મંગળ નું મીન રાશિ માં 04 ઓક્ટોબર 2020 નું ગોચર આપશે કેવા પ્રભાવ

મંગળ ગ્રહ 4 ઓક્ટોબર 2020 ની સવારે 10:06 વાગે પર વક્રી થઈ સ્વરાશિ મેષ થી મીન રાશિ માં પ્રવેશ કરી જશે અને તે પછી 14 નવેમ્બર ની સવારે 6:06 મિનિટ પર એક વાર ફરી માર્ગી થઈ જશે. આના પછી 24 ડિસેમ્બર 2020 ના દિવસે મંગળ એકવાર ફરી સ્વરાશિ મેષ માં જતુ રહેશે એટલે કે આના મુજબ મંગળ પુરા 81 દિવસ ની અવધિ ના માટે આ રાશિ માં ગોચર કરશે જેનો સીધો પ્રભાવ બધી 12 રાશિઓ ઉપર પડશે। આવો જાણીએ છીએ કે મંગળ ના વક્રી હોવા પર બધી 12 રાશિઓ પર શું પ્રભાવ પડશે।

મેળવો તમારી સમસ્યાઓ નું જ્યોતિષીય નિરાકરણ: જ્યોતિષીય પરામર્શ

આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે - જાણો પોતાની ચંદ્ર રાશિ

મેષ રાશિ

પોતાની વક્રી સ્થિતિ માં મંગળ મેષ રાશિ એટલે કે તમારા લગ્ન ભાવ થી નીકળી તમારા બારમાં ભાવ જેને વિદેશ યાત્રાઓ અને હાનિ નો ભાવ કહેવાય છે માં વક્રી થશે. મેષ મંગળ ગ્રહ ની સ્વરાશિ છે અને આ સ્થિતિ માં મંગળ શક્તિશાળી અવસ્થા માં હતું।

આ ગોચર ના પ્રભાવ થી મેષ જાતકો ને આરોગ્ય સંબંધી અનેક મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. જો આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ નું સારી રીતે ધ્યાન રાખવા માં ન આવ્યું તો આના થી તમારા નાણાકીય ખર્ચ માં વધારો થઇ શકે છે. જેના લીધે તમારા પર તણાવ અને તમારા માનસિક આરોગ્ય પર ખાસ્સો પ્રભાવ પડશે।

મંગળ જ્યાં બેઠેલું છે ત્યાંથી તે તમારા ત્રીજા ભાવ ને જોઈ રહ્યો છે અને ત્રીજો ભાવ ભાઈ-બહેનો નો હોય છે. મંગળ ની દૃષ્ટિ સાતમા ભાવ ઉપર પણ છે જે સંબંધ અને ભાગીદારી નું ભાવ હોય છે. આ વાત આ બાજુ સૂચન કરે છે કે આ દરમિયાન અમુક એવી બાબતો સામે આવી શકે છે જેના પર તમારું પહેલા ધ્યાન નહોતું, તેથી આ ગોચર ના દરમિયાન તે સમસ્યાઓ ને ધ્યાન માં લાવવું અને પોતાના સંબંધો માં ઉચિત સંશોધન કરવા માટે આ સમયે સારો સાબિત થઈ શકે છે.

વ્યવસાયિક સ્તર પર તમે પોતાની અમુક યોજનાઓ અને નીતિઓ ને સારી રીતે ચાલુ કરવા માં સક્ષમ નહીં હશો, જેના લીધે તમને અમુક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

જેના લીધે તમે પોતાની ક્ષમતાઓ પર સંદેહ કરી શકો છો અને નકારાત્મક થઈ શકો છો. આના થી તમારી સમસ્યાઓ વધી શકે છે.

અહીં તમને આ વાત સમજવા ની જરૂર છે કે ગોચર નું આ સમય તમને વધારે ધીરજવાન અને ચોક્કસ બનાવવા માં મદદ કરશે। તમે પોતાની ભૂલો થી શીખવા ની તક મેળવશો અને તેના મુજબ યોજના બનાવશો, જેથી આ ગોચર તમારા માટે અનુકૂળ થઈ શકે.

ઉપાય: હનુમાન ચાલીસા નો જાપ કરો આ તમારા માટે શુભ ફળદાયક રહેશે।

વાંચો તમારું માસિક રાશિફળ: મેષ

વૃષભ રાશિ

મંગળ નું આ ગોચર તમારા અગિયારમાં ભાવ માં થવાવાળું છે. સફળતા અને લાભ મેળવવા ના માટે આ સ્થિતિ તમારા માટે શુભ પરિણામ લઈને આવશે। આ દરમિયાન તમારા ખર્ચ ધીમે ધીમે લાભ માં બદલાશે। સંબંધો માં નવી ઉર્જા વધશે અને ધીમે ધીમે તમારું જીવન શાંતિ ની બાજુ વધશે। ગોચર નું આ સમય તમારા ધંધાકીય કાર્યો અને પ્રયાસો માં એક સ્થિરતા લાવશે। આ દરમિયાન કરવા માં આવેલા તમારા પ્રયાસો ને ઉચિત પ્રશંસા પણ મળશે।

જોકે આ દરમિયાન તમે ક્યારેક પોતાને ઘણું ઊર્જાવાન અનુભવ કરી શકો છો, જેના પરિણામ સ્વરૂપ તમે પોતાની ક્ષમતા થી વધારે કાર્ય કરવા નો પ્રયાસ કરશો। જેના લીધે તમને તણાવ ની સ્થિતિ થી પસાર થવું પડી શકે છે. અહીં તમને આ સમજવા ની જરૂર હશે કે આ ગોચર તમારા જીવન ની મુખ્ય યોજના ને વધારે નિખારવા માં મદદ કરી શકે છે, તેથી જેટલું શક્ય હોય એક સમય માં એક જ કામ હાથ માં લો અને તેને પૂરી નિષ્ઠા ની સાથે પૂરું કરવા નો પ્રયાસ કરો.

આ ગોચર ના દરમિયાન તમે અમુક હઠીલા પણ હોઈ શકો છો અને પોતાની અસફળતાઓ નું ભાર પોતાના મિત્રો અને સહપાઠીઓ ના ઉપર નાખવા નો પ્રયાસ કરી શકો છો. પરંતુ અહીં તમારે આ સમજવા ની જરૂર છે કે કોઈ પણ કામ પોતાની ટીમ ની સાથે જ પૂરો કરી શકાય છે તેથી પોતાની ટીમ ને પોતાની સાથે રાખવા થી તમને પોતાના કામ માં ઘણી દક્ષતા ની સાથે સફળતા જરૂર પ્રાપ્ત થઇ શકે છે.

ઉપાય: મંગળવાર ના દિવસે ભગવાન કાર્તિકેય ની પૂજા કરો.

વાંચો તમારું માસિક રાશિફળ: વૃષભ

મિથુન રાશિ

મંગળ નું આ ગોચર તમારા દસમા ભાવ માં થવાવાળું છે અને દસમો ભાવ કરિયર અને નોકરી નો ભાવ ગણવા માં આવે છે.

આ ગોચર ના દરમિયાન નાણાકીય પક્ષ સ્થિર રહેશે કેમકે આ સમયે તમારુ પૂરું ધ્યાન પોતાની ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ ને પ્રાપ્ત કરવા ની જગ્યા વધારે થી વધારે કુશળ રીતે કામ લેવા ઉપર હશે.

આ દરમિયાન તમને પડકારો નો સામનો કરવો પડી શકે છે કેમકે તમારા દુશ્મન આ સમયગાળા દરમિયાન તમને નીચે પાડવા માં કોઈ કમી નહીં મૂકે। જેથી તમારા મન માં અસુરક્ષા ની લાગણી અને ગુમાવવા નો ભય વધી શકે છે.

જેના લીધે સ્થિતિ ને નિયંત્રિત કરવા ના પ્રયાસ માં તમે આક્રમક વર્તન અપનાવી શકો છો. જો કે આવું કરવું ખોટું હશે કેમકે આ તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન બંને ઉપર નકારાત્મક પરિણામો ને વધારનારું સાબિત થશે. પ્રયાસ કરો કે આ સમયે તમે કોઈ પણ અથડામણ અથવા લડાઈ માં શામેલ ના થાઓ. આની જગ્યાએ તમે પોતાની ઉર્જા ને પોતાની ઉત્પાદકતા ને વધારવા માં વાપરો। આ ગોચર તમારા માટે એવો સમય સાબિત થઈ શકે છે જ્યાં તમને સમજણ આવશે કે નીચે પડવા માં કોઈ ખોટી વાત નથી. સાથેજ આ સમયે તમને આ પણ સાબિત કરશે કે જીવન માં ક્યારેક નીચે પડ્યા પછી તમે ઘણી ઝડપ થી ઉપાડવા અને પ્રયાસ કરવા માં પણ સક્ષમ છો.

આ દરમિયાન તમારું મુખ્ય ધ્યાન તમારા કરિયર પર હશે, જેના લીધે તમારા સંબંધો માં તમને અમુક વધઘટ નું સામનો પણ કરવો પડી શકે છે. સંબંધો ને સારા બનાવવા માટે બધી જવાબદારી પોતાના પાર્ટનર પર નાખવા ની જગ્યા તમે પોતાના જીવનસાથી ની જોડે તે વસ્તુ ના વિશે સ્પષ્ટ વાત કરી શકો છો જે તમારા સંબંધો માં વધઘટ નું કારણ બની રહી છે. આના થી તમને કોઈપણ જાત ની ગેરસમજ થી બચવા માં મદદ મળશે। પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા છાત્રો ને આ સમયે શુભ પરિણામ પ્રાપ્ત થશે.

ત્યાંજ જો આરોગ્ય ની વાત કરીએ તો કોઈપણ જાત ની શારીરિક ગતિવિધિ માં સામેલ થવા થી તમારી ઊર્જા ને સકારાત્મક દિશા મળશે જેના થી તમે શારીરિક અને માનસિક તણાવ ને ઓછું કરવા માં મદદ મળશે।

ઉપાય: મંગળવાર ના દિવસે વ્રત કરવા થી સારા પરિણામ આવવા ની શક્યતા છે.

વાંચો તમારું માસિક રાશિફળ: મિથુન

કર્ક રાશિ

મંગળ પોતાની વક્રી સ્થિતિ માં તમારા નવમા ઘર માં જતું રહેશે જે ઉચ્ચ શિક્ષા અને ભાગ્ય નું પ્રતિનિધિત્વ કરે છે. આ વાત આ બાજુ સૂચન કરે છે કે ભલે તમે પુનર્મૂલ્યાંકન અથવા સંશોધન કર્યું હોય તો પણ આ સમયે યોજનાઓ નું નિષ્પાદન અમુક મુશ્કેલ હશે. તેથી ધીરજ થી કામ લો અને વસ્તુઓ પર વધારે દબાણ આપવા ની જગ્યા તેમને પોતાની ઝડપ થી કામ કરવા દો તો વધારે સારું રહેશે। પોતાના કૌશલ ને સુધારવા માટે આ સમયે તમારા માટે સારું સાબિત થઇ શકે છે. આના સિવાય તમને પોતાના ભવિષ્ય માટે સારો પાયો મુકવા માટે આ સમયે તમારી ભરપૂર મદદ કરશે।

વરિષ્ઠ અધિકારીઓ અથવા પોતાના ઉચ્ચ પ્રબંધન થી સલાહ લેવું આ અવધિ માં તમારા માટે ઘણું મદદગાર સાબિત થઇ શકે છે. જોકે કર્ક રાશિ ના જાતક હોવા ના લીધે તમારી પોતાની જાત ઉપર ગર્વ કરવા ની લાગણી તમારા પર ભારે થઈ શકે છે, અને આવું કરવા થી તમને રોકી શકે છે. પરંતુ અહીં તમારે આ સમજવા ની જરૂર છે કે આગળ વધવા માટે તમારે પોતાનો અહંકાર છોડવું હશે અને ભવિષ્ય ના માટે કોઈ ની જોડે મદદ લેવા માં કોઈ ખોટી વાત નથી.

આ સમયે કોઈપણ જાત ની યાત્રા કરવા થી બચો કેમકે આ માત્ર તમારા ખર્ચ ને વધારશે। જેથી તમને નુકસાન થઈ શકે છે. આ દરમિયાન કોઈપણ એવું કામ કરવા થી બચો જેના લીધે સરકાર નું ઉલ્લંઘન થાય. ખાસ કરીને પોતાનું ટેક્સ ઈમાનદારી થી ચૂકવો। નહીંતર તમને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

પરસ્પર સંબંધો માં અમુક વધઘટ આવવા ની શક્યતા છે કેમકે, આ દરમિયાન તમે પોતાના પાર્ટનર થી પોતાની લાગણીઓ ને વ્યક્ત કરવા માં સફળ રહેશો। આવા માં તમારા પાર્ટન રની અંદર આ જાત નો ભાવ પણ આવી શકે છે કે તમે તેમને પોતાના જીવન માં આવવા ની અનુમતિ આપી રહ્યા, તેથી પ્રયાસ કરો કે તેમની જોડે ક્વાલિટી ટાઈમ પસાર કરો. આના થી તમારા સંબંધ મધુર બનશે અને તેમને એક વાંછિત દિશા માં લઈ જવા માં તમને ઘણી મદદ મળશે।

ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરી રહેલા છાત્રો ને આ સમય ના દરમિયાન વધારે પરિશ્રમ કરવો પડી શકે છે ત્યારે તેમને સારા પરિણામ મળશે। આરોગ્ય ના સંદર્ભ માં કોઇ મોટી ચિંતાનું સંકેત નથી. હા પરંતુ જો તમે રક્તચાપ અથવા કોઈપણ લોહી સંબંધિત સમસ્યા પીડિત છો તો, તમારે આ સમય દરમિયાન અમુક સાવચેત રહેવા ની સલાહ આપવા માં આવે છે.

ઉપાય: મંગળવારે પોતાની જમણા હાથ ની અનામિકા આંગળી માં સોના માં લાલ મૂંગો ધારણ કરો.

વાંચો તમારું માસિક રાશિફળ: કર્ક

મેળવો પોતાના કરિયર માટે સટીક માર્ગદર્શન: કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ

સિંહ રાશિ

સિંહ જાતકો ના માટે મંગળ વક્રી થઈ ભાગ્ય અને કિસ્મત ના ઘર થી પરિવર્તન અને અનિશ્ચિતતા ના ઘર માં પ્રવેશ કરી રહ્યો છે.

વ્યવસાયિક રૂપે તમારા પ્રયાસ આ દરમિયાન અમુક ખાસ પરિણામ નહીં આપે. જેથી તમારો આત્મવિશ્વાસ અમુક ડગમગાવી શકે છે. જોકે આ ગોચર તમને આ સમજાવશે કે જીવન માં અમુક સમયે રોકાવું અને જોવું કે તમે યાત્રા ક્યાં થી શરૂ કરી હતી અને હવે તમે ક્યાં છો તે પણ સારું હોય છે. તેથી આ સમયે પોતાની ભૂલો થી શિખામણ લેવા અને ભવિષ્ય માં તે ભૂલો ને ફરી થી ના કરવા નું એક સારો સમય સાબિત થઈ શકે છે.

આ ગોચર ના દરમ્યાન જરૂરી છે કે તમે પોતાની ક્ષમતા અને સકારાત્મક વર્તન માં વિશ્વાસ રાખો। આ અવધિ ના દરમિયાન ઉધાર અથવા બીજા લોકો ના સંસાધનો પર વિશ્વાસ ના કરો કેમ કે છેલ્લે તમારા હાથ માં નિરાશા લાગી શકે છે. આ ઉપરાંત તમે પોતાના તે સંસાધનો નું સારુ પ્રયોગ કરી શકો છો, જે તમને આગળ વધવા માં મદદ કરી શકે છે.

પારિવારિક દ્રષ્ટિકોણ થી તમારા માતા પિતા નું આરોગ્ય તમને અમુક મુશ્કેલીઓ આપી શકે છે. વ્યક્તિગત સંબંધો માટે તમે પોતાના જીવનસાથી ની જોડે પોતાના સંબંધ ને ફરી થી જીવંત કરવા માટે આ સમય સારો સાબિત થઇ શકે છે. તેથી પ્રયાસ કરો કે તમે તેમની જોડે વધારે થી વધારે સમય પસાર કરો અને તેમને તેમની મનગમતી જગ્યા ઉપર ફરવા લઈ જાવ.

આરોગ્ય ના માટે આ ગોચર તમારા માટે અમુક નાજુક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને ગેસ અને એસિડિટી જેવી અમુક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. તેથી સલાહ આપવા માં આવે છે કે પોતાના ખોરાક ની ટેવ અને ખોરાક ની શૈલી પર ધ્યાન આપો તો સારું રહેશે। પ્રયાસ કરો કે તમારી દિનચર્યા માં યોગા, ધ્યાન અને પૂરતી ઊંઘ ને શામેલ કરો. જેથી તમારું આરોગ્ય સારું બનશે।

ઉપાય: મંગળવારે ભગવાન હનુમાન ને કંકુ ચઢાવવા થી શુભ ફળ પ્રાપ્ત થશે.

વાંચો તમારું માસિક રાશિફળ: સિંહ

કન્યા રાશિ

મંગળ ના આ ગોચર થી કન્યા રાશિ ના જાતકો ને લાભકારી પરિણામ પ્રાપ્ત કરવા માટે પોતાના પ્રયાસો ને સારી દિશા માં વાળવું હશે, કેમકે આ ગોચર માં મંગળ તમારી રાશિ થી સપ્તમ ભાવ માં ગોચર કરી રહ્યા છે. સાતમા ભાવ ને વેપાર, ભાગીદારી અને જીવનસાથી નું ઘર ગણવા માં આવે છે.

આ ગોચર ના પરિણામ થી તમને પોતાની નોકરી ના ક્ષેત્ર માં અથવા કાર્યક્ષેત્ર માં વધઘટ નો સામનો કરવો પડી શકે છે. આ ગોચર ના દરમિયાન તમે ઉતાવળ માં નિર્ણય લઈ શકો છો. આ ગોચર તમને તે વસ્તુઓ ને છોડવા ના માટે મજબૂર કરી શકે છે જે તમને પોતાના કરિયર માં આગળ વધારી શકે છે, તેથી તમને સલાહ આપવા માં આવે છે કે ધીરજ રાખો અને આગળ વધતા પહેલા દરેક સ્થિતિ નું સારી રીતે વિશ્લેષણ કરી લો.

જો તમે ભાગીદારી માં પોતાનું વ્યવસાય કરો છો તો આ સમય ના દરમ્યાન અમુક વિવાદ અથવા લડાઈ થવા ની શક્યતા છે. કોઈપણ જાત ના વિવાદ માં પડવા થી સારું છે કે પોતાના પાર્ટનર ને ઈજ્જત આપો અને કોઈપણ સમસ્યા નું ઉકેલ સાથે મળી ને કાઢો।

જો નાણાકીય પાસા ની વાત કરીએ તો મંગળ નો સીધો સંબંધ છે તમારા બીજા ઘર થી તેથી આ સમય તમારા ગજવાં પર આનું પ્રભાવ પડી શકે છે. તેથી ધન અને સંસાધનો નું ઉચિત પ્રબંધન આ સમય ની મોટી જરૂરિયાત છે.

વ્યક્તિગત રૂપે તમને સંબંધો માં અમુક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કેમકે આ દરમિયાન તમે અસુરક્ષિત અનુભવ કરી શકો છો. તમારા મગજ નું આ સંદેહ આ સમય તમારી માનસિકતા ને પરેશાન કરી શકે છે. આ કારણ ને લીધે તમે આ સમયે તમે પોતાના સાથી ને નિયંત્રિત કરવા અને તેના પર ભારે થવા નો પ્રયાસ કરી શકો છો. જે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે કડવાશ નું કારણ બની શકે છે. તેથી પોતાના પાર્ટનર ને સ્વતંત્રતા પ્રદાન કરો જેથી તમારા સંબંધો ને એક નવુ આયામ આપવા માં મદદ મળશે।

ઉપાય: મંગળવારે તાંબા નું દાન કરવા થી શુભ ફળ પ્રાપ્ત થશે.

વાંચો તમારું માસિક રાશિફળ: કન્યા

તુલા રાશિ

મંગળ નું ગોચર તુલા રાશિ ના છઠ્ઠા ઘર માં થવા જઈ રહ્યું છે જેને પ્રતિસ્પર્ધા અને અવરોધો નું ઘર ગણવા માં આવે છે. મંગળ નો આ ગોચર તમને ઉચ્ચ પ્રતિસ્પર્ધી ઊર્જા પ્રદાન કરનારું સાબિત થશે.

કાર્યક્ષેત્ર માં આ ઉર્જા તમને આવનારા અવરોધો અને બાધાઓ ને સરળતા થી દૂર કરવા માં તમારી મદદ કરનારી સાબિત થઇ શકે છે. જે તમને પોતાના પ્રતિસ્પર્ધીઓ ના ઉપર વિજય અપાવશે। જો કે તમે અમુક સમય અમુક એવી વસ્તુઓ કરવા અથવા ફેરવવા નું પ્રયાસ કરી શકો છો, જે તમારી પહોંચ થી ઘણી દૂર છે જેના પરિણામ સ્વરૂપ તમારી ઉર્જા વ્યર્થ માં સમાપ્ત થવા લાગશે। આવા માં તમને સલાહ આપવામાં આવે છે કે સમજદાર બનો અને પોતાની ઉર્જા ને માત્ર તે કાર્યો માં લગાવો જે તમને પોતાના વ્યવસાયિક કરિયર ની બાજુ લઈ જઈ શકે છે.

આના સિવાય જો તમે પોતાનો ઉધાર અથવા બાકી નું દેવું ચૂકવવા ની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે સારું સાબિત થઇ શકે છે. જોકે આ સમયે કોઈ ને પણ પૈસા ઉધાર આપવા થી બચો કેમકે આ તમને પાછળ થી નહીં મળે એવી શક્યતા છે.

વ્યક્તિગત રૂપ થી મંગળ સાતમા ઘર થી છઠ્ઠા ઘર માં બીમારીઓ ની બાજુ વધી રહ્યો છે જેથી આ વાત સ્પષ્ટ થાય છે કે આ સમયે પોતાના સાથી નો આરોગ્ય તમને અમુક પરેશાન કરી શકે છે. આવા માં પ્રયાસ કરો કે તમે જેટલું વધારે થી વધારે સમય પોતાના પાર્ટનર ની સાથે પસાર કરી શકો તેટલું સારું રહેશે। જો તમે કોઈ બીમારી થી લાંબા સમયથી પીડિત છો તો આ સમયે તમને તે બીમારી થી નીકળવા માં મદદગાર સાબિત થઈ શકે છે.

ઉપાય: મંગળવાર ના દિવસે ભગવાન નરસિંહ ની પૂજા કરવા થી શુભ ફળ પ્રાપ્ત થશે.

વાંચો તમારું માસિક રાશિફળ: તુલા

વૃશ્ચિક રાશિ

આ ગોચર ના દરમિયાન મંગળ વૃશ્ચિક રાશિ ના જાતકો ના પાંચમા ઘર જેને બુદ્ધિ અને યોજના નો ઘર ગણવા માં આવે છે તેમાં પ્રવેશ કરશે।

વ્યવસાયિક રૂપ થી મંગળ ની આ સ્થિતિ આ વાત ની બાજુ સૂચન કરે છે કે આ સમયગાળા દરમિયાન તમને પરિણામ ની અપેક્ષા કર્યા વગર પ્રયાસ કરતા રહેવું હશે.

આના સિવાય આ સમયે તમારા વિશ્વાસ માં જરૂરી ફેરફાર કરી ને આગળ વધવા નું છે. નાણાંકીય દ્રષ્ટિકોણ ની વાત કરીએ તો આ સમયે પોતાની પૂરી ધન રાશિ ને કોઈ એક જગ્યા પર લગાવવા માટે સારો સમય નથી. આવા માં તમને સલાહ આપવા માં આવે છે કે નાની-નાની ધનરાશિ જુદા જુદા ઉપક્રમ માં લગાવવા નો પ્રયાસ કરો જે લાંબા સમય માં તમારા માટે અનુકૂળ પરિણામ લઇને આવી શકે છે.

વ્યક્તિગત રૂપે તમે આ સમય દરમિયાન અમુક પરેશાન અને ચિડિયાપણા સ્વભાવ ના રહી શકો છો જેનો પ્રભાવ તમારા સંબંધો પર પડી શકે છે. તેથી સલાહ આપવા માં આવે છે કે પોતાના સ્વભાવ નો ધ્યાન રાખો આ તમારા સંબંધો માટે સારો રહેશે।

જો તમે વિવાહિત છો તો આ સમય ના દરમ્યાન તમારા બાળકો નો સ્વભાવ તમારા માટે મુશ્કેલી નું કારણ બની શકે છે. આ સમયે તમારા અને તમારા બાળકો ની વચ્ચે અમુક મતભેદ પણ ઉભા થઇ શકે છે. જોકે તેમને કોઈપણ કામ માટે મજબૂર કરવા ની જગ્યા તમે તેમની સામે એવું ઉદાહરણ મૂકી શકો છો કે વસ્તુઓ ને સારી રીતે કેવી રીતે કરી શકાય છે. ઉચ્ચ શિક્ષણ ના ક્ષેત્ર થી સંકળાયેલા છાત્રો ના માટે આ સમયે ઘણું અનુકૂળ રહેવાવાળો છે.

આરોગ્ય માટે પેટ સંકળાયેલી અમુક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે ખાસ કરીને ગેસ અને અમ્લીય બાબતો થી સંબંધિત પરેશાનીઓ, તેથી સલાહ આપવા માં આવે છે કે આ સમયે તળેલા અને જંક ફૂડ થી દૂર રહેવા નો પ્રયાસ કરો.

ઉપાય: પોતાના જમણા હાથ ની અનામિકા આંગળી માં લાલ મૂંગો ધારણ કરો.

વાંચો તમારું માસિક રાશિફળ: વૃશ્ચિક

ધનુ રાશિ

તમારા ચોથા ભાવ ગૃહ અને આરામ માં તમારા પ્રતિગામી મંગળ ની સ્થિતિ તમારી અમુક બેચેની અને ચિંતા નું કારણ બની શકે છે. આ સમય ના દરમિયાન તમે અમુક નિરાશ અનુભવ કરી શકો છો અને દરેક જાત ના કમિટમેન્ટ થી દૂર થવા માંગો છો. આ દરમિયાન તમારે ઉતાવળ માં અમુક નિર્ણય લેવો પડી શકે છે જેના પરિણામ સ્વરૂપ ભવિષ્ય માં તમને નુકસાન થઇ શકે છે, તેથી ધીરજ રાખો અને દરેક સ્થિતિ ના વ્યવસાયિક પાસાઓ ને સારી રીતે સમજ્યા પછી જ કોઈ નિર્ણય લો.

નાણાકીય રૂપે આ દરમિયાન તમે પોતાના ઘર અને સંપત્તિ ને પુનઃનિર્માણ કરવા નો વિચાર કરી શકો છો. જેના પરિણામ સ્વરૂપ તમને અનુમાન થી વધારે ધન નું ઉપયોગ કરવો પડી શકે છે. જેના લીધે તમને જરૂરી તણાવ અને ચિંતા થવા ની શક્યતા છે, તેથી તમને સલાહ આપવા માં આવે છે કે આ સમય ના દરમ્યાન પોતાના વિત્ત નું ઉચિત પ્રબંધન કરો.

ત્યાંજ વ્યક્તિગત રૂપ થી કેમકે મંગળ વિવાહ અને સંબંધો ના ઘર નું એક મહત્વપૂર્ણ પાસો છે, આવા માં આ તમારા સંબંધો માં અમુક મનદુઃખ પણ ઊભો કરી શકે છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે પોતાના ભાગીદાર ની જોડે સારો સમય પસાર કરો. આ તમારા સંબંધો માટે સારો રહેશે।

આરોગ્ય ના માટે લોહી અથવા રક્તચાપ ની સમસ્યા આ સમયે તમને પરેશાન કરી શકે છે. તેથી તમને પોતાના ખોરાક ની ટેવો પર વિશેષ ધ્યાન રાખવા ની જરૂર છે. સલાહ આપવા માં આવે છે કે કોઈપણ શારીરિક ગતિવિધિઓ માં સંલિપ્ત રહો જેથી તમારું આરોગ્ય ઉત્તમ રહે.

ઉપાય: હનુમાન ચાલીસા નો પાઠ કરવા થી શુભ ફળ પ્રાપ્ત થશે.

વાંચો તમારું માસિક રાશિફળ: ધનુ

મેળવો પોતાના જીવન ની સટીક આગાહીઓ: બૃહત કુંડળી

મકર રાશિ

વીરતા, સાહસ અને પ્રયાસો ના ત્રીજા ઘર માં મંગળ નું આ ગોચર મકર રાશિ ના જાતકો માટે શુભ પરિણામ લઇને આવશે।

વ્યવસાયિક રૂપ થી આ દરમિયાન તમે અમુક એવા કાર્ય અને પ્રયાસો ને કરવા ના વિશે વિચાર કરી શકો છો જેને તમે પહેલા કરવા માટે અસહજ અનુભવ કરતા હતા. આ સમય ના દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે પોતાના લક્ષ્ય અને મહત્વાકાંક્ષાઓ ના પ્રયાસ કરવા માં બિલકુલ પણ અચકાશો નહીં।

જો તમે એથ્લેટીક્સ અથવા રમત ના ક્ષેત્રો માં કામ કરી રહ્યા છો તો આ દરમિયાન તમે પોતાની ક્ષમતા અને પ્રતિભા દેખાડવા ના અવસરો માં વધારો જોઈ શકો છો. જોકે આ દરમિયાન તમારી માતાજી ના આરોગ્ય માં ઘટાડો થઈ શકે છે અને ભાઈ-બહેનો ને પણ એવું અનુભવ થઈ શકે છે કે તમે તેમની જરૂરિયાતો નું પાલન નથી કરી રહ્યા જેથી તે તમારા થી દૂર જઈ શકે છે.

તમને આ દરમિયાન અમુક એવી નોકરીઓ ની તક પણ પ્રાપ્ત થઈ શકે છે જેના માટે તમે પહેલા પ્રયાસ તો કરી રહ્યા હતા પરંતુ અમુક પરિસ્થિતિઓ ના લીધે તમે તેમને મેળવવા માં નિષ્ફળ થયા હતા. વ્યક્તિગત સંબંધો ના માટે મંગળ નું આ ગોચર તમને પોતાના રોમેન્ટિક અને કામુક રૂપ માં સર્વશ્રેષ્ઠ બનાવશે અને તમે પોતાના સાથી ના માટે આ સમયે કંઇક પણ કરવા માટે તૈયાર રહેશો।

આ તમારા સંબંધો ને આગલા સ્તર સુધી લઈ જવા માં તમારી મદદ કરશે। એકંદરે આ ગોચર તમારી દરેક ઈચ્છાઓ ને પૂરી કરવા માટે એક સારો મંચ પ્રદાન કરનારું સાબિત થઇ શકે છે. જોકે આ સમય માં નાના અને સતત પ્રયાસ કરવા થી તમને પોતાના લક્ષ્ય ને પૂર્ણ કરવા માં મદદ મળશે। જેથી તમે પોતાની બધી ઊર્જા ઠીક જગ્યા પર લગાવી શકો છો.

ઉપાય: ભક્તિ ભાવ થી અંગારક સ્તોત્ર નું પાઠ કરો.

વાંચો તમારું માસિક રાશિફળ: મકર

કુંભ રાશિ

મંગળ નું ગોચર કુંભ રાશિ ના બીજા ઘર માં થઈ રહ્યું છે. જેના લીધે તમને સલાહ આપવા માં આવે છે કે નાણાકીય બાબતો થી સંકળાયેલા કોઈ પણ નિર્ણય વિશે સારી રીતે તપાસ કર્યા પછી જ પગલાં ઉપાડો। આ સમયે તમારુ મુખ્ય ધ્યાન આ વાત પર હોવું જોઈએ કે તમારી પાસે હાજર સંસાધનો નું વપરાશ સારા માં સારી રીતે કેવી રીતે કરાય। આ સમયે તમને કોઈપણ જાત ની ખરીદી થી બચવા ની સલાહ આપવા માં આવે છે. જો કે તમારા અને તમારા પરિવાર ના ભવિષ્ય ને સુરક્ષિત કરવા માટે એક સુવિચારિત યોજના અથવા બજેટ જરૂરી છે.

વ્યક્તિગત મોરચે મંગળ નું ગોચર તમારી વાણી ને અમુક કઠોર બનાવી શકે છે જેના લીધે તમારા પ્રિયજન અને સંબંધો ની વચ્ચે અમુક કડવાશ ઊભી થઈ શકે છે. તેથી સારું રહેશે કે બોલતા પહેલા તમે પોતાના શબ્દો ની પસંદગી સારી રીતે કરી લો અને તેના પછી જ વાત કરો.

આરોગ્ય ના માટે તમારે તે ખાવા ની વસ્તુઓ થી દૂર રહેવા ની સલાહ આપવા માં આવે છે જેમના પાચન માં મુશ્કેલી થાય છે. નહીંતર તમને દાંત અને પેટ થી સંબંધિત અમુક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય: કુંભ રાશિ ના જાતકો ના માટે ઋણ મોચક મંગલ સ્ત્રોત નું પાઠ કરવું અનુકૂળ રહેશે।

વાંચો તમારું માસિક રાશિફળ: કુમ્ભ

મીન રાશિ

તમારા વ્યક્તિત્વ ના પહેલા ઘર માં મંગળ નું ગોચર મીન રાશિ ના જાતકો ના માટે ખરાબ પરિણામ લઇને આવનારું સાબિત થઈ શકે છે. આ વાત આ બાજુ સૂચન કરે છે કે તમારા સંસાધનો અને ક્ષમતા ના પૂર્ણ ઉપયોગ ના પછી પણ તમને આ દરમિયાન પોતાની મહેનત નું ફળ પ્રાપ્ત નહીં થાય. આ સમય ના દરમિયાન તમારી બધી કાર્યવાહીઓ માં બિનજરૂરી વિલંબ થઈ શકે છે. આ સમય ના દરમ્યાન તમારા બધા કાર્ય સ્થિર રહેશે જેથી તમને કોઇ પરિણામ પ્રાપ્ત નહીં થાય.

અથક પ્રયાસો ના પછી પણ પરિણામ ના મળવા ના લીધે તમે અમુક ખિન્ન થઈ શકો છો જેથી તમારો ગુસ્સો વધશે અને આ ગુસ્સો તમારા ઘરવાળાઓ અને પ્રિયજનો ના ઉપર નીકળી શકે છે. આના થી તમારા પરિવાર માં સમસ્યાઓ વધી શકે છે. આ ગોચર ના દરમિયાન સૌથી ઉચિત સલાહ આ આપવા માં આવે છે કે તમે શાંત રહો અને વસ્તુઓ જેવી રીતે ચાલી રહી છે તેવી રીતે ચાલવા દો.

ત્યાંજ આરોગ્ય ના પાસા પર જેમ કે મંગળ એક ઉગ્ર ગ્રહ છે અને તમારા પહેલાં ઘર માં સ્થાનાંતરિત થઈ રહ્યું છે. તેથી તમારી ત્વચા માં શુષ્કપણું થવા ની શક્યતા છે. તેથી તમને સલાહ આપવા માં આવે છે કે હાઇડ્રેટ રહો. વધારે થી વધારે પાણી પીઓ અને સારી રીતે પોતાને મોઇશચુરાઈઝ કરો. આ દરમિયાન જો તમે ધ્યાન અથવા શારીરિક વ્યાયામ માં સંલિપ્ત તો છો તો આના થી તમને ઊર્જા મળશે અને જીવન ને સકારાત્મક દિશા મળવા માં મદદ મળશે। કોઈપણ જાત ના વાદવિવાદ અથવા ચર્ચા માં ન પડવો કેમકે આના થી તમારા દુઃખી થવા ની શક્યતા વધારે છે. આ સમયે સાવચેત રહી ડ્રાયવિંગ કરો.

ઉપાય: દરરોજ પોતાના માથા પર ચંદન નું તિલક લગાવો।

વાંચો તમારું માસિક રાશિફળ: મીન

રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer