટે પ્રોત્સાહન મળશે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૂમિ પુત્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer