મીન રાશિ ભવિષ્ય 2020 - Meen Rashifal 2020 in Gujarati
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ મીન રાશિ ના જાતકો ને આ વર્ષ ઘણી સારી સોગાતો મળશે જેથી
તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ વર્ષ તમારી રાશિ ના સ્વામી ગુરુ દેવ 30 માર્ચ સુધી તમારા
દસમા ભાવ માં હાજર રહેશે અને તે પછી તે તમારા અગિયારમા ભાવ માં મકર રાશિ માં ગોચર કરશે.
14 મે ના રોજ વક્રી થયા પછી 30 જૂન ના રોજ ફરી થી તમારા દસમા ભાવ માં પાછા જતા રહેશે
અને 13 સેપ્ટેમ્બર ના રોજ માર્ગી થયા પછી 20 નવેમ્બરે તે તમારા અગિયારમા ભાવ માં પ્રવેશ
કરશે. શનિદેવ વર્ષ ની શરૂઆત માં 24 જાન્યુઆરી ના દિવસે તમારા અગિયારમા ભાવ માં પોતાની
સ્વ રાશિ માં આવી જશે જેના દ્વારા તે તમને લાભ ના માર્ગ ઉપર લયીને જશે. રાહુ મહારાજ
મધ્ય સેપ્ટેમ્બર સુધી તમારા ચોથા ભાવ માં હાજર રહેશે અને તેના પછી તમારા ત્રીજા ભાવ
માં પ્રવેશ કરી જશે. જેના પરિણામ સ્વરૂપ સેપ્ટેમ્બર ના પછી તમારી પારિવારિક જીવન માં
ચાલી રહેલી સમસ્યાઓ નું સમાધાન થયી જશે અને તમારા સાહસ અને પરાક્રમ માં વધારો થશે અને
ઘણા કઠિન કાર્યો ને પણ તમે સરળતા થી કરી શકશો. પરંતુ તમારે દરેક કામ માં પોતાનું સર્વ
શ્રેષ્ઠ યોગદાન આપવું પડશે ત્યારેજ તમે તે ઉપલબ્ધીઓ ને પ્રાપ્ત કરી શકશો.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમે તમારું ધ્યાન ધન લાભ ઉપર કેન્દ્રિત કરશો અને યાત્રાઓ ઓછી થશે. તમે જરૂરિયાત મુજબ જ યાત્રા કરશો અને વિશેષ રૂપ થી પોતાના વેપાર અને કાર્ય ના સંબંધ માં યાત્રા કરશો અને આ બધી યાત્રાઓ તમારા માટે ફાયદામંદ સાબિત થશે. નોકરી કરનારા લોકો નું સ્થાનાંતરણ થયી શકે છે. મધ્ય સેપ્ટેમ્બર પછી તમે કોઈ ધાર્મિક તીર્થયાત્રા અથવા પર્યટન સ્થળો ની મુલાકાત પર પોતાના પરિજનો સાથે જયી શકો છો. આ દરમિયાન તમારા ભાઈ બહેનો ને આરોગ્ય સંબંધી પરેશાનીઓ હોઈ શકે છે. અભિનય, નાટક, ફાઈન આર્ટ, ક્રિએટિવ વર્ક, ફોટોગ્રાફી, સોશલ સર્વિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સિવિલ એન્જીનીઅરીંગ, વિધિ અને કાનૂન, સમાજ સેવા તથા સેવા પ્રદાતા ક્ષેત્રો માં રુચિ રાખવા વાળા તથા કાર્ય કરનારા લોકો માટે વર્ષ ઘણું સારું રહી શકે છે. આ વર્ષ તમે પોતાના કાર્ય માં પ્રગતિ કરશો અને તમારા આ કામ ના લીધે તમારું માન સમ્માન પણ વધશે. અમુક લોકો ને રાજનીતિ ના ક્ષેત્ર માં પણ સારી સફળતા મળશે અને જે લોકો સલાહકાર ના રૂપ માં કાર્યરત છે તેમને સારા પરિણામો ની પ્રાપ્તિ સાથે પદોન્નતિ મળવાની પણ પ્રબળ શક્યતા રહેશે.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમે પોતાના પ્રિયજનો, મિત્ર સહયોગીઓ વગેરે ની સાથે નવા પરિવર્તનો માટે તૈયાર રહો. તમે ઉર્જાવાન રહી દરેક કાર્ય ને પૂરું કરશો જેથી સફળતા મેળવવા ની શક્યતા પણ વધી જશે. પરિવાર ના વડીલ અને સમાજ ના સમ્માનિત વ્યક્તિઓ નું તમને સાનિધ્ય મળશે અને તેમના સંરક્ષણ માં તમે ઘણું સારું કાર્ય કરશો, જેના લીધે તમારા માન સમ્માન માં વૃદ્ધિ થશે તમને ઉન્નતિ પ્રાપ્ત થશે. કાર્ય માં વધારે વ્યસ્ત રહેવા ને લીધે પોતાના માટે સમય કાઢવું તમારા માટે અસંભવ રહેશે. તો પણ તમને અમુક સમય પોતાના માટે પણ કાઢવું જોઈએ જેથી તમે શાંતિ અનુભવી શકો. આ વર્ષ તમારી ઘણા લાંબા સમય થી અટકાયેલી ઈચ્છાઓ પુરી થયી જશે જેના લીધે તમે એક અલગ આત્મવિશ્વાસ થી ભરેલા રહેશો અને આજ આત્મ વિશ્વાસ તમને આગળ વધવા ની રાહ દેખાડશે. પોતાના માર્ગ માં આવનારી કોઈપણ તક ને હાથ થી ના જવા દો જેથી આ વર્ષ દરમિયાન પ્રગતિ ની કોઈ તક તમારા હાથ થી જતી ના રહે.
નોંધ: આ વાર્ષિક રાશિ ભવિષ્ય 2020 તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. પોતાની ચંદ્ર રાશિ જાણવા માટે અહીં ક્લિક કરો :- ચંદ્ર રાશિ કેલ્કયુલેટર
મીન રાશિફળ 2020 મુજબ કારકિર્દી
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ વર્ષ ની શરૂઆત તમારા માટે ઘણી સારી રહેશે અને કાર્યક્ષેત્ર માં તમારા કાર્ય ને સરાહના પ્રાપ્ત થશે. જાન્યુઆરી થી 30 માર્ચ સુધી નું સમય ઘણી હદ સુધી અનુકૂળ રહેશે અને તમે જે પણ નિર્ણય લેશો તે તમને આગળ વધારવા નું કામ કરશે. તેના પછી 30 જૂન સુધી નું સમય તમારી આવક માં વધારો કરશે અને તમે પોતાના વરિષ્ઠ અધિકારીઓ ની નજીક આવશો જેના લીધે સમયસર તમને તેમના લીધે લાભ અને સુવિધાઓ ની પ્રાપ્તિ થશે. તમારા માં થી અમુક લોકો ને આ વર્ષ સારી પદોન્નતિ મળી શકે છે.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ જો તમે કોઈ વેપાર કરો છો તો આ વર્ષ તમારા માટે વધારે સારું રહેવા ની શક્યતા છે. ભાગ્ય નું સાથ તમને મળશે અને એના થી તમારા કામ માં પ્રગતિ થશે. જો તમે પોતાના વેપાર ને વધારવા માંગો છો તો તેમાં વિસ્તાર થયી શકે છે જેના લીધે તમે વધારે ધન લાભ મેળવવા ની સ્થિતિ માં આવી શકો છો. શેબાજર અને સટ્ટાબજાર નું વેપાર કરનારા લોકો માટે સારા લાભ અને પ્રગતિ ની શક્યતા આ વર્ષ દેખાય છે.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ વિશેષરૂપ થી 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે નું સમય તમને ઊંચાઈ ઉપર લયી જવા વાળું સિદ્ધ થયી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને આ વર્ષ વધારે લાભ લેવાની શક્યતા છે અને તેમના માન સમ્માન માં પણ વધારો થશે. આ દરમિયાન તમને પોતાના વિરોધીઓ પ્રત્યે થોડું સાવચેત રહેવું હશે. જોકે તે તમારો વધારે નુકસાન નહિ કરી શકે તો પણ વચ્ચે તે તમને માનસિક રૂપે પરેશાન કરી શકે છે અને તમારા કામો માં વ્યવધાન ઉત્પન્ન કરી શકે છે. શરૂઆત માં વેપાર લાભ અમુક ઓછો હોઈ શકે છે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તમારું કામ ગતિ પકડશે અને વર્ષ ના અંત સુધી તમે સ્વયં ને એક સુવિધાજનક સ્થિતિ માં જોશો. મીન રાશિ ના લોકો માટે આ વર્ષ કારકિર્દી માં ઘણું સારું સિદ્ધ થયી શકે છે.
મીન રાશિફળ 2020 મુજબ આર્થિક જીવન
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ આર્થિક દૃષ્ટિકોણ થી તમારા માટે ઘણું સારું હોઈ શકે છે. તેથી તૈયારીઓ માં લાગી જાઓ અને આ અવધિ નું સંપૂર્ણ લાભ ઉપાડો. વર્ષ ની શરૂઆત માં 24 જાન્યુઆરી ના દિવસે શનિ દેવા તમારા અગિયારમા ભાવ માં પ્રવેશ કરશે ત્યાં થી તમારી દીર્ઘલાભ ની અવધિ શરુ થશે અને તમારા પ્રયાસો સફળ થશે. લાંબા સમય થી અટકાયેલા કામ પુરા હોવા થી પણ તમને લાભ થશે. આના સિવાય વિદેશી કંપનીઓ માં કામ કરનારા લોકો અથવા વિદેશ થી વેપાર કરનારા લોકો ને પણ વધારે લાભ થશે. વર્ષ ના મધ્ય માં આ સ્થિતિ માં વધારો થશે અને તમારી એક થી વધારે માધ્યમો થી ધન લાભ મેળવવાની શક્યતા વધશે.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમે મિલકત ને ભાડે આપી ને પણ સારું ધન લાભ મેળવી શકો છો. જો તમારું ધન ક્યાંક ઘણા લાંબા સમય થી અટકાયેલું હતું તો આ વર્ષ તેની પ્રાપ્તિ ની શક્યતા રહેશે. જોકે તમારે તેના માટે થોડા પ્રયાસ પણ કરવા રહેશે. તમારી તમારા પરિવાર માં માંગલિક કાર્ય માં ખર્ચ કરવાની પણ સ્થિતિ હશે તેથી ખર્ચ ઉપર પણ વિચાર કરો. તમે પોતાના પુરા મનોયોગ થી પોતાનું કાર્ય કરશો અને વધારે થી વધારે લાભ કમાવા ની તમારી ઈચ્છા હશે જે આ વર્ષ પુરી થશે. જો તમે કોઈ વાહન ખરીદવા માંગો છો અથવા ભવન નિર્માણ કરવા માંગો છો તો તમારી આ ઈચ્છા પણ પુરી થયી શકે છે. આના સિવાય પરિવાર ની ખુશીઓ માં પૈસા ખર્ચ થયી શકે છે. જો તમે નિવેશ કરવા ના વિશે વિચારી રહ્યા છો તો નિશ્ચિત રૂપે તમે આ વર્ષ તેને ફળીભૂત કરી શકો છો. 4 મે થી 18 જૂન ની વચ્ચે ખર્ચાઓ માં વધારો થયી શકે છે આ દરમિયાન કોઈપણ લેણદેણ થી બચવા નો પ્રયાસ કરો. આ વર્ષ તમને આર્થિક રૂપ થી ઉન્નત બનાવા માં સફળ થશો અને તમે સારું ધનાર્જન કરી શકશો.
મીન રાશિફળ 2020 મુજબ શિક્ષણ
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ મીન રાશિ ના વિદ્યાર્થીઓ માટે ઘણી હદ સુધી ઉપલબ્ધી આપવા વાળું રહેશે. જો તમે પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી માં છો તો વર્ષ ની શરૂઆત થી 30 માર્ચ અને તેના પછી 30 જૂન થી 20 નવેમ્બર સુધી નો સમય તમારા માટે ઘણું અનુકૂળ રહી શકે છે અને આ દરમિયાન તમને આશા અનુરૂપ પરિણામો ની પ્રાપ્તિ થશે.
મીન રાશિ ભવિષ્ય મુજબ જાન્યુઆરી થી 30 માર્ચ સુધી અને 30 જૂન થી 20 નવેમ્બર સુધી નો સમય પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માટે અનુકૂળ રહેશે. ત્યાંજ બીજી બાજુ 30 માર્ચ થી 30 જૂન નું સમય સામાન્ય વિષય ના વિદ્યાર્થીઓ માટે ઘણું સારું રહેશે. વર્ષ ના મધ્ય માં ઉચ્ચ શિક્ષણ માટે છાત્ર સફળતા મેળવશે અને તેમને ઈચ્છીત સંસ્થાનો માં પ્રવેશ મળશે. જોકે આ દરમિયાન 14 મે થી 13 સેપ્ટેમ્બર ની વચ્ચે મિશ્ર પરિણામો મળશે કેમકે વિદ્યાર્થી નું આરોગ્ય અમુક નબળું રહેવા થી તેમના શિક્ષણ ઉપર અસર પડી શકે છે. સિવિલ એન્જીનીઅરીંગ, કાનૂન, સામાજિક વિષય, સમાજ સેવા અને ગૂઢ આધ્યાત્મિક વિષય નું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ માટે વર્ષ ઘણું ઉન્નતિ દાયક રહેશે.
મીન રાશિફળ 2020 મુજબ પારિવારિક જીવન
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ પારિવારિક જીવન વધઘટ થી ભરેલું રહી શકે છે કેમકે તમારા ચોથા ભાવ માં મધ્ય સપ્ટેમ્બર સુધી રાહુ ની હાજીરી રહેશે જે તમને પરૂં રૂપે ઘર નું સુખ ભુંગાવવા માં બાધારૂપ રહેશે. તમે કામ માં પણ વધારે વ્યસ્ત રહેશો જેથી ઘર પરિવાર માં ઓછો સમય આપી શકશો. અમુક લોકો ને પોતાના ઘર ની જગ્યા ભાડા ના ઘર માં સુખ મળી શકે છે.
મધ્ય સેપ્ટેમ્બર પછી રાહુ નું ગોચર ત્રીજા સ્થાન પર થવા થી પારિવારિક જીવન માં ખુશીઓ પછી આવી જશે. જોકે તેથી પહેલા ગુરુ દેવ ની દૃષ્ટિ માર્ચ ના અંત સુધી તમારા ચોથા ભાવ પર રહેશે જેના લીધે પરિવાર માં વધારો થવા ની શક્યતા રહેશે. આ વધારો કોઈ વ્યક્તિ ના વિવાહ અથવા કોઈ બાળક ના જન્મ ના લીધે થયી શકે છે. આના થી તમારા કુટુંબ માં ઉત્સવ નું વાતાવરણ રહેશે અને બધા ખુશ દેખાશે. મધ્ય સેપ્ટેમ્બર પછી તમને સમાજ માં માન સમ્માન ની પ્રાપ્તિ થશે, જોકે આ દરમિયાન તમારા ભાઈ બહેનો નું આરોગ્ય કમજોર રહી શકે છે. આ અવધિ માં તમે સામાજિક કાર્ય માં આગળ વધી ને ભાગ લેશો અને પરિજનો ની સાથે કોઈ તીર્થ યાત્રા ઉપર પણ જયી શકો છો.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ વર્ષ ની શરૂઆત વધારે સારી નહિ રહેશે કેમકે તમારા ચતુર્થ ભાવ પર 5 ગ્રહો નું પ્રભાવ રહેશે જેથી પારિવારિક સભ્યો માં વિરોધાભાસ ની સ્થિતિ રહી શકે છે અને તમારા માતા પિતા નું આરોગ્ય પ્રભાવિત થયી શકે છે. મે થી ઓગસ્ટ સુધી નું સમય તમારા પારિવારિક જીવન માટે ઘણું સારું રહેશે અને આ અવધિ માં તમે કોઈ વાહન અથવા મિલકત ખરીદવા ની યોજના બનાવી શકો છો. પારિવારિક સભ્યો માં મોટાભાગ ના લોકો એક બીજા ઉપર દોષારોપણ કરી શકે છે તેથી થોડું સાચવી ને રહો અને પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખો. પોતાનું હૃદય મોટું રાખો અને બધા ને સાથે રાખવા નું પ્રયાસ કરો.
મીન રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ વૈવાહિક જીવન માં આ વર્ષ તમને ઘણા પ્રકાર ના અનુભવ થશે તેમના અમુક સારા રહેશે અને અમુક માં તમને પોતાની સમજદારી અને નિર્ણય લેવાની ક્ષમતા નું પરિચય આપવું પડશે. 30 માર્ચ થી 30 જૂન નું સમય પ્રેમ જીવન માં ઘણી શાંતિ આપવા વાળો હશે અને આ દરમિયાન તમારા સંબંધો માં અપનત્વ ની સુગંધ આવશે. તમારું પારસ્પરિક તાલમેલ હજી સારું થશે અને તમે બંને સાથે મળીને સારા દામ્પત્ય જીવન ને આગળ વધારશો. જે લોકો સંતાન હીન છે, તેમને આ દરમિયાન સંતાન ની પ્રાપ્તિ પણ થયી શકે છે જેના લીધે તેમને ખુબ પ્રસન્નતા થશે.30 જૂન થી 20 નવેમ્બર સુધી નું સમય દામ્પત્ય જીવન માં અમુક તણાવ વાળું હોઈ શકે છે. અને આ દરમિયાન તમને પોતાની બાજુ થી સંપૂર્ણ પ્રયાસ કરવા હશે જેથી એવું કઈ ના થાય જેથી તમારું દામ્પત્ય જીવન પ્રભાવિત થાય. સેપ્ટેમ્બર નું મહિનો જીવન સાથી ની સાથે તમારા પ્રેમ સંબંધ ને વધારનારો સિદ્ધ થશે અને તમારા દામ્પત્ય જીવન માં મધુરતા નો સમાવેશ થશે. આ વર્ષ તમે પોતાના જીવન સાથી ની સાથે કોઈ તીર્થ યાત્રા ઉપર પણ જયી શકો છો. પોતાના સસરા પક્ષ ના લોકો થી સારા સંબંધ બનાવી રાખો અને તેમની જોડે સારો વ્યવહાર કરો.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારી સંતાન માટે સામાન્ય રહેવા ની અપેક્ષા દેખાય છે. તમારી કોઈ સંતાન નું વિવાહ આ વર્ષ હોઈ શકે છે જેથી તમે પ્રસન્ન અને સંતુષ્ટ દેખાશો. જોકે બીજી બાજુ તમને પોતાના સંતાન ના આરોગ્ય નું ધ્યાન રાખવું હશે કેમકે આ વર્ષ તેમના આરોગ્ય માં ઘટાડો આવી શકે છે. તેમની જોડે એક મિત્ર ની જેમ વાત કરો જેથી તેમના મગજ માં કોઈ વાત ઘર ના કરી જાય. તે માનસિક રૂપે થોડા વ્યાકુળ રહી શકે છે, તેથી તેમને એકલું ના છોડો અને સમય પર ક્યાંક ફરવા લયી જાઓ.
મીન રાશિફળ 2020 મુજબ પ્રેમ જીવન
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ વર્ષ ની શરૂઆત પ્રેમ સંબંધો માટે અનુકૂળ છે અને આના લીધે તમારું પ્રેમ જીવન ગતિ પકડશે, પરંતુ વર્ષ પર્યન્ત નું સમય પ્રેમ જીવન માટે અમુક પડકાર રૂપ રહેવા વાળું છે. વર્ષ ની શરૂઆત માં તમે પોતાના કાર્ય ક્ષેત્ર માં વધારે વ્યસ્ત રહેશો, જેના લીધે તમે પોતાના પ્રિયતમ ને સમય ઓછો આપી શકશો. તેથી તમને ધય્ન રાખવું જોઈએ કે તમારા વચ્ચે નું સામંજસ્ય આ સમયગાળા ને લીધે ના બગડે. વર્ષ ની શરૂઆત માં 24 જાન્યુઆરી ના દિવસે શનિ દેવ તમારા અગિયારમા ભાવ આવી પાંચમા ભાવ ને દૃષ્ટિ આપશે અને ત્યાર થી તમારા પ્રેમ જીવન માટે પડકારરૂપ સમય શરુ થયી જશે. એક બાજુ આ વર્ષ તમારા પ્રેમ જીવન ની કઠિન પરીક્ષા થશે અને જો તમે સંબંધો માં સાચા છો અને તમારું પ્રેમ પવિત્ર છે તો તમને કોઈ સમસ્યા નહિ થાય આન થી વિપરીત હોવા પર તમારા સંબંધો માં તણાવ અને સંઘર્ષ ની સ્થિતિ આવશે અને જો તમારા સંબંધો ઉપર આનું અસર પડશે તો તમારા સંબંધો માં તિરાડ પણ આવી શકે છે.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ વિશેષ રૂપ થી 14 મે થી 13 સપ્ટેમ્બર સુધી નું સમય તમારા પ્રેમ જીવન ની કઠિન પરીક્ષા લેશે અને આ દરમિયાન તમારે ખુબ સાવચેતી થી ચાલવું હશે. ફેબ્રુઆરી થી માર્ચ સુધી નું સમય અમુક હદે સારું રહેશે. આ દરિમયાન તમારા જીવન માં કોઈ નવું વ્યક્તિ આવી શકે છે. તમને પોતાના કામ માં થી અમુક સમય કાઢી ને પ્રેમ જીવન ને પણ આપવું હશે ત્યારેજ આ સારી રીતે ચાલશે.
મીન રાશિફળ 2020 મુજબ આરોગ્ય
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ તમને આ વર્ષ આરોગ્ય સંબંધિત મિશ્ર પરિણામો ની પ્રાપ્તિ થશે કેમકે તમારા આરોગ્ય માં વધઘટ રહેવા ની શક્યતા છે. જોકે મુખ્ય રૂપે કોઈ ગંભીર સમસ્યા ની શક્યતા ઓછી દેખાય છે તો પણ તમને આરોગ્ય નું ધ્યાન રાખવું ની સલાહ આપવા માં આવે છે. માનસિક રૂપે તમે ઘણી હદ સુધી દૃઢ રહેશો અને આના લીધે સંતુષ્ટિ નું ભાવ પણ રહેશે. જો કોઈ બીમારી પહેલા થી ચાલી આવી રહેલી છે તો તેમાં સુધાર થવા ની શક્યતા છે અને જો તમને પહેલા થી કોઈ બીમારી નથી તો આ વર્ષ હજી સારું જવાની શક્યતા છે.
મીન રાશિ ભવિષ્ય 2020 મુજબ તમને આબોહવા બદલવા ને લીધે થનારા નાના મોટા રોગો જેમકે ઉધરસ, શરદી, તાવ વગેરે નું સામનો કરવો પડી શકે છે પરંતુ સમય રહેતા અને ઉપચાર પછી આ સમસ્યાઓ પણ સમાપ્ત થયી જશે. શાકાહારી ખોરાક લેવું તમારા માટે વધારે સારું રહેશે. આના સિવાય તમે યોગાભ્યાસ અને ધ્યાન કરશો તો ઘણું સારું રહેશે. 14 મે થી 13 સપ્ટેમ્બર ની વચ્ચે તમને વધારે પડતા કામ ના લીધે થાક થયી શકે છે અને આ થાક કોઈ રોગ ના ઉદ્ભવ નું કારણ બની શકે છે તેથી કામ ની વચ્ચે થોડું સમય પોતાના આરામ માટે કાઢો. શક્ય હોય તો સવારે ફરવા જાઓ. 14 ડિસેમ્બર થી વર્ષ ના અંત સુધી એવી શક્યતા છે કે તમારા આત્મબળ માં ઘટાડો આવે, તેન નિવારણ માટે તમારે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત્ર નું પાઠ કરવું અથવા મહા મૃત્યુંજય મંત્ર નું જાપ કરવું જોઈએ જેથી તમારા આત્મબળ માં વધારો થાય અને તમે દરેક કાર્ય પુરી ઉર્જા સાથે સમાપ્ત કરી શકો.
વર્ષ 2020 માં કરવા વાળા વિશેષ જ્યોતિષીય ઉપાયો
આ વર્ષ તમને નીચે પ્રમાણે સંપૂર્ણ વર્ષ આ ઉપાયો કરવા જોઈએ જેથી તમને સમસ્યાઓ થી મુક્તિ મળશે અને તમે પ્રગતિ પથ ઉપર અગ્રસર થશો:
- આ વર્ષ તમને પીપલ અને કેળા નું વૃક્ષ લાગવું જોઈએ અને ગુરુવાર ના દિવસે તેમને જળ ચઢાવું જોઈએ. અહીં ધ્યાન આપજો કે પીપલ ના વૃક્ષ ને અડ્યા વગર જળ ચઢાવજો.
- જો શક્ય હોય તો દરેક ગુરુવારે વ્રત રાખો અને પ્રતિદિન મસ્તક પર કેસર નું તિલક લગાડો. જો તમે વ્રત રાખો છો તો તમારે કેળા ખાવા નું ટાળવું જોઈએ.
- યથા યોગ્ય બ્રાહ્મણોં ને ભોજન અને દક્ષિણા આપો.
- કોઈ ના થી પણ જૂઠાં વાયદા ના કરો.
- ભૂરા રંગ ની ગાય ને ગોળ અને લોટ ખવડાવું જોઈએ.
- કોઈ ધાર્મિક સ્થળ ઉપર સેવા અને દાન કરવું જોઈએ.
- આના સિવાય તમે ગુરુ યંત્ર ની સ્થાપના પણ કરી શકો છો જે ગુરુ ગ્રહ ના ખરાબ પ્રભાવો ને નષ્ટ, જ્ઞાન અને ભાગ્ય માં વધારો અને જીવન માં ધન અને સમૃદ્ધિ ને પ્રાપ્ત કરવા માં લાભદાયક છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada